AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : બગડતી જીવનશૈલીના કારણે યુવાનોમાં વધી રહી છે ઘૂંટણની સમસ્યા, સિવિલમાં રોજના સરેરાશ 20 દર્દી

સિવિલ (Civil )હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના ડોકટરો જણાવે છે કે ઘૂંટણની ઇજા, ઘૂંટણ પર વધુ તાણ, લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસવું અથવા ઉભા રહેવું, સ્નાયુઓ નબળા પડવાથી થાય છે.

Surat : બગડતી જીવનશૈલીના કારણે યુવાનોમાં વધી રહી છે ઘૂંટણની સમસ્યા, સિવિલમાં રોજના સરેરાશ 20 દર્દી
New Civil Hospital (File Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 07, 2022 | 9:46 AM
Share

વૃદ્ધોની(Elder ) વાત તો દૂર, હવે તો 25થી 40 વર્ષના યુવાનો પણ ઘૂંટણના(Knees ) દુખાવાથી પરેશાન છે. દક્ષિણ ગુજરાતની સૌથી મોટી નવી સિવિલ(Civil ) હોસ્પિટલમાં  દરરોજ 15 થી 20 દર્દીઓ સારવાર માટે આવે છે. ડોક્ટર્સનું કહેવું છે કે 40 વર્ષથી ઓછી ઉંમરના લોકો પણ હવે તો ઘૂંટણની સમસ્યાથી પરેશાન છે. તેમના ઘૂંટણમાંદુખાવો ઇજાગ્રસ્ત દર્દીઓ કરતાં અલગ છે. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે લોકો ઘૂંટણના દુખાવાને આર્થરાઈટિસ તરીકે ઓળખે છે, જ્યારે ઘૂંટણના દુખાવાના ઘણા કારણો હોઈ શકે છે. તેની સારવાર પણ અલગ છે. ખાસ વાત એ છે કે ઘૂંટણના દર્દના દર્દીઓમાં સૌથી સામાન્ય બાબત એ છે કે તેમનો બોડી માસ ઈન્ડેક્સ ખરાબ થઈ રહ્યો છે. ડૉક્ટર્સ કહે છે કે બધું જીવનશૈલી પર નિર્ભર કરે છે. એટલે કે જીવનની ખોટી આદતોના કારણે આ બીમારી વધી રહી છે. બગડતા બોડી માસ ઇન્ડેક્સ સાંધાઓને અસર કરે છે.

40 વર્ષની ઉંમર પછી વધુ સમસ્યાઓ

સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના ડોકટરો જણાવે છે કે ઘૂંટણની ઇજા, ઘૂંટણ પર વધુ તાણ, લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસવું અથવા ઉભા રહેવું, સ્નાયુઓ નબળા પડવાથી થાય છે. 40 વર્ષથી વધુ ઉંમરના હોય ત્યારે હાડકાં ઘસાઈ જાય છે અથવા નબળા પડી જાય છે. આ દરમિયાન ધ્યાન આપવું જરૂરી છે. લોકોની જીવનશૈલી ખરાબ થઈ ગઈ છે. આ સમસ્યા શારીરિક પ્રવૃત્તિના અભાવને કારણે થાય છે.આ ઉંમરે  કેલરી બર્ન કરવી મહત્વપૂર્ણ છે. ઘણા કલાકો સુધી સતત એક જ સ્થિતિમાં બેસવું જોઈએ નહીં. આજે આ જ કારણથી યુવાનોમાં આવી સમસ્યા ઝડપથી વધી રહી છે.

સારવારથી રાહત મળશે

  1. તમારું વજન તમારી ઉંમર, ઊંચાઈ અને શારીરિક દેખાવને અનુરૂપ રાખવું.
  2. શરીર પર વધુ ચરબી જમા ન થવા દો.
  3. સરેરાશ દોઢ કલાક સુધી સતત ઊભા રહ્યા પછી, ઘૂંટણને 5-10 મિનિટ આરામ આપો.
  4. ઓર્થોપેડિક ડૉક્ટર અથવા ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા સૂચવવામાં આવેલી કસરતો કરવી ફાયદાકારક છે.
  5. આહારમાં કેલ્શિયમયુક્ત ખોરાક લેવો જોઈએ.

આ પણ વાંચો :

Surat : લાલચે લીધો જીવ : ગટરમાં સોનાનો પાઉડર અને ડાયમંડ શોધવા ગયેલા બે ના મોત

ગુજરાતમાં ત્રીજા દિવસે વધુ ઉગ્ર બની તબીબોની હડતાળ, દર્દીઓને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">