દેશમાં કોરોના વાયરસના કેસ 56 હજારને પાર, અત્યાર સુધી 16 હજારથી વધુ લોકો સાજા થયા
કોરોના વાઈરસે દેશ સહિત સમગ્ર વિશ્વમાં કેર વર્તાવ્યો છે. ત્યારે દેશમાં છેલ્લા 24 કલાકમાં પોઝિટિવ કેસનો આંકડો 3,344 વધીને 56,351ને પાર થઈ ગયો છે. સક્રિય કેસની સંખ્યા વધીને 37,682 પર પહોંચી ગઈ છે તો વધુ 104 લોકોનાં મોત સાથે કુલ મોતનો આંકડો 1,889 પર પહોંચી ગયો છે. જ્યારે 16,776 લોકો સાજા પણ થયા છે. Web […]
કોરોના વાઈરસે દેશ સહિત સમગ્ર વિશ્વમાં કેર વર્તાવ્યો છે. ત્યારે દેશમાં છેલ્લા 24 કલાકમાં પોઝિટિવ કેસનો આંકડો 3,344 વધીને 56,351ને પાર થઈ ગયો છે. સક્રિય કેસની સંખ્યા વધીને 37,682 પર પહોંચી ગઈ છે તો વધુ 104 લોકોનાં મોત સાથે કુલ મોતનો આંકડો 1,889 પર પહોંચી ગયો છે. જ્યારે 16,776 લોકો સાજા પણ થયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
દેશમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે. જ્યાં એક જ દિવસમાં 43 લોકોનાં મોત થયા છે. અત્યાર સુધી કુલ 694 લોકોનાં મહારાષ્ટ્રમાં મોત થઈ ચૂક્યા છે તો 1,216 કેસના વધારા સાથે પોઝિટિવ કેસનો આંકડો 17,974 પર પહોંચી ગયો છે. ત્યારે દિલ્લીમાં નવા 448 કેસ સાથે પોઝિટિવ કેસનો આંકડો 5,980 પર પહોંચી ગયો છે અને 66 લોકોનાં મોત થયા છે.
જ્યારે મધ્યપ્રદેશમાં 114 કેસના વધારા સાથે પોઝિટિવ કેસનો આંકડો 3,252ને પાર કરી ગયો છે અને 193 લોકોનાં મોત થયા છે. તમિલનાડુમાં 580 કેસના વધારા સાથે પોઝિટિવ કેસનો આંકડો 5,400ને પાર કરી ગયો છે. જ્યારે 37 લોકોના મોત થઈ ચૂક્યા છે તો રાજસ્થાનમાં 3,427 કેસ અને 99 લોકોના મોત થયા છે. ઉત્તરપ્રદેશમાં 3,071 કેસ અને 62 લોકોના મોત થયા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો