બર્થડે પર કેક કાપતા લોકો સાવધાન ! 10 વર્ષની બાળકીએ જન્મ દિવસ પર કેક ખાતા જ ગુમાવ્યો જીવ, જુઓ Video

પટિયાલાના એક પરિવારનો દાવો છે કે તેમની 10 વર્ષની બાળકીનું બર્થડે કેક ખાવાથી મોત થયું છે. આ કેક ઓનલાઈન ઓર્ડર કરવામાં આવી હતી. તેના મૃત્યુના થોડા કલાકો પહેલાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં તે પોતાનો જન્મદિવસ ઉજવતી વખતે ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. કેક ખાધા બાદ પરિવારના અન્ય સભ્યોની તબિયત પણ લથડી હતી.

બર્થડે પર કેક કાપતા લોકો સાવધાન ! 10 વર્ષની બાળકીએ જન્મ દિવસ પર કેક ખાતા જ ગુમાવ્યો જીવ, જુઓ Video
10 year old Patiala girl died after eating cake
Follow Us:
| Updated on: Mar 31, 2024 | 10:12 AM

ઘરમાં ઉત્સવનું વાતાવરણ હતું. દીકરીના જન્મદિવસ પર બધા ખુશ હતા. જન્મદિવસ પર કેક મંગાવામાં આવી દીકરીએ તે ખુશીથી કાપી અને બધાએ કેક ખાધી… પરંતુ જન્મદિવસની કેક કાપનાર યુવતીની તબિયત લથડી અને તે જ દિવસે તેણે જીવ ગુમાવ્યો.

કેક ખાઈ ગુમાવ્યો જીવ

પંજાબના પટિયાલામાં 10 વર્ષની બાળકીનું તેના જન્મદિવસે મોત થયું છે. પરિવારનો દાવો છે કે બાળકીએ તેના જન્મદિવસ પર કાપેલી કેક ખાધા બાદ તે બીમાર પડી હતી. પછી શરીર ઠંડુ પડી ગયું. તેને હૉસ્પિટલમાં લઈ જાય તે પહેલાં જ બાળકીનું મોત થયું હતું. છોકરીના પરિવારે જણાવ્યું કે કેક તેના જન્મદિવસ પર ઓનલાઈન ઓર્ડર કરવામાં આવી હતી. મૃત્યુના થોડા કલાકો પહેલા કેક કાપતા બાળકીનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. કેક કાપતી વખતે છોકરી ઘણી ખુશ દેખાતી હતી.

કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી

પોલીસે કહ્યું કે આ બાબત પર ધ્યાન આપવામાં આવશે. કેક ક્યાંથી આવી તેની તપાસ કરવામાં આવશે. તેમજ બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. 10 વર્ષની માસૂમ બાળકીનું નામ માનવી હતું. પોલીસે પરિવારના નિવેદનના આધારે એફઆઈઆર નોંધી છે.

કેક ખાધીં તે બધાની તબીયત બગડી

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં છોકરીના દાદા કહે છે, ‘અમે 6 વાગ્યે ઓનલાઈન કેક મંગાવી હતી, જે 6.15 વાગ્યે આવી હતી. 7:15 વાગે માનવીએ કેક કાપી. તે ખાધા પછી ઘરના બધાની તબિયત લથડી. ચક્કર આવવા લાગ્યા. માનવી અને તેની નાની બહેનને પણ ઉલ્ટી થવા લાગી. નાની બહેને ખાધેલી કેક ઉલટી દ્વારા બહાર આવી ગઈ તેથી તેની તબીયત વધુ ન બગડી પણ માનવીએ કેક ખાધા પછી તેનો જીવ ગુમાવ્યો.

 આ પણ વાંચો : બિગ બીથી લઈને રજનીકાંત સુધી.. જાણો કયા સ્ટાર રાજકારણમાં નસીબ અજમાવી થયા સુપર હીટ અને કોણ ફ્લોપ?

તેમણે કહ્યું, “માનવીને પણ ઉલ્ટી થઈ પણ કેક બહાર આવી શકી નહીં. તેના મોઢામાંથી બે વાર ફીણ નીકળ્યું. અમને લાગ્યું કે તે માત્ર ઉલટી છે. આ પછી તે ઠીક થઈ જશે. પછી તે સૂઈ ગઈ. આ પછી તે ઉઠી અને પાણી માંગ્યું. તેણીએ કહ્યું કે તેનું ગળું સુકાઈ રહ્યું છે. ખૂબ તરસ લાગે છે. પછી તે ફરી સૂઈ ગઈ. સવારે લગભગ 4 વાગ્યે અમે જોયું કે તે ઠંડી પડી રહી હતી. અમે તેને હોસ્પિટલ લઈ ગયા. બીજી તરફ ડોકટરોએ ઓક્સિજનની વ્યવસ્થા કરી હતી. પણ પછી ડોક્ટરોએ જણાવ્યું કે તેનું મૃત્યુ થઈ ગયું છે.

બાળકીના દાદાનો આક્ષેપ છે કે આરોગ્ય વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેમણે આરોગ્ય વિભાગ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

Latest News Updates

કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
g clip-path="url(#clip0_868_265)">