AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પત્ની વારંવાર મરી જવાની ધમકી આપે તો… પતિ તેને ઘરમાંથી બહાર કાઢી શકે? શું કહે છે કાયદો?

રોજિંદા જીવનમાં આપણે જોયુ હશે પતિ-પત્ની વચ્ચે અણબનાવ થાય તો પત્ની રિસામણે પિયર જતી રહે છે, જો કે કેટલાક કિસ્સામાં એવુ પણ બને છે કે પતિ અણબનાવ થયા બાદ પત્નીને ઘરમાંથી કાઢી મુકે છે તો સવાલ એ છે કે શું પતિ પત્નીને ઘરમાંથી બહાર કાઢી શકે કે નહીં. આવો જાણીએ

પત્ની વારંવાર મરી જવાની ધમકી આપે તો... પતિ તેને ઘરમાંથી બહાર કાઢી શકે? શું કહે છે કાયદો?
| Updated on: Dec 28, 2025 | 1:54 PM
Share

દામ્પત્ય જીવનમાં પતિ પત્ની વચ્ચેની તકરાર ક્યારેક એટલુ મોટુ સ્વરૂપ લઈ લે છે કે પતિ-પત્નીનું એક છત નીચે એક ઘરમાં રહેવુ મુશ્કેલ બની જાય છે. કેટલાક કિસ્સામાં એવુ પણ બને છે કે કોઈ એક પાત્ર જોડે રહેવા નથી માગતુ અને બીજુ પાત્ર માત્ર જીદ ખાતર કે બદલો લેવાની ભાવનાથી ઘર છોડવા તૈયાર નથી થતુ. કેટલાક કિસ્સામાં પતિ પત્ની વચ્ચેનો વિવાદ એટલો વધી જાય છે કે પતિ પત્નીને ઘરમાંથી નીકળી જવાનું કહી દે છે અથવા તો તેની સાથે ઝઘડો કરીને તેને ઘરમાંથી બહાર કાઢી મુકે છે તો શું પતિ આવુ કરી શકે ખરા? શું કહે છે કાયદો?

પત્નીને ઘરમાંથી કાઢી મુકવી એ કાયદેસર ગુનો

Domestic Violence Act 2005 (ઘરેલુ હિંસા અધિનિયમ 2005) અનુસાર જો પતિ પત્નીને બળજબરીથી ઘર છોડવા માટેની ફરજ પાડે છે તો તે કાયદેસર ગુનો ગણાય છે. ખાસ કરીને જો પતિ-પત્ની કાયદેસર વિવાહીત હોય. પત્નીને શારીરિક કે માનસિક ત્રાસ આપીને બળજબરીથી તેને ઘરમાંથી બહાર ધકેલી ન શકે.

Protection of Women from Domestic Violence Act, 2005 મુજબ

  • પત્નીને સાસરીમાં રહેવાનો સંપૂર્ણ હક્ક છે
  • ઘર ભલે પતિના નામે હોય કે સાસરિયાના નામે હોય, તેનાથી ફર્ક પડતો નથી

સવાલ: જો પત્ની વારંવાર મરી જવાની ધમકી આપતી હોય તો પતિ શું કરે?

કેટલાક કિસ્સામાં આપણે જોયુ છે કે પત્નીઓ પણ પતિને પોતાની જીદ મનાવવા માટે મરી જવાની ધમકી આપતી હોય છે. આવા કિસ્સામાં પતિની હાલત ઘણી કફોડી થઈ જાય છે. તે ના તો શાંતિથી પોતાની નોકરી કે ધંધામાં ધ્યાન પરોવી શકે છે કે ના તો ઘરમાં શાંતિથી જીવી શકે છે.

  • પત્ની પતિને બ્લેકમેલ કરે તો શું કરવુ?
  • સંયુક્ત કુટુંબમાંથી અલગ થવાની જીદ માટે પત્ની દ્વારા મરી જવાની ધમકી
  • પિયરમાં રહેવા માટે પત્ની દ્વારા મરી જવાની ધમકી
  • ઘર જમાઈ રહેવા માટે પત્ની દ્વારા મરી જવાની ધમકી
  • સંતાનોના કિસ્સામાં પત્ની દ્વારા મરી જવાની ધમકી
  • પિતાના ધંધા-બિઝનેસમાં મદદ કરવાની ના પાડે તો પત્ની દ્વારા મરી જવાની ધમકી
  • પિયરિયાઓને આર્થિક મદદ કરવાની ના પાડે તો પત્ની દ્વારા મરી જવાની ધમકી

પત્ની જ્યારે વારંવાર આત્મહત્યા કરવાની ધમકી આપતી હોય તો તેનાથી ડરેલા પતિ પાસે એક જ રસ્તો હોય છે કે તે પત્નીને તેના માતાપિતાના ઘરે મોકલી આપે. પતિને હંમેશા એવો ડર સતાવે છે કે તેની ગેરહાજરીમાં પત્ની કંઈક આડાઅવળુ પગલુ ભરી બેસશે તો તે મહા મુસીબતમાં મુકાઈ જશે. આવા કિસ્સામાં પણ શું પતિ પત્નીની અલગ ન થઈ શકે?

તો તેનો જવાબ પણ કાયદાકીય દૃષ્ટિએ તો ના જ છે પરંતુ હાં પતિ પોલીસની મદદ ચોક્કસ લઈ શકે છે.

જો પત્ની વારંવાર ધમકી આપતી હોય તો પતિએ શું કરવુ?

આવા કિસ્સામાં પતિ પોલીસની મદદ લઈ શકે છે. પતિ તેના વિસ્તારના પોલીસ સ્ટેશનમાં જઈને એક લેખિત અરજી આપી શકે છે. જેમા પતિ તેમની રજૂઆત કરી શકે છે કે મારી પત્ની તેની ગેરવ્યાજબી જીદ પુરી કરવા માટે મને વારંવાર આત્મહત્યા કરવાની ધમકી આપે છે અને ખોટા કેસમાં ફસાવી દેવાનુ કહે છે. આ પ્રકારની લેખિત અરજી તે પોલીસ સ્ટેશનમાં કરી શકે છે, જે બાદ નારી સંરક્ષણ ગૃહ દ્વારા પત્નીનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે.

માત્ર સ્વાર્થ કે સ્વચ્છંદતા ખાતર પતિ પત્નીને તેના ઘરમાંથી બહાર કાઢી શકે નહીં. જો પતિ આવુ કરે છે તો BNS હેઠળ ક્રૂરતા ગુનાની કલમ 85/86 હેઠળ FIR નો આધાર બની શકે છે. પતિ અને સાસરીયા સામે પોલીસ કાર્યવાહી થાય છે. જેમા આરોપી પતિ પોલીસ કસ્ટડી અથવા જેલ ભોગવે છે.

નાસિકમાં કુંભમેળા સ્થળેથી હટાવાશે 1800 જેટલા વૃક્ષો, આસ્થાના નામે પ્રકૃતિનું નિકંદન કેટલુ યોગ્ય ?

Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ ,મુસાફરો માટે એડવાઈઝરી જાહેર
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ ,મુસાફરો માટે એડવાઈઝરી જાહેર
સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં 40 રુપિયાનો ધરખમ વધારો
સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં 40 રુપિયાનો ધરખમ વધારો
અંબાલાલ પટેલે 25,26 જાન્યુઆરીએ વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે 25,26 જાન્યુઆરીએ વરસાદની આગાહી કરી
ભર શિયાળે રાજ્યના 3 જિલ્લામાં માવઠાનું યલો એલર્ટ
ભર શિયાળે રાજ્યના 3 જિલ્લામાં માવઠાનું યલો એલર્ટ
Breaking News : જાસલપુર ગામે જૂની જર્જરિત પાણીની ટાંકી તોડી પડાઈ
Breaking News : જાસલપુર ગામે જૂની જર્જરિત પાણીની ટાંકી તોડી પડાઈ
Breaking News : ભર શિયાળે કચ્છમાં કમોસમી વરસાદ ખાબક્યો
Breaking News : ભર શિયાળે કચ્છમાં કમોસમી વરસાદ ખાબક્યો
g clip-path="url(#clip0_868_265)">