Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

News9 Global Summit : જર્મનીના સ્ટુટગાર્ટમાં News9 ગ્લોબલ સમિટ યોજાશે, પીએમ મોદી કરશે સંબોધન

આગામી 21 થી 23 નવેમ્બર દરમિયાન જર્મનીના સ્ટુટગાર્ટમાં TV9 ગ્રુપની News9 ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 નવેમ્બરે સમિટને સંબોધન કરશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ કોન્ફરન્સમાં ભાગ લેશે.

News9 Global Summit : જર્મનીના સ્ટુટગાર્ટમાં News9 ગ્લોબલ સમિટ યોજાશે, પીએમ મોદી કરશે સંબોધન
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 20, 2024 | 6:39 PM

આ વખતે દેશના નંબર 1 ન્યૂઝ નેટવર્ક TV9 ગ્રુપની News9 ગ્લોબલ સમિટ જર્મનીના સ્ટુટગાર્ટમાં યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 થી 23 નવેમ્બર દરમિયાન યોજાનાર News9 ગ્લોબલ સમિટમાં પણ ભાગ લેશે. તેઓ 22 નવેમ્બરે સમિટને સંબોધન કરશે. એમએચપી એરેના સ્ટેડિયમ ખાતે યોજાનારી સમિટમાં PM મોદી મુખ્ય પ્રવચન કરશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ સમિટમાં ભાગ લેશે.

પીએમ મોદીનું સંબોધન યુરોપની સૌથી મોટી અર્થવ્યવસ્થા સાથે તેની ભાગીદારીને મજબૂત બનાવવાની ભારતની પ્રતિબદ્ધતા દર્શાવે છે. પીએમ મોદી અને જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ ઓક્ટોબરમાં મળ્યા હતા. આ બેઠક ત્યારે થઈ જ્યારે સ્કોલ્ઝ ભારતના પ્રવાસે આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન, જર્મનીએ કુશળ ભારતીય મજૂરોની ભરતી વધારવા માટે સંમતિ દર્શાવી હતી. તેમના માટે વિઝાની સંખ્યા દર વર્ષે 20,000 થી વધારીને 90,000 કરવામાં આવી હતી.

TV9 નેટવર્કના CEO બરુણ દાસે શું કહ્યું?

TV9 નેટવર્કના સીઈઓ બરુણ દાસે જણાવ્યું હતું કે, TV9 એ તેના ‘વોટ ઈન્ડિયા થિંક્સ ટુડે’ કોન્ક્લેવની સફળતા બાદ હવે વૈશ્વિક શિખર સમિટનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે આ કાર્યક્રમ ભારત અને જર્મનીની સરકારો વચ્ચેની પહેલને સમર્થન આપવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ હશે.

Owl Seeing Sign: ઘુવડ દેખાવવું શુભ કે અશુભ? જાણો રાત્રે દેખાય તો શું સંકેત આપે છે
આજનું રાશિફળ તારીખ 02-04-2025
રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સમાંથી થશે બહાર ?
રેમો તેની પત્નીને સુપરવુમન માને છે, જુઓ ફોટો
હાર્દિક પંડ્યાની રુમર્ડ ગર્લફ્રેન્ડ જાસ્મીન વાલિયાની કુલ નેટવર્થ કેટલી છે?
મૌની રોય કેટલા કરોડની માલિક છે? જાણો

સમિટની થીમ ભારત અને જર્મની છે – સતત વિકાસ માટેનો રોડ મેપ છે. તેમાં ટેલેન્ટ, ટ્રાન્સફોર્મેશન અને ટેક્નોલોજી, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ: લેસન ફ્રોમ ઈન્ડિયાઝ નોર્થ-ઈસ્ટ, શ્રીનગરથી સ્ટુટગાર્ટઃ ધ કન્ઝ્યુમર સ્ટોરી જેવા વિષય પરના સત્રનો સમાવેશ થાય છે. સમિટ દરમિયાન, ઓટોમોબાઈલ ઉદ્યોગ, મનોરંજન, વ્યવસાય અને રમતગમત જેવા ક્ષેત્રોના દિગ્ગજ વ્યક્તિઓનું સન્માન પણ કરવામાં આવશે. તેમને ગ્લોબલ આઇકોન એવોર્ડ આપવામાં આવશે. એટલું જ નહીં, ભારતની પ્રથમ રેકોર્ડિંગ આર્ટિસ્ટ ગૌહર જાનને સમર્પિત એક મ્યુઝિક કોન્સર્ટ પણ હશે.

સમિટમાં શું હશે ?

21મી નવેમ્બરે ભારત અને જર્મનીના રાષ્ટ્રગીત સાથે સમિટની શરૂઆત થશે. પ્રથમ સત્રમાં ભારત અને જર્મનીના વિકાસના મુદ્દા પર ચર્ચા થશે. આ સાથે વિકાસના અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે. જેમાં દેશ અને દુનિયાના દિગ્ગજ નેતાઓ અલગ-અલગ સેશનમાં પોતાના મંતવ્યો રજૂ કરશે. સમિટના બીજા દિવસે વડાપ્રધાન મોદી સંબોધન કરશે.

સમિટના બીજા દિવસે 22 નવેમ્બરે ભારત અને જર્મનીના સતત વિકાસ સાથે જોડાયેલા વિષયો પર ચર્ચા થશે. આ સાથે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ડિજિટલ ઈકોનોમી પર પણ વાત થશે. સમિટમાં અન્ય ઘણા વિષયો અને મુદ્દાઓ પર લાંબી ચર્ચા થશે. ભારત અને જર્મની વચ્ચેના વેપાર સંબંધોને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે TV9 નેટવર્ક દ્વારા આયોજિત આ કોન્ફરન્સમાં ભારત અને જર્મનીના ઘણા વેપારી અને રાજકીય નેતાઓ, કેન્દ્રીય મંત્રીઓ અને પ્રતિનિધિઓ ભાગ લેશે.

g clip-path="url(#clip0_868_265)">