Health: આરોગ્યવર્ધક છે કોળાના બીજ, જાણો તેના અજોડ ફાયદાઓ વિશે

કોળાનું શાક બનાવતી વખતે આપણે તેના બીજને ઘણીવાર ફેંકી દઈએ છીએ, પરંતુ આ બીજ સ્વાસ્થ્ય માટે વરદાન સાબિત થઈ શકે છે. કોળાના બીજ ગુણોથી ભરપૂર છે અને શરીરને તમામ સમસ્યાઓથી બચાવે છે.

Health: આરોગ્યવર્ધક છે કોળાના બીજ, જાણો તેના અજોડ ફાયદાઓ વિશે
Pumpkin seeds
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 29, 2021 | 4:17 PM

કોળા (Pumpkins)નું શાક તો તમે ખાધુ જ હશે, પરંતુ શું તમે તેના બીજના ગુણો વિશે તમે જાણો છો? કોળાના બીજ (Pumpkin seeds)માં વિટામિન A, C, E, આયર્ન, ફાઇબર, કાર્બોહાઇડ્રેટ, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ઝિંક, ફોલેટ વગેરે જેવા ઘણા પોષક તત્વો (Nutrients)ભરપૂર માત્રામાં હોય છે. તેના નિયમિત સેવનથી તમારા શરીરમાં પોષક તત્વોની કમી નથી રહેતી, જેના કારણે તમે બધી બીમારીઓથી સુરક્ષિત રહેશો.

જો તમને કોળું ન ગમતું હોય, તો તેને ન ખાઓ, પરંતુ તેના બીજનું સેવન ચોક્કસ કરો. તમે કોળાના બીજને પાણીમાં પલાળીને, અંકુરિત કરીને, સલાડ, સૂપ, મીઠી વાનગીઓમાં ઉમેરીને ખાઈ શકો છો. જો તમે ઈચ્છો તો તેને સૂકવીને પાવડર બનાવીને તેનું સેવન કરી શકો છો. અહીં જાણો કોળાના બીજ ખાવાના ફાયદાઓ વિશે.

રોગપ્રતિકારક શક્તિ વધે છે

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આ દિવસોમાં કોરોનાના કેસ ફરી ઝડપથી વધી રહ્યા છે. આવી સ્થિતિમાં, રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોળાના બીજ તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે અને તમને ઘણા પ્રકારના ચેપથી બચાવે છે. તેમાં હાજર વિટામિન E રક્તવાહિનીઓને મજબૂત કરે છે.

હાર્ટ ફ્રેન્ડલી

દરરોજ એક ચમચી કોળાના બીજનું સેવન કરવાથી તમારું ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે અને સારા કોલેસ્ટ્રોલ વધે છે. આ રીતે હૃદયની બધી સમસ્યાઓ નિયંત્રિત થાય છે. જે લોકો પહેલેથી જ હાર્ટ પેશન્ટ છે તેમણે કોળાના બીજનું સેવન અવશ્ય કરવું જોઈએ.

હાડકા માટે ફાયદાકારક

કોળાના બીજમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. શરીરમાં કેલ્શિયમની ઉણપ તેના સેવનથી પૂરી થાય છે. હાડકાં મજબૂત થાય છે અને ઓસ્ટીયોપોરોસીસનું જોખમ ઓછું થાય છે.

પાચનતંત્ર સુધારે છે

આયુર્વેદમાં તમામ રોગોનું મૂળ પેટને જણાવવામાં આવ્યું છે. કોળાના બીજને પણ પેટ માટે ખૂબ સારા માનવામાં આવે છે. તેઓ આપણા પાચનતંત્રને સુધારવાનું કામ કરે છે. તેના નિયમિત સેવનથી કબજિયાત, ગેસ, અપચો, એસિડિટી જેવી તમામ સમસ્યાઓ દૂર થાય છે.

આંખો માટે ફાયદાકારક

કોળાના બીજમાં વિટામિન A અને E જોવા મળે છે, જે આંખો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં રહેલું ઝિંક વિટામિન Aને લીવરમાંથી રેટિના સુધી પહોંચાડવાની પ્રક્રિયામાં મદદ કરે છે, જે ક્રમિક રીતે મેલાનિન ઉત્પન્ન કરે છે, જે આંખોનું રક્ષણ કરે છે અને આંખોને રંગ આપે છે. તેના ઉપયોગથી આંખોની રોશની સુધરે છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચોઃ કોરોનાનો કહેર યથાવત : NCP સાંસદ સુપ્રિયા સૂલે થયા કોરોના સંક્રમિત, સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા કરી અપીલ

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">