AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : કાપડ માર્કેટના 60 હજાર વેપારીઓમાંથી 99 ટકા એ લઇ લીધી વેક્સિન

સુરતમાં જ્યાં કોરોનાના સંક્રમણનુ વધુ જોખમ રહેલુ ગણાય છે, તેવા કાપડ માર્કેટ વિસ્તારમાં 99 ટકા વેપારીઓએ કોરોનાની રસીનો પહેલો ડોઝ લઇ લીધો છે.

Surat : કાપડ માર્કેટના 60 હજાર વેપારીઓમાંથી 99 ટકા એ લઇ લીધી વેક્સિન
Surat: Out of 60 thousand traders in the textile market, 99 per cent took the vaccine
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2021 | 7:46 AM
Share

સુરતનું ટેક્સ્ટાઇલ માર્કેટ હવે લગભગ કોરોના મુક્ત થઇ ચૂક્યું છે. માર્કેટમાં કુલ 60 હજાર જેટલા વેપારીઓમાથી 99 ટકા વેપારીઓએ પહેલો ડોઝ લઇ લીધો છે. વેપારીઓ સહીત માર્કેટમાં કામ કરનારા લગભગ 2,44,000 લોકોમાંથી 90 ટકા લોકોએ વેક્સિનનો પહેલો ડોઝ લઇ લીધો છે. કાપડ માર્કેટમાં વેપારીઓ સિવાય એકાઉન્ટન્ટ, સેલ્સમેન, શોપ વર્કર, લેબર, પેકીંગ કરનારા, ગ્રે અને એમ્બ્રોઇડરી ની ડિલિવરી કરનારા લોકો પણ કામ કરે છે.

આ તમામથી મોટાભાગના લોકોએ વેક્સિનનો પહેલો ડોઝ લઇ લીધો છે. જોકે બીજા ડોઝ માટે વેપારીઓને મુશ્કેલી આવી રહી છે કારણ કે હાલમાં કાપડ માર્કેટમાં ફક્ત એક જ સેન્ટર પર વેક્સીન આપવામાં આવી રહી છે. ગુડલક માર્કેટ તરફથી જણાવવામાં આવ્યું છે કે મહાનગરપાલિકા દ્વારા વેક્સિનનો સ્ટોક યોગ્ય રીતે નહીં જાળવી રાખવામાં આવતા અહીં રસીકરણ કેન્દ્ર બંધ કરવામાં આવ્યું છે. વેક્સીન નહીં મળવાના કારણે મહાનગરપાલિકા દ્વારા અચાનક સ્ટાફને પરત બોલાવી લેવામાં આવે છે. જેના કારણે બીજો ડોઝ લેવામાં મુશ્કેલી પડી રહી છે.

અન્ય એક કાપડ વેપારીનું કહેવું છે કે ટેક્સ્ટાઇલ માર્કેટમાં મોટા ભાગના લોકોએ વેક્સિનનો પહેલો ડોઝ લઇ લીધો છે. ઘણા લેબર વર્કર વેક્સીન લેવાથી દૂર ભાગતા હતા. પરંતુ તેમનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. તેમને વેક્સીન લેવાના ફાયદા વિષે સમજણ આપવામાં આવી હતી. તે પછી તેઓ તેમના પરિવાર સાથે પણ આવ્યા અને વેક્સીન લેવા લાગ્યા છે. કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ પણ તેઓએ વેક્સીન લીધી છે. કારણ કે બધા માટે સુરક્ષિત રહેવું પહેલી જવબદારી છે. વેક્સિનના લીધે જ આપણે આગામી દિવસોમાં કોરોના સામે લડી શકીશું.

ફેડરેશન ઓફ સુરત ટેક્ષટાઇલ એસોસિયેશનના પ્રમુખનું જણાવવું છે કે કાપડ માર્કેટમાં સૌથી વધારે વેપારીઓએ વેક્સિનનો પહેલો ડોઝ લઇ લીધો છે. તેના પછી ઓફિસ સ્ટાફ દ્વારા વેક્સીન લેવામાં આવી છે. 80 ટકા ડિલિવરી અને પેકીંગ કરનારા લોકોએ પણ વેક્સીન લઇ લીધી છે. જોકે બીજા ડોઝ લેવામાં મુશ્કેલી આવી રહી છે. અત્યારસુધી બીજો ડોઝ ફક્ત 50 ટકા લોકો જ લઇ શક્ય છે.

આરોગ્ય અધિકારીનું કહેવું છે કે હાલમાં વેક્સિનના જેટલા ડોઝ રાજ્ય સરકાર મહાનગરપાલિકાને આપી રહી છે તેટલા ડોઝ રોજ લોકોને આપવામાં આવી રહ્યા છે. મહાનગરપાલિકા વેક્સિનના ડોઝના આધારે સેન્ટરો નક્કી કરવામાં આવે છે. ડોઝની જેટલી સંખ્યા આવે છે તેના હિસાબે સેન્ટર રાખવામાં આવે છે.

આ પણ વાંચો : Surat: કોરોના વેક્સિનના બીજા ડોઝ માટે 90 હજાર શહેરીજનો લાપરવાહ

આ પણ વાંચો : Surat Ganesh Utsav 2021: સુરતમાં ગણેશ ઉત્સવને લઈ તૈયારીઓ શરૂ, પ્રતિમાના વિસર્જન માટે વિવિધ ઝોનમાં 18 કૃત્રિમ તળાવ બનાવાશે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">