ભારતીય નૌકાદળના એ બળવાની કહાની, જેના પછી અંગ્રેજોને છોડવું પડ્યું ભારત

|

Aug 03, 2024 | 5:32 PM

દેશમાં ઘણા એવા આંદોલનો કે બળવા થયા છે, જેમના યોગદાનનો ઉલ્લેખ માત્ર પાઠ્યપુસ્તકોમાં જ જોવા મળે છે. આવો જ એક ભારતીય નૌકાદળના બળવો છે, જેને ભૂલાવી દેવામાં આવ્યો છે કે પછી આપણે ભૂલી ગયા છીએ. ત્યારે આ લેખમાં ભારતીય નૌકાદળના આ બળવા વિશે જાણીશું કે જેના પછી અંગ્રેજોને ભારત છોડવું પડ્યું હતું.

ભારતીય નૌકાદળના એ બળવાની કહાની, જેના પછી અંગ્રેજોને છોડવું પડ્યું ભારત
Indian Naval Mutiny 1946

Follow us on

ભારતમાં આઝાદી માટે ઘણા સંઘર્ષો થયા છે. જેમાં મોટા નેતાઓ દ્વારા કરવામાં આવેલા આંદોલનો વિશે તો આપણે બધા જાણીએ જ છીએ, પરંતુ ઘણા એવા નાયકો છે, જેમના યોગદાનનો ઉલ્લેખ માત્ર પાઠ્યપુસ્તકોમાં જ જોવા મળે છે. રોયલ ઈન્ડિયન નેવી (RIN) બળવો, જેને ભારતીય નૌકાદળના બળવા તરીકે ઓળખવામાં આવે છે. આ એવો બળવો છે, જેને ભૂલાવી દેવામાં આવ્યો છે કે પછી આપણે ભૂલી ગયા છીએ. ત્યારે આ લેખમાં 1946ના ભારતીય નૌકાદળના બળવા વિશે જાણીશું કે જેના પછી અંગ્રેજોને ભારત છોડવું પડ્યું હતું. બ્રિટિશ શાસન સામે આઝાદીની લડાઈ 1857માં સિપાહીઓના બળવાથી શરૂ થઈ હતી. રસપ્રદ વાત એ છે કે આઝાદીનો છેલ્લો બળવો પણ લશ્કરી બળવો હતો. આ 1946નો નૌકાદળનો બળવો છે, જે ઈતિહાસમાં ‘રોયલ ઈન્ડિયન નેવી મ્યુટિની’ના નામથી ઓળખાય છે. 78 વર્ષ પહેલા 18 ફેબ્રુઆરીના રોજ બ્રિટિશ રોયલ ઈન્ડિયન નેવીના સૈનિકોએ બ્રિટિશ રાજ સામે બળવાનું બ્યુગલ ફૂક્યું હતું. ઈતિહાસકારો રોયલ ઈન્ડિયન નેવી બળવાને આઝાદી માટેની છેલ્લી લડાઈ માને છે, જેણે ભારતમાંથી અંગ્રેજોને ભગાડ્યા હતા. બ્રિટિશ...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો