AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: આરોગ્યવર્ધક છે કોળાના બીજ, જાણો તેના અજોડ ફાયદાઓ વિશે

કોળાનું શાક બનાવતી વખતે આપણે તેના બીજને ઘણીવાર ફેંકી દઈએ છીએ, પરંતુ આ બીજ સ્વાસ્થ્ય માટે વરદાન સાબિત થઈ શકે છે. કોળાના બીજ ગુણોથી ભરપૂર છે અને શરીરને તમામ સમસ્યાઓથી બચાવે છે.

Health: આરોગ્યવર્ધક છે કોળાના બીજ, જાણો તેના અજોડ ફાયદાઓ વિશે
Pumpkin seeds
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 29, 2021 | 4:17 PM
Share

કોળા (Pumpkins)નું શાક તો તમે ખાધુ જ હશે, પરંતુ શું તમે તેના બીજના ગુણો વિશે તમે જાણો છો? કોળાના બીજ (Pumpkin seeds)માં વિટામિન A, C, E, આયર્ન, ફાઇબર, કાર્બોહાઇડ્રેટ, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ઝિંક, ફોલેટ વગેરે જેવા ઘણા પોષક તત્વો (Nutrients)ભરપૂર માત્રામાં હોય છે. તેના નિયમિત સેવનથી તમારા શરીરમાં પોષક તત્વોની કમી નથી રહેતી, જેના કારણે તમે બધી બીમારીઓથી સુરક્ષિત રહેશો.

જો તમને કોળું ન ગમતું હોય, તો તેને ન ખાઓ, પરંતુ તેના બીજનું સેવન ચોક્કસ કરો. તમે કોળાના બીજને પાણીમાં પલાળીને, અંકુરિત કરીને, સલાડ, સૂપ, મીઠી વાનગીઓમાં ઉમેરીને ખાઈ શકો છો. જો તમે ઈચ્છો તો તેને સૂકવીને પાવડર બનાવીને તેનું સેવન કરી શકો છો. અહીં જાણો કોળાના બીજ ખાવાના ફાયદાઓ વિશે.

રોગપ્રતિકારક શક્તિ વધે છે

આ દિવસોમાં કોરોનાના કેસ ફરી ઝડપથી વધી રહ્યા છે. આવી સ્થિતિમાં, રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોળાના બીજ તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે અને તમને ઘણા પ્રકારના ચેપથી બચાવે છે. તેમાં હાજર વિટામિન E રક્તવાહિનીઓને મજબૂત કરે છે.

હાર્ટ ફ્રેન્ડલી

દરરોજ એક ચમચી કોળાના બીજનું સેવન કરવાથી તમારું ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે અને સારા કોલેસ્ટ્રોલ વધે છે. આ રીતે હૃદયની બધી સમસ્યાઓ નિયંત્રિત થાય છે. જે લોકો પહેલેથી જ હાર્ટ પેશન્ટ છે તેમણે કોળાના બીજનું સેવન અવશ્ય કરવું જોઈએ.

હાડકા માટે ફાયદાકારક

કોળાના બીજમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. શરીરમાં કેલ્શિયમની ઉણપ તેના સેવનથી પૂરી થાય છે. હાડકાં મજબૂત થાય છે અને ઓસ્ટીયોપોરોસીસનું જોખમ ઓછું થાય છે.

પાચનતંત્ર સુધારે છે

આયુર્વેદમાં તમામ રોગોનું મૂળ પેટને જણાવવામાં આવ્યું છે. કોળાના બીજને પણ પેટ માટે ખૂબ સારા માનવામાં આવે છે. તેઓ આપણા પાચનતંત્રને સુધારવાનું કામ કરે છે. તેના નિયમિત સેવનથી કબજિયાત, ગેસ, અપચો, એસિડિટી જેવી તમામ સમસ્યાઓ દૂર થાય છે.

આંખો માટે ફાયદાકારક

કોળાના બીજમાં વિટામિન A અને E જોવા મળે છે, જે આંખો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં રહેલું ઝિંક વિટામિન Aને લીવરમાંથી રેટિના સુધી પહોંચાડવાની પ્રક્રિયામાં મદદ કરે છે, જે ક્રમિક રીતે મેલાનિન ઉત્પન્ન કરે છે, જે આંખોનું રક્ષણ કરે છે અને આંખોને રંગ આપે છે. તેના ઉપયોગથી આંખોની રોશની સુધરે છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચોઃ કોરોનાનો કહેર યથાવત : NCP સાંસદ સુપ્રિયા સૂલે થયા કોરોના સંક્રમિત, સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા કરી અપીલ

Follow Us
અમરેલી: સિંહોના સંવર્ધન કેન્દ્રમાં માઈનિંગનો વિરોધ
અમરેલી: સિંહોના સંવર્ધન કેન્દ્રમાં માઈનિંગનો વિરોધ
રાજકોટમાં બુલડોઝર એક્શન: ભીમનગરમાં 33 ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત
રાજકોટમાં બુલડોઝર એક્શન: ભીમનગરમાં 33 ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત
ગુજરાતમાં ચોમાસુ 8 દિવસ મોડું, સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેશે
ગુજરાતમાં ચોમાસુ 8 દિવસ મોડું, સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેશે
ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફારના સંકેત: હાર બાદ પ્રદેશ નેતાઓ દિલ્હી...
ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફારના સંકેત: હાર બાદ પ્રદેશ નેતાઓ દિલ્હી...
હજુ ત્રણ દિવસ રહેશે તાપનુ ટોર્ચર, 41 થી 45 ડિગ્રી તાપમાન રહેવાની વકી
હજુ ત્રણ દિવસ રહેશે તાપનુ ટોર્ચર, 41 થી 45 ડિગ્રી તાપમાન રહેવાની વકી
વેરાવળ ડમ્પિંગ સાઈટ પર ત્રણ દિવસથી લાગેલી આગને કારણે ચારે તરફ ધુમાડો
વેરાવળ ડમ્પિંગ સાઈટ પર ત્રણ દિવસથી લાગેલી આગને કારણે ચારે તરફ ધુમાડો
PM મોદીની અપીલ બાદ મુંબઈના પરિવારે છોડી લક્ઝરી કાર! જુઓ Video
PM મોદીની અપીલ બાદ મુંબઈના પરિવારે છોડી લક્ઝરી કાર! જુઓ Video
Breaking News: કાકરાપાર ડેમમાં દુર્ઘટના, 4 યુવકો પાણીમાં ગરકાવ
Breaking News: કાકરાપાર ડેમમાં દુર્ઘટના, 4 યુવકો પાણીમાં ગરકાવ
NEET 2026 પરીક્ષા રદ 23 લાખ વિદ્યાર્થીઓને ફરી આપવી પડશે એક્ઝામ
NEET 2026 પરીક્ષા રદ 23 લાખ વિદ્યાર્થીઓને ફરી આપવી પડશે એક્ઝામ
બહેન દીકરીઓની સુરક્ષા માટે DJ બંધ કરવું ખૂબ જરૂરી છે
બહેન દીકરીઓની સુરક્ષા માટે DJ બંધ કરવું ખૂબ જરૂરી છે
g clip-path="url(#clip0_868_265)">