AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સિઝફાયર તૂટશે..! ઈરાને હોર્મુઝમાં ટેન્કરોની અવરજવર અટકાવી, લેબનાન પર હુમલા

ઈરાને યુદ્ધવિરામમાંથી બહાર નીકળવાની ધમકી આપી છે જો લેબનાન પરના હુમલા ચાલુ રહેશે. તેણે હોર્મુઝ સ્ટ્રેટમાં તેલ ટેન્કરોની અવરજવર રોકવાની પણ ચેતવણી આપી છે.

Breaking News : સિઝફાયર તૂટશે..! ઈરાને હોર્મુઝમાં ટેન્કરોની અવરજવર અટકાવી, લેબનાન પર હુમલા
| Updated on: Apr 08, 2026 | 10:29 PM
Share

ઈરાને અમેરિકા સાથે થયેલા યુદ્ધવિરામને લઈને એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ઈરાનએ સ્પષ્ટ કહ્યું છે કે જો લેબનાન પર હુમલા ચાલુ રહેશે, તો તે યુદ્ધવિરામમાંથી બહાર આવી જશે. સાથે જ, ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં તેલ ટેન્કરોની અવરજવર પર પણ રોક લગાવી છે, જે વૈશ્વિક સ્તરે ચિંતા વધારનારું પગલું માનવામાં આવે છે.

ઈઝરાયલના સતત હુમલા

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ અંગે ચર્ચા થઈ હોવા છતાં, ઈઝરાયલ અને લેબનાન વચ્ચેનો સંઘર્ષ વધુ ઉગ્ર બની રહ્યો છે. ઈરાનનો આરોપ છે કે ઈઝરાયલ સતત હુમલાઓ કરીને યુદ્ધવિરામની ભાવનાનું ઉલ્લંઘન કરી રહ્યો છે. ખાસ કરીને લેબનાન પર વધતા હવાઈ હુમલાઓને ધ્યાનમાં રાખીને ઈરાને કડક ચેતવણી આપી છે.

ઈઝરાયલે અગાઉ સ્પષ્ટતા કરી હતી કે યુએસ અને ઈરાન વચ્ચે થયેલો યુદ્ધવિરામ લેબનાન પર લાગુ પડતો નથી. વ્હાઇટ હાઉસે પણ કહ્યું છે કે આ કરાર ફક્ત અમેરિકા અને ઈરાન વચ્ચેનો છે, જેમાં લેબનાન પક્ષકાર નથી. આ કારણે, ઈઝરાયલ લેબનાન માં તેના સૈન્ય અભિયાનને ચાલુ રાખવા માટે પોતાને સ્વતંત્ર માનતું રહ્યું છે.

ઈરાનના નિવેદનથી આ યુદ્ધવિરામ પર ફરી સવાલો

સંઘર્ષને લગભગ 40 દિવસ થયા બાદ, અમેરિકા અને ઈરાન વચ્ચે 14 દિવસ માટે યુદ્ધવિરામ કરાર થયો હતો. આ સમયગાળા દરમિયાન બંને દેશો એકબીજા સામે સીધા હુમલા નહીં કરે એવી શરત રાખવામાં આવી હતી. જોકે, થોડા સમય પછી જ ઈરાનના નિવેદનથી આ યુદ્ધવિરામ પર ફરી સવાલો ઉભા થયા છે.

લેબનાન ના રાષ્ટ્રપતિ જોસેફ આઉને ઈઝરાયલી હુમલાઓની કડક નિંદા કરી છે. તેમણે બૈરુત અને આસપાસના વિસ્તારોમાં થયેલા હુમલાઓને “બર્બર” ગણાવ્યા છે અને તણાવ વધારવા માટે ઈઝરાયલને જવાબદાર ઠેરવ્યું છે. આ હુમલાઓમાં અનેક ઇમારતો તબાહ થઈ ગઈ છે અને હોસ્પિટલોને પણ ભારે નુકસાન થયું છે.

લેબનાન ના આરોગ્ય મંત્રાલય મુજબ, તાજેતરના હુમલાઓમાં ઓછામાં ઓછા 89 લોકોનાં મોત થયા છે, જ્યારે 700થી વધુ લોકો ઘાયલ થયા છે. બચાવ કામગીરી ચાલુ છે અને કાટમાળમાંથી હજુ પણ મૃતદેહો શોધવાની કામગીરી ચાલી રહી છે.

ઈરાનને હથિયાર સપ્લાય કરનારા કોઈપણ દેશ પર અમે 50% ટેરિફ

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">