UP Assembly Election: ‘EDના ડરથી માયાવતી ઠંડી પડી ગઈ છે, પરંતુ અખિલેશ છે જીતના રથ પર સવાર’, સંજય રાઉતે કર્યો ફરી ભાજપ પર પ્રહાર

રાઉતે લખ્યું છે કે, 'ભાજપના નેતાઓ તેમના પ્રચાર પ્રવાસ દરમિયાન કહેતા હતા કે જ્યારે અખિલેશ યાદવ અને મુલાયમ સિંહ યાદવ મુખ્યમંત્રી હતા ત્યારે આઝમ ખાન, અતીક અહેમદ, મુખ્તાર અંસારી તેમની સાથે જોવા મળતા હતા. પણ હવે તમે તેમને યોગીના શાસનમાં જોયા ? પરંતુ એ જ ભાજપે ગોવામાં એવા લોકોને ઉમેદવારી આપી છે, જેમનાથી આ લોકો પણ પાછળ છે.

UP Assembly Election: 'EDના ડરથી માયાવતી ઠંડી પડી ગઈ છે, પરંતુ અખિલેશ છે જીતના રથ પર સવાર', સંજય રાઉતે કર્યો ફરી ભાજપ પર પ્રહાર
Shiv Sena MP Sanjay Raut (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 06, 2022 | 6:22 PM

ઈડી અને સીબીઆઈના ડરથી માયાવતી ઠંડી પડી ગઈ છે, આવી અફવાઓ પૂરજોશમાં છે. અખિલેશ યાદવને પણ ત્રણ વર્ષ સુધી આવા જ તણાવમાં રાખવામાં આવ્યા હતા. આજે તે બહાર આવ્યો છે. ઉત્તર પ્રદેશ (Uttar Pradesh Assembly Election) માં ભાજપની હાર નિશ્ચિત જણાય છે. કેન્દ્રીય તપાસ એજન્સીઓના વિરોધમાં મહારાષ્ટ્રમાં આવો જ વિસ્ફોટ થશે, તો પછી ભાજપ શું કરશે?” આ લખ્યું છે શિવસેનાના સાંસદ સંજય રાઉતે.

શિવસેનાના મુખપત્ર ‘સામના’માં આજે સંજય રાઉતે પોતાના લેખ ‘રોકઠોક’માં ભાજપ પર પ્રહારો ચાલુ રાખ્યા છે. રાઉતે લખ્યું છે કે, ‘ભાજપના નેતાઓ તેમના પ્રચાર પ્રવાસ દરમિયાન કહેતા હતા કે જ્યારે અખિલેશ યાદવ અને મુલાયમ સિંહ યાદવ મુખ્યમંત્રી હતા ત્યારે આઝમ ખાન, અતીક અહેમદ, મુખ્તાર અંસારી તેમની સાથે જોવા મળતા હતા. પણ હવે તમે તેમને યોગીના શાસનમાં જોયા? પરંતુ એ જ ભાજપે ગોવામાં એવા લોકોને ઉમેદવારી આપી છે, જેમનાથી આ લોકો પણ પાછળ છે.

સંજય રાઉતે ગોવાની રાજધાની પણજીમાં ભાજપ દ્વારા બાબુશ મોન્સેરાતના નામાંકન પર સવાલ ઉઠાવ્યા છે. બાબુશ મોન્સેરાતના નામાંકનને કારણે ભાજપે દિવંગત બીજેપી નેતા અને પૂર્વ રક્ષા મંત્રી મનોહર પર્રિકરના પુત્ર ઉત્પલ પર્રિકરને ટિકિટ આપી નથી. હવે તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. શિવસેના તેમને સમર્થન આપી રહી છે. સંજય રાઉતે પોતાના લેખમાં દાવો કર્યો છે કે ભાજપના ઉમેદવાર બાબુશ મોન્સેરાત પર બળાત્કાર સહિતના તમામ ગુનાઓની ડિગ્રી છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

‘અખિલેશ યાદવ ઉત્તર પ્રદેશમાં 200થી વધુ બેઠકો જીતશે’

સંજય રાઉતે પોતાની કોલમમાં લખ્યું છે કે, ‘નેતાઓ કેન્દ્રીય તપાસ એજન્સીઓના ડરથી ઘરે બેસી જશે, પરંતુ તેઓ તમારા (ભાજપ) વિરુદ્ધ જનતાના ગુસ્સાને કેવી રીતે રોકશે? અખિલેશ યાદવ ઉત્તર પ્રદેશમાં 200થી વધુ બેઠકો જીતશે. વર્ષ 2024માં આ જ ચિત્ર મહારાષ્ટ્રમાં પણ જોવા મળશે. ઈડી, સીબીઆઈ દ્વારા બદલાની કાર્યવાહી ભાજપને જીત અપાવી શકશે નહીં. ગોવામાં બીજેપી ફરી નહીં આવે અને ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવનો વિજય રથ આગળ વધી રહ્યો છે. રૉ અને સીબીઆઈ ઈન્દિરા ગાંધીને હારમાંથી બચાવી શક્યા નથી.

‘ઈડી અને સીબીઆઈના ઉપયોગથી મોદી અને શાહની છબી પર સવાલ’

આ પછી સંજય રાઉત મહારાષ્ટ્રમાં તપાસ એજન્સીઓની સક્રિયતા પર લખે છે, ‘ભાજપના કિરીટ સોમૈયા સીધા બ્લેકમેલ કરે છે. આવતીકાલે ED કોના ઘરે પહોંચશે? તેઓ અગાઉથી જાહેરાત કરે છે. તે મુજબ EDની કાર્યવાહી થાય છે. જેના કારણે મોદી અને શાહની છબી પર સવાલો ઉભા થયા છે. વર્ષ 2024માં વર્તમાન સરકાર નહીં આવે તે નિશ્ચિત છે. ઉત્તર પ્રદેશના પરિણામમાં આ સ્પષ્ટ થઈ જશે. રામ અને કૃષ્ણ પણ વૃદ્ધ થઈ ગયા. રામ અને કૃષ્ણ આવ્યા અને ગયા. ત્યાંના આજના શાસકોનું શું? આટલું જ દેખાય છે. હાલ ખોટી પ્રતિષ્ઠાની હોડ ગંગા નદીમાં વહી રહી છે. બદલાનો પ્રવાહ અને પાયાવિહોણા રાજકારણમાંથી મહારાષ્ટ્રને પણ નીકળવું જ પડશે.

આ પણ વાંચો :  Lata Mangeshkar Passed Away : સિંગર બનતા પહેલા લતા દીદીએ કેમેરાનો સામનો કર્યો હતો, એક્ટિંગ કરિયરમાં પણ મળી સફળતા

Latest News Updates

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
g clip-path="url(#clip0_868_265)">