AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નવા લેબલ કોડના અમલ બાદ તમારી સેલરી સ્લિપમાં જોવા મળશે આ ફેરફાર, 5 મોટા બદલાવ વિશે જાણો

દેશમાં ગત 21મી નવેમ્બરથી લાગુ થયેલા નવા લેબલ કોડ્સ એટલે કે શ્રમ કાયદાને પગલે અનેક ફેરફાર જોવા મળશે. ખાસ કરીને કામદારોના પગારની વહેચણીમાં ફેરફાર જોવા મળશે. એક વર્ષ નોકરી કરી હશે તો પણ ગ્રેજ્યુટી મળશે. સરકારે નક્કી કરેલ લધુત્તમ વેતન ઓછો પગાર નહી આપી શકાય, કોન્ટ્રાક્ટ બેઝ નોકરી કરનારને પણ લાભ મળશે,. ઘરેથી નોકરીએ જતા અકસ્માત થાય તો તેને વળતર અને ESIના લાભ મળશે.

નવા લેબલ કોડના અમલ બાદ તમારી સેલરી સ્લિપમાં જોવા મળશે આ ફેરફાર, 5 મોટા બદલાવ વિશે જાણો
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 24, 2025 | 3:34 PM
Share

4 New Labor Laws in India : 21 નવેમ્બર, 2025 થી, ભારતના ચાર નવા લેબર કોડ્સ દેશભરમાં લાગુ થયા છે. નવા લેબર કોડ્સને પગલે, તમારી આગામી મહિનાની પેસ્લિપ અલગ દેખાઈ શકે છે, અને તમારા ઓફિસનું સમયપત્રક પણ બદલાઈ શકે છે. આવા સંજોગોમાં પ્રશ્ન એ છે કે શું તમને તમારી કંપનીની નવી પેસ્લિપ અને નવું સમય પત્રક જોવા મળશે ? આમા તમારે એ જાણવું જરૂરી છે કે, નવા લેબલ કાયદાને કારણે તમારા માટે શું સારું થયું છે. આ નવા નિયમો તમારા મૂળ પગાર, પીએફ, ગ્રેચ્યુટી, કામના કલાકો અને રસ્તામાં થતા અકસ્માતોને પણ અસર કરશે.

પગાર માળખું – હવે વધુ લાભો મળશે

મૂળભૂત પગાર કૂલ પગારના ઓછામાં ઓછો 50 ટકા હશે. તે હવે તમારા કુલ પગાર (CTC) નો અડધો ભાગ મૂળભૂત પગાર તરીકે હશે. આમાં (મૂળભૂત + DA + રીટેનિંગ ભથ્થું) સામેલ હશે. પહેલાં, કંપનીઓ પગારમાં મૂળભૂત પગાર કતા વધુ ભથ્થાં ચૂકવતી હતી. હવે આવું નહીં રહે. નવા કાયદાથી તમને ફાયદો થશે. પીએફ વધુ કપાતા, તમારી નિવૃત્તિની આવકમાં વધારો થશે. ગ્રેચ્યુટી પણ વધુ થશે. જો કંપની ગારમાં વધારો નહીં કરે, તો તમારો ઇન-હેન્ડ પગાર થોડો ઓછો થશે.

ફિક્સ્ડ-ટર્મ પગાર ધરાવતા લોકોને પણ એક વર્ષમાં ગ્રેચ્યુટી મળશે

આઇટી, મેન્યુફેક્ચરિંગ, મીડિયા અને લોજિસ્ટિક્સમાં મોટાભાગના લોકો કોન્ટ્રાક્ટ પર છે. પહેલાં, ગ્રેચ્યુટી ફક્ત પાંચ વર્ષ પૂર્ણ કર્યા પછી જ મળતી હતી. હવે, તે ફક્ત એક વર્ષમાં ઉપલબ્ધ થશે. આ એક મોટો ફાયદો નવા લેબલ લો ના અમલ બાદ મળતો થશે.

દરેક જગ્યાએ લઘુત્તમ વેતન લાગુ

હવે, લઘુત્તમ વેતન કાયદો દરેક જગ્યાએ લાગુ થશે, પહેલા ફક્ત થોડા ઉદ્યોગોમાં જ લાગુ થતો હતો. કેન્દ્ર સરકાર એક પગારનું સ્તર નક્કી કરશે. કોઈપણ કંપની કે રાજ્ય તેનાથી ઓછો પગાર આપી શકશે નહીં. આનાથી રિટેલ, બાંધકામ અને નાના કારખાનાઓમાં કામ કરતા લોકોને ઘણો ફાયદો થશે.

કામના કલાકો કેટલા

દિવસમાં 8 કલાક અને અઠવાડિયામાં 48 કલાક કામ કરવાની સમય મર્યાદા યથાવત છે. જોકે, ઉપયોગમાં લેવાતા કલાકો વધુ લવચીક બન્યા છે. જો રાજ્ય સરકાર ઈચ્છે, તો તે 4 દિવસ કામ અને 3 દિવસની રજાનો નિયમ રજૂ કરી શકે છે. આ 4 દિવસમાં 12 કલાક, અથવા 5 દિવસમાં 9.30 કલાક, અથવા 6 દિવસમાં 8 કલાકનો પણ સમયગાળો હોઈ શકે છે.

નવા લેબલ કાયદાએ રસ્તો આસાન કર્યો છે. હવે, તે રાજ્ય અને કંપની પર આધાર રાખે છે. તમારે ઓવરટાઇમ કામ કરવા તૈયાર રહેવું જોઈએ. તમને બમણો પગાર મળશે. પહેલાં, પ્રતિ ક્વાર્ટર 75 કલાકની કડક સમય મર્યાદા હતી. હવે, કંપનીઓ ઊંચી મર્યાદા નક્કી કરી શકે છે, જે વધારાના પૈસા કમાવવા માંગતા લોકો માટે ફાયદાકારક છે.

બે નાના પરંતુ મહત્વપૂર્ણ ફેરફારો

નવા કાયદામાં બે બાબતોની કોઈ ખાસ નોંધ લેતા નથી, પરંતુ તે તમારા ગજવા અને સલામતીને અસર જરૂરથી કરશે. જો કામ પર જતી વખતે અકસ્માત થાય છે, તો તેને કાર્ય સંબંધિત અકસ્માત ગણવામાં આવશે. હવે, ચોક્કસ પરિસ્થિતિઓમાં, માર્ગ અકસ્માતો પણ વળતર અને ESI (કર્મચારીઓનો રાજ્ય વીમો) લાભો મેળવી શકે છે. પહેલાં, ESI ફક્ત અમુક ચોક્કસ વિસ્તારોમાં જ ઉપલબ્ધ હતું. હવે, તે સમગ્ર ભારતમાં લાગુ કરી શકાય છે. કવરેજ નાના એકમો અને જોખમી કાર્યક્ષેત્રોમાં પણ ઉપલબ્ધ થશે.

દેશ વિદેશના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">