Chandrayaan 3: ચંદ્રયાન-3 ‘ચંદા મામા’ની વધુ નજીક પહોંચ્યુ, વિક્રમ લેન્ડરનું સફળ રહ્યુ ડિબૂસ્ટિંગ

ગુરુવારે જ્યારે વિક્રમ લેન્ડરને અલગ કરવામાં આવ્યું હતું, ત્યારે ઈસરોએ શુક્રવારે માહિતી આપી હતી કે ભારતીય સમય અનુસાર સાંજે 4 વાગ્યે ડીબૂસ્ટિંગ (સ્પીડ ઘટાડવાની પ્રક્રિયા)માંથી પસાર થયા પછી લેન્ડર મોડ્યુલ ચંદ્રની ભ્રમણકક્ષામાં થોડું નીચે આવવાની ધારણા છે. આ સાથે ચંદ્રયાન-3 ચંદ્રની વધુ નજીક પહોંચી જશે.

Chandrayaan 3: ચંદ્રયાન-3 'ચંદા મામા'ની વધુ નજીક પહોંચ્યુ, વિક્રમ લેન્ડરનું સફળ રહ્યુ ડિબૂસ્ટિંગ
Important moment for Chandrayaan-3
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2023 | 5:43 PM

ભારત ચંદ્ર પર પહોંચવાની ખૂબ જ નજીક છે. લેન્ડર મોડ્યુલે શુક્રવારે ડીબૂસ્ટિંગ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન એટલે કે ઈસરોએ ટ્વીટ કરીને આ જાણકારી આપી. ISROએ લખ્યું છે કે, લેન્ડર મોડ્યુલે તેની ભ્રમણકક્ષા ઘટાડીને 113 km x 157 km કરી ડિબૂસ્ટિંગ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું છે. બીજું ડિબૂસ્ટિંગ ઑપરેશન 20 ઑગસ્ટ 2023 ના રોજ બપોરે 2 વાગ્યે સુનિશ્ચિત થયેલ છે.

ઈસરોએ કહ્યું હતું કે 23 ઓગસ્ટે સોફ્ટ લેન્ડિંગ પહેલા આ એક મહત્વપૂર્ણ પગલું છે, કારણ કે આ ડીબૂસ્ટિંગ વિક્રમ લેન્ડરને ચંદ્રની વધુ નજીક લઈ જશે. ગુરુવારે, ચંદ્રયાન-3 ના પ્રોપલ્શન મોડ્યુલ અને લેન્ડર મોડ્યુલને અલગ કરવામાં આવ્યા હતા, ત્યારથી વિક્રમ લેન્ડર એકલા ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

ગુરુવારે જ્યારે વિક્રમ લેન્ડરને અલગ કરવામાં આવ્યું હતું, ત્યારે ઈસરોએ શુક્રવારે માહિતી આપી હતી કે ભારતીય સમય અનુસાર સાંજે 4 વાગ્યે ડીબૂસ્ટિંગ (સ્પીડ ઘટાડવાની પ્રક્રિયા)માંથી પસાર થયા પછી લેન્ડર મોડ્યુલ ચંદ્રની ભ્રમણકક્ષામાં થોડું નીચે આવવાની ધારણા છે. આ સાથે ચંદ્રયાન-3 ચંદ્રની વધુ નજીક પહોંચી જશે.

ડીબૂસ્ટિંગ શું છે, હવે શું થશે?

જો સરળ ભાષામાં સમજીએ તો આ પ્રક્રિયાનો અર્થ વિક્રમ લેન્ડરની સ્પીડ ઘટાડવાનો છે. હવે વિક્રમ લેન્ડર ચંદ્રથી 150 કિમી દૂર છે. ડીબૂસ્ટિંગ દરમિયાન તેના થ્રસ્ટર્સ ચાલુ હોય છે અને તેને આગળ ધકેલવામાં આવે છે. ઝડપ ઘટાડવા અને તેની ભ્રમણકક્ષા બદલવા માટે સમાન પ્રક્રિયા કરવામાં આવે છે. હવે કારણ કે તે લેન્ડિંગ તરફ આગળ વધવાનું છે, તેના કારણે વિક્રમ લેન્ડરને નીચલા સ્તર પર લાવવામાં આવશે.

18 ઓગસ્ટના રોજ ડિબૂસ્ટિંગ માત્ર એક ભાગ છે, કારણ કે તે 18 અને 20 ઓગસ્ટ વચ્ચે સમયાંતરે કરવામાં આવશે. પ્રથમ વિક્રમ લેન્ડર 100 કિ.મી. 30 કિલોમીટરના અંતરે લાવવામાં આવશે. ના અંતરે લાવવામાં આવશે જ્યારે લેન્ડર 30 કિ.મી. પર લાવવામાં આવશે, પછી તેને લેન્ડિંગ પોઝિશન પર લાવવામાં આવશે અને ત્યારબાદ સોફ્ટ લેન્ડિંગની પ્રક્રિયા શરૂ થશે.

ચંદ્રયાન 3 ના મહત્વના પડાવ

  1. ISRO એ 14 જુલાઈ 2023 ના રોજ ચંદ્રયાન-3 લોન્ચ કર્યું, તે ભારતનો એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે.
  2. લગભગ 11 દિવસ પછી એટલે કે 25 જુલાઈએ ચંદ્રયાન-3 એ પૃથ્વીની ભ્રમણકક્ષા છોડી દીધી.
  3. 5 ઓગસ્ટ 2023ના રોજ, ચંદ્રયાન-3 એ ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કર્યો.
  4. 16 ઓગસ્ટ 2023ના રોજ, આ મિશન તમામ દાવપેચ પૂર્ણ કરીને ચંદ્રની નજીક પહોંચી ગયું.
  5. 17 ઓગસ્ટ 2023 ના રોજ, ચંદ્રયાન-3 ના પ્રોપલ્શન અને લેન્ડર મોડ્યુલ અલગ થયા.
  6. વિક્રમ લેન્ડરનું પ્રથમ ડિબૂસ્ટિંગ 18 ઓગસ્ટ એટલે કે શુક્રવારે થયું હતું અને તેને ચંદ્રની નજીકની ભ્રમણકક્ષામાં લાવવામાં આવ્યું હતું.
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">