AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સિઝફાયર તૂટશે..! ઈરાને હોર્મુઝમાં ટેન્કરોની અવરજવર અટકાવી, લેબનાન પર હુમલા

ઈરાને યુદ્ધવિરામમાંથી બહાર નીકળવાની ધમકી આપી છે જો લેબનાન પરના હુમલા ચાલુ રહેશે. તેણે હોર્મુઝ સ્ટ્રેટમાં તેલ ટેન્કરોની અવરજવર રોકવાની પણ ચેતવણી આપી છે.

Breaking News : સિઝફાયર તૂટશે..! ઈરાને હોર્મુઝમાં ટેન્કરોની અવરજવર અટકાવી, લેબનાન પર હુમલા
| Updated on: Apr 08, 2026 | 10:29 PM
Share

ઈરાને અમેરિકા સાથે થયેલા યુદ્ધવિરામને લઈને એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ઈરાનએ સ્પષ્ટ કહ્યું છે કે જો લેબનાન પર હુમલા ચાલુ રહેશે, તો તે યુદ્ધવિરામમાંથી બહાર આવી જશે. સાથે જ, ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં તેલ ટેન્કરોની અવરજવર પર પણ રોક લગાવી છે, જે વૈશ્વિક સ્તરે ચિંતા વધારનારું પગલું માનવામાં આવે છે.

ઈઝરાયલના સતત હુમલા

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ અંગે ચર્ચા થઈ હોવા છતાં, ઈઝરાયલ અને લેબનાન વચ્ચેનો સંઘર્ષ વધુ ઉગ્ર બની રહ્યો છે. ઈરાનનો આરોપ છે કે ઈઝરાયલ સતત હુમલાઓ કરીને યુદ્ધવિરામની ભાવનાનું ઉલ્લંઘન કરી રહ્યો છે. ખાસ કરીને લેબનાન પર વધતા હવાઈ હુમલાઓને ધ્યાનમાં રાખીને ઈરાને કડક ચેતવણી આપી છે.

ઈઝરાયલે અગાઉ સ્પષ્ટતા કરી હતી કે યુએસ અને ઈરાન વચ્ચે થયેલો યુદ્ધવિરામ લેબનાન પર લાગુ પડતો નથી. વ્હાઇટ હાઉસે પણ કહ્યું છે કે આ કરાર ફક્ત અમેરિકા અને ઈરાન વચ્ચેનો છે, જેમાં લેબનાન પક્ષકાર નથી. આ કારણે, ઈઝરાયલ લેબનાન માં તેના સૈન્ય અભિયાનને ચાલુ રાખવા માટે પોતાને સ્વતંત્ર માનતું રહ્યું છે.

ઈરાનના નિવેદનથી આ યુદ્ધવિરામ પર ફરી સવાલો

સંઘર્ષને લગભગ 40 દિવસ થયા બાદ, અમેરિકા અને ઈરાન વચ્ચે 14 દિવસ માટે યુદ્ધવિરામ કરાર થયો હતો. આ સમયગાળા દરમિયાન બંને દેશો એકબીજા સામે સીધા હુમલા નહીં કરે એવી શરત રાખવામાં આવી હતી. જોકે, થોડા સમય પછી જ ઈરાનના નિવેદનથી આ યુદ્ધવિરામ પર ફરી સવાલો ઉભા થયા છે.

લેબનાન ના રાષ્ટ્રપતિ જોસેફ આઉને ઈઝરાયલી હુમલાઓની કડક નિંદા કરી છે. તેમણે બૈરુત અને આસપાસના વિસ્તારોમાં થયેલા હુમલાઓને “બર્બર” ગણાવ્યા છે અને તણાવ વધારવા માટે ઈઝરાયલને જવાબદાર ઠેરવ્યું છે. આ હુમલાઓમાં અનેક ઇમારતો તબાહ થઈ ગઈ છે અને હોસ્પિટલોને પણ ભારે નુકસાન થયું છે.

લેબનાન ના આરોગ્ય મંત્રાલય મુજબ, તાજેતરના હુમલાઓમાં ઓછામાં ઓછા 89 લોકોનાં મોત થયા છે, જ્યારે 700થી વધુ લોકો ઘાયલ થયા છે. બચાવ કામગીરી ચાલુ છે અને કાટમાળમાંથી હજુ પણ મૃતદેહો શોધવાની કામગીરી ચાલી રહી છે.

ઈરાનને હથિયાર સપ્લાય કરનારા કોઈપણ દેશ પર અમે 50% ટેરિફ

Follow Us
જામનગરના કાલાવડ પંથકમાં કાળજાળ ગરમી બાદ કમોસમી વરસાદ
જામનગરના કાલાવડ પંથકમાં કાળજાળ ગરમી બાદ કમોસમી વરસાદ
ડેટિંગ અને મેટ્રોમોનિયલ એપ પર યુવતીઓને ફસાવતો નકલી PSI ઝડપાયો
ડેટિંગ અને મેટ્રોમોનિયલ એપ પર યુવતીઓને ફસાવતો નકલી PSI ઝડપાયો
બ્રહ્મસમાજ સાથે શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ બેઠક યોજીને માગી માફિ
બ્રહ્મસમાજ સાથે શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ બેઠક યોજીને માગી માફિ
ખેડૂતો રોડ પર આવ્યા! આણંદ-ખેડામાં ડીઝલની ભયંકર અછત - જુઓ Video
ખેડૂતો રોડ પર આવ્યા! આણંદ-ખેડામાં ડીઝલની ભયંકર અછત - જુઓ Video
બ્રહ્મસમાજે સ્વામી સામે ખોલ્યો મોરચો,માફી નહીં માંગે તો વિરોધની ચેતવણી
બ્રહ્મસમાજે સ્વામી સામે ખોલ્યો મોરચો,માફી નહીં માંગે તો વિરોધની ચેતવણી
ડીઝલનો 40 ટકા જથ્થો ઉપલબ્ધ, સાંસદ પરષોત્તમ રુપાલાનું નિવેદન!
ડીઝલનો 40 ટકા જથ્થો ઉપલબ્ધ, સાંસદ પરષોત્તમ રુપાલાનું નિવેદન!
કચ્છ જિલ્લાના તહેરા ગામ પાસે ઝાડીમાંથી શંકાસ્પદ ડ્રોન મળ્યું
કચ્છ જિલ્લાના તહેરા ગામ પાસે ઝાડીમાંથી શંકાસ્પદ ડ્રોન મળ્યું
હાઈડ્રોલિક મશીનથી 4 લોકોનું રેસ્ક્યુ કરાયું જુઓ Video
હાઈડ્રોલિક મશીનથી 4 લોકોનું રેસ્ક્યુ કરાયું જુઓ Video
અમદાવાદના ₹2600 કરોડના ગટર પ્રોજેક્ટને હાઇકોર્ટમાં પડકાર, જુઓ-Video
અમદાવાદના ₹2600 કરોડના ગટર પ્રોજેક્ટને હાઇકોર્ટમાં પડકાર, જુઓ-Video
પોલીસ પર પથ્થરમારો કરનારા આરોપી સદ્દામ અંસારીની ધરપકડ!
પોલીસ પર પથ્થરમારો કરનારા આરોપી સદ્દામ અંસારીની ધરપકડ!
g clip-path="url(#clip0_868_265)">