AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ED Raid: શરદ પવારના ખાસ વ્યક્તિના ઘર અને ઓફિસ પર EDના દરોડા, મામલો રાજકીય કે વ્યાપારીક ?

દરોડા પાછળ એવી દલીલ પણ આપવામાં આવી રહી છે કે જૈન એનસીપીના પ્રદેશ ખજાનચી છે. જૈનની કુલ છ કંપનીઓ પર મુંબઈ, નાશિક સહિત અનેક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે.

ED Raid: શરદ પવારના ખાસ વ્યક્તિના ઘર અને ઓફિસ પર EDના દરોડા, મામલો રાજકીય કે વ્યાપારીક ?
Image Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2023 | 3:12 PM
Share

એનસીપી સુપ્રીમો શરદ પવારના ખૂબ જ નજીકના ફાઇનાન્સર ગણાતા એનસીપીના રાજ્યસભાના પૂર્વ સાંસદ ઇશ્વરલાલ જૈનની માલિકીના આરએલ જ્વેલર્સ પર ઇડીના દરોડા આજે ત્રીજા દિવસે પણ ચાલુ છે. ગઈકાલે એક દિવસ પહેલા એટલે કે ગુરુવારે મધ્યરાત્રિએ EDએ જૈનના ઘર અને ઓફિસ પર એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા, જેની માહિતી ગઈકાલે સાંજે બહાર આવી હતી. જૈન જલગાંવ સરાફ બજારમાં સ્થિત આરએલ જ્વેલર્સની પેઢીના માલિક છે અને રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ છે.

આ પણ વાંચો: કાકા-ભત્રીજાની ગુપ્ત બેઠકના કારણે I.N.D.I.A તણાવમાં, શું શરદ પવાર ફરી ગુગલી ફેંકશે?

ફરિયાદ સીબીઆઈને કરવામાં આવી હતી

માત્ર જૈન જ નહીં, તેમનો પુત્ર પણ રાજકારણમાં સામેલ છે, મનીષ જૈન પણ પૂર્વ વિધાન પરિષદના સભ્ય રહી ચૂક્યા છે, તેમની પણ ED દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. આરએલ જ્વેલર્સે SBI પાસેથી લગભગ 500 કરોડની લોન લીધી હતી જે 10 વર્ષથી બાકી છે. જેની ફરિયાદ એસબીઆઈ દ્વારા સીબીઆઈને કરવામાં આવી હતી અને સીબીઆઈએ આ મામલામાં આરએલ જ્વેલર્સ સામે એફઆઈઆર નોંધી હતી, જે હજુ સુપ્રીમ કોર્ટમાં પેન્ડીંગ છે.

અનેક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા

તે દરમિયાન ગઈકાલે મોડીરાત્રે ઈડી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. દરોડા પાછળ એવી દલીલ પણ આપવામાં આવી રહી છે કે જૈન એનસીપીના પ્રદેશ ખજાનચી છે. જૈનની કુલ છ કંપનીઓ પર મુંબઈ, નાશિક સહિત અનેક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે.

ઈશ્વરલાલ જૈન આ કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા

એક તરફ જ્યાં એનસીપીમાં વિભાજન છે. આવા સંજોગોમાં કોષાધ્યક્ષ હોવાના કારણે પક્ષને મળેલા ફંડ અને દસ્તાવેજો સહિતના અનેક કારણોસર આ તપાસ કરવામાં આવી હોવાનું વિશ્વસનીય સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. આ કાર્યવાહીથી રાજ્યમાં ભારે ખળભળાટ મચી ગયો છે. જોકે ઈશ્વરલાલ જૈન આ કાર્યવાહી પર સવાલ ઉઠાવી રહ્યા છે.

શું શરદ પવાર ફરી ગુગલી ફેંકશે?

મરાઠા ક્ષત્રપ કહેવાતા શરદ પવાર અને ભત્રીજા અજિત પવાર વચ્ચેની મુલાકાતે ટીમ ‘I.N.D.I.A’ ના કપાળ પર પરસેવો લાવી દીધો છે, પરંતુ પવારના કદ અને નિવેદને વિપક્ષોને તેમની પડખે ઊભા રહેવા મજબૂર કર્યા છે. વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાના નેતાએ પણ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સામે આ મામલો ઉઠાવ્યો છે. હવે વિપક્ષોને ડર લાગવા લાગ્યો છે કે શરદ પવાર ફરી એકવાર ગુગલી ફેંકી શકે છે.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">