Operation Sindoor : પાકિસ્તાનનો પર્દાફાશ કરનાર કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ કોણ છે?
Operation Sindoor: સેના વતી બે મહિલા અધિકારીઓએ ઓપરેશન સિંદૂર વિશે જણાવ્યું. તેમાંથી એક વાયુસેનાના વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ અને બીજા ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી હતા.

પહેલગામ હુમલા બાદ પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓ પર હવાઈ હુમલા બાદ બુધવારે સવારે ભારતીય સેનાએ એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. આમાં સેનાની બે મહિલા અધિકારીઓએ ભાગ લીધો હતો. એક વાયુસેનાના વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ અને બીજા ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી છે. સોફિયા અને વ્યોમિકાએ પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર વિશે વિગતવાર માહિતી આપી.
થમ મહિલા અધિકારી તરીકે તેણે ઇતિહાસ રચ્યો
કર્નલ સોફિયા કુરેશી લાંબા સમયથી ધીરજ અને પ્રગતિનું પ્રતીક રહ્યા છે. પુણેમાં આયોજિત બહુરાષ્ટ્રીય લશ્કરી કવાયત – એક્સરસાઇઝ ફોર્સ 18- માં ભારતીય સેનાની ટુકડીનું નેતૃત્વ કરનારી પ્રથમ મહિલા અધિકારી તરીકે તેણે ઇતિહાસ રચ્યો. તેઓ હાલમાં ભારતીય સેનામાં લેફ્ટનન્ટ કર્નલ તરીકે પોસ્ટેડ છે.
વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે જણાવી આ વાત
તેમજ જો આપણે વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ વિશે વાત કરીએ, તો તે બાળપણથી જ ભારતીય વાયુસેનામાં જોડાવા માંગતી હતી. તે ભારતીય વાયુસેનામાં હેલિકોપ્ટર પાઇલટ છે. પત્રકાર પરિષદને સંબોધતા વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે જણાવ્યું હતું કે, “પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતો અને તેમના પરિવારોને ન્યાય અપાવવા માટે ભારતીય સશસ્ત્ર દળો દ્વારા ઓપરેશન સિંદૂર હાથ ધરવામાં આવ્યું હતું.
આતંકવાદી કેમ્પોને નિશાન બનાવ્યા
09 આતંકવાદી કેમ્પોને નિશાન બનાવવામાં આવ્યા હતા અને સફળતાપૂર્વક નાશ કરવામાં આવ્યો હતો. નાગરિકોને કોઈ નુકસાન ન થાય અને તેમના જીવનું જોખમ ટળે તે માટે આ સ્થાનો પસંદ કરવામાં આવ્યા હતા.“
7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક વિશે વધારે માહિતી માટે આ પેજને ફોલો કરતા રહો. અહીં ક્લિક કરો.