ભગવાન શ્રીકૃષ્ણના દેહત્યાગ બાદ દ્વારકા નગરી કેવી રીતે સમુદ્રમાં સમાઈ ગઈ ? સમુદ્રમાં આવેલી સુનામી જવાબદાર કે ગાંધારીનો શ્રાપ?- વાંચો
ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારકા સમુદ્રમાં કેવી રીતે ડૂબી ગઈ તેને લઈને અનેક મતમતાંતરો છે. દ્વારિકા નગરીનું ડૂબવુ એ એક ભૌગોલિક ઘટના હતી. જો કે પૌરાણિક કથાઓ અનુસાર શ્રીકૃષ્ણના દેહ ત્યાગ અને યાદવ કુળના વિનાશ બાદ સમુદ્રએ દ્વારકા નગરીને પણ પોતાની અંદર જ સમાવી લીધી. મથુરાથી સ્થપાયેલી આ સુવર્ણ નગરી વિશ્વકર્મા દ્વારા નિર્મિત અદ્યતન શહેર હતું. ગાંધારીના શ્રાપ અને યાદવોના કલહથી તે સમુદ્રમાં સમાઈ ગઈ.

ભારતીય સંસ્કૃતિમાં ભગવાન શ્રીકૃષ્ણની દ્વારિકા નગરી એ એક માત્ર પૌરાણિક કથા નથી, પરંતુ તે એક ભવ્ય ભૂતકાળનું જીવંત પ્રતીક છે. સદીઓ સુધી લોકો માનતા રહ્યા કે સમુદ્ર કિનારે વસેલી આ સોનાની નગરી માત્ર એક કવિની કલ્પના છે, પરંતુ 20મી સદીના અંતમાં થયેલી શોધોએ દુનિયાને હચમચાવી દીધી. પુરાતત્વીય પુરાવાઓ કહી રહ્યા છે કે સમુદ્રના મોજાંઓ નીચે આજે પણ એક પ્રાચીન અને અતિ વિકસિત સંસ્કૃતિના અવશેષો દફન છે. મથુરાથી દ્વારકા સુધીની શ્રીકૃષ્ણના સંઘર્ષની કથા શ્રીકૃષ્ણનો જન્મ મથુરામાં થયો હતો અને તેમણે કંસનો વધ કરીને પ્રજાને તેના અત્યાચારમાંથી મુક્ત કરી હતી, તેમ છતાં ભય ટળ્યો ન હતો. કંસના સસરા અને મગધ નરેશ જરાસંઘે કૃષ્ણ અને યાદવ વંશનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. તેણે મથુરા પર વારંવાર હુમલા કર્યા. પોતાની પ્રજાની રક્ષા અને સ્થાયી શાંતિ માટે કૃષ્ણે મથુરા છોડવાનો એક સાહસિક...
