આખરે વેચાઈ ગયું વિજય માલ્યાનું કિંગફિશર હાઉસ, આટલા કરોડમાં થયો સોદો, જાણો તમામ વિગતો

ધિરાણકર્તાઓએ આખરે ભાગી ગયેલા વિજય માલ્યાની માલિકીનું કિંગફિશર હાઉસ જે અત્યારે બંધ કિંગફિશર એરલાઇન્સનું મુખ્ય મથક છે તે વેચી દીધું છે.

આખરે વેચાઈ ગયું વિજય માલ્યાનું કિંગફિશર હાઉસ, આટલા કરોડમાં થયો સોદો, જાણો તમામ વિગતો
Vijay Mallya (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2021 | 3:45 PM

ધિરાણકર્તાઓએ આખરે ભાગી ગયેલા દારૂના ઉદ્યોગપતિ વિજય માલ્યાની માલિકીનું (Vijay Mallya) કિંગફિશર હાઉસ (Kingfisher House) જે અત્યારે બંધ કિંગફિશર એરલાઇન્સનું (kingfisher Airlines) મુખ્ય મથક છે તે વેચી દીધું છે. લેન્ડર્સ દ્વારા કિંગફિશર હાઉસને હૈદરાબાદના એક પ્રાઈવેટ ડેવલપરને 52 કરોડમાં વેચવામાં આવ્યું હતું. અગાઉ કિંગફિશર હાઉસ વેચવાના અનેક પ્રયાસો બાદ પણ ધિરાણકર્તા ખરીદનાર શોધી શક્યા ન હતા.

રીઅલ એસ્ટેટ ઉદ્યોગના નિષ્ણાતોને ટાંકીને રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, શરૂઆતમાં બેંકોએ વાસ્તવિક અનામત કિંમત નક્કી કરી હતી કારણ કે મિલકતમાં ઘણી મર્યાદાઓ હતી. તે જણાવે છે કે, મિલકતના વિકાસ માટે બહુ અવકાશ નથી કારણ કે તે મુંબઈ એરપોર્ટની હદમાં આવેલું છે. આ મિલકત મુંબઈમાં એરપોર્ટ નજીક વૈભવી વિલે પાર્લે વિસ્તારમાં આવેલી છે.

હરાજીના અનેક પ્રયાસો નિષ્ફળ રહ્યા

ધિરાણકર્તાઓએ માર્ચ 2016માં પ્રથમ વખત 150 કરોડની રિઝર્વ પ્રાઇસ સાથે મિલકતની હરાજી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી મિલકતની હરાજી કરવાના ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ નિષ્ફળ રહ્યા. માલ્યાને વિલફુલ ડિફોલ્ટર જાહેર કરવામાં આવ્યો છે. કિંગફિશર એરલાઈન્સ 2012માં બંધ થઈ ગઈ હતી.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

કિંગફિશર એરલાઇન્સ (Kingfisher Airlines) પર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)ની આગેવાની હેઠળની ભારતની બેંકોના કન્સોર્ટિયમ માટે લગભગ 10,000 કરોડ રૂપિયા બાકી છે. માલ્યા યુકેમાં પ્રત્યાર્પણની કાર્યવાહીનો સામનો કરી રહ્યો છે અને તેને 2019માં ભારતમાં ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કરવામાં આવ્યો હતો.

કિંગફિશર હાઉસમાં બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર, અપર ગ્રાઉન્ડ ફ્લોર અને ઉપલા માળ છે. તેનો કુલ વિસ્તાર 1,586 ચોરસ મીટર છે. તે 2,402 ચોરસ મીટરના પ્લોટ પર બનાવવામાં આવ્યું છે.

યુકે હાઈકોર્ટે માલ્યાને નાદાર જાહેર કર્યા

તમને જણાવી દઈએ કે ગયા મહિને યુકે હાઈકોર્ટે વિજય માલ્યા વિરુદ્ધ ‘નાદારીનો આદેશ’ જારી કર્યો હતો. ત્યારબાદ ભારતીય બેંકોને વિશ્વભરમાં તેમની સંપત્તિ જપ્ત કરવાની મંજૂરી આપવામાં આવી હતી. ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાને લોન આપનાર સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)ની આગેવાની હેઠળની બેન્કોના ખાતાઓમાં વધુ 792 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: Indian Army: ભારતીય સેના બ્રહ્મપુત્ર નદીની નીચે બનાવશે ટનલ, જાણો ચીનને ઘેરવાના આ Deadly plan વિશે

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">