AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : NDTVના સમાચાર સામે અનિલ અંબાણી દિલ્હી હાઈકોર્ટ પહોચ્યા, જાણો કેમ

NDTVના સમાચાર સામે અનિલ અંબાણીએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે.એવો આરોપ છે કે ચેનલે છેલ્લા કેટલાક મહિનામાં તેમની વિરુદ્ધ 72 આપત્તિજનક લેખો પ્રકાશિત કર્યા છે.

Breaking News : NDTVના સમાચાર સામે અનિલ અંબાણી દિલ્હી હાઈકોર્ટ પહોચ્યા, જાણો કેમ
| Updated on: May 07, 2026 | 4:58 PM
Share

ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ દિલ્હી હાઈકોર્ટમાં ન્યૂઝ ચેનલ NDTV વિરુદ્ધ CBI અને ED કેસ સંબંધિત કથિત રીતે બદનક્ષીભર્યા સમાચાર ફેલાવવા બદલ માનહાનિનો દાવો દાખલ કર્યો હતો. આ મામલાની સુનાવણી જસ્ટિસ સુબ્રમોનિયમ પ્રસાદે કોર્ટમાં કરી હતી. સુનાવણી દરમિયાન, કોર્ટે અનિલ અંબાણીની અરજી પર જવાબ માંગવા માટે NDTV ને નોટિસ જાહેર કરી છે.હાલમાં તો કોર્ટે વચગાળાની રાહત આપવાની ના પાડી છે. આ મામલે આગળની સુનાવણી જુલાઈમાં થશે.

સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું

સમાચાર અને વિચારમાં તફાવત હોય છે. આ માત્ર સમાચાર નથી. તમારે એ દેખાડવું પડશે કે, આ સમાચાર એટલા ખોટા હોય કે, તેના પ્રતિબંધ લગાવવાની જરુર હોય. અનિલ અંબાણીના વકીલે કોર્ટેમાં કહ્યું કે, છેલ્લા 8 મહિનાથી તેના વિરુદ્ધ 72 લેખ પ્રકાશિત થયા છે. વકીલે એ પણ કહ્યું કે, એનડીટીવીમાં મોટાભાગની ભાગેદારી અદાણી ગ્રુપ પાસે છે.

વકીલે કોર્ટમાં કહ્યું

હું કંપનીમાં અલગ વ્યક્તિ છું. મીડિયાને પણ સામુહિક જવાબદારીઓ હોવી જોઈએ. સમાચારો સીધા અનિલ અંબાણી વિરુદ્ધ લખવામાં આવ્યા છે. જ્યારે સમાચાર મુખ્ય રિલાયન્સ કમ્યુનિકેશન લિમિટેડ સાથે જોડાયેલા છે.

તેમણે આગળ કહ્યું કે, તેમણે પહેલા સુપ્રીમ કોર્ટમાં દેશ છોડી ન જવાનું આશ્વાસન આપ્યું પરંતુ સમાચારમાં કહેવામાં આવ્યું કે, તેઓ દેશ છોડી ભાગી ગયા છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, વચગાળાની રાહત પર વધારાની સુનાવણી જુલાઈ મહિનામાં કરવામાં આવશે.NDTV નું પ્રતિનિધિત્વ વરિષ્ઠ વકીલ રાજશેખર રાવ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં કરંજવાલા એન્ડ કંપનીના વકીલો રૂબી સિંહ આહુજા, વિશાલ ગેહરાના, રવનીત કૌર મલિક અને પ્રજ્ઞા ગોયલના નેતૃત્વ હેઠળના વકીલોની એક ટીમનો સમાવેશ થયો હતો.

કોણ છે અનિલ અંબાણી

અનિલ ધીરુભાઈ અંબાણી એક ભારતીય ઉદ્યોગપતિ છે. તેમનો જન્મ 4 જૂન, 1959ના રોજ થયો હતો. તેમના પિતા એક અબજોપતિ ઉદ્યોગપતિ હતા જેમણે 1958માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના કરી હતી. શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યા પછી, અનિલે મુંબઈની કિશ્ચિનચંદ ચેલ્લારામ કોલેજમાંથી વિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી મેળવી. ત્યારબાદ તેમણે યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાની વ્હોર્ટન સ્કૂલમાંથી MBA કર્યું. તેમના પિતા, ધીરુભાઈ અંબાણીનું 2022માં અવસાન થયું હતુ, ભાઈઓ, મુકેશ અંબાણી અને અનિલ અંબાણી વિવાદ રહી ચૂક્યો છે.

અનિલ અંબાણી સાથે જોડાયેલી કંપનીઓ પર EDના દરોડા, મુંબઈમાં કાર્યવાહી ચાલુ, આવો છે અંબાણી પરિવાર વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
મહેસાણા DySP મિલાપ પટેલની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતી હાઇકોર્ટ
મહેસાણા DySP મિલાપ પટેલની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતી હાઇકોર્ટ
ભરઉનાળે ધાનેરામાં સતત સતત2 દિવસ પાણી ન આપતા લોકો ત્રાહિમામ
ભરઉનાળે ધાનેરામાં સતત સતત2 દિવસ પાણી ન આપતા લોકો ત્રાહિમામ
યુદ્ધની સ્થિતિ વચ્ચે નિકાસ અટકી જતા જીરુના ભાવ તૂટ્યા- Video
યુદ્ધની સ્થિતિ વચ્ચે નિકાસ અટકી જતા જીરુના ભાવ તૂટ્યા- Video
ભાવનગર જિલ્લાના ડેમોમાં 50% કરતા ઓછું પાણી, ઉનાળામાં જળ સંકટની ભીતિ
ભાવનગર જિલ્લાના ડેમોમાં 50% કરતા ઓછું પાણી, ઉનાળામાં જળ સંકટની ભીતિ
ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીએ કોંગ્રેસને મત આપવા કહ્યું? વીડિયો વાયરલ
ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીએ કોંગ્રેસને મત આપવા કહ્યું? વીડિયો વાયરલ
AMCએ બરફની ફેક્ટરીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ ચાલુ કર્યું, જુઓ Video
AMCએ બરફની ફેક્ટરીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ ચાલુ કર્યું, જુઓ Video
અમદાવાદમાં વધુ એક ડિગ્રીના વિવાદ સામે આવ્યો, જુઓ વીડિયો
અમદાવાદમાં વધુ એક ડિગ્રીના વિવાદ સામે આવ્યો, જુઓ વીડિયો
અમદાવાદમાં બ્રાન્ડેડ શૂઝના ડુપ્લીકેટ વેચાણનો પર્દાફાશ, જુઓ Video
અમદાવાદમાં બ્રાન્ડેડ શૂઝના ડુપ્લીકેટ વેચાણનો પર્દાફાશ, જુઓ Video
સુમુલ ડેરી ચૂંટણીનો માર્ગ મોકળો, જુલાઈમાં જામશે રસાકસીનો જંગ
સુમુલ ડેરી ચૂંટણીનો માર્ગ મોકળો, જુલાઈમાં જામશે રસાકસીનો જંગ
Breaking News : અમરેલીમાં સિંહ પજવણીનો વિડીયો થયો વાયરલ
Breaking News : અમરેલીમાં સિંહ પજવણીનો વિડીયો થયો વાયરલ
g clip-path="url(#clip0_868_265)">