AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahisagar Breaking News : માત્ર 100 ઘરોનું ગામ રચશે ઈતિહાસ ! મહીસાગરનું રતુસિંહના મુવાડા બનશે ભારતની સૌથી મોટી સરકારી ‘ચેસ સ્કૂલ’

માત્ર 100 ઘરોનું નાનું ગામ, રતુસિંહના મુવાડા, જે યુવા ચેસ ચેમ્પિયન્સની અસંભવિત નર્સરી તરીકે ઉભરી આવ્યું હતું, હવે ભારતની સૌથી મોટી સરકારી ચેસ સ્કૂલ બનવા માટે તૈયાર છે.

Mahisagar Breaking News : માત્ર 100 ઘરોનું ગામ રચશે ઈતિહાસ ! મહીસાગરનું રતુસિંહના મુવાડા બનશે ભારતની સૌથી મોટી સરકારી 'ચેસ સ્કૂલ'
Mahisagar Ratusinh Na Muvada Indian Largest Government Chess SchoolImage Credit source: X
| Updated on: Aug 06, 2026 | 11:19 AM
Share

આ સ્વપ્ન પ્રોજેક્ટ હવે વાસ્તવિકતા તરફ આગળ વધી રહ્યો છે. મહીસાગર જિલ્લા વહીવટીતંત્રે શાળાના નવા કેમ્પસ માટે જમીન શોધવાની પ્રક્રિયા ઝડપી બનાવી છે. આ નવું કેમ્પસ હાલની જર્જરિત શાળાની સરખામણીએ લગભગ 8.5 ગણું મોટું હશે. હાલમાં શાળા સિમેન્ટના છાપરાવાળા માત્ર 5 ઓરડાઓમાં ચાલે છે. જેમાંથી ફક્ત 2 ઓરડા જ ઉપયોગમાં લઈ શકાય તેવી સ્થિતિમાં છે.

TOI દ્વારા અનોખી સફરને પ્રકાશમાં લાવવામાં આવી હતી

ટાઈમ્સ ઑફ ઈન્ડિયા (TOI) દ્વારા સપ્ટેમ્બર 2025માં પ્રકાશિત અહેવાલમાં રતુસિંહના મુવાડાની આ અનોખી સફરને પ્રકાશમાં લાવવામાં આવી હતી. આ અહેવાલમાં જણાવાયું હતું કે ગણિતના શિક્ષક સંદીપ ઉપાધ્યાય દૈનિક મજૂરો અને ખેત મજૂરોના લગભગ 200 બાળકોને ચેસની તાલીમ આપી રહ્યા છે. આ અહેવાલ બાદ 11 મહિનામાં આ પ્રોજેક્ટને નવી ગતિ મળી છે. જિલ્લા તંત્રે સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ બનનારી નવી શાળાની ઇમારતમાં ચેસ કોચિંગ માટે વિશેષ હોલ બનાવવાનો નિર્ણય કર્યો છે.

શું કહે છે મહીસાગરના કલેક્ટર ?

મહીસાગરના કલેક્ટર અર્પિત સાગરએ જણાવ્યું છે કે, “અગાઉ જે જમીન પસંદ કરવામાં આવી હતી ત્યાં કોતરો હોવાથી મોટા પ્રમાણમાં જમીન ભરવાની જરૂર પડતી હતી. જેના કારણે ખર્ચ ઘણો વધી જાય તેમ હતો. હવે અમે આ પ્રોજેક્ટ માટે બીજી યોગ્ય સરકારી જમીનની ઓળખ કરી રહ્યા છીએ. આ અંગે સમગ્ર શિક્ષા અભિયાનના અધિકારીઓ સાથે પણ ચર્ચા કરવામાં આવી છે.”

શાળાને ચેસનું મજબૂત કેન્દ્ર બનાવ્યું

વર્ષ 2021માં શાળામાં ચેસની શરૂઆત કર્યા બાદ સંદીપ ઉપાધ્યાયે આ શાળાને ચેસનું મજબૂત કેન્દ્ર બનાવી દીધી છે. તેમનું સ્વપ્ન છે કે અહીંથી 50 ગ્રાન્ડમાસ્ટર અને 10 વિશ્વ ચેમ્પિયન તૈયાર થાય. સંદીપ ઉપાધ્યાય કહે છે, “મારો વિચાર એવો છે કે માત્ર અમારા ગામના જ નહીં, પરંતુ દેશભરના એવા જરૂરિયાતમંદ બાળકો જેમને યોગ્ય તક અને પ્લેટફોર્મ મળતું નથી તેઓ અહીં રહીને ચેસની તાલીમ મેળવી શકે. ચેસની સાથે તેઓ GPSC અને UPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી પણ કરી શકે.” તેમની કલ્પના મુજબ આ કેમ્પસ એવું કેન્દ્ર બનશે જ્યાં ગ્રામ્ય વિસ્તારના પ્રતિભાશાળી બાળકોને તેમની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વગર વિશ્વસ્તરીય તાલીમ મળશે અને તેઓ ઉચ્ચ શિક્ષણ તથા જાહેર સેવા ક્ષેત્રે પણ આગળ વધી શકશે.

16 FIDE રેટેડ ખેલાડીઓ તૈયાર થયા

આ પહેલ હેઠળ અત્યાર સુધીમાં 16 FIDE રેટેડ ખેલાડીઓ તૈયાર થયા છે. જ્યારે 21 વિદ્યાર્થીઓને રાજ્ય સરકારની જિલ્લા સ્તરીય રમતગમત શાળા (DLSS)માં પ્રવેશ મળ્યો છે. અહીં તેમને ચેસ તાલીમ, શિક્ષણ અને રહેણાંક સુવિધા મળે છે. TOIના સપ્ટેમ્બર 2025ના અહેવાલ બાદ વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સ્તરની ચેસ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે નાણાકીય સહાય, ચેસના સાધનો અને વિવિધ સંસ્થાઓનો સહયોગ મળ્યો હતો. આ શાળાની વધતી પ્રતિષ્ઠાએ ગુજરાતના માત્ર બે ગ્રાન્ડમાસ્ટરોમાંથી એક અંકિત રાજપરાનું પણ ધ્યાન ખેંચ્યું છે. તેઓ છેલ્લા સાત મહિનાથી દર મહિને વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ચેસ કોચિંગ આપી રહ્યા છે.

આ પણ વાંચો, ₹2,000થી વધુના UPI પેમેન્ટ પર ભવિષ્યમાં લાગી શકે છે ચાર્જ, સરકાર કરી રહી છે તૈયારી ?

Follow Us
g clip-path="url(#clip0_868_265)">