Bus Accident: બ્રાઝિલમાં ફૂટબોલ ક્લબના ફેનથી ભરેલી બસ પલટી, 7ના મોત, અનેક લોકો ઘાયલ

રિપોર્ટ અનુસાર, આ બસમાં કોરીન્થિયન્સ ફૂટબોલ ક્લબ ઓફ સાઓ પાઉલોના 40થી વધુ પ્રશંસકો હાજર હતા. આ લોકો બેલો હોરિઝોન્ટમાં એક મેચમાંથી પરત ફરી રહ્યા હતા.

Bus Accident: બ્રાઝિલમાં ફૂટબોલ ક્લબના ફેનથી ભરેલી બસ પલટી, 7ના મોત, અનેક લોકો ઘાયલ
Image Credit source: Google
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 21, 2023 | 6:59 AM

બ્રાઝિલ(Brazil)માં બસ અકસ્માત (Bus Accident)માં સાત લોકોના મોત થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ બસમાં ફૂટબોલ ચાહકો સવાર હતા. તે જ સમયે ડ્રાઇવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે આ ભયાનક માર્ગ અકસ્માત થયો. આ ઘટનામાં સાત લોકોના દુઃખદ મોત થયા છે, જ્યારે 27 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિએ કરી ઇમરાન ખાન જેવી ગુસ્તાખી, દેશને મળેલી કરોડોની સંપતિ વેચી મારી

અહેવાલ મુજબ, ફાયર બ્રિગેડના અધિકારીઓએ રવિવારે જણાવ્યું કે આ ભયાનક માર્ગ અકસ્માત બ્રાઝિલના મિનાસ ગેરાઈસ રાજ્યમાં બેલો હોરિઝોન્ટે નજીક હાઈવે પર થયો હતો.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

બસમાં 40થી વધુ ફૂટબોલ ચાહકો સવાર હતા

આ ઘટના અંગે મુસાફરોએ જણાવ્યું કે બસ પરનો કાબૂ ગુમાવતા પહેલા ડ્રાઈવરે બૂમો પાડી કે બ્રેક કામ કરતી નથી. રિપોર્ટ અનુસાર, આ બસમાં કોરીન્થિયન્સ ફૂટબોલ ક્લબ ઓફ સાઓ પાઉલોના 40થી વધુ પ્રશંસકો હાજર હતા. આ લોકો બેલો હોરિઝોન્ટમાં એક મેચમાંથી પરત ફરી રહ્યા હતા. ફાયર બ્રિગેડ ઓફિસર ફર્નાન્ડો ફ્રોઈસે મૃતકો વિશે માહિતી આપી હતી.

ANTTએ પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી

મીડિયા રિપોર્ટ્સથી પ્રાપ્ત માહિતી અનુસાર, દેશની નેશનલ લેન્ડ ટ્રાન્સપોર્ટ એજન્સી (ANTT) એ એક નિવેદનમાં કહ્યું કે બસનું રજીસ્ટ્રેશન નથી. તે જ સમયે, સમગ્ર બ્રાઝિલની ક્લબ્સ સિવાય, બ્રાઝિલિયન ફૂટબોલ કોન્ફેડરેશને પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

થોડા દિવસ પહેલા પાકિસ્તાનમાં પણ બસ અકસ્માત થયો હતો

પાકિસ્તાનમાં એક મોટો અકસ્માત થયો છે. કરાચીથી ઈસ્લામાબાદ જઈ રહેલી પેસેન્જર બસમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 35 લોકોના મોત થયા છે, જ્યારે સાત લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. આ અકસ્માત રવિવારે વહેલી સવારે પિંડી ભટ્ટિયા પાસે થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં 40થી વધુ મુસાફરો સવાર હતા. પોલીસે આ ઘટના અંગે માહિતી આપી છે. તમામ ઘાયલોને ત્યાંની નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતનું સાચું કારણ શું હતું તે અંગે હાલ માહિતી બહાર આવી નથી. હવે આ મામલે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">