AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એક અઠવાડિયામાં 8% સસ્તુ થયું ક્રૂડ ઓઇલ, શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે ?

વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં એક અઠવાડિયામાં લગભગ 8 ટકા ઘટાડો નોંધાયો છે. આ સ્થિતિમાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત મળશે કે નહીં તે અંગે ચર્ચા તેજ બની છે.

એક અઠવાડિયામાં 8% સસ્તુ થયું ક્રૂડ ઓઇલ, શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે ?
Crude Oil Image Credit source: AI Generated
| Updated on: Jun 20, 2026 | 8:48 AM
Share

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ (ક્રૂડ ઓઇલ)ના ભાવમાં છેલ્લા એક અઠવાડિયામાં લગભગ 8 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડાને કારણે માત્ર ભારત જ નહીં, પરંતુ વિશ્વના ઘણા દેશોને રાહત મળવાની આશા છે. બજારના નિષ્ણાતોનું માનવું છે કે આગામી મહિનાઓમાં ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ 60થી 65 ડોલર સુધી પહોંચી શકે છે. આવી સ્થિતિમાં સૌથી મોટો સવાલ એ છે કે શું ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ સસ્તા થશે?

કેમ ઘટ્યા તેલના ભાવ?

અઠવાડિયાના અંતિમ ટ્રેડિંગ સેશનમાં કાચા તેલના ભાવમાં થોડો વધારો જોવા મળ્યો હતો, પરંતુ સમગ્ર સપ્તાહ દરમિયાન બજારમાં મોટો ઘટાડો નોંધાયો છે. હાલમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ 80 ડોલરની આસપાસ છે, જ્યારે અમેરિકન WTI ક્રૂડ 77 ડોલર પ્રતિ બેરલની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. Crude Oil Drops 8 Percent Will Petrol And Diesel Prices Come Down In India explained

તેલના ભાવમાં ઘટાડાનું મુખ્ય કારણ મધ્યપૂર્વમાં વધતી શાંતિ માનવામાં આવે છે. ઉપરાંત અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતીથી પણ તેલના પુરવઠામાં વધારો થવાની આશા ઉભી કરી રહી છે. જો ઈરાનનું વધુ તેલ વૈશ્વિક બજારમાં આવે તો ભાવમાં વધુ ઘટાડો થઈ શકે છે.

શું ભારતને મળશે સીધો ફાયદો?

ભારત પોતાની જરૂરિયાતનો મોટો ભાગ વિદેશમાંથી આયાત થતા કાચા તેલ દ્વારા પૂરો કરે છે. તેથી આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ ઘટે ત્યારે દેશને આયાત ખર્ચમાં રાહત મળે છે. જોકે, કાચા તેલના ભાવ ઘટે એટલે તરત જ પેટ્રોલ અને ડીઝલ સસ્તું થઈ જાય એવું જરૂરી નથી.

ઇંધણના ભાવ નક્કી કરતી વખતે કાચા તેલની કિંમત ઉપરાંત રિફાઇનિંગ ખર્ચ, પરિવહન ખર્ચ, સરકારના ટેક્સ અને અન્ય ખર્ચ પણ ધ્યાનમાં લેવામાં આવે છે. તેથી આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટાડાની અસર સ્થાનિક બજારમાં જોવા થોડો સમય લાગી શકે છે. Crude Oil Drops 8 Percent Will Petrol And Diesel Prices Come Down In India explained

પેટ્રોલિયમ કંપનીઓની સ્થિતિ શું છે?

તાજેતરના મહિનાઓમાં ઊંચા ક્રૂડ ઓઇલના ભાવને કારણે સરકારી તેલ કંપનીઓ પર નાણાકીય દબાણ વધ્યું હતું. અંદાજ મુજબ કંપનીઓને દરરોજ હજારો કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું હતું. નિષ્ણાતો માને છે કે જ્યારે કાચા તેલનો ભાવ 80 ડોલર પ્રતિ બેરલથી નીચે સ્થિર રહેશે ત્યારે કંપનીઓનું નુકસાન ઘટી શકે છે.

જો ભાવ 75 ડોલર પ્રતિ બેરલ અથવા તેનાથી નીચે આવે તો પેટ્રોલિયમ કંપનીઓને નફો થવાની સંભાવના વધી શકે છે. ત્યારબાદ ગ્રાહકોને પણ ઇંધણના ભાવમાં રાહત મળવાની શક્યતા વધશે.

હાલ મુખ્ય શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ

હાલ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર ₹102.12 અને ડીઝલનો ભાવ ₹95.20 છે. મુંબઈમાં પેટ્રોલ ₹111.21 અને ડીઝલ ₹97.83 પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. બીજી તરફ ગુજરાતના અમદાવાદમાં પેટ્રોલનો સરેરાશ ભાવ આશરે ₹95.50 અને ડીઝલનો ભાવ ₹91.20 પ્રતિ લિટર આસપાસ જોવા મળી રહ્યો છે, જોકે શહેર અને જિલ્લાઓ પ્રમાણે તેમાં થોડો ફેરફાર થઈ શકે છે. Crude Oil Drops 8 Percent Will Petrol And Diesel Prices Come Down In India explained

હવે શું અપેક્ષા રાખવી?

ક્રૂડ ઓઇલના ભાવમાં તાજેતરમાં થયેલો ઘટાડો ભારત માટે સકારાત્મક સંકેત છે. જો આ ઘટાડો લાંબા સમય સુધી યથાવત રહે અને વૈશ્વિક બજારમાં સ્થિરતા જળવાય, તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાની સંભાવના વધી શકે છે. જોકે હાલમાં તરત કોઈ રાહત મળશે તેવી ખાતરી આપી શકાય નહીં. આગામી થોડા અઠવાડિયામાં આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિ અને સરકારની નીતિઓ પર ઘણું નિર્ભર રહેશે.

આ પણ વાંચો: મંગળસૂત્રમાં કાળા મણકા કેમ હોય છે? જાણો તેનું ધાર્મિક, આધ્યાત્મિક અને વૈવાહિક મહત્વ 

Follow Us
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, તમે સહેલાઈથી બધાનું ધ્યાન ખેંચી શકશો
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, તમે સહેલાઈથી બધાનું ધ્યાન ખેંચી શકશો
અલ-નીનો સંકટ વચ્ચે ભૂપેન્દ્ર યાદવનું મોટું નિવેદન, જુઓ Video
અલ-નીનો સંકટ વચ્ચે ભૂપેન્દ્ર યાદવનું મોટું નિવેદન, જુઓ Video
મુખ્ય પ્રધાને યુવતીને કહ્યું, તારી જવાબદારી અમારી, જુઓ વીડિયો
મુખ્ય પ્રધાને યુવતીને કહ્યું, તારી જવાબદારી અમારી, જુઓ વીડિયો
ઓપરેશન ડેલ્ટા હન્ટમાં ઝડપાયેલી મહિલાને બચાવવા પતિએ PMને લખ્યો પત્ર
ઓપરેશન ડેલ્ટા હન્ટમાં ઝડપાયેલી મહિલાને બચાવવા પતિએ PMને લખ્યો પત્ર
અંબાલાલ પટેલ હવે નહીં કરે આગાહી?વિરોધ બાદ હવામાન વિભાગે કહી આ મોટી વાત
અંબાલાલ પટેલ હવે નહીં કરે આગાહી?વિરોધ બાદ હવામાન વિભાગે કહી આ મોટી વાત
મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, હોસ્પિટલમાં ડિજિટલ લોક હટાવવા આદેશ
મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, હોસ્પિટલમાં ડિજિટલ લોક હટાવવા આદેશ
રાજ્યમાં બ્રાન્ડેડ વોશિંગ પાઉડરનું પણ નકલી વેચાણ પકડાયું ! જુઓ Video
રાજ્યમાં બ્રાન્ડેડ વોશિંગ પાઉડરનું પણ નકલી વેચાણ પકડાયું ! જુઓ Video
ભરૂચમાં 25 દિવસના પાણીકાપ પછી 20 જૂનથી બે વાર પાણી મળશે
ભરૂચમાં 25 દિવસના પાણીકાપ પછી 20 જૂનથી બે વાર પાણી મળશે
આજનું રાશિફળ: ધનલાભના યોગ સાથે સાવચેતી અને સમજદારી જરૂરી
આજનું રાશિફળ: ધનલાભના યોગ સાથે સાવચેતી અને સમજદારી જરૂરી
ભાવનગર-સોનગઢમાં વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
ભાવનગર-સોનગઢમાં વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
g clip-path="url(#clip0_868_265)">