હિમાચલ પ્રદેશમાં મંડી મસ્જિદના ગેરકાયદેસર ભાગ પર ચાલશે બુલડોઝર, જૂની સ્થિતિ પુનઃસ્થાપિત કરવી પડશે – કોર્ટનો આદેશ

|

Sep 13, 2024 | 3:44 PM

હિમાચલ પ્રદેશના મંડીમાં ગેરકાયદે મસ્જિદ પર કોર્ટ કમિશનરનો નિર્ણય આવ્યો છે. આ મુજબ મસ્જિદનું ગેરકાયદે બાંધકામ તોડવું પડશે. જો કે, મુસ્લિમ પક્ષ પોતે આ કામ કરી રહ્યો છે. તેમ છતાં શુક્રવારે અનેક હિન્દુ સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

હિમાચલ પ્રદેશમાં મંડી મસ્જિદના ગેરકાયદેસર ભાગ પર ચાલશે બુલડોઝર, જૂની સ્થિતિ પુનઃસ્થાપિત કરવી પડશે - કોર્ટનો આદેશ

Follow us on

હિમાચલ પ્રદેશમાં મંડીના જેલ રોડ પર આવેલી મસ્જિદને લઈને ચાલી રહેલા હોબાળા વચ્ચે કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટ કમિશનરે મસ્જિદના ગેરકાયદે ભાગને તોડી પાડવાનો આદેશ જાહેર કર્યો છે. કમિશનર એચ.એચ.રાણાએ પોતાના નિર્ણયમાં જણાવ્યું હતું કે, મંડીમાં આવેલી જેલ રોડ મસ્જિદનું ગેરકાયદે બાંધકામ તોડવું પડશે. ત્યાં મસ્જિદની જૂની હાલત પુનઃસ્થાપિત કરવી પડશે. કોર્ટે એમ પણ કહ્યું કે મુસ્લિમ પક્ષ આ કેસમાં 30 દિવસની અંદર અપીલ કરી શકશે. જો કે, મુસ્લિમ પક્ષે કહ્યું કે તેઓ પોતે ગેરકાયદેસર ભાગ તોડી રહ્યા છે, જેથી વિસ્તારમાં પરસ્પર ભાઈચારો જળવાઈ રહે. તેમના પર કોઈનું દબાણ નથી.

શિમલાના સંજૌલીમાં મસ્જિદ વિવાદ બાદ મંડીના જેલ રોડમાં એક મસ્જિદના ગેરકાયદે બાંધકામને લઈને અચાનક તણાવ વધી ગયો હતો. શુક્રવારે હિન્દુ સંગઠનોએ મસ્જિદ મુદ્દે મંડીમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં હજારો લોકોએ ભાગ લીધો હતો. તેમની માંગ ગેરકાયદેસર મસ્જિદ તોડી પાડવાની હતી.

વિરોધ કરી રહેલા લોકોએ છોટી કાશીમાંથી મુસ્લિમ સમુદાયના લોકોને હાંકી કાઢવાની પણ માંગ કરી હતી. તેમણે કહ્યું કે મસ્જિદનું નિર્માણ હિમાચલ સરકારની જમીન પર કરવામાં આવ્યું છે. તેને તોડવી પડશે. આ વિરોધ રેલી સેરી મંચથી શરૂ થઈને આખા માર્કેટમાંથી થઈને સાકોડી ચોક તરફ આગળ વધી હતી. હિન્દુ સંગઠનોના વિરોધને કાબૂમાં લેવા માટે વહીવટીતંત્ર દ્વારા વોટર કેનનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 19-09-2024
5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા

કલમ 163 લાગુ કરવામાં આવી છે

પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, મંડી પ્રશાસને BNSSની કલમ 163 (અગાઉની 144) લાગુ કરી છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. મંડી શહેરની ચારેય તરફ બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. મસ્જિદ પાસે મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે.

મસ્જિદ કમિટીએ શું કહ્યું?

મસ્જિદ કમિટીના સભ્ય ઈકબાલ અલીએ કહ્યું- મસ્જિદના નિર્માણ માટે ઓક્ટોબર 2023માં નકશો પાસ કરાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનને અરજી આપવામાં આવી હતી. તેમને એ વાતની જાણ નહોતી કે જાહેર બાંધકામ વિભાગ પાસેથી NOC લેવી પડશે. તેમજ તેને આ અંગે જાણ કરવામાં આવી ના હતી. PWD વિભાગે બાંધકામના કામ પર વાંધો ઉઠાવ્યો અને નોટિસો આવવા લાગી.

તેમણે જણાવ્યું કે શુક્રવારે સાર્વજનિક બાંધકામ વિભાગ, મહેસૂલ, પટવારી, તહસીલદાર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તપાસ બાદ જે ગેરકાયદે હિસ્સો મળી આવ્યો છે તે હવે કોઈના દબાણ વગર તેઓ જાતે જ તોડી રહ્યા છે. આ જેથી પરસ્પર ભાઈચારો, સામાજિક સમરસતા જળવાઈ રહે અને કાયદાનું પાલન થાય.

આવું જ પ્રદર્શન શિમલાના સંજૌલીમાં થયું

અગાઉ, હિંદુ સંગઠનો અને સ્થાનિક લોકોએ શિમલાના સંજૌલી વિસ્તારમાં મસ્જિદ સંકુલમાં ગેરકાયદે બાંધકામનો વિરોધ કર્યો હતો. આ દરમિયાન પ્રદર્શનકારીઓની પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું. પ્રદર્શનકારીઓએ મસ્જિદ તરફ કૂચ કરી હતી. આ દરમિયાન પોલીસે બેરિકેડ લગાવીને તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો, જેને લોકોએ તોડીને આગળ વધવા લાગ્યા હતા. પોલીસે ભીડને વિખેરવા માટે વોટર કેનન અને લાઠીચાર્જ કર્યો હતો.

Published On - 3:42 pm, Fri, 13 September 24

Next Article