ક્યાં ગયા કોર્પોરેટર ? BJP પ્રદેશ મહામંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં રાજકોટના અડધોઅડધ કોર્પોરેટરો રહ્યા ગેરહાજર !

હાલમાં ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. ભાજપના નેતાઓ સદસ્યતા અભિયાનની કામગીરી ક્યાં પહોંચી છે તે અંગે સમિક્ષા કરી રહ્યા છે દરમિયાન આજે રાજકોટ શહેર ભાજપની કામગીરીની સમિક્ષા કરવા માટે પ્રદેશ ભાજપના સૌરાષ્ટ્ર ઝોનના મહામંત્રી અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા રાજકોટ આવ્યા હતા.

ક્યાં ગયા કોર્પોરેટર ? BJP પ્રદેશ મહામંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં રાજકોટના અડધોઅડધ કોર્પોરેટરો રહ્યા ગેરહાજર !
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Sep 19, 2024 | 10:13 PM

રાજકોટ શહેર ભાજપના હોદ્દેદારો, વિવિધ મોરચાના અગ્રણીઓ, પ્રભારીઓ અને કોર્પોરેટરોની ઉપસ્થિતિમાં કામગીરીની સમિક્ષા આજની ભાજપની બેઠકમાં કરી હતી. જો કે આ બેઠકમાં શહેરના કોર્પોરેટરોની પાંખી હાજરી જોવી મળી હતી.

શહેરના અડધોઅડધ કોર્પોરેટરો આ બેઠકમાં હાજર રહ્યા ન હતા જેના કારણે વિનોદ ચાવડાએ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ ગેરહાજર કોર્પોરેટરનો ખુલાસો પુછવા સૂચના આપી હતી. મેયર-સ્ટેન્ડિંગ ચેરમેન સહિત ચાર કોર્પોરેટર દિલ્લીના પ્રવાસે હોવાથી ગેરહાજર રાજકોટ મહાનગરપાલિકાના મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર સહિત ચાર કોર્પોરેટરો દિલ્લી પ્રવાસે છે. ક્લાઇમેન્ટ ચેન્જ અંગેની એક કોન્ફરન્સમાં ભાગ લેવા માટે પદાધિકારીઓ અને રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ દિલ્લી છે જેથી તેઓ ગેરહાજર રહ્યા હતા .

સભ્ય નોંધણીમાં ધારાસભ્યો એક્ટિવ-સંગઠનમાં ઢીલાશ

રાજકોટ મહાનગર સભ્ય નોંધણીમાં ગુજરાતમાં રાજકોટ ત્રીજા નંબરે છે. રાજકોટ શહેરમાં સૌથી વધારે સભ્ય કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાએ અને ત્યારબાદ બીજા નંબરે રાજકોટ પૂર્વના ધારાસભ્ય ઉદય કાનગડ છે. સભ્ય નોંધણીના જે ઇન્ચાર્જ મુકવામાં આવ્યા છે તેમાં કાર્યકર્તાઓમાં કચવાટ છે જેના કારણે કેટલાક વોર્ડ અને કેટલાક કોર્પોરેટરો ટાર્ગેટ પુરો કરી શક્યા નથી. જે નેતાઓને ત્રણ-ત્રણ વોર્ડની જવાબદારી સોંપવામાં આવી છે તેમાંથી કેટલાક નેતાઓએ પોતાના વિસ્તારમાં પુરતો પ્રવાસ પણ ન કર્યો હોવાની ફરિયાદો ઉઠી છે. આ ઉપરાંત પ્રભારીઓના નામને લઇને પણ ક્યાંક કચવાટ હોવાની ચર્ચાઓ ઉઠી છે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

જુના કાર્યકર્તાઓને જોડો, પ્રતિષ્ઠિત લોકો સાથે મળો- વિનોદ ચાવડા

સદસ્યતા અભિયાનની બેઠકમાં ઉપસ્થિત વિનોદ ચાવડાએ વધુમાં વધુ કાર્યકર્તાઓને જોડવા માટે માર્ગદર્શન આપ્યું હતું. વિનોદ ચાવડાએ કહ્યું હતું કે દરેક કાર્યકર્તાઓએ સદસ્યતા અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાવા અપીલ કરી હતી. દરેક વોર્ડના જુના કાર્યકર્તાઓની સાથે રાજકોટ શહેરના અગ્રગણ્ય લોકો જેવા કે ડોક્ટર,એન્જિનીયર,ચાર્ટડ એકાઉન્ટન્ટ,સામાજિક અગ્રણીઓ,વેપારીઓ,ઉધોગપતિઓને જોડવા માટે અપીલ કરી હતી. સદસ્યતા અભિયાનને એક જનસંપર્ક અભિયાન બનાવીને લોકો પાસે જવા માટે કાર્યકર્તાઓને સૂચના આપી હતી.

ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">