રાજ્યસભાના પૂર્વ સાંસદને ત્યાં EDના દરોડા, 40 કિલો સોનું, 25 કરોડના દાગીના, 1.11 કરોડ રોકડ જપ્ત

ભારતીય સ્ટેટ બેંકમાં રૂ. 352 કરોડથી વધુની લોનની છેતરપિંડી કરવાના આરોપમાં આરોપીઓ વિરુદ્ધ સીબીઆઈ દ્વારા નોંધાયેલી ત્રણ એફઆઈઆરમાંથી મની લોન્ડરિંગનો કેસ સામે આવ્યો છે.

રાજ્યસભાના પૂર્વ સાંસદને ત્યાં EDના દરોડા, 40 કિલો સોનું, 25 કરોડના દાગીના, 1.11 કરોડ રોકડ જપ્ત
ED raids on ex-Rajya Sabha MP
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2023 | 4:33 PM

તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારની નજીકની ગણાતી વ્યક્તિ અને ફાઇનાન્સર ઇશ્વરલાલ જૈનના ઘર અને ઓફિસ પર દરોડા પાડીને તેમના ઘરેથી ગેરકાયદેસર રીતે એકઠી કરેલ સંપત્તિના દસ્તાવેજો સહિત મની લોન્ડરિંગ સાથે જોડાયેલા જપ્ત મળી આવ્યા છે.

મહારાષ્ટ્રના 3 જિલ્લામાં ઇશ્વરલાલ જૈનના ઠેકાણાઓ પર EDએ પાડેલા દરોડામાં આશરે 40 કિલો સોનું, રૂ. 24.70 કરોડની કિંમતના હીરાના આભૂષણો અને રૂ. 1.11 કરોડની રોકડ મળી આવી છે. CBI દ્વારા નોંધાયેલી 3 અલગ-અલગ FIR બાદ તપાસ એજન્સી ED દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. એફઆઈઆરમાં, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ) બેંકમાંથી લેવામાં આવેલી લોનની ચુકવણી ન કરવા અને તેની સાથે નાણાની હેરાફેરીનો કેસ નોંધવામાં આવ્યા છે. ભૂતપૂર્વ સાંસદ જૈનના પરિવાર દ્વારા સંચાલિત મહારાષ્ટ્રના આભૂષણ જૂથ અને તેના તેના માલિકો સામે મની લોન્ડરિંગ હેઠળ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

17 ઓગસ્ટે દરોડો પાડવામાં આવ્યો હતો

ED અનુસાર, એજન્સીએ 17 ઓગસ્ટે બેંક લોન છેતરપિંડી (રાજમલ લખીચંદ જ્વેલર્સ પ્રાઈવેટ લિમિટેડ, મનરાજ જ્વેલર્સ પ્રાઈવેટ લિમિટેડ, આર એલ ગોલ્ડ પ્રાઈવેટ લિમિટેડ અને તેમના પ્રમોટર્સ ) એનસીપીના પૂર્વ રાજ્યસભા સાંસદ ઈશ્વરલાલ શંકરલાલ જૈન લાલવાણી, તેમના પરિવારના અન્ય સભ્યોના જલગાંવ, નાસિક અને થાણેમાં 13 સ્થળોએ દરોડા પાડ્યા હતા. સર્ચ દરમિયાન EDએ મોટી માત્રામાં ગુનાહિત દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે. 24.7 કરોડની કિંમતના ડાયમંડ જ્વેલરી અને 39.33 કિલો સોનું રિકવર કરવામાં આવ્યું છે. જ્યારે 1.11 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

EDએ આ કંપનીઓ અને તેમના પ્રમોટરો સામે ગુનાહિત કાવતરું, છેતરપિંડી, બનાવટ અને ગુનાહિત ગેરવર્તણૂકના ગુનાઓ માટે CBI દ્વારા નોંધાયેલી 3 FIRના આધારે તપાસ શરૂ કરી હતી. બેંકોના જણાવ્યા અનુસાર, આરોપીઓએ જાણીજોઈને SBIમાંથી તેમની લોન ચૂકવી નથી. તેનાથી SBIને રૂ. 352.49 કરોડ (વ્યાજ સહિત)નું નુકસાન થયું હતું.

50 કરોડની સંપત્તિનો ખુલાસો

તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે 3 આરોપી કંપનીઓના પ્રમોટરો, આ ગુનાની મિલીભગતમાં હતા અને બોગસ વ્યવહારો કરતા હતા. તપાસમાં મોબાઈલ ફોનમાંથી શંકાસ્પદ દસ્તાવેજો પણ મળી આવ્યા છે, જે મનીષ જૈન દ્વારા નિયંત્રિત રિયલ એસ્ટેટ કંપનીમાં લક્ઝમબર્ગ સ્થિત યુનિટમાંથી 50 મિલિયન યુરોની એફડીઆઈ ઓફર સૂચવે છે. સર્ચ દરમિયાન રાજમલ લખીચંદ ગ્રુપની આવી 60 પ્રોપર્ટી વિશે માહિતી મળી છે, જેની કિંમત 50 કરોડ રૂપિયાથી વધુ છે. આ સાથે જામનેર, જલગાંવ અને આસપાસના વિસ્તારોમાં રાજમલ લખીચંદ મનીષ જૈનની માલિકીની 2 બેનામી મિલકતો પણ મળી આવી છે. હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">