Sabarkantha: ઇડર પાંજરા પોળમાં 116 ગાય અને વાછરડાંના મોત, ઘાસ ચારો આરોગ્યા બાદ 300 થી વધુ પશુની તબીયત લથડી

ફુડ પોઇઝનીંગની અસર લાગતા લઇને ગાય અને વાછરડાંઓની સ્થિતી મુશ્કેલ લાગવા લાગતા પશુપાલન વિભાગના તબિબોની મદદ લેવામાં આવી હતી. જેને પગલે તાબડતોબ પશુ તબીબોની ટીમો ખડકી દેવામાં આવી હતી

Sabarkantha: ઇડર પાંજરા પોળમાં 116 ગાય અને વાછરડાંના મોત, ઘાસ ચારો આરોગ્યા બાદ 300 થી વધુ પશુની તબીયત લથડી
ઇડર પાંજરા પોળમાં 300 થી વઘુ ગાયોને સ્થિતી ગંભીર બની હતી
Follow Us:
| Updated on: Mar 05, 2022 | 9:02 AM

સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના ઇડરમાં આવેલી પાંજરા પોળમાં ફુડ પોઇઝનીંગ (Food poisoning) ની અસરથી ગાય અને વાછરડાંના મોત નિપજ્યાના અહેવાલ સામે આવ્યા છે. ઇડર પાંજરા પોળ રહેલા પશુઓ પૈકી 116 ગાય અને વાછરડાંના મોત નિપજ્યા હોવાનો પશુપાલન વિભાગે (Department of Animal Husbandry) ખુલાસો કર્યો છે. ફુડ પોઇઝનીંગની અસર લાગતા લઇને ગાય અને વાછરડાંઓની સ્થિતી મુશ્કેલ લાગવા લાગતા પશુપાલન વિભાગના તબિબોની મદદ લેવામાં આવી હતી. જેને પગલે તાબડતોબ પશુ તબીબોની ટીમો ખડકી દેવામાં આવી હતી અને સારવાર હાથ ધરવામાં આવી હતી. આમ છતાં મૃત્યુનો આંકડો 100 ને પાર પહોંચી ગયો હતો.

શરુઆતમાં એક બાદ એક ગાય અને વાછરડા મોતને ભેટવા લાગતા સ્થાનિક પશુ ચિકિત્સકોની મદદ લેવામાં આવી હતી. પરંતુ આમ છતાં પણ પરિસ્થિતી કાબૂ બહાર જઇ રહી હોવાનુ સ્થાનિક પાંજરા પોળ સંચાલકોને લાગતા આખરે પશુ પાલન વિભાગને જાણ કરવામાં આવી હતી. જેને લઇને પશુ પાલન વિભાગની ટીમોનો ખડકલો કરી દેવામાં આવી હતી. જેમાં 300 થી વધુ ગાય અને વાછરડાંની હાલત ગંભીર જણાતા તેમને સારવાર શરુ કરવામાં આવી હતી. જોકે પશુપાલન અધિકારીએ જારી કરેલ માહિતીનુસાર મોતનો આંકડો 116 પર પહોંચ્યો હતો. હજુ પણ પશુપાલન વિભાગ ના તબીબો દ્વારા ગાય-વાછરડાંઓની સ્થિતી અંગે સતત નિરીક્ષણ કરવાની પ્રક્રિયા જારી છે.

પાંજરા પોળમાં 1975 થી વધુ પશુ

પાંજરા પોળ ખાતે ગાંધીનગર અને ખેડા જિલ્લાઓમાંથી મકાઇ સહિતનો ઘાસ ચારો લાવવામાં આવે છે અને જે અહીં પશુઓને નિરવામાં આવે છે. હાલમાં લગભગ 1975 થી વધુ પશુઓનો નિભાવ પાંજરાપોળ દ્વારા કરવામાં આવે છે.  આવી જ રીતે બોરસદ અને દહેગામ  વિસ્તારમાંથી ઘાસ ચારો લાવવામાં આવ્યો હતો અને જેને આપવા બાદ પશુઓની સ્થિતી મુશ્કેલ બની હતી. જેને પગલે હવે ઘાસ ચારાને લઇને પશુ પાલન વિબાગે તપાસ હાથ ધરી છે, સાથે જ મોતનુ ચોક્કસ કારણ જાણવા માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

900 એકરમાં પથરાયેલ છે પાંજરાપોળ

ઇડર ગઢની તળેટી વિસ્તારમાં લગભગ 900 એકર વિસ્તારમાં પથરાયેલ પાંજરા પોળમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા ઉપરાંત બહારના જિલ્લાઓમાથી ગાયો અને વાછરડાં સહિત અનેક અબોલ જીવ પશુઓને અહીં આશરો આપવામાં આવતો હોય છે. જેને લઇને ઇડર પાંજરા પોળ વિસ્તારમાં પશુઓની દેખરેખ અને સાચવણી માટે જાણીતી છે. પરંતુ સ્થાનિક સંચાલકો અનેક વાર પાંજરાપોળને લઇને વિવાદમાં રહ્યા છે.

આ પણ વાંચોઃ Shane Warne Death: પોર્ન સ્ટાર સાથે કરી હતી મારપીટ, બુકી સાથે ઝડપાયા, જાણો શેન વોર્નના 6 મોટા વિવાદ

આ પણ વાંચોઃ Shane Warne Death: ખૂબ રડ્યો અને આખી ટીમની માફી માંગી, તે શેન વોર્નના જીવનનો સૌથી ખરાબ દિવસ હતો!

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">