પ્રાંતિજ જૂથ અથડામણમાં હત્યાના મુખ્ય આરોપી સહિત વધુ ત્રણની ધરપકડ, અત્યાર સુધીમાં 15 ઝડપાયા

પ્રાંતિજમાં ગત બુધવારે રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ થવા દરમિયાન એક આધેડનું માથામાં પાઇપના ફટકા મારીને મોત નિપજાવવામાં આવ્યુ હતુ. ઘટનાને લઈ 17 આરોપીઓ અને 30 લોકોના ટોળા સામે ગુનો નોંધીને તપાસ શરુ કરવામાં આવી હતી.

પ્રાંતિજ જૂથ અથડામણમાં હત્યાના મુખ્ય આરોપી સહિત વધુ ત્રણની ધરપકડ, અત્યાર સુધીમાં 15 ઝડપાયા
વધુ ત્રણની ધરપકડ
Follow Us:
| Updated on: Feb 19, 2024 | 8:53 AM

પ્રાંતિજમાં સર્જાયેલી જૂથ અથડામણ અને હત્યાના મામલે પ્રાંતિજ પોલીસે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. હત્યાના મુખ્ય આરોપી મુનાફ સહિત ત્રણેયને ઝડપી લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. ઘટનામાં પોલીસે અત્યાર સુધીમાં 15 આરોપીઓને ઝડપી લીધા છે.

ગત બુધવારે રાત્રે એટલે કે 14 ફેબ્રુઆરીએ પ્રાંતિજ બારકોટ વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. જેમાં આધેડ રાજેશ રાઠોડનું મોત નિપજ્યુ હતુ. અથડામણ દરમિયાન રાજેશ રાઠોડના માથાના ભાગે પાઇપ ફટકારીને ઇજાઓ પહોંચાડવામાં આવી હતી.

વધુ ત્રણ આરોપી ઝડપાયા

હિંમતનગર DySP અતુલ પટેલ અને તેમની ટીમ દ્વારા આ મામલામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ માટે 17 આરોપીઓને ઝડપી લેવા માટે તજવીજ શરુ કરી હતી. જેમાં પ્રથમ 4 આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા. ત્યાર બાદ શનિવારે વધુ 9 આરોપીઓને પોલીસે ઝડપી લઈને જેલના હવાલે કર્યા હતા. ત્યાર બાદ હવે વધુ ત્રણ આરોપીઓને ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરી છે.

ભારતીય ક્રિકેટ ટીમનો T20 World Cup 2024નો કાર્યક્રમ
તમે ઉનાળામાં રાત્રે સૂતી વખતે વધુ પાણી પીવો છો? તો જાણી લો ગેરફાયદા
આજથી SBI થી ICICI બેંકોના આ નિયમો બદલાશે, જાણી લો કામની વિગત
કોણ છે આ શેખ જેના ફેન છે આપણા અંબાણી, સાઉદી શાહી પરિવારના ખાસ
સિગારેટ પીવાથી ફક્ત કેન્સર નહીં આ 5 રોગનું પણ વધે છે જોખમ
હજારો રુપિયે કિલોના ભાવે મળતી ઈલાયચી ઘરે જ ઉગાડો, અપનાવો આ ટીપ્સ

હત્યાના મુખ્ય આરોપી મુનાફ ભીખુમીયા કુરેશીની પણ પોલીસે ધરપકડ કરી છે. જેણે પાઈપ વડે રાજેશ રાઠોડ પર ફટકા માર્યા હતા. જ્યારે અન્ય આરોપીઓએ મૃતક રાજેશભાઈને પકડી રાખ્યા હતા. DySP અને તેમની ટીમે હત્યાના આરોપી મુનાફ કુરેશીને ઝડપી લેવા માટે પ્રયાસ શરુ કર્યા હતા. જેમાં તે ઝડપાઈ આવતા પોલીસને મોટી રાહત સર્જાઈ છે. મુનાફ ઉપરાંત મન્નાન ઘોરી અને નિસારમીયાં કુરેશીને પણ ઝડપી લઈને જેલના હવાલે કર્યા છે.

સોમવારે કોર્ટમાં રજૂ કરાશે

ઘટનાના એક બાદ એક 15 આરોપીઓને ઝડપી લીધા બાદ હવે સોમવારે પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. મુખ્ય આરોપીને કોર્ટમાં રિમાન્ડ માંગવાની તજવીજ હાથ ધરવામાં આવશે. અગાઉ ઝડપાયેલા 12 આરોપીઓના સોમવારે રિમાન્ડ પૂર્ણ થઈ રહ્યા છે. આ દરમિયાન હવે અન્ય ત્રણ આરોપીઓના પણ પોલીસ દ્વારા રિમાન્ડ માંગવામાં આવી શકે છે. રિમાન્ડ દરમિયાન હત્યા અને ઘટનાના પૂર્વ યોજીત કાવતરા સહિતની વિગતો અંગેના પૂરાવાઓ એકત્ર કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો: IND vs ENG: ટીમ ઈન્ડિયાએ રચ્યો છગ્ગાઓનો વિશ્વ વિક્રમ, રાજકોટમાં અંગ્રેજોની ધુલાઈ

અથડામણની ઘટના બાદ પોલીસનો મોટો કાફલો હાલમાં પ્રાંતિજના સંવેદનશીલ વિસ્તારોમાં ખડકાયેલો છે. વિસ્તારમાં અજંપા ભરી શાંતી હોવાને લઈ પોલીસ દ્વારા સ્થાનિક વિસ્તારોમાં ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. વિભાગીય પોલીસ વડા સહિતના અધિકારીઓનો કાફલો સતત પ્રાંતિજમાં ખડકાયેલો રહ્યો છે.

ઝડપાયેલ ત્રણ આરોપી

  1. મુનાફમીયા ભીખુમીયા કુરેશી
  2. મન્નાન હારુનરસીદ ઘોરી
  3. નિસારમીયા સીરાજમીયા કુરેશી, તમામ રહે પ્રાંતિજ, જિ. સાબરકાંઠા

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

રાજકોટ અગ્નિકાંડમાં 6 અધિકારીઓના SITએ લીધા નિવેદન
રાજકોટ અગ્નિકાંડમાં 6 અધિકારીઓના SITએ લીધા નિવેદન
ભાવનગરની આંગણવાડીના RO પ્લાન્ટ બંધ હાલતમાં, ભૂલકાઓ તરસ્યા રહેવા મજબુર
ભાવનગરની આંગણવાડીના RO પ્લાન્ટ બંધ હાલતમાં, ભૂલકાઓ તરસ્યા રહેવા મજબુર
કોર્ટે 4 સસ્પેન્ડેડ આરોપી અધિકારીઓના 12 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
કોર્ટે 4 સસ્પેન્ડેડ આરોપી અધિકારીઓના 12 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
કાળઝાળ ગરમી વચ્ચે ધોરાજીમાં 7 થી 8 દિવસે પાણી મળતા સ્થાનિકો ત્રાહિમામ
કાળઝાળ ગરમી વચ્ચે ધોરાજીમાં 7 થી 8 દિવસે પાણી મળતા સ્થાનિકો ત્રાહિમામ
રાજકોટમાં 50 ટકાથી વધુ એકમોમાં ફાયર સેફટીનો અભાવ
રાજકોટમાં 50 ટકાથી વધુ એકમોમાં ફાયર સેફટીનો અભાવ
SITના રિપોર્ટમાં મોટો ખુલાસો, RMC ધારોત આ દુર્ઘટના બની ન હોત
SITના રિપોર્ટમાં મોટો ખુલાસો, RMC ધારોત આ દુર્ઘટના બની ન હોત
રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદ મનપા એકશનમાં, અત્યાર સુધી 78 એકમ સીલ કરાય
રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદ મનપા એકશનમાં, અત્યાર સુધી 78 એકમ સીલ કરાય
જુનાગઢમાં સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીને માર્યો માર- જુઓ વીડિયો
જુનાગઢમાં સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીને માર્યો માર- જુઓ વીડિયો
જિલ્લા વહીવટી તંત્રેએ સુરક્ષા અને જાગૃતિ માટે લગાવ્યા બેનર
જિલ્લા વહીવટી તંત્રેએ સુરક્ષા અને જાગૃતિ માટે લગાવ્યા બેનર
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસાના આગમન પહેલા કરી આ મોટી આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસાના આગમન પહેલા કરી આ મોટી આગાહી
g clip-path="url(#clip0_868_265)">