સુરતમાં રેશમ ઉત્પાદકોમાં કેમ નારાજગી ? જાણો કાપડના વેપારીઓને શું છે મુંઝવણ ?
GST પહેલા માત્ર પોલિએસ્ટર યાર્ન જ વેટની પ્રક્રિયામાં સામેલ હતું. 2017 થી GST લાગુ થયા બાદ યાર્નથી માંડીને ગાર્મેન્ટ પર GST લાગવાની શરૂઆત થઈ ગઈ છે. યાર્ન પર 12 ટકા GST અને ગ્રે કાપડ પર 5 ટકા GSTના ડ્યુટી માળખાને કારણે, 650 કરોડ ઇનપુટ ટેક્સ ક્રેડિટ વીવર્સ ઉપલબ્ધ હતા. જોકે, GST લાગુ થયા બાદ સિલ્કના ઉત્પાદકોને ITC મળી શક્યું નથી.
GST કાઉન્સિલે 1 જાન્યુઆરી, 2021થી ટેક્સટાઇલ(Textile ) પરની ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર દૂર કરીને કાપડના વણાટથી લઈને વેચાણ સુધીની સમગ્ર શૃંખલા પર 12 ટકા GST લાગુ કર્યો છે. જેના કારણે ટેક્સટાઇલ ઉદ્યોગકારો ચિંતામાં મુકાયા છે. સૌથી વધુ અસર સિલ્ક કાપડનું(Silk Cloth ) ઉત્પાદન કરતા ઉત્પાદકોને થશે. GST લાગુ થયા બાદ સુરતના 700 રેશમ ઉત્પાદકો અને દેશભરના 3,000 રેશમ ઉત્પાદકો, જેમને ઝીરો ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળી છે, તેમના પર સીધો 12 ટકાનો બોજ પડશે.
GST પહેલા માત્ર પોલિએસ્ટર યાર્ન જ વેટની પ્રક્રિયામાં સામેલ હતું. 2017 થી GST લાગુ થયા બાદ યાર્નથી માંડીને ગાર્મેન્ટ પર GST લાગવાની શરૂઆત થઈ ગઈ છે. યાર્ન પર 12 ટકા GST અને ગ્રે કાપડ પર 5 ટકા GSTના ડ્યુટી માળખાને કારણે, 650 કરોડ ઇનપુટ ટેક્સ ક્રેડિટ વીવર્સ ઉપલબ્ધ હતા. જોકે, GST લાગુ થયા બાદ સિલ્કના ઉત્પાદકોને ITC મળી શક્યું નથી.
તેની પાછળનું કારણ ઉદ્યોગસાહસિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રેશમ કાપડ બનાવવા માટે યાર્ન એગ્રીકલ્ચર પ્રોડક્ટની સમજૂતીને કારણે તેના પર અત્યાર સુધી GST વસૂલવામાં આવ્યો ન હતો. જ્યારે ગ્રે કાપડ સીધું 5% GST પર વેચાય છે. હવે જ્યારે આ ઉદ્યોગને શૂન્ય ઇનપુટ ક્રેડિટ એટલે કે એક રૂપિયાનું પણ રિફંડ મળતું નથી. આવી સ્થિતિમાં જો 12 ટકા GSTનો દર 1 જાન્યુઆરીથી સીધો લાગુ કરવામાં આવશે તો સુરતના 700 યુનિટ અને દેશના 3000 રેશમ ઉત્પાદક એકમો પર બોજ પડી શકે છે.
ફિઆસવીના ચેરમેને જણાવ્યું હતું કે 12 ટકાનો સીધો બોજ આ એકમો પર પડશે, જેમને હજુ સુધી ઇનપુટ્સનો લાભ મળ્યો નથી. કપાસમાં યાર્ન પર 5 ટકા અને કાપડ પર 12 ટકાના દરની ઉત્પાદકો પર પણ મોટી અસર પડશે. ચેમ્બરે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને વિવિધ ટેક્સટાઈલ એસોસિએશનો સાથે મળીને ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને ગુજરાતના ચીફ ટેક્સ કમિશનર મિલિન્દ તોરવણેને ટેક્સટાઈલ અને ગાર્મેન્ટ્સ પરના વધેલા GST ટેક્સને પાછો ખેંચવા વિનંતી કરી હતી. ટેક્સટાઇલ અને ગાર્મેન્ટ્સ પર જીએસટી ટેક્સનો દર 5 ટકાથી વધારીને 12 ટકા કરવામાં આવ્યો છે, તેથી ન તો ભારત સરકાર અને ન તો ગુજરાત સરકાર આવક ઊભી કરી શકશે, તે સંદર્ભમાં માહિતી આપવામાં આવી હતી.
સરકારને આવક તો મળશે જ, પરંતુ ટેક્સટાઇલ ઉદ્યોગનો વિકાસ રૂંધાય તેવી શક્યતા છે અને વૈશ્વિક ટેક્સટાઇલ સેક્ટરમાં ભારતની સ્પર્ધાત્મકતામાં પણ ઘટાડો થશે. આનાથી સમગ્ર ભારતમાં લગભગ 23 થી 25 લાખ લોકોની રોજગારી અને લગભગ 4 કરોડ લોકોની આજીવિકાનું નુકસાન થઈ શકે છે. સાથે જ દેશના આર્થિક વિકાસમાં અડચણ પણ આવી શકે છે.
બેરોજગારીનો અર્થ છે કે લોકો રસ્તા પર ઉતરી શકે છે અને કાયદો પોતાના હાથમાં લઈ શકે છે. જેના કારણે દેશની શાંતિ પણ ડહોળી શકે છે. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને ગુજરાતના મુખ્ય રાજ્ય કર કમિશનર મિલિન્દ તોરવણેએ રજૂઆત સાંભળી હતી અને જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા આ અંગે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવશે. તેઓએ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ અને નવસારીના સાંસદ સી.આર. પાટીલ અને ટેક્સટાઈલ અને રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશ ને પણ રજુઆત કરવા માટે કહેવામાં આવ્યું છે. બંને સાંસદો આ મામલો GST કાઉન્સિલ સમક્ષ ઉઠાવશે. તેથી હવે ચેમ્બર ટેક્સટાઈલ એસોસિએશનના સહયોગથી સી.આર. પાટીલ અને દર્શન જરદોશને પ્રેઝન્ટેશન આપવામાં આવશે.