કૂવો ચોરસ કે ત્રિકોણના બદલે ગોળ જ કેમ હોય છે? કારણ છે રસપ્રદ

તમે અવારનવાર ઘણા કુવાઓ જોયા હશે, તેમાંથી મોટાભાગના કૂવામાં એક વસ્તુ સમાન હોય છે, અને તે છે તેનો આકાર. કુવાઓ ગોળાકાર જ હોય છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે કૂવો ચોરસ કે ત્રિકોણાકાર કેમ નથી હોતો, તે ગોળ જ કેમ હોય છે ? તેની પાછળ એક વૈજ્ઞાનિક કારણ છે.

કૂવો ચોરસ કે ત્રિકોણના બદલે ગોળ જ કેમ હોય છે? કારણ છે રસપ્રદ
well
Follow Us:
| Updated on: Mar 29, 2024 | 6:40 PM

દુનિયામાં ઘણી એવી વસ્તુઓ છે જે તમે ઘણી વાર જોઈ હશે, પરંતુ તેમના વિશે તમારા મનમાં ક્યારેય કોઈ પ્રશ્ન નહીં ઊભો થયો હોય. તેમજ તમે ક્યારેય એ જાણવાની કોશિશ કરી નથી કે કંઈપણ બનાવવા પાછળનું કારણ શું હોઈ શકે. આવા તમામ પ્રશ્નો અને કારણોનો સીધો સંબંધ વિજ્ઞાન સાથે છે, પરંતુ કદાચ આપણે તેને પસંદગી, પરંપરા કે વલણ તરીકે સમજવાનું શરૂ કરીએ છીએ. જેમ કે તમે ગામડાઓમાં કૂવા ઘણી વખત જોયા હશે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે કૂવાને ગોળાકાર કેમ બનાવવામાં આવે છે?

તમે અવારનવાર ઘણા કુવાઓ જોયા હશે, તેમાંથી મોટાભાગના કૂવામાં એક વસ્તુ સમાન હોય છે, અને તે છે તેનો આકાર. કુવાઓ ગોળાકાર જ હોય છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે કૂવો ચોરસ કે ત્રિકોણાકાર કેમ નથી હોતો, તે ગોળ જ કેમ હોય છે ? તેની પાછળ એક વૈજ્ઞાનિક કારણ છે.

કૂવાના ગોળ આકાર પાછળનું કારણ શું છે ?

કુવાઓમાંથી પાણી કાઢીને તેનો ઉપયોગ કરવાની પ્રથા સદીઓ જૂની છે. દાયકાઓથી ગ્રામ્ય વિસ્તારો કૂવાના પાણી પર નિર્ભર છે. આજે પણ ઘણા ગામો કુવાઓ પર નિર્ભર છે, પરંતુ ઘણા ગામડાઓમાં વિકાસ થયો છે અને કુવાઓનું સ્થાન નળ, બોરિંગ અને ટ્યુબવેલોએ લીધું છે. પરંતુ ગોળ કૂવો જોયા પછી તમને ક્યારેય વિચાર આવ્યો છે કે કૂવો હંમેશા ગોળાકાર જ કેમ બનાવાય છે, જ્યારે પાણી ચોરસ, ષટકોણ અથવા ત્રિકોણાકાર કૂવામાં પણ રહી શકે છે. તેની પાછળ વૈજ્ઞાનિક કારણ જવાબદાર છે. કૂવાના આયુષ્યને લંબાવવા માટે તેને ગોળ આકાર આપવામાં આવે છે.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

ગોળાકાર આકાર પાછળ વૈજ્ઞાનિક કારણ જવાબદાર

કૂવાને તમે ચોરસ, ષટ્કોણ અથવા ત્રિકોણ આકારનો બનાવી શકો છો. પણ તેની ઉંમર બહુ નહીં હોય. તેની પાછળનું કારણ એ છે કે જેટલા ખૂણા હશે તેટલા તે ખૂણાઓ પર પાણીનું દબાણ વધારે હશે. જેના કારણે તે ખૂણાઓમાં તિરાડો પડવા લાગે છે. જેના કારણે તે લાંબો સમય ટકી શકતા નથી. જ્યારે ગોળાકાર કૂવામાં ફાયદો એ છે કે દરેક દિવાલ સમાન હોવાને કારણે સમગ્ર કૂવામાં પાણીનું દબાણ એકસરખું રહે છે. જેના કારણે આ કુવાઓ માત્ર વર્ષો સુધી નહિ પણ દાયકાઓ સુધી અકબંધ રહે છે.

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">