Amarnath Yatra : અમરનાથમાં ફસાયેલા ગુજરાતી યાત્રિકોને કરાયા રેસ્ક્યૂ સી આર પાટીલનો દાવો, શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કરી યાત્રાળુઓ માટે યોગ્ય વ્યવસ્થા કરવા કરી અપીલ

ખરાબ હવામાનના કારણે ગુજરાતના યાત્રિકો અમરનાથમાં ફસાયા છે. જેને લઈ સીઆર પાટીલે ટ્વિટ કરીને નિવેદન આપ્યુ છે. તો શક્તિસિંહ ગોહિલે મુખ્ય પ્રધાન અને પીએમને ટ્વિટમાં ટેગ કરીને ગુજરાતી યાત્રિકો માટે વ્યવસ્થા કરવા માટે અપીલ કરી છે.

Amarnath Yatra : અમરનાથમાં ફસાયેલા ગુજરાતી યાત્રિકોને કરાયા રેસ્ક્યૂ સી આર પાટીલનો દાવો, શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કરી યાત્રાળુઓ માટે યોગ્ય વ્યવસ્થા કરવા કરી અપીલ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2023 | 1:12 PM

ગુજરાતમાંથી અમરનાથ યાત્રાએ (Amarnath Yatra) ગયેલા ગુજરાતના યાત્રાળુઓ ફસાયા હોવાના સમાચાર સામે આવ્યા છે. અમરનાથમાં ખરાબ હવામાનના કારણે સુરતનાં 19 શ્રદ્ધાળુઓ પંચતરણીનાં કેમ્પમાં ફસાયા હતા. તેને લઈ સીઆર પાટીલ અને શક્તિસિંહએ ટ્વીટ કર્યુ છે.

આ પણ વાંચો : Amarnath Yatra 2023: અમરનાથ યાત્રામાં ભૂસ્ખલનથી માર્ગ બંધ થયો, હિમવર્ષાને કારણે તાપમાનમાં ઘટાડો, જુઓ Video

સીઆર પાટીલે ટ્વીટમાં જણાવ્યુ છે કે, યાત્રાળુઓનું રેસ્ક્યૂ કરવાનાં પ્રયાસો ચાલી રહ્યા હતા પણ ખરાબ હવામાનને કારણે કેમ્પ પર હેલિકોપ્ટર કે રેસ્ક્યૂ ટીમ પહોંચી શકે એમ નથી. એમને ઝડપથી રેસ્ક્યૂ કરવામાં આવે અને ત્યાં સુધી કેમ્પ પર એમને તમામ પ્રકારની સહાય મળી રહે એ માટે ત્યાંનાં પ્રશાસન સાથે સતત સંપર્કમાં હતો.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

આજે સવારે સુરતનાં આ 19થી વધુ શ્રદ્ધાળુઓ રિનાબેન અને હિતેશભાઇ ઘારિયા, ક્રિષ્ના અને તેજસ દોહીવાલા, અશ્મિ અને દિપેશ ચેવલી, પિનલ અને નિશાન કાચીવાલા, જ્યોતિ અને સમીપ કાપડિયા, મીતા અને જનક દોહીવાલા, ભૂમિકા અને લક્ષ્મીનારાયણ ચોક્સી, દિપ્તી કબૂતરવાલા, પાયલ અને વિશાલ કટારીવાલા, નિલેશ અને ખૂશ્બુ જરીવાલાને કેમ્પમાંથી રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યા છે, સૌ સલામત અને સ્વસ્થ છે, ખૂબ ઝડપથી સુરત પાછા ફરશે.

શક્તિસિંહ ગોહિલે કર્યુ ટ્વિટ 

તો આ તરફ ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કર્યુ છે. શક્તિસિંહ ગોહિલે ટ્વીટમાં, અમરનાથ યાત્રામાં ફસાયેલા ગુજરાતીઓ માટે યોગ્ય વ્યવસ્થા કરવાની માગ કરી છે. શક્તિસિંહે ટ્વીટમાં CMO અને PMOને ટેગ કરી મુખ્યમંત્રી અને વડાપ્રધાનને કરી અપીલ કરી છે.

અમરનાથ યાત્રા પંચતરણી બેઝ કેમ્પમાં 4 દિવસ કરતા પણ વધારે સમયથી ગુજરાતના અનેક યાત્રીઓ ફસાયા છે. નીચે જવા માટે કોઈ સુવિધા નથી અને ત્યાં બહુ અગવડ અને ખૂબ કપરી હાલતમાં યાત્રાળુઓ ફસાયા છે. કેટલાક યાત્રાળુ બીમાર છે. તો આ યાત્રીઓને નીચે લઈ જવા માટે તાત્કાલીક ધોરણે રેસ્કયું કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

( વીથ ઈનપુટ – કિંજલ મિશ્રા, નરેન્દ્ર રાઠોડ) 

રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
g clip-path="url(#clip0_868_265)">