AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભગવાન શ્રીકૃષ્ણના દેહત્યાગ બાદ દ્વારકા નગરી કેવી રીતે સમુદ્રમાં સમાઈ ગઈ ? સમુદ્રમાં આવેલી સુનામી જવાબદાર કે ગાંધારીનો શ્રાપ?- વાંચો

ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારકા સમુદ્રમાં કેવી રીતે ડૂબી ગઈ તેને લઈને અનેક મતમતાંતરો છે. દ્વારિકા નગરીનું ડૂબવુ એ એક ભૌગોલિક ઘટના હતી. જો કે પૌરાણિક કથાઓ અનુસાર શ્રીકૃષ્ણના દેહ ત્યાગ અને યાદવ કુળના વિનાશ બાદ સમુદ્રએ દ્વારકા નગરીને પણ પોતાની અંદર જ સમાવી લીધી. મથુરાથી સ્થપાયેલી આ સુવર્ણ નગરી વિશ્વકર્મા દ્વારા નિર્મિત અદ્યતન શહેર હતું. ગાંધારીના શ્રાપ અને યાદવોના કલહથી તે સમુદ્રમાં સમાઈ ગઈ.

ભગવાન શ્રીકૃષ્ણના દેહત્યાગ બાદ દ્વારકા નગરી કેવી રીતે સમુદ્રમાં સમાઈ ગઈ ? સમુદ્રમાં આવેલી સુનામી જવાબદાર કે ગાંધારીનો શ્રાપ?- વાંચો
| Updated on: Jun 01, 2026 | 8:33 PM
Share

ભારતીય સંસ્કૃતિમાં ભગવાન શ્રીકૃષ્ણની દ્વારિકા નગરી એ એક માત્ર પૌરાણિક કથા નથી, પરંતુ તે એક ભવ્ય ભૂતકાળનું જીવંત પ્રતીક છે. સદીઓ સુધી લોકો માનતા રહ્યા કે સમુદ્ર કિનારે વસેલી આ સોનાની નગરી માત્ર એક કવિની કલ્પના છે, પરંતુ 20મી સદીના અંતમાં થયેલી શોધોએ દુનિયાને હચમચાવી દીધી. પુરાતત્વીય પુરાવાઓ કહી રહ્યા છે કે સમુદ્રના મોજાંઓ નીચે આજે પણ એક પ્રાચીન અને અતિ વિકસિત સંસ્કૃતિના અવશેષો દફન છે.

મથુરાથી દ્વારકા સુધીની શ્રીકૃષ્ણના સંઘર્ષની કથા

શ્રીકૃષ્ણનો જન્મ મથુરામાં થયો હતો અને તેમણે કંસનો વધ કરીને પ્રજાને તેના અત્યાચારમાંથી મુક્ત કરી હતી, તેમ છતાં ભય ટળ્યો ન હતો. કંસના સસરા અને મગધ નરેશ જરાસંઘે કૃષ્ણ અને યાદવ વંશનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. તેણે મથુરા પર વારંવાર હુમલા કર્યા. પોતાની પ્રજાની રક્ષા અને સ્થાયી શાંતિ માટે કૃષ્ણે મથુરા છોડવાનો એક સાહસિક નિર્ણય લીધો. તેમનું લક્ષ્ય હતું અરબ સાગરનો કિનારો, જે તે સમયે ‘કુશસ્થલી’ તરીકે ઓળખાતું હતું. કૃષ્ણની દિવ્ય દ્રષ્ટિએ આ સ્થાનને ‘દ્વારકા’ નામ આપ્યું, જેનો અર્થ થાય છે ‘અનેક દ્વારોવાળું શહેર’.

વિશ્વકર્માનું અદ્ભુત સર્જન: દેવોનું સ્વર્ગ

પૌરાણિક કથાઓ અનુસાર, શ્રીકૃષ્ણે સમુદ્ર દેવ વરુણને આદેશ આપ્યો અને સમુદ્ર 12 યોજન (લગભગ 96 માઈલ) પાછળ હટી ગયો. આ ખાલી થયેલી ભૂમિ પર દેવોના શિલ્પકાર વિશ્વકર્માએ પોતાની ચમત્કારિક શક્તિઓથી દ્વારકા નગરીનું નિર્માણ કર્યું. આ નગરી માનવ કલ્પનાથી પણ પર હતી. તેમાં 16,108 ભવ્ય મહેલો બનાવવામાં આવ્યા હતા, જે સોના, ચાંદી અને કિંમતી રત્નોથી મઢેલા હતા. દિવસના સૂર્યપ્રકાશમાં આખી નગરી ઝળહળી ઉઠતી અને રાત્રે તે આકાશમાં ઉતરેલા તારા જેવી લાગતી હતી. નગરીની વચ્ચે ‘હરિગૃહ’ નામનો ભગવાનનો મુખ્ય મહેલ હતો, જે રાજસત્તા અને દિવ્યતાનું કેન્દ્ર હતો.

એક અદ્યતન અને સુરક્ષિત નગરી

દ્વારકા માત્ર સુંદર જ નહીં, પણ રક્ષણની દ્રષ્ટિએ પણ અભેદ્ય હતી. વિશાળ દિવાલો અને ઊંડી ખાઈઓથી ઘેરાયેલી આ નગરીમાં કોઈ શત્રુ પ્રવેશવાની હિંમત કરી શકતું નહીં. અહીંની એન્જિનિયરિંગ સિસ્ટમ કેટલી અદ્યતન હતી તેનો પુરાવો સમુદ્રના તળિયે મળેલી પ્રાચીન ડ્રેનેજ સિસ્ટમ (જળ નિકાસી પ્રણાલી) છે. નગરીમાં શિક્ષણ અને કલાને વિશેષ મહત્વ આપવામાં આવતું હતું. મહિલાઓ સશક્ત હતી અને નૃત્ય, ચિત્રકલા જેવી લલિત કલાઓમાં નિપુણ હતી.

વિનાશના કાળા વાદળો: ગાંધારીનો શ્રાપ, સુનામી અને મુસળનો પ્રકોપ

ગાંધારીનો શ્રાપ:

મહાભારતના યુદ્ધ બાદ કૌરવોની માતા ગાંધારીએ પોતાના પુત્રોના મૃત્યુ માટે શ્રીકૃષ્ણને જવાબદાર ગણ્યા અને ક્રોધમાં આવી શ્રાપ આપ્યો કે, “જેમ મારો વંશ નષ્ટ થયો, તેમ 36 વર્ષમાં તારો યાદવ વંશ પણ નાશ પામશે અને તારી દ્વારકા સમુદ્રમાં ડૂબી જશે”.

યાદવોમાં આંતરિક કલેશ:

શ્રાપના પ્રભાવને કારણે 36 વર્ષ પછી યાદવોમાં અહંકાર વધ્યો અને તેઓ એકબીજાના દુશ્મન બન્યા. આ સાથે જ કૃષ્ણના પુત્ર સામ્બ દ્વારા ઋષિ દુર્વાસાની મજાક ઉડાવાતા તેમને મળેલો ‘લોખંડી મુસળ’નો શ્રાપ પણ યાદવોના પતનનું કારણ બન્યો. યાદવોમાં અહંકાર વધ્યો અને અંદરોઅંદરના ઝઘડાઓ શરૂ થયા, જેમાં તેઓએ શ્રાપિત મુસળના ચૂર્ણમાંથી ઉગેલા અણીદાર સરકંડાઓનો હથિયાર તરીકે ઉપયોગ કર્યો અને આખરે સમગ્ર વંશનો અંદરોઅંદરની લડાઈમાં જ નામશેષ થઈ ગયો.  પ્રભાસ ક્ષેત્રમાં એક ઉત્સવ દરમિયાન યાદવોએ અંદરોઅંદર લડીને (મૂશળ યુદ્ધ) પોતાના જ વંશનો નાશ કર્યો

સમુદ્રમાં મહાપ્રલય અને વિલય

હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર, ભગવાન શ્રીકૃષ્ણના સ્વધામ ગમન (દેહોત્સર્ગ) પછી તેમની સુવર્ણ નગરી ‘દ્વારકા’ સમુદ્રમાં ડૂબી ગઈ હતી. જ્યારે શ્રીકૃષ્ણનો પૃથ્વી પરનો સમય પૂર્ણ થયો અને તેમણે દેહત્યાગ કર્યો, ત્યારે કુદરતે પણ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. સમુદ્રમાં અતિ ભયાનક લહેરો ઉઠી અને જોતજોતામાં સોનાની નગરી દ્વારકા સમુદ્રના પેટાળમાં સમાઈ ગઈ. કહેવાય છે કે જ્યારે દ્વારકા ડૂબી રહી હતી ત્યારે અંતિમ વાર મંદિરની ઘંટડીઓ વાગી હતી, જેનો ગુંજારવ આજે પણ સમુદ્રની શાંતિમાં અનુભવાય છે.

યાદવો અને શ્રીકૃષ્ણના ભાઈ બલરામજીના દેહત્યાગ પછી, શ્રીકૃષ્ણએ અર્જુનને સંદેશ મોકલ્યો કે તે દ્વારકા આવીને સ્ત્રીઓ અને બાળકોને સુરક્ષિત લઈ જાય, કારણ કે દ્વારકા નગરી સમુદ્રમાં ડૂબી જવાની છે. અર્જુન જ્યારે દ્વારકા પહોંચ્યો અને નગરવાસીઓને બહાર કાઢી રહ્યો હતો, તે જ સમયે સમુદ્ર આગળ વધ્યો અને આખી નગરી પાણીમાં ગરકાવ થઈ ગઈ, શ્રીકૃષ્ણ અને બલરામના દેહત્યાગ બાદ અર્જુન દ્વારકા વાસીઓને સુરક્ષિત સ્થાન ઈન્દ્રપ્રસ્થ લઈ ગયા. 

વૈજ્ઞાનિક શોધો અને પુરાતત્વીય સત્ય

વૈજ્ઞાનિકો આ ઘટના પાછળ ટેક્ટોનિક હલચલ, ભૂકંપ અથવા સમુદ્રના સ્તરમાં થયેલા વધારાને કારણભૂત માને છે. 1970 અને 80ના દાયકામાં ડૉ. એસ. આર. રાવે 560 મીટર લાંબી પ્રાચીન દિવાલ શોધી કાઢી હતી. ત્યારબાદ 2015માં 16 રૂમવાળા મહેલના અવશેષો મળ્યા, જેને રાણી રુક્મિણીના કક્ષ સાથે જોડવામાં આવે છે. 2018માં રથ અને ઘોડાની મૂર્તિઓના નિશાનવાળા ધાતુના ટુકડા મળ્યા, જે 3000 થી 4000 વર્ષ જૂના હોવાનું કાર્બન ડેટિંગ દ્વારા સાબિત થયું છે. 2020માં તલવાર, ભાલા અને ધનુષબાણ જેવા હથિયારોનો ભંડાર મળ્યો છે, જેના પર પંચજન્ય શંખ અને સૂર્યચક્રના પ્રતીકો અંકિત છે.

આધુનિક ઇતિહાસ અને પુરાતત્વ અનુસાર, ગુજરાતના દરિયાકાંઠે (અરબી સમુદ્રમાં) દરિયાની અંદર ડૂબેલા પ્રાચીન શહેરના અવશેષો મળી આવ્યા છે। ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા કરાયેલા સંશોધનોમાં પણ એ વાતને સમર્થન મળ્યું છે કે પ્રાચીન સમયમાં અહીં એક ભવ્ય નગર અસ્તિત્વમાં હતું, જે કોઈ કુદરતી હોનારત કે સમુદ્રની સપાટી વધવાથી પાણીમાં ડૂબી ગયું હોવું જોઈએ

આસ્થા અને ઇતિહાસનો સંગમ

દ્વારકા માત્ર એક ડૂબેલી નગરી નથી, પરંતુ પ્રાચીન ભારતની સમૃદ્ધિ અને અદ્યતન ટેકનોલોજીનું પ્રમાણ છે. આજના સમયમાં 15મી-16મી સદીમાં બનેલું દ્વારકાધીશ મંદિર લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે, જે તે સમયની ભવ્યતાની યાદ અપાવે છે. સમુદ્રના ખંડેરો એ વાતની સાક્ષી પૂરે છે કે મહાભારત એ માત્ર કોઈ વાર્તા નથી, પણ આપણો વાસ્તવિક ઇતિહાસ છે, જેના અવશેષો સમુદ્રના તળિયે આજે પણ પડેલા છે.

ગરૂડ પુરાણ અનુસાર હિંદુ ધર્મમાં સૂર્યાસ્ત બાદ કેમ નથી કરવામાં આવતા મૃત વ્યક્તિના અંતિમ સંસ્કાર? જો કરવામાં આવે તો ક્યા દોષો લાગે?

Follow Us
મહેસાણામાં ફૂડ વિભાગનો સપાટો, 2025 કિલો બગડેલી કીડાવાળી કેરી ઝડપાઈ
મહેસાણામાં ફૂડ વિભાગનો સપાટો, 2025 કિલો બગડેલી કીડાવાળી કેરી ઝડપાઈ
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફનો રોડ મોટો થશે, HCનો મોટો નિર્ણય
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફનો રોડ મોટો થશે, HCનો મોટો નિર્ણય
લાંચિયા અધિકારીના ઘરમાંથી મળ્યું 88 લાખનું સોનું, ACB એ તપાસ તેજ કરી
લાંચિયા અધિકારીના ઘરમાંથી મળ્યું 88 લાખનું સોનું, ACB એ તપાસ તેજ કરી
સિંહોના મોતનો રિપોર્ટ હજુ સુધી ન આવતા વનવિભાગ સામે ઉઠ્યા સવાલ
સિંહોના મોતનો રિપોર્ટ હજુ સુધી ન આવતા વનવિભાગ સામે ઉઠ્યા સવાલ
સુરતઃ રૂની આયાત ડયૂટી 5 મહિના માટે નાબુદ કરતા ખેડૂતો નાખુશ
સુરતઃ રૂની આયાત ડયૂટી 5 મહિના માટે નાબુદ કરતા ખેડૂતો નાખુશ
Breaking News : રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો કથાનો વિવાદ વધુ વકર્યો
Breaking News : રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો કથાનો વિવાદ વધુ વકર્યો
અંકલેશ્વરમાં દિલધડક રેસ્ક્યુમાં નહેરમાં ગરકાવ થતાં 3 લોકોનો ફાયર ટીમે
અંકલેશ્વરમાં દિલધડક રેસ્ક્યુમાં નહેરમાં ગરકાવ થતાં 3 લોકોનો ફાયર ટીમે
ચવાણાના પેકેટમાંથી નીકળી મરેલી ગરોળી!ગોકુલ કંપની વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
ચવાણાના પેકેટમાંથી નીકળી મરેલી ગરોળી!ગોકુલ કંપની વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
ચોમાસાનો સત્તાવાર રીતે કેરલમમાં પ્રવેશ, ગુજરાતમાં જલદી જ થશે આગમન
ચોમાસાનો સત્તાવાર રીતે કેરલમમાં પ્રવેશ, ગુજરાતમાં જલદી જ થશે આગમન
550 પોલીસના બંદોબસ્ત સાથે વિરમગામમાં મેગા ડિમોલિશન, જુઓ Video
550 પોલીસના બંદોબસ્ત સાથે વિરમગામમાં મેગા ડિમોલિશન, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">