Maharashtra : ભારે વરસાદને પગલે તબાહી, ખેતરોમાં વરસાદી પાણી ફરી વળતા જગતના તાતની વધી મુશ્કેલી
મહારાષ્ટ્રમાં મેઘરાજાએ આજે વિરામ લીધો છે. જો કે અવિરત વરસાદને પગલે ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. જેને કારણે હાલ ખેડૂતોની ચિંતા વધી છે.
મહારાષ્ટ્રમાં(maharashtra) અવિરત વરસાદને (Heavy Rain in Maharashtra) કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યુ છે. ગયા મહિને વરસાદના અભાવે ખરીફ પાકના વાવેતર અંગે ખેડૂતો ચિંતિત હતા. તેમજ ચોમાસાની અનિયમિતતા અંગે મૂંઝવણ હતી. પરંતુ હવે જુલાઈના પ્રથમ દિવસથી રાજ્યમાં એવો વરસાદ (Rain) થયો છે કે વાવણી વિસ્તારનો મોટાભાગનો પાક ખરાબ થઈ ગયો છે અને તેમાં સોયાબીન અને કપાસના પાકને(Crops) સૌથી વધુ નુકસાન થયુ છે.
વરસાદના અભાવે જે ચિંતા હતી તે ભારે વરસાદ બાદ બમણી થઈ
જૂનના અંતમાં ઓછા વરસાદ બાદ ખેડૂતોએ(Farmer) ખેડાણ કરવાની હિંમત કરી, પરંતુ છેલ્લા દસ દિવસથી થયેલા ભારે વરસાદે બધું પાણીમાં ડુબાડી દીધું છે. ખેતરોમાં પાણી ભરાવાને કારણે પાકને ભારે નુકશાન થયુ છે.ખરીફ ઉત્પાદનને લઈને હાલ ખેડૂતોમાં ચિંતા વધી રહી છે. વરસાદના (Maharashtra Rain) અભાવે જે ચિંતા હતી તે ભારે વરસાદ બાદ બમણી થઈ ગઈ છે.ભારે વરસાદને પગલે વિદર્ભ, મરાઠવાડા, પશ્ચિમ મહારાષ્ટ્ર, મધ્ય મહારાષ્ટ્ર અને ઉત્તરીય ભાગોમાં તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
કૃષિ વિભાગે (Agriculture Department) એક અહેવાલ જાહેર કરીને કહ્યું છે કે, આ વર્ષે ભારે વરસાદને કારણે અમરાવતી જિલ્લામાં 32 હજાર હેક્ટરનો પાક નાશ પામ્યો છે. જેમાં એકલા મોરશી બ્લોકમાં 15 હજાર હેક્ટરના પાકને નુકસાન થયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના અનેક જિલ્લાઓમાં સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાયો છે. જેમાં નાંદેડમાં સામાન્ય કરતાં 154 ટકા વધુ અને નાસિકમાં 116 ટકા વધુ વરસાદ નોંધાયો છે.
પૂરના કારણે ખેતરો તળાવોમાં પરાવર્તિત થયા
યવતમાલ જિલ્લામાં પનગંગા નદીમાં પૂરના કારણે કાંઠાની નજીકના 20 થી 22 હજાર હેક્ટર વિસ્તારમાં પાણી જમા થઈ ગયું છે. જેના કારણે પાકને મોટા પાયે નુકસાન થયું છે. ખેડૂતોનું કહેવું છે કે ગયા વર્ષે સિઝનના છેલ્લા તબક્કામાં વરસાદને કારણે નુકસાન થયું હતું, પરંતુ આ વર્ષે સિઝનની (monsoon season) શરૂઆતમાં જ નુકસાન થઈ રહ્યું છે. પાક વરસાદના પાણીમાં ગરકાવ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ખેડૂતો પાસે ફરીથી વાવણી કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. કલેક્ટર અમોલ યેગેએ ઉમરખેડ અને મહાગાંવ બ્લોકના ખેડૂતો સાથે વાતચીત કરીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો.સાથે જ તેમણએ વહીવટી સ્તરે મદદ પૂરી પાડવા અંગે પણ જણાવ્યુ છે.