Pakistan News: પાકિસ્તાનનું શરમજનક સત્ય સામે આવ્યું, આખરે UN પણ થયુ સંમત – સગીર હિંદુ છોકરીઓના બળજબરીથી લગ્ન કરાવવામાં આવે છે
નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, “અમે સરકારને વિનંતી કરીએ છીએ કે તે આ કૃત્યોને રોકવા માટે તાત્કાલિક પગલાં ભરે અને નિષ્પક્ષપણે અને સ્થાનિક કાયદા અને આંતરરાષ્ટ્રીય માનવાધિકારની પ્રતિબદ્ધતાઓને અનુરૂપ તેની સંપૂર્ણ તપાસ કરે. આવા કેસ માટે ગુનેગારોને સંપૂર્ણ રીતે જવાબદાર ઠેરવવા જોઈએ.”
સંયુક્ત રાષ્ટ્રના નિષ્ણાતોએ સોમવારે પાકિસ્તાનમાં ધાર્મિક અલ્પસંખ્યકોની સગીર છોકરીઓ અને યુવતીઓના અપહરણ, બળજબરીથી લગ્ન અને ધર્માંતરણમાં કથિત વધારા પર ચિંતા વ્યક્ત કરી હતી. નિષ્ણાતોએ પાકિસ્તાનમાં આવી પ્રવૃત્તિઓ ઘટાડવા અને પીડિતોને ન્યાય સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક પ્રયાસો કરવા પણ હાકલ કરી હતી. પાકિસ્તાનમાં હિંદુઓ સહિત ધાર્મિક લઘુમતીઓની છોકરીઓ અને મહિલાઓના અપહરણ અને પછી તેમને લગ્ન માટે દબાણ કરવાના કિસ્સાઓ સામે આવ્યા છે.
નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, “અમે સરકારને વિનંતી કરીએ છીએ કે તે આ કૃત્યોને રોકવા માટે તાત્કાલિક પગલાં ભરે અને નિષ્પક્ષપણે અને સ્થાનિક કાયદા અને આંતરરાષ્ટ્રીય માનવાધિકારની પ્રતિબદ્ધતાઓને અનુરૂપ તેની સંપૂર્ણ તપાસ કરે. આવા કેસ માટે ગુનેગારોને સંપૂર્ણ રીતે જવાબદાર ઠેરવવા જોઈએ.”
‘બળજબરીથી ધર્માંતરણ નિરાશાજનક’
“અમે એ સાંભળીને ખૂબ જ વ્યથિત છીએ કે 13 વર્ષની વયની છોકરીઓનું તેમના પરિવારો સામે અપહરણ કરવામાં આવે છે, તેમના ઘરથી દૂરના સ્થળોએ મોકલવામાં આવે છે, કેટલીકવાર છોકરીના લગ્ન તેનાથી બમણી ઉંમરના પુરુષો સાથે બળજબરીથી કરાવી દેવામાં આવે છે, અને દબાણ કરવામાં આવે છે. ઇસ્લામ ધર્મનો અંગિકાર કરવા માટે પણ ફરજ પાડવામાં આવે છે. આ બધું આંતરરાષ્ટ્રીય માનવાધિકાર કાયદાનું ઉલ્લંઘન છે. UN એ કહ્યું કે અમે આવા લગ્નોથી ખૂબ જ ચિંતિત છીએ.
ન્યાયની પહોંચનો અભાવ પણ ખોટો છે
સ્પેશિયલ રિપોર્ટર્સ અને અન્ય સ્વતંત્ર નિષ્ણાતો માનવ અધિકાર પરિષદની વિશેષ કાર્યવાહીનો ભાગ છે. યુએન માનવાધિકાર કાર્યાલય દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, નિષ્ણાતોએ બળજબરીથી ધર્માંતરણને રોકવા અને ધાર્મિક લઘુમતીઓને રક્ષણ આપવાના પાકિસ્તાનના ભૂતકાળના પ્રયાસોને જોતાં પીડિતો અને તેમના પરિવારો માટે ન્યાય મેળવવાના અભાવની પણ સખત નિંદા કરી હતી. તેમણે આ કહેવાતા લગ્નો અને ધર્માંતરણોમાં ધાર્મિક અધિકારીઓની સંડોવણી અને સુરક્ષા દળો અને ન્યાયિક પ્રણાલીની મિલીભગતનો આક્ષેપ કરતા અહેવાલોનો પણ ઉલ્લેખ કર્યો હતો.
યુએન નિષ્ણાતોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે મોટાભાગની અદાલતોએ પ્રસંગોપાત પીડિતોને દુર્વ્યવહાર કરનારાઓ સાથે રહેવાની મંજૂરી આપવા માટે ધાર્મિક કાયદાના અર્થઘટનનો દુરુપયોગ કર્યો છે. પોલીસની બેદરકારી અંગે નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, “પરિવારના સભ્યો કહે છે કે પોલીસ દ્વારા પીડિતાની ફરિયાદોને ભાગ્યે જ ગંભીરતાથી લેવામાં આવે છે, અથવા તેઓ આ FIR નોંધવાનો ઇનકાર કરે છે. આવી ઘટનાઓને અપહરણ કે “પ્રેમ લગ્ન”નું સ્વરૂપ આપીને કોઈ ગુનો આચરવામાં આવ્યો નથી તે રીતે જ જોવામાં આવે છે.