પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર, કહ્યુ ભાજપ અમસ્તુ વટાવી રહી છે સરદારનું નામ- Video

રાજા-મહારાજાઓ પર ટિપ્પણી વચ્ચે ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે ત્યારે હવે ચૂંટણીના રણમાં સરદાર પટેલને પણ લાવવામા આવ્યા છે. રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓ સરદારના નકલી વારસદાર ગણાવ્યા અને પોતાને સરદારના અસલ વારસદાર કહ્યા હતા

Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Apr 30, 2024 | 12:01 AM

એકતરફ રાહુલ ગાંધીનું રાજા મહારાજાઓ પરના નિવેદનનો વીડિયો વાયરલ થતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે તો બીજી તરફ હવે ધાનાણીએ ચૂંટણીના આ રણમાં સરદાર પટેલને લાવતા ભાજપના નેતાઓને સરદારના નક્લી વારસદાર ગણાવ્યા અને પોતાને અસલી વારસદાર કહ્યા. આ મામલે ભાજપ બરાબરનું અકળાયું છે. લાગી રહ્યુ છે કે ચૂંટણીમાં હવે માહોલ ગરમાયો છે.

લાગે છે કે રાજકોટ બેઠક રોજ કોઈને કોઈ બાબતને લઈને ચર્ચામાં રહેવાની છે. જ્યાં સુધી ચૂંટણી પૂરી નહી થાય ત્યાં સુધી રંગીલા રાજકોટમાં રાજકીય ઉહાપોહ મચેલો જ રહેશે તેવું કહીએ તો અતિશયોક્તિ નહી હોય. રાજપૂતોના બરાબર વિરોધની વચ્ચે હવે લડાઈ સરદાર વલ્લભભાઈ પટેલને લઈને થઈ રહી છે. કોંગ્રેસ અને ભાજપ સરદાર મુદ્દે આમને સામને આવી ગઈ છે.

હું સરદારનો અસલ વારસદાર : ધાનાણી

પરેશ ધાનાણી પ્રચાર અર્થે ફરી રહ્યા હતા અને ત્યાં મીડિયા સાથે વાતચીત દરમિયાન તેઓએ કહ્યુ કે ભાજપના નેતાઓ સરદારના નકલી વારસદાર છે જ્યારે કે હવે સરદારના અસલી વારસદાર આવ્યા છે અને ફરી ગુજરાતને ગાંધી અને સરદારનું ગુજરાત બનાવીને જ રહેશે.

આજનું રાશિફળ તારીખ : 16-05-2024
ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?

નિવેદન બાદ ભાજપ અકળાયું

ધાનાણીએ ફ્રંટ ફૂટ પર આવીને પ્રહાર કર્યા અને કહ્યુ કે સરદારનું નામ ભાજપ અમસ્તુ વટાવી રહી છે અને સાથે તેમને એટલે કે કોંગ્રેસને અસલી વારસદાર ગણાવ્યા. જોકે આ મામલો બહાર આવતાની સાથે ભાજપે ધાનાણી પર પ્રહાર કર્યા હતા અને કહ્યુ હતુ કે સરદારના નામે કોંગ્રેસ માત્ર રાજકારણ કરી રહ્યું છે.

હવે સવાલ એ છે કે આખરે ચૂંટણીની લડાઈ સરદાર પર કેમ આવી

હવે ચૂંટણી માથે છે એટલે સ્વભાવિક રીતે આપ ગણિત સમજી પણ શકો છો. ધાનાણીની ગણતરી સ્પષ્ટ છે કે જો જીતવું હશે તો ક્ષત્રિયો + પાટીદારનો કોમ્બો જોઈશે. સવાલ એ છે કે આખરે આ બેઠક પર પાટીદારો કેટલા છે ? જોકે તેનું ગણિત આગળ અમે આપને આપીશું પરંતુ હાલની સ્થિતિને જોતા એવું ચોક્કસ કહી શકાય કે રાજકોટના મેદાનમાં રોજ નવા મુદ્દાઓ સામે આવી રહ્યા છે અને આગામી સમયમાં પણ આ બેઠક વાત વિવાદોથી ઘેરાયેલી રહે તો નવાઈ નહી.

આ પણ વાંચો: રાજા મહારાજાઓ પરના રાહુલ ગાંધીના નિવેદનને રાજ્યસભાના સાંસદ અને વાંકાનેરને રાજવી કેસરીદેવસિંહે વખોડ્યુ- Video

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગની ચિંતાજનક આગાહી
વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગની ચિંતાજનક આગાહી
આ ચાર રાશિના જાતકોને વાહન ચલાવતા ખાસ ધ્યાન રાખવુ
આ ચાર રાશિના જાતકોને વાહન ચલાવતા ખાસ ધ્યાન રાખવુ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
g clip-path="url(#clip0_868_265)">