AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવે તમારા તમામ કામ થશે ફક્ત બર્થ સર્ટિફિકેટની મદદથી, 1 ઓક્ટોબરથી લાગુ થશે આ નવો નિયમ, જાણો સમગ્ર વિગત

હવે તમારા બધા કામ બર્થ સર્ટિફિકેટની મદદથી થશે. એકવાર આ નિયમ લાગુ થઈ ગયા પછી તમારે અન્ય કોઈ દસ્તાવેજની જરૂર નહીં પડે. 1 ઓક્ટોબરથી જન્મ પ્રમાણપત્રનો ઉપયોગ સિંગલ દસ્તાવેજ તરીકે થશે. તમે એડમિશન, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ અને આધાર સહિત જન્મ પ્રમાણપત્રની મદદથી ઘણી બધી બાબતો કરી શકશો.

હવે તમારા તમામ કામ થશે ફક્ત બર્થ સર્ટિફિકેટની મદદથી, 1 ઓક્ટોબરથી લાગુ થશે આ નવો નિયમ, જાણો સમગ્ર વિગત
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2023 | 9:19 PM
Share

બર્થ સર્ટિફિકેટને લઈને નવો નિયમ 1 ઓક્ટોબરથી લાગુ થવા જઈ રહ્યો છે. તેનાથી બર્થ સર્ટિફિકેટનું મહત્વ ખૂબ વધી જશે. 1 ઓક્ટોબરથી જન્મ પ્રમાણપત્રનો ઉપયોગ સિંગલ દસ્તાવેજ તરીકે થશે. કેન્દ્ર સરકારે સંસદના ચોમાસુ સત્રમાં આ બિલ પાસ કર્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બુધવારે તેનું જાહેરનામું બહાર પાડ્યું છે.

એકવાર આ નિયમ લાગુ થઈ ગયા પછી તમારે બીજા કોઈ દસ્તાવેજની જરૂર નહીં પડે. તમારું કામ જન્મ પ્રમાણપત્રથી જ થશે. એડમિશન, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ અને આધાર બનાવવાની જેમ, તમે જન્મ પ્રમાણપત્રની મદદથી ઘણી બધી બાબતો કરી શકશો. આનાથી ઘણા દસ્તાવેજોની જરૂરિયાત ઘટશે. બાળકના જન્મ પ્રમાણપત્રને માતા-પિતાના આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવશે.

સરકાર તૈયાર કરશે ડેટા બેઝ

હોસ્પિટલો સહિત લગભગ તમામ સરકારી વિભાગો પાસે આ ડેટા હશે, જેનો તેઓ જરૂર પડ્યે ઉપયોગ કરી શકશે. સરકાર જન્મ અને મૃત્યુના રેકોર્ડનું સંચાલન કરવા માટે ડેટા બેઝ તૈયાર કરશે. આ બિલને સંસદના બંને ગૃહોએ ચોમાસુ સત્રમાં મંજૂરી આપી હતી. જન્મ અને મૃત્યુની નોંધણી (સુધારો) બિલ 1 ઓગસ્ટ, 2023ના રોજ લોકસભામાં અને 7 ઓગસ્ટના રોજ રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું હતું.

નવા નિયમથી શું થશે?

જો કોઈ વ્યક્તિ હોસ્પિટલમાં મૃત્યુ પામે છે, તો તે મૃત્યુ પ્રમાણપત્ર આપશે. જો કોઈ વ્યક્તિ બહાર મૃત્યુ પામે છે, તો તે વ્યક્તિની સંભાળ લેતા ડૉક્ટર અથવા તબીબી વ્યવસાયી મૃત્યુ પ્રમાણપત્ર જાહેર કરશે. આ હેઠળ, રજિસ્ટ્રારને જન્મ અને મૃત્યુની નોંધણી મફતમાં કરવાની રહેશે. પ્રમાણપત્ર સાત દિવસમાં આપવામાં આવશે. તે જ સમયે, જો કોઈને રજિસ્ટ્રારની કામગીરી અંગે કોઈ ફરિયાદ હોય, તો તેણે 30 દિવસની અંદર અપીલ કરવાની રહેશે. રજિસ્ટ્રારે તેનો જવાબ 90 દિવસમાં આપવાનો રહેશે.

તેના ફાયદા

મૃત્યુ અને જન્મ રજિસ્ટરને મતદાર યાદી સાથે જોડવામાં આવશે. વ્યક્તિ 18 વર્ષની થાય કે તરત જ તેનું નામ મતદાર યાદીમાં આપોઆપ ઉમેરાઈ જશે. તે જ સમયે, જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે, ત્યારે તેની માહિતી ચૂંટણી પંચ સુધી પહોંચશે. આ પછી તેનું નામ ત્યાંથી આપોઆપ દૂર થઈ જશે.

આ પણ વાંચો : સિડનીનું આ પ્રખ્યાત અને બહુચર્ચિત ઓપેરા હાઉસ, જાણો શું છે ખાસિયત

બેકડોરથી લાવવામાં આવી રહ્યું છે NRC – ઓવૈસી

AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ આ બિલ પર કહ્યું હતું કે કેન્દ્ર સરકાર પાછલા બારણે NRC લાવી રહી છે. તમને જણાવી દઈએ કે નિત્યાનંદ રાયે 26 જુલાઈના રોજ રજીસ્ટ્રેશન ઓફ બર્થ એન્ડ ડેથ (એમેન્ડમેન્ટ) બિલ 2023 રજૂ કર્યું હતું.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ, સાપુતારામાં તાપમાન 10 ડિગ્રી
ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ, સાપુતારામાં તાપમાન 10 ડિગ્રી
"હું સર્કસનો નહીં, જંગલનો વાઘ બનીને રહેવા માગુ છુ એટલે ક્યારેય ભાજપમાં
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
g clip-path="url(#clip0_868_265)">