AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: સ્પષ્ટ નીતિના અભાવે ડુંગળીની નિકાસ અટકી, બજારમાં ડુંગળીની આવક વધી, ખેડૂતોને નથી મળી રહ્યા ભાવ

મહારાષ્ટ્રની ડુંગળીની ગુણવત્તા સારી હોવાને કારણે તે આંતરરાષ્ટ્રીય બજારમાં થોડી મોંઘી છે. ગલ્ફ દેશોમાં તેની સારી માગ છે. તેથી જો નિકાસને મંજૂરી આપવામાં આવે તો ખેડૂતોને સારા ભાવ મળવાની આશા છે.

Maharashtra: સ્પષ્ટ નીતિના અભાવે ડુંગળીની નિકાસ અટકી, બજારમાં ડુંગળીની આવક વધી, ખેડૂતોને નથી મળી રહ્યા ભાવ
Onion Price - Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 06, 2022 | 10:55 PM
Share

બજારમાં લાલ ડુંગળીની આવક વધી છે, પરંતુ સરકાર દ્વારા ડુંગળીની નિકાસને લઈને કોઈ સ્પષ્ટ નીતિ નક્કી કરવામાં આવી રહી નથી. જેના કારણે બજારમાં ડુંગળીના ભાવમાં ઘટાડો થયો છે. ડુંગળીના ખેડૂતો આ નુકસાનનો (Onion Farmers) સામનો કરી રહ્યા છે. સોલાપુર બજાર સમિતિમાં 1200 થી વધુ ટ્રકો આવી છે. છૂટક અને જથ્થાબંધ બજારોમાં લાલ ડુંગળીની આવક ઝડપથી વધી છે. પરંતુ હાલમાં ડુંગળીની નિકાસને મંજૂરી નથી. જેના કારણે ડુંગળીના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આ કારણે મહારાષ્ટ્રમાં ખેડૂતોને તેમના ઉત્પાદનના યોગ્ય ભાવ નથી મળી રહ્યા. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર પાસે ખેડૂતોની માંગ છે કે ડુંગળીની નિકાસની મંજૂરી આપવામાં આવે જેથી કરીને તેમને તેમના ઉત્પાદનના યોગ્ય ભાવ મળે.

મહારાષ્ટ્રની ડુંગળીની ગુણવત્તા સારી હોવાને કારણે તે આંતરરાષ્ટ્રીય બજારમાં થોડી મોંઘી છે. ગલ્ફ દેશોમાં તેની સારી માગ છે. તેથી જો નિકાસને મંજૂરી આપવામાં આવે તો ખેડૂતોને સારા ભાવ મળવાની આશા છે.

ગયા વર્ષની સરખામણીમાં ડુંગળીમાં 25 થી 30 ટકા વધુ વધારો થયો

ગયા વર્ષની સરખામણીમાં આ વખતે ખેડૂતોએ 25 થી 30 ટકા વધુ ઉનાળુ ડુંગળીનું ઉત્પાદન કર્યું છે. ઉનાળામાં ઉગાડવામાં આવતી ડુંગળી પુણે અને નાસિકના ખેડૂતો દ્વારા મોટી માત્રામાં તૈયાર કરવામાં આવે છે. ડિસેમ્બર મહિનામાં કમોસમી વરસાદને કારણે ડુંગળીના નવા પાકને નુકસાન થયું હતું. આ પછી જે ડુંગળી ઉગાડવામાં આવી હતી તેનો પાક સારો આવ્યો હતો. જેના કારણે બજારમાં નવી ડુંગળીની આવક ઝડપથી વધી છે. હાલ બજારોમાં ડુંગળીનો ભરપૂર જથ્થો છે.

ગયા વર્ષની સરખામણીમાં ડુંગળીનો ભાવ 125 રૂપિયાથી 150 રૂપિયા ઓછો

ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ડુંગળીને 10 કિલો દીઠ 350 રૂપિયાનો ભાવ મળ્યો હતો. હાલમાં છૂટક બજારમાં એક કિલો ડુંગળી 20 થી 35 રૂપિયામાં મળી રહી છે. આ વખતે સારી ડુંગળીને 200 થી 230 રૂપિયા પ્રતિ દસ કિલોના ભાવ મળ્યા છે. મધ્યમ કક્ષાની ડુંગળી 150 થી 200 રૂપિયા પ્રતિ દસ કિલોના ભાવે મળી રહી છે. ગયા વર્ષની સરખામણીએ આ ઘણું ઓછું છે.

તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રના ખેડૂતો ભારતમાં સૌથી વધુ ડુંગળી ઉગાડે છે અને નાસિક નજીક લાસલગાંવમાં ડુંગળીનું સૌથી મોટું બજાર છે. ડુંગળી ઉત્પાદક ખેડૂતો છેલ્લા ઘણા મહિનાઓથી પરેશાન છે. કમોસમી વરસાદને કારણે ડુંગળી સડી જાય છે. ક્યારેક ડુંગળીની અછતને પહોંચી વળવા ડુંગળીની આયાત કરવી પડે છે. ત્યારે બજારમાં ડુંગળીની ઉપલબ્ધતાના કારણે ખેડૂતોને તૈયાર પાકના યોગ્ય ભાવ મળતા નથી. જ્યારે પાક વધુ હોય છે અને બજારમાં તેની માગ હોય છે, ત્યારે નિકાસ પર પ્રતિબંધ ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો કરે છે.

આ પણ વાંચો :  UP Assembly Election: ‘EDના ડરથી માયાવતી ઠંડી પડી ગઈ છે, પરંતુ અખિલેશ છે જીતના રથ પર સવાર’, સંજય રાઉતે કર્યો ફરી ભાજપ પર પ્રહાર

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">