Surat : સુરતમાં 6 થી 12 વર્ષના બાળકોની યાદી બનાવવાનું શરૂ, અંદાજે 4.10 લાખ બાળકો વેકસિન માટે એલિજીબલ

સુરત (Surat) શહેરમાં એક આંકડા મુજબ દર વર્ષે 65 થી 70 હજાર બાળકોનો જન્મ થાય છે. આ મુજબ વર્ષ 2011 થી 2016 સુધીમાં જન્મેલા 4 લાખ 10 હજાર બાળકો રસીકરણ માટે લાયક છે.

Surat : સુરતમાં 6 થી 12 વર્ષના બાળકોની યાદી બનાવવાનું શરૂ, અંદાજે 4.10 લાખ બાળકો વેકસિન માટે એલિજીબલ
Surat: List of children aged 6 to 12 years started in Surat, approximately 4.10 lakh children eligible for vaccination
| Edited By: | Updated on: May 01, 2022 | 10:06 AM

દેશમાં કોરોનાની (Corona) ચોથી લહેરની આશંકાના પગલે 18 વર્ષથી નાની ઉંમરના બાળકોને બચાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. દેશમાં 12 વર્ષથી વધુ ઉંમરના કિશોરોએ મોટા ભાગે રસીના (vaccine) બંને ડોઝ મેળવી લીધા છે. સુરતની (Surat) વાત કરીએ તો 12 થી 15 વર્ષની વયના બાળકોએ 86 ટકા જેટલો પ્રથમ ડોઝ લઇ લીધો છે. જો શહેરમાં કોરોનાની ચોથી લહેર આવશે તો 12 વર્ષથી નીચેના બાળકોને સૌથી વધુ જોખમ છે. તેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે 6 થી 12 વર્ષના બાળકોને રસી આપવાની જાહેરાત કરી છે. મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગે 6 થી 12 વર્ષની વયના બાળકોને કઇ રસી આપવામાં આવશે તે નક્કી કર્યું નથી. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે આવા બાળકોની યાદી બનાવવાનું કામ શરૂ કર્યું છે.

હજી નક્કી નથી બાળકોને કઈ વેક્સીન આપવામાં આવશે

સુરત શહેરમાં એક આંકડા મુજબ દર વર્ષે 65 થી 70 હજાર બાળકોનો જન્મ થાય છે. આ મુજબ વર્ષ 2011 થી 2016 સુધીમાં જન્મેલા 4 લાખ 10 હજાર બાળકો રસીકરણ માટે લાયક છે. જો કે બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે, તેમ છતાં બાળકોની સુરક્ષાને પ્રાથમિકતા આપી રસીકરણની તૈયારીઓ કરવામાં આવી રહી છે. વૈજ્ઞાનિકોના મતે કોરોનાની ચોથી લહેર બાળકો માટે સૌથી ખતરનાક છે. તેથી બાળકોને અગાઉથી જ કોરોનાની રસી આપવી જરૂરી છે. માતા-પિતાએ પણ તેમના બાળકો પ્રત્યે ધ્યાન રાખવાની જરૂર છે. વાલીઓએ તેમના બાળકોને સમયસર રસીકરણ કરાવવું જોઈએ.

મ્યુનિસિપલ કોર્પોરેશનના રસીકરણ અધિકારી ડો. રિકિતા પટેલે જણાવ્યું હતું કે કોવાવેક્સ, કોવેનવેક્સ અને ઝાયકોડી રસી બાળકોને આપી શકાય છે. આ ત્રણ રસીઓ બાળકો માટે પસંદ કરવામાં આવી છે. જો કે, બાળકોને કઈ રસી આપવામાં આવશે, તે હજુ સુધી જાણી શકાયું નથી.

સરકારે હજી સુધી કોઈ ગાઇડલાઇન તૈયાર નથી કરી

સુરતમાં દર વર્ષે જન્મેલા બાળકોના આંકડાઓ પર નજર કરીએ તો 6 થી 12 વર્ષની વયજૂથના લગભગ 4 લાખ બાળકો એવા છે જેમને રસીકરણ કરાવવું પડે છે. સરકારે 6 થી 12 વર્ષના બાળકોને રસી આપવાની જાહેરાત કરી છે. પરંતુ હજુ સુધી કોઈ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી નથી. બાળકોને કઈ રસી આપવામાં આવશે તેની કોઈ માહિતી નથી. રસીનો સ્ટોક ક્યારે અને ક્યાં આવશે તે અંગે કંઈ કહેવામાં આવ્યું નથી. બાળકોને શાળામાં રસી અપાશે કે ઘરે ઘરે જઈને રસી અપાશે તે હજુ નક્કી નથી.

મહાનગરપાલિકાએ તેના સ્તરે તૈયારીઓ શરૂ કરી દીધી છે. મહાનગરપાલિકા દ્વારા શાળાઓમાં ઝુંબેશ ચલાવીને 12 થી 14 વર્ષના બાળકોને કાર્બવેક્સનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. હવે શાળામાં રજા છે. આવી સ્થિતિમાં મહાનગરપાલિકા દ્વારા તમામ ઝોનમાં એક-એક સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. શાળાઓ સોશિયલ મીડિયા દ્વારા વિદ્યાર્થીઓને બીજી રસી લેવા માટે રસી માટે સમય આપવા માટે બોલાવી રહી છે. અત્યાર સુધીમાં, 12 થી 15 વર્ષની વયના 45% બાળકોએ બીજો ડોઝ લીધો છે.

આ પણ વાંચો :  Ahmedabad : શહેરના પોશ વિસ્તારમાં યુવાનોને ડ્રગ્સમાં રવાડે ચઢાવવાના ષડયંત્રનો પર્દાફાશ, જાણો વિગતે

આ પણ વાંચો : Valsad : ઉમરગામ નજીક રેલવે ટ્રેકના પાટા પર પથ્થર મૂકી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ, મોટી દુર્ઘટના ટળી 

Published On - 10:01 am, Sun, 1 May 22