Rajkot : ધોરાજીમાં વરસાદ ન પડતાં ખેડૂતો ચિંતાતુર, ડુંગળીના પાકમાં રોગ લાગ્યો
તેમજ વરસાદ ન વરસતા ડૂંગળીના પાકને રોગ લાગું પડી ગયો છે. જેના કારણે ડૂંગળીના પાકનો વિકાસ નથી થઈ રહ્યો. તેમજ જંતુનાશક દવાઓ છાંટવાથી પણ આ રોગ જતો નથી
રાજકોટ(Rajkot)જિલ્લાના ધોરાજી પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતીત બન્યા છે. બીજી તરફ આ વિસ્તારમાં ડૂંગળીનું વાવેતર કરનારા ખેડૂતો પાયમાલ થવાની સ્થિતિએ પહોંચી ગયા છે . તેમજ વરસાદ ન વરસતા ડૂંગળીના પાકને રોગ લાગું પડી ગયો છે. જેના કારણે ડૂંગળીના પાકનો વિકાસ નથી થઈ રહ્યો. તેમજ જંતુનાશક દવાઓ છાંટવાથી પણ આ રોગ જતો નથી. છેલ્લા 25 દિવસથી વરસાદ ન વરસતા ખેડૂતો ચિંતામાં છે. ખેડૂતોને આશા છે કે સરકાર કેનાલમાં પાણી છોડશે. જ્યારે ખેડૂતો માટે પાકને બચાવવા માટે કેનાલના પાણી છેલ્લી આશા છે.
આ પણ વાંચો : Gandhinagar : સ્વીટી પટેલ હત્યા કેસમાં હાડકાંમાંથી ડીએનએ આઈસોલેટ કરવાની તજવીજ શરૂ
આ પણ વાંચો : આખરે વેચાઈ ગયું વિજય માલ્યાનું કિંગફિશર હાઉસ, આટલા કરોડમાં થયો સોદો, જાણો તમામ વિગતો
Latest Videos
Latest News