Surat Ganesh Utsav 2021: સુરતમાં ગણેશ ઉત્સવને લઈ તૈયારીઓ શરૂ, પ્રતિમાના વિસર્જન માટે વિવિધ ઝોનમાં 18 કૃત્રિમ તળાવ બનાવાશે

ગણેશ વિસર્જન માટે સુરત મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ સાત ઝોનમાં 18 કૃત્રિમ તળાવ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

Surat Ganesh Utsav 2021: સુરતમાં ગણેશ ઉત્સવને લઈ તૈયારીઓ શરૂ, પ્રતિમાના વિસર્જન માટે વિવિધ ઝોનમાં 18 કૃત્રિમ તળાવ બનાવાશે
Surat: 18 artificial lakes will be constructed in different zones for the dismantling of Ganesha statues
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 26, 2021 | 5:17 PM

Surat Ganesh Utsav 2021: રાજ્ય સરકાર દ્વારા ગણેશ ઉત્સવ દરમ્યાન રાત્રી કર્ફ્યુની મુદ્દતમાં છૂટછાટ સહીત ગણેશ ઉત્સવ(Ganesh Utsav ) માટેની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી. રાજ્ય સરકારના નિર્દેશ પ્રમાણે સુરત મહાનગરપાલિકા દ્વારા પણ ગણેશ પ્રતિમાઓના વિસર્જન માટે કોરોના ગાઇડલાઇન તથા પોલીસ કમિશનરના જાહેરનામાના અમલ સાથે વિસર્જન કાર્ય સરળ બને તે હેતુથી સાત ઝોનમાં કુલ અઢાર કૃત્રિમ તળાવ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

બે અઠવાડિયા પહેલા સુરત મહાનગપાલિકા દ્વારા એકપણ કૃત્રિમ તળાવ(Artificial Pond ) બનાવવામાં નહીં આવશે તેવા નિર્દેશો આપવામાં આવ્યા હતા. પરંતુ ગણેશ ઉત્સવ સાથે રાજ્યભરમાં લોકોની મોટી ધાર્મિક લાગણી સંકળાયેલી હોવાથી રાજ્ય સરકાર દ્વારા ગણેશ ઉત્સવ અને જન્માષ્ટમીને છૂટ આપવામાં આવી છે. જોકે તે માટે રાત્રી કર્ફ્યુ વધારવાથી લઈને બીજી ગાઇડલાઇન(Corona Guideline ) પણ બહાર પાડવામાં આવી છે.

આ જાહેરાત થયાના બીજા જ દિવસે મહાનગરપાલિકા દ્વારા પણ કોરોનાની ગાઈડલાઇનના અમલ સહીત વિસર્જન માટેની વ્યવસ્થાની જાહેરાત કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનીધી પાની એ વિવિધ ઝોન, અને વિભાગોને ગણેશ ઉત્સવ દરમ્યાન કોરોનાની ગાઈડલાઈનની જાળવણી તથા કૃત્રિમ તળાવ બનાવવા, વિસર્જન માટેની વ્યવસ્થા ગોઠવવાની વગેરે અંગેની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

અઠવા ઝોનમાં ડુમસના કાંદી ફળીયા, સરસાણા, સેન્ટ્રલ ઝોનમાં ડક્કાઓવારા વરાછા ઝોનમાં સીમાડા, સરથાણા, મોટાવરાછા રામચોક પાસે લીંબાયતમાં નવાગામ ડિંડોલી ઉધનામાં ભેસ્તાન ફાયરસ્ટેશન પાસે, જૂની સબજેલ રિંગરોડ પાસે, સચિન સુદ સેક્ટર-3માં રાંદેરમાં પાલ આરટીઓ પાસે, જહાંગીરપુરા, ઇસ્કોન મંદિર પાસે કતારગામમાં એચ-4 ઇડબ્લ્યુએસ આવાસ પાસે, સિંગણપોર કોઝવે, વણઝારાવાસ ઓવારા, ઉતરાણ મૌની સ્કૂલ પાસે અને લંકાવિજય ઓવારા પાસે કૃત્રિમ તળાવ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આમ દરેક ઝોન વાઈઝ લોકેશન તૈયાર કરવામાં આવ્યા છે. જો લોકેશનમાં ફેરફાર કરવાની જરૂરિયાત ઉભી થાય તો તાકીદે ઝોનલ ચીફ કક્ષાએ નિર્ણય કરીને વૈકલ્પિક લોકેશન નક્કી કરવાનું રહેશે.

આ પણ વાંચો :

Surat : સુરત સહીત રાજ્યના બે એરપોર્ટનું થશે ખાનગીકરણ, સુવિધામાં થશે વધારો

આ પણ વાંચો :

Surat : દહીં હાંડી મહોત્સવને પરવાનગી ન મળતા સુરતના ગોવિંદા મંડળો નિરાશ

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">