ચીનમાં ગધેડાની વસ્તીમાં ઝડપથી ઘટાડો થયો છે. તેની પાછળનું સૌથી મોટું કારણ તેમને નિર્દયતાથી મારવા અને પછી તેમની સ્કીન વેચવાનું સામેલ છે. ચીનમાં ગધેડાની વસ્તીમાં જે ઝડપથી ઘટાડો થયો છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે છેલ્લા સાત વર્ષમાં તેમની સંખ્યા 8 લાખથી ઘટીને 4 લાખ થઈ ગઈ છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.
ચીનમાં મોટાભાગના ગધેડા તુર્કાના કાઉન્ટીમાં પાળવામાં આવે છે. મોટાભાગના માર્યા ગયેલા ગધેડા પણ અહીંના જ હોય છે. ગધેડા રાખનારાઓનું કહેવું છે કે, જાનવરની ચામડી વેચવા માટે પહેલા તેમની ચોરી કરાવવામાં આવે છે અને તેમને નિર્દયતાથી મારીને ચામડા ઉતારવામાં આવે છે. બાદમાં આ ત્વચા વેચવામાં આવે છે. ગધેડાની ચામડીની ચીનમાં ભારે માંગ રહે છે, કારણ કે તેનો ઉપયોગ પરંપરાગત દવાઓમાં થાય છે.
કાઉન્ટીના પ્રાણી વિભાગના સત્તાવાર આંકડા દર્શાવે છે કે તુર્કાના, દેશની 30 ટકા ગધેડાની વસ્તીનું ઘર છે, ત્યાં પ્રાણીઓની સંખ્યામાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. 2016માં જ્યાં તેમની સંખ્યા 8 લાખ હતી, હાલમાં તે ઘટીને 4 લાખ થઈ ગઈ છે.
કેન્યાના એસોસિએશન ઓફ કેનો ઓનર્સ તુર્કાના ચેપ્ટરના અધ્યક્ષ આલ્બર્ટ નાયડા કહે છે કે ગધેડાઓને ચોરી કરવા અને મારવા માટે ડાકુઓની એક જાતિ છે. જેઓ પહેલા તેમની ચોરી કરે છે અને તેમનું ગળું કાપી નાખે છે અને ગરદનની નીચેની ચામડી કાઢી લે છે અને બાકીનાને ગીધ અને હાયના ખાવા માટે છોડી દે છે. આલ્બર્ટના કહેવા પ્રમાણે, આની પાછળ એક આખું સિન્ડિકેટ કામ કરે છે, જે શહેરની બહાર આવેલા કતલખાનાઓને સ્કીન સપ્લાય કરે છે.
આ પણ વાચો: Pakistan: ઈમરાન ખાનને ફરી સતાવી રહ્યો છે ધરપકડનો ડર ? કહ્યું- કોર્ટમાં જતાં જ થશે તેની ધરપકડ
જો કે સરકાર દ્વારા અનેક કતલખાનાઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે અને તેને બંધ કરવાના આદેશો પણ આપવામાં આવ્યા છે. કતલખાનામાં બાંધવામાં આવેલા વેરહાઉસમાં ગધેડાની ચામડી એકત્ર કરવામાં આવે છે અને પછીથી કાઉન્ટીની બહાર લઈ જવામાં આવે છે. ગધેડા ચોરવાનું કામ રાત્રે જ્યારે બધા લોકો ઊંઘતા હોય ત્યારે કરવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો