Rajkot gaming zone fire incident LIVE : રાજકોટની દુર્ઘટનાને લઈ પોલીસ બેડામાં ફફડાટ, CP રાજુ ભાર્ગવ અને કમિશનર આનંદ પટેલની બદલી
રાજકોટમાં TRP મોલના ગેમ ઝોનમાં આગ લાગવાની એક ખૌફનાક ઘટના ઘટી છે. આ ઘટનામાં હાલના આંકડા પ્રમાણે અનેક બાળકો સહિત કુલ 28 લોકોના મૃત્યુ થયા છે અને બીજા અનેક લોકો ઘાયલ થયા છે. હજુ આ આંકડો પણ વધી શકે તેમ છે. આ દુઃખદ અને ગંભીર ઘટના પર અનેક લોકોની પ્રતિક્રિયા સામે આવી છે.

રાજકોટમાં વેકેશનની મજા માણતા 12 બાળકો સહિત 28 લોકોની જિંદગી આગમાં ભૂંજાઈ ગઈ. હજી પણ આંકડો ઝડપાઇ શકે છે. પરિવારજનોને તો એ પણ નથી ખબર કે પોતાના બાળકોના મૃતદેહ ક્યાં છે. પરંતુ આ ઘટનામાં રાજકોટ કોર્પોરેશનની પણ એટલી જ બેદરકારી સામે આવી છે. કેમકે TRP ગેમઝોનમાં ફાયર NOC જ ન હોવાનો મોટો ખુલાસો થયો છે. એટલું જ નહીં. કેટલાય સમયથી ચાલતા આ ગેમઝોનનું આજદિન સુધી ફાયર સેફ્ટીની અરજી જ નહોતી કરાઈ. TV9ના કેમેરામાં ફાયર સેફ્ટીના સાધનો શોભાના ગાંઠિયા સમાન હોવાનું સામે આવ્યું. જેમાં નવા નકોર પેક કરેલા સાધનો છે. પરંતુ NOCની હજુ સુધી કોર્પોરેશનમાં અરજી જ નહોતી કરાય. ત્યારે ચોક્કસ RMC તંત્ર પર પણ સવાલ ઉઠે છે કે, મોટી મોટી વાતો કરતું RMCની મંજૂરી વગર આટલુ મોટું ગેમઝોન કેવી રીતે શરૂ થઈ ગયું ? આ સેફ્ટી સાથેની રમત.., નિર્દોષોની જિંદગી સાથેની રમત છે.
LIVE NEWS & UPDATES
-
Rajkot gaming zone fire: 28 જિંદગીના ગુનેગાર જનતાની સામે
રાજકોટ TRP ગેમઝોનમાં આગ દુર્ઘટનામાં 28 જિંદગીઓ હોમાઈ છે ત્યારે રાજકોટ બાર એસોસિયેશને મોટા નિર્ણય લીધો છે. આરોપી તરફથી કેસ ન લડવા રાજકોટ બાર એસોસિયેશનને ઠરાવ પસાર કર્યો છે. એકપણ વકીલ આગ ધુર્ઘટનાના આરોપીઓ તરફથી કેસ નહીં લડે. આ આરોપીઓ હવે આખા દેશ સામે ખુલા પડ્યા છે. 3 આરોપી છે જે હવે પોલીસના સકંજામમાં છે જેંઆ વિરુદ્ધ કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે.
-
રાજકોટ ગેમ ઝોન ઘટના બાદ પોલીસ અને ફાયર વિભાગ ની કાર્યવાહી
- પોલો મેદાન પરના IPL ફેન પાર્ક ને બંધ કરાવાયું
- પોલીસ અને ફાયર ની ટીમ પહોંચી હતી આયોજન સ્થળે
- NOC ના અભાવે IPL ફેન પાર્ક ને બંધ કરાવવામાં આવ્યું
- IPL મેચ લાઇવ નિહાળવાનું કર્યું હતું આયોજન
- 10 હજાર લોકો એક સાથે બેસી IPL મેચ લાઇવ નિહાળી શકે તેવું કરવાંમાં આવ્યું હતું આયોજન
- આજે ફાઇનલ મેચ ના લાઇવ સ્ક્રિકિંગ નું હતું આયોજન
-
-
Rajkot gaming zone fire: રાજકોટ અગ્નિકાંડમાં તપાસ તેજ
- રાજકોટ TRP ગેમ ઝોનની ઘટનાના પ્રથવ વખત સીસીટીવી આવ્યા સામે.. વેલ્ડિંગના તણખા ઝરતાં લાગી આગ.. બુઝાવવાના પ્રયાસ નિષ્ફળ જતાં મોટી દુર્ઘટના સર્જાઈ..
- રાજકોટના TRP ગેમઝોન દુર્ઘટના મામલે આવતીકાલે હાઇકોર્ટમાં સુનાવણી.. હાઇકોર્ટે રાજ્ય સરકાર અને વિવિધ કોર્પોરેશન પાસે માગ્યો છે જવાબ..
- તો અગ્નિકાંડમાં અંગે હવે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ કરશે તપાસ.. ઝડપથી ગુનાની તપાસ પૂર્ણ કરીને આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવા ક્રાઇમ બ્રાન્ચની ટીમો બનાવાઈ..
- TRP ગેમઝોનના સંચાલકોએ ફાયર NOC ન લીધી હોવાનો ખુલાસો.. તો બાંધકામ અને મંજૂરી મુદ્દે મનપાની ટીપી શાખાએ ખંખેર્યા હાથ..
-
રાજકોટ બાદ વડોદરા કારેલીબાગનાં આમ્રપાલી કોમ્પલેક્ષમાં આગ
- કારેલીબાગનાં આમ્રપાલી કોમ્પલેક્ષમાં આગ
- વીજ મીટરમાં ધડાકા સાથે આગ લાગતાં નાસભાગ
- પબ્લિકથી ધમધમતાં કોમ્પ.માં આગથી અફરાતફરી
- કોમ્પલેક્ષમાં રેસ્ટોરન્ટ અને ખાણી પીણીની દુકાનો
- રવિવારનાં દિવસે કોમ્પલેક્ષમાં જામે છે ભારે ભીડ
- ફાયર બ્રિગેડે પહોંચી આગ પર કાબુ મેળવ્યો
- કોમ્પલેક્ષમાં દુકાનો,ઓફિસો અને ફ્લેટ્સ આવેલાં છે
-
રાજકોટના TRP ગેમ ઝોનમાંથી બિયરના ટીન મળી આવ્યા
રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં હજુ તપાસના ધમધમાટ ચાલુ છે. તપાસ દરમિયાન ગેમઝનોમાંથી બિયરની ટીન મળી આવ્યા છે. ગેમઝોનમાથી બિયરની ટીન મળતા અનેક સવાલ ઉઠી રહ્યા છે. દારૂબંધી ધરવતા રાજ્યમાં આવી રીતે બિયરની ટીન ક્યાંથી આવ્યા. શું ગેમઝોનના કોઈ ખૂણે પાર્ટી થતી હતી.
-
-
રાજકોટ TRP ગેમ ઝોન આગકાંડનો આરોપી રાહુલ લલિતભાઈ રાઠોડના ઘરે તાળા
- રાજકોટ TRP ગેમઝોનમાં આગની ઘટના
- ગેમઝોન આગકાંડનો આરોપી રાહુલ લલિતભાઈ રાઠોડના ઘરે તાળા
- ગોંડલ મહાદેવ વાડી શેરી નં – 6 માં રહેતા રાહુલના ઘરે લાગ્યા તાળા
- સ્થાનિક પોલીસ દ્વારા ગત રાત્રી ના રાહુલના ઘરે આવી હતી
- પરંતુ રાહુલ રાઠોડ ઘરે મળી આવ્યો ના હતો
- હાલ રાહુલના ઘરે લાગ્યા છે તાળા
- રાહુલના ઘર ના ફળિયામાં કાર પણ પડી છે.
-
રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ ઘટનાના CCTV આવ્યા સામે
- વેલ્ડિંગ વખતે તણખો ઝરતા આગ લાગી હોવાનુ અનુમાન
- અગ્નિકાંડના સીસીટીવી આવ્યા સામે
- કઈ રીતે વેલ્ડિંગ કરતા સમયે લાગી હતી આગ
- તણખા નીચે ઝરતા ધીરે ધીરે આગે ધારણ કર્યું હતું વિકરાળ સ્વરૂપ
- અગ્નિ શામક સાધનોથી આગ બુઝાવવાનો પ્રયત્ન કરવા છતાં પણ નહોતી બુઝાઈ રહી આગ
- કઈ રીતે તણખા સ્વરૂપે શરૂ થયેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું તેના સીસીટીવી આવ્યા સામે
-
Rajkot gaming zone fire: રાજકોટ TRP ગેમઝોનમાં આગની ઘટના
- ગેમઝોન આગકાંડનો આરોપી રાહુલ લલિતભાઈ રાઠોડના ઘરે તાળા
- ગોંડલ મહાદેવ વાડી શેરી નં – 6 માં રહેતા રાહુલના ઘરે લાગ્યા તાળા
- સ્થાનિક પોલીસ દ્વારા ગત રાત્રી ના રાહુલના ઘરે આવી હતી
- પરંતુ રાહુલ રાઠોડ ઘરે મળી આવ્યો ના હતો
- હાલ રાહુલના ઘરે લાગ્યા છે તાળા
- રાહુલના ઘર ના ફળિયામાં કાર પણ પડી છે.
-
Rajkot gaming zone fire: રાજકોટમાં TRP ગેમ ઝોનની આગની ઘટના બાદ ગાંધીનગર મનપાની એક્શન
- રાજકોટમાં TRP ગેમ ઝોનની આગની ઘટના બાદ ગાંધીનગર મનપાની ફાયર ટીમ એક્શન મોડમાં
- આજ સવારથી ચાલુ કરેલી ફાયર સેફટી ડ્રાઈવમાં 19 પેકી 15 ગેમ ઝોન ને બન્ધ કરવામાં આવ્યા..
- 4 ગેમ ઝોન અગાઉ થી જ બન્ધ હતા..
- બન્ધ કરવામાં આવેલ તમામ ગેમ ઝોન આગામી સમય માં સરકાર ના પરિપત્ર બાદ જ ચાલુ થશે…
-
Rajkot gaming zone fire: દુર્ઘટના અંગે રાજકોટ તાલુકા પોલીસ મથકે નોંધાઇ FIR
6 આરોપીઓ ના નામ જોગ ફરિયાદ
આરોપીઓ ના નામ
- ધવલભાઈ ભરતભાઇ ઠકકર
- અશોકસિંહ જગદીશસિંહ જાડેજા
- કીરીટસિંહ જગદીશસિંહ જાડેજા
- પ્રકાશચંદ કનૈયાલાલ હીરન
- યુવરાજસિંહ હરીસિંહ સોલંકી
- રાહુલ લલીતભાઇ રાઠોડ
આઇ.પી.સી કલમ- 304,308,337,338,114 મુજબ નોંધાયો ગુનો
ધવલ કોર્પોરેશન અને રેસવે એન્ટરપ્રાઇઝ નામની કંપની ઉભી કરી ટી આર પી ગેમ ઝોન ઉભું કરાયું
- રેસ વે એન્ટરપ્રાઇઝના ભાગીદારો
(૨) અશોકસિંહ જગદીશસિંહ જાડેજા (૩) કીરીટસિંહ જગદીશસિંહ જાડેજા (૪) પ્રકાશચંદ કનૈયાલાલ હીરન ( ૫) યુવરાજસિંહ હરીસિંહ સોલંકી (૬) રાહુલ લલીતભાઇ રાઠોડ
આશરે 50 મીટ ૨ પહોળુ તથા આશરે 60 મીટર લાંબુ અને બે થી ત્રણ માળ જેટલુ ઉંચુ લોખંડ તથા પતરાનુ ફેબ્રીકેશનથી માળખુ ઉભુ કરી ગેમ ઝોન બનાવ્યું
અગ્નિ દુર્ઘટના સર્જાય ત્યારે તેને તત્કાળ કાબુ કરી શકાય તેવા અસરકારક ફાયર ફાયટીંગના સાધનો રાખ્યા વગર અને અગ્નિશમન વિભાગની એન.ઓ.સી. કે પ્ર માણપત્ર મેળવ્યા વગર જોખમી જગ્યામાં ગેમ ઝોન ઉભું કર્યું
સાંજે 5 વાગ્યા ના અરસામાં આગ લાગી
5.45 વાગ્યે રાજકોટ તાલુકા પો.સ્ટે.ની પી.સી.આર. નમ્બર 22 ના ઇન્ચાર્જ પો.કોન્સ.મહાવીરસિંહ જામભાએ psi જીગ્નેશ ત્રાજીયાને જાણ કરતા તેઓ પહોંચ્યા
પોલીસે FIR માં પ્રારંભિક ત્રણ સાક્ષીઓ દર્શાવ્યા
- ધુમીલભાઇ કેતનભાઇ કુજડીયા
- મનીષભાઇ રમેશભાઈ ખીમસુરીયા
- જીજ્ઞાબા વિરેન્દ્રસિંહ જાડેજા
ગીરીરાજ હોસ્પીટલના તબીબ દ્વારા પોલીસ મથકે સત્તાવાર એમેલસી નોંધ કરાવી
બચાવ કામગીરી માટે પહોંચેલી ફાયરબ્રિગેડ ની ટીમના અધિકારી ભીખાભાઇ થેબા એ પોલીસ ને શુ કહ્યું?
ગેમ ઝોન સંપુર્ણ ફેબ્રીકેશનના સ્ટ્રક્ચર પર બનેલ જણાયુ છે જેમાં બેઝ તરીકે લોખંડની એન્ગલો તથા ગેલ્વેનાઇઝના પતરાનો ઉપયોગ કરી બનાવેલ ,અંદર અલગ અલગ વિભાગોમાં ગેમ ઝોન બનાવેલી હતી જેમાં ખુબજ મોટા પ્રમાણમાં ઇલકેટ્રીક વાયરીંગ તેમજ એ.સી.ના વેન્ટ લાગેલ હતા જો આ ગેમ ઝોન માં આગ લાગવાની ધટના બને તો તેને પહોચી વળી રોકી શકાય તેમજ મનુષ્યજીવનને બચાવી શકાય તેવા કોઇ ખાસ અસરકારક ફાયર સાધનો જણાઇ આવેલ ન હતા.
-
Rajkot gaming zone fire: અગ્નિકાંડની કહાણી પ્રત્યક્ષદર્શીઓની જુબાની
- રાજકોટ TRP ગેમ ઝોનમાં નિયમોના નામે લોલમલોલ
- પ્રત્યક્ષદર્શીઓએ ખોલી TRP ગેમ ઝોનની પોલ
- આગ પહેલા બ્લાસ્ટથી ધણધણયો ગેમ ઝોન
- અતિશય મોટા અવાજે વાગતા મ્યુઝિકના કારણે ઘણા અજાણ રહ્યા
- ફાયર એલાર્મ જેવી કોઈ સિસ્ટમ જ ના હોવાનો દાવો
- મિનિટોમાં આગ પ્રસરી અને પતરાનો ઢાંચો ધરાશાયી થયો
- લોકોની ચિચિયારીઓથી ગાજ્યું વાતાવરણ
- ફાયર એસ્ટીન્ગ્યુશરનો અભાવ
- ફાયર એક્ઝિટની પણ વ્યવસ્થા નબળી
- પતરાના ઢાંચા નીચે ફસાયેલા લાતો મારી બહાર નીકળી શક્યા
- સ્વજનોને પાછા લાવોની માંગ કરતા અસરગ્રસ્તો
- 4 લાખની સહાય નહીં, નિર્દોશોને ન્યાય એ જ ઉપાય
- દાઝેલા દેહને અગ્નિદાહ પણ શક્ય નહીં બને
-
ગુમ થયેલ વ્યક્તિઓની પોલીસ દ્વારા કોઈ વિગત ના આપતા અનેક પરિવારોના સિવિલમાં ધક્કા
- 4 કલાક બાદ પણ હજી સુધી ગુમ થયેલ વ્યક્તિઓની પોલીસ દ્વારા કોઈ વિગત ના આપતા અનેક પરિવારો ના સિવિલ માં ધક્કા
- મોટાભાગના પરિવારોને મૃતકો બાબતે પોલીસ દ્વારા હજુ સુધી કોઈ જાણ કરાઇ નથી
- સિવિલ હોસ્પિટલ પર ગુમ થયેલ વ્યક્તિના સગા વ્હાલાઓની ગઈકાલ થી અત્યાર સુધી સતત ધક્કાનો દોર
- પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ રૂમમાં કોઈપણ વ્યક્તિને ઓળખ માટે જવા દેવામાં આવતા નથી
- કેટલાક પરિવારના સ્વજનોએ અશ્રુભીની આંખોએ માત્ર થોડા અસ્થિ મળી જાય તેવી TV9 ના કેમેરા સમક્ષ કરી માંગ
- કેટલાક પરિવારોએ પોતાના બાળકને ગુમાવ્યા છે તે બાબતે બાળકની માતાને જાણ શુદ્ધા હજુ સુધી નથી કરી
- ઘરે બેઠા માતા દીકરા – દીકરીની રાહ જોતી હોય તેવા કેટલાય પરિવાર
- એક તરફ સ્વજનને ગુમાવવાનું દુઃખ બીજી તરફ તેનું મૃત શરીર મેળવવા માટે પણ મથામણ
- પોતાના સ્વજન ની અંતિમ વિધિ માટે તેનું શરીર મળશે કે કેમ તેની અનેક પરિવાર ને ચિંતા
- એક યુવકના સગા દ્વારા જણાવ્યું કે TRP ગેમીંગ ઝોનમાં 15 દિવસ પહેલા જ તેને નોકરી પર રખાવ્યો હતો.
- નોકરી પર રખાવ્યાનો આ સગાને જીવનભર અફસોસ રહેશે
-
Rajkot gaming zone fire: TRP ગેમ ઝોન અગ્નિકાંડને લઇને મોટા સમાચાર
- TRP ગેમ ઝોન અગ્નિકાંડને લઇને મોટા સમાચાર
- જવાબદાર અધિકારીઓ પર લેવાઇ શકે છે પગલાં
- જે વિભાગની જવાબદારી હતી તેમાં કોને બેદરકારી રાખી તે દિશામાં તપાસ કરાશે.
- આખા મામલે પોલીસ,RMCના ટીપી શાખા,એસ્ટેટ શાખા,ફાયર શાખાના અધિકારીઓની જવાબદારી ફિક્સ થઇ શકે છે.
- માર્ગ અને મકાન વિભાગની પણ ભુમિકા થઇ શકે છે
- જે પણ અધિકારી કસૂરવાર સાબિત થશે તેની સામે કડક કાર્યવાહી કરાશે.
- સસ્પેન્શન અને તેનાથી વધુ આકરાં પગલાં લેવાઇ શકે છે.
-
Rajkot gaming zone fire: રાજકોટ- શહેરમાં ગોઝારી ઘટનાને લઇને શોકનો માહોલ
- રાજકોટમાં ગોઝારી ઘટનાને લઇને શોકનો માહોલ
- આવતીકાલે વિવિધ એસોસિએશન દ્રારા અડધા દિવસ બંધનું એલાન
- હોલસેલ ટેક્સટાઇલ માર્કેટ,ગુંદાવાડી મર્ચન્ટ એશોસિએશન, દાણાપીઠ એસોસિએશન સહિતના વેપારીઓએ 1 વાગ્યા સુધી બંધનું એલાન જાહેર કર્યું.
-
રાજકોટની ઘટનાને પગલે નવસારી જિલ્લા કલેકટરનું કડક વલણ
- નવસારી શહેર અને જિલ્લામાં છ જેટલા ગેમ ઝોન તાત્કાલિક અસરથી બંધ કરાયા,
- ગેમિંગ ઝોનમાં નાની મોટી બેદરકારીઓ સામે આવતા તાત્કાલિક અસરથી બંધ કરાયા,
- ફરીવાર પરવાનગી લીધા બાદ ચકાસણી કર્યા પછી ચાલુ કરવા દેવામાં આવશે,
- રાજકોટની ઘટના બાદ નવસારી જિલ્લામાં જાહેર સ્થળો પર ફાયર સેફ્ટી મુદ્દે કડકાઈથી ચકાસણી કરવા આદેશ કર્યા….
- જિલ્લામાં કાર્યરત ગેમ ઝોન્સ તાત્કાલિક અસરથી બંધ કરાવવામાં આવેલ છે.
- ફનકીડો – સ્થળ: એફ/૫૩-૫૬, પહેલો માળ, ધ વિલ્સન પોઇન્ટ, વિશાલનગરની સામે, ઇટાળવા, તા.જી.નવસારી
- ફન ફોર યુ – સ્થળ : દુકાન નં. એસ ૧૩-એસ ૨૧, ધ વિલ્સન પોઇન્ટ, વિશાલનગરની સામે, ઇટાળવા, તા.જી. નવસારી
- બેલી વેલી રીસોર્ટ – સ્થળ : ઉદય પેલેસ હોટલ, ઉન ગામ, ને.હા. નં.૪૮, તા.જી. નવસારી
- એસ.એસ. ગેમ ઝોન – સ્થળ: મજીગામ, ને.હા.નં.૮, તા.ચીખલી, જી.નવસારી
- ફૂડ એન્ડ ફન મેલા – સ્થળ : નેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ, ચીખલી
- કેન્ડી કીડસ ગેમ ઝોન, બીલીમોરા – સ્થળ : ફર્સ્ટ ફલોર, આગમ આર્કેડ, જવાહર રોડ, વાંકા મહોલ્લા, બીલીમોરા
-
સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડ તરફ નજર
- તક્ષશિલા અગ્નિકાંડ જેવો રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડ થયો.
- સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડમાં 22 બાળકોના મોત થયા હતા.
- 22 મૃતકોના પરિવારજનો તક્ષશિલા ખાતે ભેગા થયા.
- રાજકોટની ઘટનાને લઇ સુરતની ઘટનાના મૃતકોના પરિવારજનો એકત્ર થયા
- તક્ષશિલામાં તો અમને ન્યાય નથી મળ્યો પણ રાજકોટમાં બનેલી ઘટનામાં ન્યાય મળે તેવી આશા
- તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ સાથે આ વખતે તંત્ર જાગે તેવી માંગ ઉઠી
-
રાજકોટ ગેમઝોનમાં અગ્નીકાડનો મામલો, વડી અદાલતમાં થશે સુનાવણી
- રાજકોટ ગેમઝોનમાં અગ્નીકાડનો મામલો
- આવતીકાલે રાજ્યની વડી અદાલતમાં સુનાવણી
- ગુજરાત હાઇકોર્ટે લીધેલી સુઓમોટો જાહેરહીતની અરજી પર સુનાવણી
- રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી કોર્ટમાં આપશે હાજરી
- રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનાં વકીલ કોર્ટમાં રહેશે હાજર
- રાજ્યમાં તથા કૉર્પો. વિસ્તારમાં ચાલતી ગેમઝોન સહિતની એકિટવિટી મામલે કોર્ટમાં રજૂ કરી શકે છે જવાબ
- ગુજરાત હાઇકોર્ટે રાજ્ય અને વિવિધ કોર્પોરેશન પાસે માંગ્યો છે જવાબ
- આ પ્રકારની કામગીરી માટે રાજ્યમાં ફાયર સેફ્ટીનાં નિયમોના પાલન સંબધિત જવાબ પણ થઈ શકે છે રજૂ
- ઘટના બાદ સ્થાનિક તંત્ર અને રાજ્ય સરકારે લીધેલા પગલાં અંગે કોર્ટને કરાઈ શકે છે અવગત
- નિર્દોષ બાળકોના મોત અંગે કોર્ટે લીધેલી ન્યાયિક નોંધ અંગે પણ થશે સુનાવણી
- અગાઉ હાઇકોર્ટે રાજકોટ અગ્નિ કાંડને ગણાવ્યું છે “માનવસર્જિત ડિઝાસ્ટર”
-
રાજકોટ – TRP ગેમ ઝોનમાં અગ્નિકાંડનો મુદ્દો, પાંચ મૃતદેહોના DNA થયા મેચ…
રાજકોટ – TRP ગેમ ઝોનમાં અગ્નિકાંડનો મુદ્દો
પાંચ મૃતદેહોના DNA થયા મેચ…
પ્રદીપસિંહ ચૌહાણના સ્વજનોના DNA મેચ થયા હોવાના સમાચાર મળ્યા
- રાજભા પ્રદીપસિંહ ચોહાણ(ઉ.વ.15)
- વીરેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.42)
- ધર્મરાજસિંહ જાડેજા (ઉ.વ.14)
- ગુડડુબા હિતેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.10)
- ઓમદેવસિંહ ગોહિલ (ઉ.વ.31)
DNA મેચ થતા પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવશે
-
Rajkot gaming zone fire: નોંધાયેલ ગુનાની તપાસ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ કરશે
- રાજકોટ અગ્નિકાંડ અંગે નોંધાયેલ ગુનાની તપાસ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ કરશે
- રાજકોટના એડિશનલ પોલીસ કમિશ્નર વિધિ ચૌધરીના નેતૃત્વ હેઠળ વિશેષ તપાસ દળની રચના કરતા પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ
- ઝોન 2 DCP સુધીર દેસાઈ અને DCP ક્રાઇમ રહેશે તપાસ દળ ના સભ્યો
- અન્ય અનુભવી પોલોસ અધિકારીઓ ,PI અને PSI નો વિશેષ તપાસ દળમાં સમાવેશ કરાયો.
-
Rajkot gaming zone fire: રાજકોટ-આગ દુર્ધટના કેસમાં અધિકારીઓની જવાબદારીની ફેંકાફેંકી
બાંધકામ અને મંજૂરી અંગે એક બીજા વિભાગ જવાબદારીઓની કરી રહ્યા છે ફેંકાફેંકી
પોલીસ વિભાગ
પોલીસ વિભાગે ટિકીટ માટે મંજૂરીની પરવાનગી આપી હતી જો કે આ લાયસન્સ આપતા પહેલા જરૂરી વિભાગોની પરવાનગી મળવી જરૂરી હતી પરંતુ પોલીસ કમિશનરે કહ્યું ફાયર એનઓસી માટે પ્રક્રિયા ચાલુ હોવાનો કંપનીએ દાવો કર્યો હતો.
પોલીસે ફાયરના બિલ તેની પાસે રજૂ કર્યા હતા તેવું કહીને પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખ્યા.
રાજકોટ મહાનગરપાલિકા
કોઇપણ બાંધકામની જવાબદારી ટીપી શાખાની હોય છે જો કે રાજકોટ મહાનગરપાલિકાના ટીપી શાખાએ કહ્યું હંગામી બાંધકામ અને ડોમ પ્રકારના બાંધકામમાં ટીપી શાખાની કોઇ મંજૂરીની આવશ્યકતા નથી જેના કારણે ટીપી શાખાએ પોતાના હાથ ખંખેર્યા
ફાયર વિભાગ
ફાયર વિભાગની સીધી જવાબદારી છે પરંતુ ચીફ ફાયર ઓફિસરે દાવો કર્યો છે કે તેની પાસે ફાયર NOC માટે કોઇ અરજી આવી નથી અને તેઓએ કોઇ NOC પણ આપી નથી અને તેઓએ પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખ્યા
આ પ્લોટ રહેણાંક વિસ્તારમાં ખાલી પ્લોટ હતો જેમાં આ બાંધકામ કરવામાં આવ્યું જો કે નિયમોની આંટીઘુંટી બતાવીને અધિકારીઓ પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી રહ્યા છે.
-
Rajkot gaming zone fire: સુરતમાં TV9 ન્યુઝના અહેવાલ બાદ તંત્રની કાર્યવાહી
- વેસુ રિબાઉન્સ ગેમ ઝોન ને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી.
- TV9 ન્યુઝ એ ગેમિંગ ઝોન માં કેટલીક ખામી બતાવી હતી.
- ફાયરના સાધનો નવા અને આગ ભુજાવાની બોટલ પર ગત રોજ ની 25/05/2026 ફાયર અધિકારીને બતાવામાં આવી હતી.
- પતરાના શેડમાં ટેમ્પરરી સ્ટ્ર્કચર ઉભું કરી બનાવામાં આવ્યું હતું ગેમ ઝોન .
-
રાજકોટ-TRP ગેમિંગ ઝોનના જૂના ફોટો વાયરલ
- IPS IAS અધિકારીઓએ રાજકોટ ગેમિંગ ઝોનની લીધી હતી મુલાકાત
- તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, તત્કાલિન ડિસીપી પ્રવિણ મીણા, તત્કાલિન જિલ્લા પોલીસ વડા બલરામ મીણા, તત્કાલિન જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુ
- તત્કાલિન જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી સહિત અધિકારીઓએ લીધી હતી મુલાકાત
- જો તંત્ર એમ કહેતું હોય કે આ બાંધકામ વિશે જાણ નથી તો આ રહ્યો પુરાવો
- આટલા મોટા બાંધકામ પર વર્ષોથી ધમધમી રહ્યો હતો આ ગેમ ઝોન
-
રાજકોટ ની ગોઝારી ઘટના બાદ ડાંગ જિલ્લા તંત્ર એલર્ટ
- રાજકોટ ની ગોઝારી ઘટના બની જેમાં 28 લોકોના મકોટ થયા છે .
- ઘટના બાદ ડાંગ જિલ્લાનું વહીવટી તંત્ર થયું એક્ટિવ
- સાપુતારા નોટીફાઈડ એરિયા ખાતે વિવિધ એડવેન્ચર એક્ટિવિટી નું ચેકીંગ કરાયું
- પેરાગ્લાઇડિંગ,બોટિંગ તેમજ એડવેન્ચર એક્ટિવિટી નું ચેકીંગ હાથ ધરાયુ
- સાપુતારા નોટીફાઈડ એરિયા કચેરી દ્વારા હાથ ધરાયુ ચેકીંગ
-
રાજકોટ અગ્નિકાંડ અંગે મોટા સમાચાર
એકજ પરિવારના 5 સભ્યોના મોતની પુષ્ટિ થઈ છે.DNA રિપોર્ટ્સમાં મોતની પુષ્ટિ થતા પરિવારને જાણ કરવામાં આવી છે. સાંજ સુધીમાં મૃતદેહ સોંપવામાં આવી શકે છે,
-
ગાંધીનગર સરિતા ઉદ્યાન પાસે આવેલ ગેમિંગ ઝોન બંધ કરાયો
રાજકોટની ઘટનાને લઈને તંત્ર જાગ્યુ
સરિતા ઉદ્યાન પાસે ફાઇવ 11 ગેમિંગ ઝોન
ફાઇલ 11 ગેમિંગ ઝોનની શરૂઆત આશરે 6 મહિના પહેલા કરવામાં આવી હતી
ગાંધીનગરના ગેમિંગ ઝોનમાં અધિકારીઓએ નિરીક્ષણ કર્યું
ઓપનિંગ વખતે ધારાસભ્ય, મેયર, ડે. મેયર અને સ્ટેટિંગ કમિટી ચેરમેન પણ રહ્યા હતા હાજર
રાજકોટ ગેમિંગ ઝોનમાં 32 લોકોના જીવ જતા ગાંધીનગર તત્ર એક્શન મોડમાં દેખાયો.
સુરત તક્ષશિલા કાંડ ભૂલી જતા તંત્ર ફાયર NOC ની તપાસ ભૂલતા બને છે સમગ્ર ઘટના
-
રાજકોટ-પોલીસ કમિશનર રાજુ ભાર્ગવનું મોટું નિવેદન
TRP ગેમ ઝોનને પોલીસ કમિશનરે મંજૂરી આપી,ટિકીટ બુકિંગ માટે મંજુરી આપવામાં આવે છે.નવેમ્બર 2023માં મંજૂરી આપવામાં આવી હતી તે પૂર્ણ થયા બાદ 31-12-2024 સુધી રિન્યૂ કરવામાં આવી છે.દરેક વિભાગની મંજૂરીના કાગળો સાથે મંજૂરી અપાઇ હતી.ફાયર NOC માટે ફાયરના સાધનોના બિલ રજૂ કરવામાં આવ્યા હતા અને NOC માટે પ્રક્રિયા ચાલુ હોવાનો દાવો કર્યો હતો.
-
રાજકોટ ગેમઝોન કાંડને લઈ અમરેલી જિલ્લા વહીવટી તંત્ર સફાળું જાગ્યું
ફાયર વિભાગ,પીજીવીસીએલ અને અમરેલી પોલીસ સહિત શહેરમાં ફાયર સેફટીનું ચેકીંગ હાથ ધરાયું,અમરેલી શહેરના મોલ,સિનેમા ઘર સહિતમાં ફાયર સેફટી સુવિધાનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.
-
14 ગેમ ઝોન બંધ કરાવાયા
રાજકોટની ગેમઝોનની ગોઝારી દુર્ઘટના બાદ જામનગર શહેર સહિતના વિસ્તારના 14 ગેમ ઝોન બંધ કરાવાયા, જામનગર મ્યુકૉની એસ્ટેટ શાખા- ફાયર શાખા- પોલીસ વિભાગ તેમજ પીજીવીસીએલ સહિતના વિભાગની સંયુક્ત બેઠક યોજાઇ હતી.જામનગરમાં ગેમ ઝોન- વિડીયો પાર્લર વગેરેનો સર્વે કરવા માટે નવ અધિકારીઓની ટીમ બનાવવામાં આવી છે.પ્રાથમિક તપાસ દરમિયાન સામે આવ્યું શહેર અને નજીકના વિસ્તારના એક પણ ગેમ ઝોન દ્વારા ફાયર એન.ઓ.સી. અથવા જરૂરી લાયસન્સ મેળવાયું નથી
-
અધિકારીઓ પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી રહ્યા છે
પોલીસ વિભાગે ટિકીટ માટે મંજૂરીની પરવાનગી આપી હતી જો કે આ લાયસન્સ આપતા પહેલા જરૂરી વિભાગોની પરવાનગી મળવી જરૂરી હતી પરંતુ પોલીસ કમિશનરે કહ્યું ફાયર એનઓસી માટે પ્રક્રિયા ચાલુ હોવાનો કંપનીએ દાવો કર્યો હતો. પોલીસે ફાયરના બિલ તેની પાસે રજૂ કર્યા હતા તેવું કહીને પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખ્યા.ફાયર વિભાગની સીધી જવાબદારી છે પરંતુ ચીફ ફાયર ઓફિસરે દાવો કર્યો છે કે તેની પાસે ફાયર NOC માટે કોઇ અરજી આવી નથી અને તેઓએ કોઇ NOC પણ આપી નથી અને તેઓએ પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખ્યા
-
રાજકોટના ગેમઝોનની ઘટના બાદ કચ્છ કલેક્ટરની બેઠક
ભુજ ગાંધીધામ મુન્દ્રામાં ગેમઝોનની તપાસ પૂર્ણના થાય ત્યાં સુધી બંધ
કલેકટરના અધ્યક્ષ સ્થાને આજે તાકીદની બેઠક મળી
જિલ્લાના મામલતદાર, ટીડીઓ, ફાયર વિભાગ, પીજીવીસીએલ, પોલીસ સહિતના વિભાગના અધિકારીઓ હાજર રહ્યા
તપાસમાં બાંધકામ મંજૂરી, ફાયર સેફટી અંગેના પર્યાપ્ત સાધનો છે કે નહીં, જગ્યાના પુરાવા આ તમામ ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવશે
-
ગુજરાત કોંગ્રસના અધ્યક્ષ શકિતસિંહ ગોહિલ જશે રાજકોટ
આજે સાંજે 6 વાગે ઘટનાસ્થળ ની લેશે મુલાકાત
રાતે 8 કલાકે રેસ કોર્સ ગ્રાઉન્ડ પર દિવાંગતો ને દીપ પ્રાગટય થકી શ્રદ્ધાંજલિ આપશે
સૌ નાગરિકો ને શ્રદ્ધાંજલિ માં જોડાવા અપીલ
સોમવારે સવારે 11 કલાકે માહિતી સાથે કૉંગ્રેસ કાર્યાલય ખાતે કરશે પ્રેસ
ભવિષ્યમાં આવું ન બને તે માટે સરકાર ને જાગૃત કરતા મુદ્દા રજૂ કરાશે
દિવંગત આત્માઓ ને શ્રદ્ધાસુમન આપતા કૉંગ્રેસ પ્રમુખ
-
Rajkot gaming zone fire : રાજકોટ અગ્નિકાંડ બાદ સુરત તંત્ર જાગ્યું, 6 જેટલા ગેમઝોન ને માર્યા સીલ
- રાજકોટ અગ્નિકાંડ બાદ સુરત તંત્ર જાગ્યું
- 6 જેટલા ગેમઝોનને મનપાએ સીલ માર્યું
- ગેરકાયદેસર પતરાના શેડમાં ચાલી રહ્યા હતા ગેમિંગ ઝોન
- ફાયર NOC પણ ન લીધી હતી
- રાજકોટ દુર્ઘટના બાદ મનપા અને ફાયર જાગતા અનેક સવાલ
- શું સુરત મનપા પણ કોઈ દુર્ઘટના ની રાહ જોઇ રહી હતી?
- ટેમ્પરી સ્ટકચરને મનપા પરવાનગી આપે છે જેને લઇ પણ અનેક સવાલ ઉભા થઇ રહ્યા છે.
-
Rajkot gaming zone fire : આણંદનું તંત્ર એક્શનમાં, ગેમ ઝોનને કરાયું સિલ
- રાજકોટ ઘટના બાદ આણંદમાં ગેમ ઝોનનું ચેકીંગ હાથ ધરાયું
- ફાયર વિભાગની ટીમે વહેલી સવારથી શહેરના ગેમ ઝોન પર તપાસ હાથ ધરી
- સરદાર પટેલ રાજમાર્ગ પર શાન મોલમાં પણ ચેકીંગ હાથ ધરાયું હતું
- શાન મોલમાં આવેલી ગુગલી બુગલી ગેમ ઝોનને કરાયું સિલ
- ગેમ ઝોન ચલાવવા માટે કોઈ મંજૂરી ન હોય કરાયું સિલ
-
Rajkot gaming zone fire : ગેમ્સ ઝોનના માલિકો ભરાવતા હતા ‘મોતનું ફોર્મ’
- ગેમ્સ ઝોનના માલિકો ‘મોતનું ફોર્મ’ ભરાવતા હતા
- જે લોકો ગેમ્સ રમવા આવતા હતા તેમની પાસે પહેલા ફોર્મ ભરાવવામાં આવતું હતું
- આ ફોર્મની અંદર સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે-જો કોઈને ઇજાઓ કે કોઈનું મોત થાય છે તો ગેમ્સ જવાબદાર રહેશે નહીં
- તમે કોઈપણ ગેમ રમતા હશો અને કોઈ પણ ઘટના બને છે તો તેની જવાબદારી ગેમ્સ ઝોનના સંચાલકની રહેશે નહીં
- પહેલેથી જ પોતાના બચાવ માટે મોતના ફોર્મ ભરાવી લેવામાં આવતા હતા
-
Rajkot gaming zone fire : ગેમ્સ ઝોનના માલિકો ભરાવતા હતા ‘મોતનું ફોર્મ’
- ગેમ્સ ઝોનના માલિકો ‘મોતનું ફોર્મ’ ભરાવતા
- જે લોકો ગેમ્સ રમવા આવતા હતા તેમની પાસે પહેલા ફોર્મ ભરાવવામાં આવતું હતું
- આ ફોર્મની અંદર સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે-જો કોઈને ઇજાઓ કે કોઈનું મોત થાય છે તો ગેમ્સ જવાબદાર રહેશે નહીં
- તમે કોઈપણ ગેમ રમતા હશો અને કોઈ પણ ઘટના બને છે તો તેની જવાબદારી ગેમ્સની રહેશે નહીં
- પહેલેથી જ પોતાના બચાવ માટે મોતના ફોર્મ ભરાવી લેવામાં આવતા હતા
-
Rajkot gaming zone fire : ગોધરા શહેરમાં પણ ચાલતા ગેમઝોન કરાવ્યા બંધ
પંચમહાલ : રાજકોટની ગોઝારી આગની ઘટના બાદ જાગેલા તંત્રએ ગોધરા શહેરમાં પણ ચાલતા ગેમઝોન બંધ કરાવ્યા છે. ગોધરા મામલતદાર ,ગોધરા શહેર પોલીસ અને ફાયર વિભાગની સંયુક્ત ટીમે ગોધરા શહેરમાં આવેલા ગેમ ઝોન અને મોટી સંખ્યામાં પબ્લિક ગેધરરીંગ ધરાવતા સ્થળોની તપાસ હાથ ધરી છે. ગોધરા શહેરના દાહોદ રોડ પર આવેલા ડોમમાં ચાલતા ગેમ ઝોન અને દાહોદ રોડ પર જ આવેલા D Mart માં વહીવટી તંત્રની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી છે.
એક્ઝિટ ડોર પર લોક મારેલા હોવાનું પણ સામે આવ્યું
ડોમમાં ચાલતું ગેમ ઝોન કોઈપણ પ્રકારની ફાયર કે અન્ય વિભાગની એનઓસી વગર જ ચાલતું હોવાનું સામે આવતા બંધ કરાવાયું છે. D mart માં તપાસ દરમિયાન D mart માં આવેલા તમામ એક્ઝિટ ડોર પર લોક મારેલા હોવાનું પણ સામે આવ્યું છે. દાહોદ રોડ ઉપર આવેલા અન્ય એક ગેમ ઝોનમાં તપાસ હાથ ધરાઈ જ્યાં ઇમરજન્સી એક્ઝિટનો અભાવ સામે આવ્યો છે. તમામ ગેમઝોનને અન્ય સુચના ન મળે ત્યાં સુધી બંધ કરાવ્યા છે.
-
Rajkot gaming zone fire : જૂનાગઢમાં ઉચ્ચ અધિકારીઓની બેઠક, તપાસનો ધમધમાટ કરાશે શરુ
- જૂનાગઢ : રાજકોટની દુર્ઘટનાને લઈ જૂનાગઢમાં ઉચ્ચ અધિકારીઓની બેઠક
- રવિવારે મનપા કચેરીએ કમિશનરે બોલાવી તાકીદે બેઠક
- પીજીવીસીએલ, પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર
- તાત્કાલિક જૂનાગઢમાં ચેકીંગ હાથ ધરવામાં આવશે
- અલગ-અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવશે
- ગેમઝોન, રાઈડઝ, મેળામાં, મોલ સહિતના સ્થળોએ શરૂ થશે ચેકીંગ
- વિવિધ વિભાગોની એનઓસી છે કે કેમ તે અંગે કરવામાં આવશે તપાસ
- તપાસ વગર ચાલતાં ગેમઝોન રાઈડઝ મેળાનાં સંચાલકો પર થશે કાર્યવાહી
-
Rajkot gaming zone fire : ભાવનગરનું તંત્ર પણ જાગ્યું, તમામ ગેમઝોન કર્યા બંધ
રાજકોટના ગેમ ઝોનમાં આગની ઘટના બાદ ભાવનગરનું તંત્ર હરકતમામ આવ્યું. ભાવનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા તમામ ગેમઝોન બંધ કરી તમામ ગેમઝોનની તપાસ હાથ ધરાઈ છે.
-
Rajkot gaming zone fire : મુખ્યમંત્રીએ સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્તોના ખબર-અંતર પૂછ્યા
મુખ્યમંત્રીએ રાજકોટમાં એઈમ્સ તથા અન્ય હોસ્પિટલ, જ્યાં ઈજાગ્રસ્તોને સારવાર અપાઈ રહી છે, તેની મુલાકાત લીધી હતી. ઈજાગ્રસ્તો અને તેમના પરિવારજનો સાથે વાતચીત કરીને મુખ્યમંત્રીએ તેમને અપાઈ રહેલી સારવારની વિગતો મેળવી હતી અને ખબર-અંતર પૂછ્યા હતા.
-
Rajkot gaming zone fire : રાજકોટ દૂર્ઘટનામાં એક કપલ પણ હોમાયું
રાજકોટની ગેમઝોન આગ દુર્ઘટનામાં અક્ષય અને ખ્યાતિનું પણ મોત થયું છે. એક સપ્તાહ પહેલા જ બંનેના લગ્ન થયા હતા.
-
Rajkot gaming zone fire : રાજકોટની ગોઝારી દુર્ઘટના અંગે અંતે FIR દાખલ
- રાજકોટની ગોઝારી દુર્ઘટના અંગે અંતે FIR દાખલ
- યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત છ આરોપી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો
- IPC ની ધારા304, 308, 337 ,338 અને 114 ની કલમો હેઠળ ફરિયાદ દાખલ
- ક્રાઈમ બ્રાન્ચે અનેક આરોપીઓની કરી અટકાયત
- તાલુકા પોલીસ હવે વિધિવત કરશે ધરપકડ
-
Rajkot gaming zone fire : મૃતકોને મોરારિબાપુએ સહાય જાહેર કરી
- રાજકોટમાં બનેલી ઘટના માં મૃતકોને મોરારિબાપુ એ સહાય જાહેર કરી
- કુલ 28 લોકોના મોતને મામલે કુલ 5 લાખનું અનુદાન જાહેર કરતા મોરારિબાપુ
- મોરારિબાપુ એ ગોંડલમાં કથા દરમિયાન સહાયની કરી જાહેરાત
-
Rajkot gaming zone fire : આ માનવસર્જિત ડિઝાસ્ટર-કોર્ટે કહ્યું
- રાજકોટ અગ્નિકાંડ મુદ્દે હાઇકોર્ટની વિશેષ બેન્ચ સમક્ષ સુનાવણી
- કોર્ટે નોંધ્યું કે, “આ માનવસર્જિત ડિઝાસ્ટર”
- “અમદાવાદમાં સિંધુભવન રોડ સરદાર પટેલ રિંગ રોડ અને એસ જી હાઇવે પર બનેલા ગેમીંગ ઝોન પબ્લિક સેફટી માટે ખતરા રૂપ”
- ગેમિંગ ઝોન બનાવવા અને ચલાવવા માટે નિયત અને યોગ્ય પરવાનગીઓ નહીં લેવાય હોવાનું પણ કોર્ટના ધ્યાને મુકાયું
- નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યા તેની હાઇકોર્ટે ન્યાયિક નોંધ લીધી
- કોર્ટે આખા મામલાનું સ્વયં સંજ્ઞાન લઈને સુઓમોટો પિટિશન કરી દાખલ
- હાઇકોર્ટે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિતના કોર્પોરેશન પાસે માંગ્યો ખુલાસો
- કાયદાની કઈ જોગવાઈ હેઠળ આ ગેમિંગ ઝોન બનાવવાના ચલાવવાની પરવાનગી અપાય તેનો કોર્પોરેશન કરવાનો રહેશે ખુલાસો
- એક જ દિવસમાં ખુલાસો કરવા હાઇકોર્ટના નિર્દેશ
- ફાયર સેફટીના નિયમોના પાલન બાબતે પણ કોર્ટે માંગ્યો ખુલાસો
- આવતીકાલે થશે વધુ સુનાવણી
-
Rajkot gaming zone fire : દાહોદમાં ચાલતા આનંદ મેળા અને ગેમઝોનમાં તપાસના આદેશ અપાયા
- દાહોદમાં ચાલતા આનંદ મેળા અને ગેમઝોનમાં તપાસ કરવા આદેશ
- કલેક્ટર દ્વારા જીલ્લા ના તમામ પ્રાંત અધિકારી, મામલતદાર, ચીફ ઓફિસર, ફાયર ઓફિસર ને તપાસ કરવા આપ્યો આદેશ
- આનંદ મેળા અને ગેમઝોન મા પરમિશન, ફાયર તેમજ સુરક્ષા જેવી તમામ બાબતોનું ઝીણવટ પુર્વક તપાસ કરવા આદેશ
- જો કે દાહોદ જીલ્લા માત્ર એક જ ગેમઝોન આવેલો અને શહેરમાં આનંદ મેળો શરૂ છે
-
Rajkot gaming zone fire : સુરત શહેરમાં ગેમિંગ ઝોનમાં દેખાય ગંભીર બેદરકારી
- સુરત શહેરમાં ગેમિંગ ઝોનમાં દેખાય ગંભીર બેદરકારી
- વેસુમાં આવેલા રિબાઉન્સ ફાયરની બોટલ પર તારીખ 26/05/2024
- ગેમ ઝોનના સંચાલકોએ રાતો રાત ફાયર સાધનો ખરીદ્યા
- ગઈ રોજની તારીખ દેખાતા અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે
- અન્ય ઉપકરણ પણ નવા દેખાઈ રહ્યા છે
- પતરાના સેડમાં ઉભું કરવામાં આવ્યું છે ગેમિંગ ઝોન
- રોજના હજારો લોકો આવે છે રિબાઉન્સ ગેમિંગ ઝોનમાં
-
Rajkot gaming zone fire : મોરારીબાપુએ રાજકોટની ઘટના પર દુખ વ્યક્ત કર્યુ
- રાજકોટમાં પીડાદાયક ઘટના બની છે
- ગેમઝોનમાં આગમાં બાળકો મૃત્યુ પામ્યા છે
- કેટલાય લોકો વિશે જાણકારી મળી નથી
- જેટલા લોકોના મોત થયા તેમના આત્માને શ્રદ્ધાંજલિ
- પરિવારજનો માટે પણ મોરારીબાપુએ સંવેદના વ્યક્ત કરી
- બાળકોનું ધ્યાન માતા-પિતાએ રાખવું જોઈએ
- ગમે ત્યાં બાળકોને ન્હાવા પણ ન મોકલશો
-
Rajkot gaming zone fire : અમદાવાદના અલગ-અલગ ગેમ ઝોનમાં ચેકિંગ શરુ
- અમદાવાદ : મનપાએ તૈયાર કરેલી ટીમ ગેમઝોન સર્વે માટે પહોચી
- વસ્ત્રાપુરના નેક્સસ મોલના ગેમઝોનમાં ટીમ પહોચી
- મનપા, પોલીસ, ટોરેન્ટ પાવર અને ફાયરના અધિકારીઓ પહોંચ્યા
- મનપાએ તૈયાર કરેલી દરેક ટીમમાં 06 સભ્યોનો સમાવેશ
- અમદાવાદના તમામ ગેમઝોનની મુલાકાત લઇ આવતીકાલ સવારે 11 કલાકે રિપોર્ટ રજૂ કરાશે
- દરેક ગેમઝોનના જરૂરી લાયસન્સ અને પરવાનગીની તપાસ કરાશે
- ગેમઝોન પાસે જરૂરી દસ્તાવેજો નહીં હોય તો તાત્કાલિક બંધ કરવામાં આવશે
-
Rajkot gaming zone fire : હાઇકોર્ટ રાજકોટ ઘટના મામલે સુઓમોટો લીધું
- અગ્નિકાંડ મામલે હાઇકોર્ટમાં સુનાવણી શરૂ
- રાજ્ય સરકાર અને તમામ મ્યુ. પાસે માંગ્યો ખુલાસો
- કયા નિયમો ગેમ ઝોન માટે છે?
- ફાયરના નિયમો મામલે પણ ખુલાસો કરવા કોર્ટનો આદેશ
- હાઇકોર્ટ રાજકોટ ઘટના મામલે સુઓમોટો લીધું
- સુઓમોટો પબ્લિક ઇન્ટ્રેસ્ટ લિતિગેશન હાઇકોર્ટમાં નોંધવા રજિસ્ટ્રારને આદેશ
- અમદાવાદ મ્યુ. કોર્પો, વડોદરા મ્યુ. કોર્પો , સુરત મ્યુ , રાજકોટ મ્યુ. કૉર્પો, રાજ્ય સરકારને પક્ષકાર બનાવાયા
- આવતીકાલે તમામને યોગ્ય દસ્તાવેજો અને નિયમાવલી લઈ કોર્ટમાં હાજર થવા આદેશ
-
Rajkot gaming zone fire : અમદાવાદનું તંત્ર પણ જાગ્યું, ગેમીંગ ઝોનની તપાસ માટે બનાવાઇ ત્રણ ટીમ
- મહાનગરપાલિકાની ઉસ્માનપુરા કચેરી ખાતે મળી મહત્વની બેઠક
- શહેરના જુદા-જુદા વિસ્તારમાં રહેલા ગેમીંગ ઝોનની તપાસ માટે બનાવાઇ ત્રણ ટીમ
- ટીમમાં ડેપ્યુટી સીટી ઇજનેર એએમસી, એસપી કક્ષાના પોલીસ અધિકારી, ફાયર બ્રીગેડના અધિકારી, ટોરેન્ટ પાવરના ઇજનેરનો સમાવેશ
- અમદાવાદના જુદા-જુદા વિસ્તારમાં આવેલા ગેમીંગ ઝોનની સેફ્ટી અંગેની તપાસ કરી તૈયાર કરશે અહેવાલ
-
Rajkot gaming zone fire : રાજકોટ અગ્નિકાંડનો મુદ્દો પહોંચ્યો હાઇકોર્ટ
- રાજકોટ અગ્નિકાંડનો મુદ્દો પહોંચ્યો હાઇકોર્ટ
- હાઇકોર્ટમાં શરૂ થઇ સુનાવણી
- વિશેષ ડિવિઝનલ બેચ સમક્ષ સુનાવણી શરૂ
- ફાયર NOC મામલે કોર્ટના હુકમ છતાં પાલન ન થતું હોવાની રજૂઆત
- રાજકોટના ગેમ ઝોનમાં ફાયર વિભાગે મંજૂરી ન આપી હોવાની રજૂઆત
- તંત્રની ગંભીર બેદરકારીથી બનાવ બન્યો હોવાનો આક્ષેપ
-
Rajkot gaming zone fire : પ્રફુલભાઇ પાનસેરિયા એ શોકની લાગણી કરી વ્યક્ત
સર્જાયેલી દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટનાથી શોકની લાગણી અનુભવું છું : પ્રફુલભાઇ પાનસેરિયા
પરમકૃપાળુ પરમાત્મા મૃતકોના આત્માને શાશ્વત શાંતિ સહ તેમના પરિજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ અર્પે તેમજ ઇજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના.
રાજકોટના ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટનાના દુઃખદ સમાચાર સાંભળી દુઃખની લાગણી અનુભવું છું. pic.twitter.com/8jtPORqY15
— Praful Pansheriya (मोदी का परिवार) (@prafulpbjp) May 26, 2024
(Credit Source : @prafulpbjp)
-
Rajkot gaming zone fire : મુખ્ય આરોપી યુવરાજસિંહ સોલંકી પોલીસ સામે રડી પડ્યો
- મુખ્ય આરોપી યુવરાજસિંહ સોલંકી પોલીસ સામે રડી પડ્યો
- યુવરાજ સિંહનું નામ ઓનરશિપમાં છે 1 લાખ પગાર છે 15 ટકા ભાગીદાર પણ છે
- તેના પિતા હરીશસિંહ જુના વાહન લે વેચ કરે છે
- ઘટના સમયે યુવરાજસિંહ ત્યાં હાજર જ હતો
- પોલીસ પાસે આંખમાં પાણી આવી ગયા
-
Rajkot gaming zone fire : કુંવરજી બાવળિયાએ પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી
- કુંવરજી બાવળિયાએ ઘટનાસ્થળની મુલાકાત લીધી
- કુંવરજી બાવળિયાનું નિવેદન
- સરકારે દુર્ઘટનાને ગંભીરતાથી લીધી
- ફરીથી આ પ્રકારની ઘટના ન થાય તે માટે કાર્યવાહી થશે
- જવાબદારો સામે પગલા લેવામાં આવશે
- ઝીણવટપૂર્વક તપાસના આદેશ આપવામાં આવ્યા છે
-
Rajkot gaming zone fire : 10 લોકો ગેમઝોનમાં હાજર હતા-પ્રત્યક્ષદર્શી દેવાંશી બા જાડેજા
પ્રત્યક્ષદર્શી દેવાંશી બા જાડેજાએ પોતે નજર સમક્ષ જોયેલી ઘટના વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, 10 લોકો ગેમઝોનમાં હાજર હતા. ફાયરની કોઈ સુવિધા નહોતી. ફાયર અલાર્મ પણ સિસ્ટમ નહોતી. દેવાંશી બા જાડેજાએ ફાયર સ્ટેશનમાં ફોન કર્યો હતો ત્યારે અંદાજે 20 મિનિટમાં ફાયર વિભાગ પહોંચ્યુ હતું. 5 લોકો હજુ પણ લાપતા છે.
-
Rajkot gaming zone fire : CCTVમાં વેલ્ડિંગ દરમિયાન તણખો નીચે પડ્યો હતો
- ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા DVR કબ્જે કરવામાં આવ્યું
- TRP ગેમઝોન ખાતેનું DVR કબ્જે કરવામાં આવ્યું
- સીસીટીવીમાં વેલ્ડિંગ દરમિયાન તણખો નીચે પડ્યો હતો
- જોતજોતામાં આગ લાગતાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
-
Rajkot gaming zone fire : રાજકોટ અગ્નિકાંડ પછી સુરતના તંત્રની આંખ ખુલી
- સુરત તંત્ર પણ સફાળું જાગ્યું
- સુરતનું તંત્ર એક્શન મોડમાં
- સુરત પોલીસ દ્વારા અલગ-અલગ વિસ્તારમાં ચેકીંગ હાધ ધર્યું
- ગેમ ઝોન,મોલ અને મેળામાં પોલીસ દ્વારા રાત્રિના સમયે ચેકીંગ કર્યું
- સુરત શહેરમાં 17 ગેમ ઝોન અને 5 મેળા આવ્યા છે
-
Rajkot gaming zone fire : એર એમ્બ્યુલન્સ દ્વારા DNA ગાંધીનગર મોકલવામાં આવ્યા
- સવારે 4:30 વાગ્યે એર એમ્બ્યુલન્સ મારફતે DNA ગાંધીનગર મોકલવામાં આવ્યા
- 48 કલાક બાદ આવશે રિપોર્ટ
- 25 DNA સેમ્પલ ગાંધીનગર મોકલ્યા છે
- બે મૃતદેહોના સ્વજનો હજુ આવ્યા નથી
- જૂનાગઢથી સ્વજનો આવી રહ્યા છે અને વિદેશથી આવેલા વ્યક્તિના કોઈ સંબંધી નથી આવ્યા
- AIIMS હોસ્પિટલમાં 16 મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યા
- 11 મૃતદેહો સિવિલ હોસ્પિટલમાં સ્ટોરેજ કરવામાં આવ્યા છે
-
Rajkot gaming zone fire : જ્વલનશીલ પદાર્થોને કારણે લાગી હતી આગ
જનરેટર ચલાવવા માટે ગેમ ઝોનમાં અંદાજે 2 હજાર લિટર ડીઝલ રાખવામાં આવ્યું હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. ગો કાર રેસિંગ માટે લગભગ 1500 લિટર પેટ્રોલનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. આ જ્વલનશીલ પદાર્થોમાં આગ લાગી હતી. જેના કારણે અકસ્માત ભયાનક બન્યો હતો. થોડીવારમાં આખો ગેમ ઝોન આગની લપેટમાં આવી ગયો હતો. આ કેસની તપાસ માટે સિનિયર IPS અધિકારી સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં SITની રચના કરવામાં આવી છે.
-
Rajkot gaming zone fire : આગનું કારણ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ!-રાજકોટ કલેક્ટર
આગ કેવી રીતે લાગી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય છે. રાજકોટ કલેક્ટર પ્રભવ જોષીએ મીડિયાને જણાવ્યું હતું કે ગેમ ઝોનમાં વીજળીનું ભારણ વધુ છે. ગરમીના કારણે વીજ વાયરિંગ લોડને હેન્ડલ કરી શક્યું ન હતું, જેના કારણે શોર્ટ-સર્કિટ અને આગ લાગી હતી.
#WATCH | Gujarat: On Rajkot fire incident, Rajkot Collector Prabhav Joshi says, “We had received the call at around 4.30 pm… The temporary structure in the gaming zone had collapsed. The fire was controlled around 2 hours ago. The debris is being removed… We are in constant… pic.twitter.com/xHVPNqVh8l
— ANI (@ANI) May 25, 2024
(Credit Source : ANI)
-
Rajkot gaming zone fire : TRP સૌરાષ્ટ્રનો સૌથી મોટો ગેમ ઝોન
TRP ગેમ ઝોન સૌરાષ્ટ્રનો સૌથી મોટો ગેમ ઝોન હતો. અહીં ઘણી રમતો હતી જે આસપાસના ગેમ ઝોન કરતા મોટી હતી. એક જગ્યાએ 20 થી વધુ એડવેન્ચર ગેમ્સ હાજર રહી હતી. માહિતી અનુસાર TRP ગેમ ઝોનની શરૂઆત વર્ષ 2020માં કરવામાં આવી હતી. તે 2 એકર જમીનમાં બનાવવામાં આવ્યું હતું. ગેમ ઝોન મોટા ટીન શેડ હેઠળ બનાવવામાં આવ્યો હતો. ગરમીથી બચવા માટે તેમાં મોટા એર-કન્ડિશનર લગાવવામાં આવ્યા હતા. અકસ્માતમાં ટીન શેડનો એક ભાગ પણ ધરાશાયી થયો હતો.
-
Rajkot gaming zone fire : CM ભૂપેન્દ્ર પટેલ ઘટનાસ્થળે પહોંચ્યા
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા છે. તે ઘટના સાથે જોડાયેલી માહિતી લઈ રહ્યો છે. આપને જણાવી દઈએ કે રાજકોટ ગેમઝોનમાં લાગેલી આગમાં 12 બાળકો સહિત 28 લોકોના મોત થયા છે.
#WATCH | Gujarat CM Bhupendra Patel along with Home Minister Harsh Sanghavi takes stock of the situation at TRP game zone in Rajkot where a massive fire broke out yesterday claiming the lives of 27 people. pic.twitter.com/vmyj9wkpGb
— ANI (@ANI) May 26, 2024
(Credit Source : ANI)
-
Rajkot gaming zone fire : PM મોદીએ મુખ્યમંત્રી પાસેથી રાહત કાર્યોની માહિતી લીધી
PM મોદીએ રાજકોટ આગની ઘટનાને લઈને ગુજરાતના CM સાથે વાત કરી છે અને તેમની પાસેથી રાહત કાર્ય વિશે માહિતી લીધી છે. પીએમ મોદીએ ટ્વિટર પર કહ્યું, ‘રાજકોટમાં આગની દુર્ઘટનાએ આપણા બધાને દુઃખી કરી દીધા છે. થોડા સમય પહેલાં તેમની સાથેની ટેલિફોનિક વાતચીતમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે મને અસરગ્રસ્તોને શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે ચાલી રહેલા પ્રયાસો વિશે જણાવ્યું હતું.
-
Rajkot gaming zone fire : પોલીસે ગેમ ઝોન બંધ કરવાનો આપ્યો આદેશ
રાજકોટમાં આગની ઘટના બાદ રાજ્યના પોલીસ મહાનિર્દેશકે પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ અધિક્ષકને રાજ્યના તમામ ગેમ ઝોનનું નિરીક્ષણ કરવા અને ફાયર સેફ્ટીની પરવાનગી વિના ચાલતા ગેમ ઝોનને બંધ કરવાનો આદેશ આપ્યો છે.
-
Rajkot gaming zone fire : કાટમાળ દૂર કરવા 10થી વધારે જેસીબી કામે લાગ્યા
- ઘટના સ્થળ પર હર્ષ સંઘવી સહિત રાજકોટના રાજકીય આગેવાનો હાજર
- ગેમ ઝોનના સળગી ગયેલા કાટમાળ દૂર કરવા 10થી વધારે જેસીબી કામે લાગ્યા
- કોઈ મૃતદેહ હજુ બળી ગયેલી હાલતમાં છે કે નહિ તે શોધવા કાટમાળ ફેરવવાનું કર્યું શરૂ
-
Rajkot gaming zone fire : TRP ગેમ ઝોન – ટાઇમ લાઈન જુઓ, આ રીતે બની હતી ઘટના
રાજકોટ TRP ગેમઝોનમાં થયેલા અકસ્માતની ટાઇમ લાઈન
- 5:37 PM: ગેમઝોનમાં આગજનીનો બનાવ
- 5:38 PM: આગના કારણે નાસભાગ મચી
- 5:45 PM: ફાયર બ્રિગેડને કોલ મળ્યો
- 5:50 PM: ચીફ ફાયર ઓફિસર ઘટના સ્થળ પર પહોંચ્યા
- 5:55 PM: આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
- 6:00 PM: ફાયર વિભાગ દ્વારા આગ બુઝાવવાની કામગીરી ચાલુ
- 06:01 PM: ઇજાગ્રસ્ત લોકો અને મૃતકોની લાશને બહાર કાઢવાની શરૂ કરાયું
- 6:20 PM : કલેક્ટર અને પોલીસ કમિશનર ઘટનાસ્થળે પહોંચ્યા
- 7:15 PM : આગમાં ચારના મોતની ખબર સામે આવી
- 7:20 PM : બે મૃતદેહ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા
- 7:22 PM : આખું ગેમઝોન બળીને ભસ્મીભૂત
- 7:29 PM : સિવિલ હોસ્પિટલ 4 મૃતદેહ પહોંચ્યા
- 7:32 PM : ચીફ ફાયર ઓફિસરે 6 લોકોના મોતની પૃષ્ટી થઇ
- 7:47 PM : ભયાનક આગમાં 8ના મોત
- 7:55 PM : આગમાં હોમાયેલા 8 મૃતદેહ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા
- 8:05 PM : 17 મૃતદેહ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા
- 8:15 PM : સિવિલ હોસ્પિટલમાં દોડધામ વધી
- 8:25 PM : સિવિલ હોસ્પિટલમાં 20 મૃતદેહ આવ્યા
- 10:30 PM: 25 મૃતદેહોને હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા
- 11:15 PM : સિવિલ હોસ્પિટલમાં 28 મૃતદેહ આવ્યા
- 2:38 AM : ઘટના સ્થળે ગૃહમંત્રી રાજકોટ પહોંચ્યા
- 3:15 AM : કલેક્ટર ઓફિસ ખાતે પદ અધિકારીઓ સાથે યોજાઈ બેઠક
- 4:00 AM : જુદા-જુદા વિભાગના અધિકારીઓ સાથે બેઠક થઈ
-
Rajkot gaming zone fire : આગ દુર્ઘટના ઘટનામાં 10 લોકોની અટકાયત
રાજકોટમાં થયેલા ગેમઝોન અકસ્માતમાં 10 લોકોની અટકાયત કરવામાં આવી.
-
Rajkot gaming zone fire : SITને પ્રાથમિક અહેવાલ 72 કલાકમાં સરકારને સોંપવા આદેશ
તમામ પાસાનો અભ્યાસ કરી વિગતવાર અહેવાલ 10 દિવસમાં રજૂ કરવાનો રહેશે.
સરકારે આ મુદ્દાઓની તપાસ માટે કર્યા છે આદેશ
- કયા સંજોગોમાં અને કયા કારણોસર આગનો બનાવ બન્યો છે
- ગેમીંગ ઝોનની મંજુરી આપવામાં આવેલી છે કે કેમ
- ગેમીંગ ઝોનની મંજુરી આપતી વખતે કઇ-કઇ બાબતો ધ્યાને લેવામાં આવેલી હતી
- ગેમીંગ ઝોનના બાંધકામ બાબતે સ્થાનિક તંત્રની મંજૂરી મેળવવામાં આવેલી હતી કે કેમ તેમજ બાંધકામ નિયમાનુસાર કરવામાં આવેલું કે કેમ
- આ સંબંધમાં ફાયર વિભાગની એન.ઓ.સી. મેળવવામાં આવેલ હતી કે કેમ
- ગેમીંગ ઝોનમાં આકસ્મિક સંજોગોમાં રાહત અને બચાવ માટેની શુ વ્યવસ્થા કરવામાં આવેલી હતી
- ગેમીંગ ઝોનમાં ઇમરજન્સી એક્ઝીટ માટે શુ વ્યવસ્થા હતી
- આ બનાવ સંબંધમાં સ્થાનિક તંત્ર અને ગેમીંગ ઝોનના સંચાલક તેમજ અન્ય કોઇ ઇજારદારની નિષ્કાળજી કે બેદરકારી છે કે કેમ
- ભવિષ્યમાં આવા બનાવ બનતા અટકે તે માટેના નિવારક પગલાંઓ
-
Rajkot gaming zone fire : સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના અધ્યક્ષ સુભાષ ત્રિવેદીનું નિવેદન
- સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના અધ્યક્ષ સુભાષ ત્રિવેદીનું નિવેદન
- સમગ્ર ઘટનામાં કોણ જવાબદાર છે તે અંગે તપાસ કરવામાં આવશે
- ઘટનામાં બાળકોના પણ મૃત્યુ થયા છે ત્યારે પીડિત પરિવારને ન્યાય મળે તે માટે અમે નિષ્પક્ષ રીતે તપાસ કરીશું
- મારી સાથે ફોરેન્સિક સાયન્સના ડિરેક્ટર સહિતના વ્યક્તિઓ SITમાં જોડાયેલા છે
- ભવિષ્યમાં પણ આ પ્રકારની ઘટના ન બને તે બાબતે પણ અમે અહેવાલ રજૂ કરીશું
-
Rajkot gaming zone fire : CID ક્રાઇમના ADG સુભાષ ત્રિવેદી ના અધ્યક્ષ સ્થાને SIT ની રચના
- CID ક્રાઇમના ADG સુભાષ ત્રિવેદી ના અધ્યક્ષ સ્થાને SIT ની રચના
- 5 સભ્યો ની SIT કરશે તપાસ
- વિવિધ વિભાગોના નિષ્ણાત અધિકારીઓનો SITમાં સમાવેશ
-
રાજકોટમાં અગ્નિકાંડ : ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઘટના સ્થળની લીધી મુલાકાત
ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ રવિવારે વહેલી સવારે ગેમિંગ ઝોનની અંદર જ્યાં ભીષણ આગ ફાટી નીકળી હતી તે વિસ્તારની સમીક્ષા કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે આ દુ:ખદ ઘટના બાદ એક વ્યક્તિ હજુ પણ ગુમ છે. તેમણે કહ્યું કે ગુમ થયેલા વ્યક્તિને શોધવા એ અમારી પ્રાથમિકતા છે.
#WATCH | On Rajkot fire tragedy, Gujarat Home Minister Harsh Sanghvi says, ” A very sad incident took place at Rajkot, many family members lost their loved ones and many children have also died in the incident…SIT has been instructed to start the investigation by 3 am… all… pic.twitter.com/p9sRxE1CSD
— ANI (@ANI) May 25, 2024
(Credit Source : @ANI)
-
રાજકોટ આગ દુર્ઘટનાના આરોપી ઝડપાયા
TRP ગેમઝોનમાં ફાયર NOC જ ન હોવાનો મોટો ખુલાસો થયો છે. જોકે હવે આ ઘટનાના આરોપી એવા મેનેજર નિતીન જૈન અને માલિક યુવરાજ સોલંકી નામના વ્યક્તિની પોલીસે અટકાયત કરી છે.
-
25 મે 2024 રાજકોટવાસીઓ માટે ગોઝારો દિવસ
ગોઝારો દિવસ રાજકોટવાસીઓ સાથે ગુજરાતીઓ ક્યારેય નહીં ભૂલી શકે. બાળકો વેકેશનની મજા માણી રહ્યા હતા, ગરમીને પગલે ગેમઝોનમાં મોટી સંખ્યા બાળકો સહિત મોટા લોકો પણ હાજર હતા અને અચાનક એવી આગ લાગી કે 28થી વધુ જીંદગી ગેમઝોનના અગ્નિકાંડમાં હોમાઈ ગઈ. જો કે સૌથી ગંભીર બાબત એ રહી કે ગેમઝોનમાં ફાયરસેફ્ટીની કોઇ જ વ્યવસ્થા નહોતી. તો સંચાલકોએ કોઇપણ પ્રકારની ફાયરની NOC નહોતી લીધી. હાલ સમગ્ર મામલે તપાસના આદેશો કરવામાં આવ્યા છે.
-
Rajkot gaming zone fire: ‘પોલીસ મહાનિર્દેશકે આ સૂચનાઓ જાહેર કરી’
આ સાથે જ રાજકોટમાં આગની ઘટના બાદ રાજ્યના પોલીસ મહાનિર્દેશકે રાજ્યના તમામ ગેમ ઝોનનું નિરીક્ષણ કરવા અને ફાયર સેફ્ટીની પરવાનગી વગર ચાલતા ગેમ ઝોનને બંધ કરવા પોલીસ કમિશનરો અને જિલ્લા પોલીસ અધિક્ષકોને આદેશ કર્યો છે.
પોલીસ મહાનિર્દેશકે નગરપાલિકાઓ અને નગરપાલિકાઓના ફાયર ઓફિસરો અને સ્થાનિક તંત્ર સાથે સંકલનમાં રહીને આ પ્રક્રિયા હાથ ધરવા જણાવ્યું છે. રાજકોટ શહેરમાં ગેમ ઝોનમાં આગની ઘટનાને ધ્યાનમાં રાખીને આ સૂચનાઓ જારી કરવામાં આવી છે.
-
Rajkot gaming zone fire: PM મોદીએ મુખ્યમંત્રી પાસેથી રાહત કાર્યની માહિતી લીધી
પીએમ મોદીએ રાજકોટ આગને લઈને ગુજરાતના સીએમ સાથે વાત કરી છે અને તેમની પાસેથી રાહત કાર્ય વિશે માહિતી લીધી છે. પીએમ મોદીએ X પર કહ્યું, ‘રાજકોટમાં લાગેલી આગની દુર્ઘટનાએ આપણા બધાને દુઃખી કરી દીધા છે. થોડા સમય પહેલા તેમની સાથેની ટેલિફોનિક વાતચીતમાં, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જીએ મને અસરગ્રસ્ત લોકોને શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે ચાલી રહેલા પ્રયાસો વિશે જણાવ્યું હતું.
-
Rajkot gaming zone fire: તમામ ગેમિંગ ઝોન બંધ કરવાનો આદેશ
આગ બાદ રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે મીડિયાને જણાવ્યું હતું કે આગના કારણની તપાસ કરવામાં આવશે અને શહેરના તમામ ગેમિંગ એરિયામાં કામગીરી બંધ કરવા માટે સંદેશો જારી કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સ પરની પોસ્ટમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં ગેમ ઝોનમાં આગની ઘટનામાં શહેરના વહીવટીતંત્રને તાત્કાલિક બચાવ અને રાહત કાર્ય હાથ ધરવા સૂચના આપવામાં આવી છે. ઘાયલોની તાત્કાલિક સારવારની વ્યવસ્થાને પ્રાથમિકતા આપવા સૂચના આપવામાં આવી છે.
-
Rajkot gaming zone fire: સાંજે 4:30 વાગ્યાથી મોતનો તાંડવ થયો હતો શરૂ
રાજકોટ કલેક્ટર પ્રભવ જોષીએ જણાવ્યું હતું કે, ‘ગેમ ઝોનમાં આગ લાગવા અંગે સાંજે સાડા ચાર વાગ્યે ફાયર કંટ્રોલ રૂમને ફોન આવ્યો હતો. આગ ઓલવવા માટે ફાયર ટેન્ડર અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. આગને કારણે માળખું ધરાશાયી થયું હતું, જેનો કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. જ્યારે આ અકસ્માત થયો ત્યારે ઉનાળાની રજાઓ અને વીકએન્ડના કારણે બાળકો સહિત અનેક લોકો ગેમ રમી રહ્યા હતા અને ઘટનાસ્થળે હાજર હતા.
-
Rajkot gaming zone fire: 2000 લીટર ડીઝલનો, 1500 લીટર પેટ્રોલનો સ્ટોર હતો, 99 રૂપિયાની સ્કીમને કારણે વધુ લોકો એકઠા થયા હતા.
ટીઆરપી ગેમ ઝોનમાં જનરેટર માટે 1500 થી 2000 લિટર ડીઝલ, ગો કાર રેસિંગ માટે 1000 થી 1500 લિટર પેટ્રોલનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. જેના કારણે આગ એટલી બધી ફેલાઈ ગઈ હતી કે આખું માળખું બળીને રાખ થઈ ગયું હતું. ગેમ ઝોનમાંથી બહાર નીકળવા અને પ્રવેશવા માટે 6 થી 7 ફૂટનો એક જ રસ્તો હતો. આજે એન્ટ્રી માટે 99 રૂપિયાની સ્કીમ હતી જેના કારણે અકસ્માત સમયે ગેમ ઝોનમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા.
-
Rajkot gaming zone fire: બાળકોએ કહ્યું- સ્ટાફ અચાનક આવ્યો અને તેમને બહાર લઈ ગયા
શનિવારે સાંજે જ્યારે આ અકસ્માત થયો ત્યારે ગેમ ઝોનમાં રમી રહેલા બાળકોએ કહ્યું કે અચાનક ત્યાંનો સ્ટાફ આવ્યો અને અમને કહ્યું કે આગ લાગી છે, તમે બહાર આવો, ત્યાર બાદ ત્યાંથી બધા બહાર દોડી આવ્યા હતા પરંતુ કેટલાક લોકો બહાર આવી શક્યા ન હતા. પહેલા માળેથી બહાર નીકળવાનો એક જ રસ્તો હતો.
-
Rajkot gaming zone fire: ગેમિંગ ઝોનને NOC મળ્યું નથી
રાજકોટ ગેમ ઝોન અકસ્માત કેસમાં કલેકટરે જણાવ્યું હતું કે આગ વીજ કારણોસર લાગી હતી. જો કે હજુ સુધી મુખ્ય કારણ બહાર આવ્યું નથી. આ ગેમિંગ ઝોનને ફાયર વિભાગ તરફથી એનઓસી મળી ન હતી. આ અંગે વધુ માહિતી વિભાગમાંથી જ મળશે.
-
Rajkot gaming zone fire: ભીષણ આગને કારણે આખું સ્ટ્રક્ચર ધરાશાયી
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભીષણ આગને કારણે સ્ટ્રક્ચર ધરાશાયી થઈ ગયું અને લોકો તેની અંદર દટાઈ ગયા. જેના કારણે આગ વધુ ભયાનક બની હતી. માળખામાં દટાયેલા લોકો બહાર ન આવી શક્યા અને ઘણા લોકોએ જીવ ગુમાવ્યા. મૃતકોમાં 9 બાળકોનો પણ સમાવેશ થાય છે. આગ લાગી ત્યારે બાળકો સહિત ઘણા લોકો રમત રમી રહ્યા હતા.
-
રાજકોટ ગેમઝોન દુર્ઘટના SIT ના સભ્યો
–સુભાષ ત્રિવેદી , અધિક પોલીસ મહાનિર્દેશક , સીઆઇડી ક્રાઇમ , અધ્યક્ષ –બંછાનિધી પાની , કમિશ્નર ટેકનીકલ એજ્યુકેશન ,સભ્ય –એચ પી સંઘવી , ડાયરેક્ટર , ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી , ગાંધીનગર ,સભ્ય –જે એન ખડીયા , ચીફ ફાયર ઓફિસર , અમદાવાદ,સભ્ય –એમ બી દેસાઇ સુપ્રિટેન્ડીંગ એન્જીનિયર ,ક્વોલિટી કંટ્રોલ માર્ગ અને મકાન વિભાગ ,સભ્ય
-
Rajkot gaming zone fire: ગેમિંગ ઝોનના માલિક, મેનેજર સહિત ત્રણની ધરપકડ
- પોલીસે રાજકોટ ગેમ ઝોનના સંચાલક અને માલિક સહિત 3 લોકોની ધરપકડ કરી છે.
- SIT વરિષ્ઠ IPS અધિકારી સુભાષ ત્રિવેદીના નેતૃત્વમાં 5 અધિકારીઓની તપાસ કરશે.
- આ ગેમિંગ ઝોનના માલિક યુવરાજસિંહ સોલંકી અને નિતિન જૈન મેનેજર હોવાનું બહાર આવ્યું છે.
-
Rajkot gaming zone fire: રાજ્ય સરકારે જાહેર કરી આટલી સહાય
રાજકોટ આગ ઘટનામાં રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાનું વળતર આપશે. આ સંદર્ભે, એક વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરવામાં આવી છે અને તેને સમગ્ર મામલાની તપાસની જવાબદારી સોંપવામાં આવી છે.
-
Rajkot gaming zone fire: અગ્નિકાંડ મુદ્દે ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીનું નિવેદન
-
Rajkot gaming zone fire: સ્વજનોના સેમ્પલ લેવાયા
- માતા-પિતા અથવા ભાઈ-બહેનના સ્વજનોના સેમ્પલિંગ લેવાયા છે.
- DNA ટેસ્ટ બાદ જ મૃતદેહોની ઓળખ થશે.
- રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હાલ મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે.
-
Rajkot gaming zone fire: દુર્ઘટના બાદ મોરબી તંત્ર હરકતમાં
- રાજકોટ ગેમ ઝોનમાં ઘટેલ દુર્ઘટના બાદ મોરબી તંત્ર હરકતમાં
- જિલ્લા કલેકટરના આદેશ બાદ ચાર ગેમ ઝોન બંધ કરાવવામાં આવ્યા
- વહીવટી તંત્ર અને પાલિકાની ટિમ દ્વારા તાત્કાલિક ગેમ ઝોન બંધ કરાવવામાં આવ્યા
- મોરબીમાં જીલ્લા કલેકટર કે બી ઝવેરી એ ગેમઝોન બંધ કરવા આદેશ આપ્યા હતા
- થ્રીલ ચિલ, યોગાટા, લેવલ અપ અને પપ્પાજી ફન વર્લ્ડ નામના ગેમ ઝોન બંધ કરાયા
- હજી પણ ક્યાંય ગેમ ઝોન ચાલુ હોય તો પાલિકાની ટિમ ત્યાં જઈને બંધ કરાવે છે
-
ગુજરાતમાં બનેલી ગોઝારી ઘટનાં તરફ એક નજર
TRP ગેમઝોન અગ્નિકાંડ તારીખ 25/05/2024ના રોજ બનાવ ટીઆરપી મોલમાં લાગી હતી આગ ઘટનામાં 24 લોકોના મોત થયા ઘટનામાં 12 બાળકોના કરૂણ મોત
——————— સુરતનો તક્ષશિલાકાંડ તારીખ 24/05/2019 ના રોજ બનાવ આર્કેટ બિલ્ડિંગમાં બની હતી ઘટના કોચિંગ સેન્ટરમાં લાગી હતી ભીષણ આગ ઘટનામાં 22 વિદ્યાર્થીઓના મોત થયા હતા ————————
મોરબીનો પુલ કાંડ તારીખ 30/10/2022ના રોજ બનાવ મચ્છુ નદી પરનો ઝુલતો પુલ તૂટી પડ્યો હતો અંદાજે 135 લોકોના મોત થયા હતા
—————————- બરોડાનો હરણી બોટકાંડ તારીખ 18/01/2024ના રોજ બનાવ બન્યો બોટકાંડમાં 12 બાળકોના મોત થયા હતા બે શિક્ષકો મળી કુલ 14 લોકોએ જીવ ગુમાવ્યા હતા ——————–
બનાસકાંઠા બાળકોની હોસ્પિટલમાં આગ તારીખ 15/04/2023ના રોજ બનાવ બન્યો હોસ્પિટલના NICUમાં વિભાગમાં લાગી હતી આગ ઘટનામાં એકનું મોત, જ્યારે બે ઈજાગ્રસ્ત થયા હતા
-
Rajkot gaming zone fire: રાજકોટની ઘટનાને લઈ સુરતમાં ફાયર વિભાગ એક્શનમાં
- રાજકોટની ઘટનાને લઈ સુરતમાં ફાયર વિભાગ આવ્યું હરકતમાં
- ફાયર વિભાગ દ્વારા તમામ ગેમઝોનમાં તપાસ
- ગેમઝોનમાં ફાયર સેફટીના સાધનોની ચકાસણી કરાઈ
- ફાયર વિભાગ દ્વારા ડોક્યુમેન્ટની ચકાસણી કરાઈ
- સુરતમાં પણ ગેમ ઝોન પતરાના શેડમાં બનેલા જોવા મળ્યા
- ગેમ ઝોનમાં તમામ રમતના સાધનો ઇલેક્ટ્રિક
- બાળકોને રમવાની વસ્તુ પણ ફાયબરની
- છત પર થર્મોકોલની શીટ લગાવી કવર કરાયું
-
Rajkot gaming zone fire: અગ્નિકાંડ મુદ્દે ગુજરાત કોંગ્રેસ પ્રમુખનું મોટું નિવેદન
રાજકોટ ગેમઝોન બાબતે શક્તિસિંહ ગોહિલે દુઃખ વ્યક્ત કર્યું છે. માણસના મૃત્યુથી વધુ કંઈ જ ના હોઈ શકે તેવું તેમણે જણાવ્યું હતું. વારંવારની આવી ઘટનાઓ બાદ પણ સરકારના પેટનું પાણી નથી હલતું એ દુઃખદ હોવાનું શક્તિસિંહે જણાવ્યું હતું.
રાજકોટ ગેમઝોન બાબતે શક્તિસિંહ ગોહિલે દુઃખ વ્યક્ત કર્યું | TV9Gujarati#rajkot #shaktisinghgohil #rajkot #fire #trpgamezone #fireincident #smoke #gujarat pic.twitter.com/ssBuQARVpy
— Tv9 Gujarati (@tv9gujarati) May 25, 2024
-
Rajkot gaming zone fire: AIIMS રાજકોટની ટીમ સિવિલ પહોંચી
- રાજકોટમાં AIIMS રાજકોટની ડોક્ટર ટીમ સિવિલ પહોંચી
- AIIMS રાજકોટમાં 30 બેડ તૈયાર રાખ્યા
-
Rajkot gaming zone fire: હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના
- ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા માટે રવાના
- ઘટના સંબંધી સમગ્ર તપાસ ઉપર રાખશે નજર
- ઘટનાસ્થળ અને હોસ્પિટલની પણ લેશે મુલાકાત
-
રાજકોટ અગ્નિ કાંડ મુદ્દે SITની કરાઈ રચના
- રાજકોટ અગ્નિ કાંડની તપાસ માટે રાજ્ય સરકારની સૂચનાથી SITની રચના
- IPS સુભાષ ત્રિવેદીના વડપણ હેઠળ SITની કરાઈ રચના
- સિનિયર પોલીસ અધિકારીઓનો SITમાં સમાવેશ
-
રાજકોટ અગ્નિકાંડ મુદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ CM સાથે કરી ટેલીફોનીક વાતચીત
માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટમાં સર્જાયેલી આગની ઘટના સંદર્ભમાં CM સાથે ટેલીફોનીક વાતચીત કરીને ઘટનાની વિગતો જાણી હતી અને આ અંગે દુ:ખની લાગણી વ્યક્ત કરી હતી. તેઓએ આ દુઘર્ટનાની સંપૂર્ણ તપાસ કરીને કસૂરવાર લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરવા માટે પણ દિશાનિર્દેશ આપ્યા છે.
-
રાજકોટ અગ્નિ કાંડની તપાસ માટે SITની કરાઇ રચના
- રાજકોટ અગ્નિ કાંડની તપાસ માટે રાજ્ય સરકારની સૂચનાથી SITની રચના
- IPS સુભાષ ત્રિવેદીના વડપણ હેઠળ SITની કરાઈ રચના
- સિનિયર પોલીસ અધિકારીઓનો SITમાં સમાવેશ
-
રાજકોટમાં આગની દુર્ઘટનાને લઈ CMએ જાહેર કરી સહાય
- રાજકોટમાં આગની દુર્ઘટના હૃદય કંપાવનારી છે.
- આ ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિઓ અને તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું.
- ઈજાગ્રસ્તો સત્વરે સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું.
- રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂપિયા ૪ લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા 50 હજારની સહાય કરશે.
- આવી ઘટના ફરી ન સર્જાય તે સુનિશ્ચિત કરવું ખૂબ જરૂરી છે.
- આ ઘટનામાં કોઈપણ પ્રકારની લાપરવાહીને સાંખી લેવામાં આવશે નહીં.
- આ અંગે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરીને સમગ્ર ઘટનાની તપાસ સોંપવામાં આવી છે.
-
રાજકોટ અગ્નિકાંડને લઈ પરસોતમ રૂપાલા ટ્વીટ
- રાજકોટ ખાતે TRPગેમ ઝોનમાં આગ લાગવાથી સર્જાયેલી દુર્ઘટના વિશે સાંભળીને શોકની લાગણી અનુભવું છું.
- આ ગંભીર દુર્ઘટનામાં રાહત, બચાવ અને ઈજાગ્રસ્તોને ઝડપી સારવાર આપવા માટે કલેકટર, પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર સાથે ચર્ચા કરી.
-
રાજકોટ ઘટનાને લઈ વિજયરૂપાણીએ કર્યુ ટ્વીટ
- રાજકોટ અગ્નિકાંડને લઈ વિજયરૂપાણીએ કર્યુ ટ્વીટ
- હાલ હું પંજાબ છું, રાજકોટથી સમાચાર મળ્યા છે કે કાલાવાડ રોડ ગેમઝોનમાં આગ લાગવાને કારણે દુઃખદ દુર્ઘટના સર્જાઇ છે.
- નાના બાળકો અને અમુક વાલી અને કર્મચારીઓના દુઃખદ અવસાનના સમાચાર મળેલ છે.
- ખૂબ દુઃખ થયુ છે ઇશ્વર સૌને દુ:ખ સહન કરવાની શક્તિ આપે.
- આગમાં ભોગ બનેલ તમામ પ્રત્યે દુઃખની લાગણી અને સંવેદના વ્યક્ત કરુ છું.
-
આવતી કાલથી રાજ્યના તમામ ગેમ ઝોનનું થશે ઇન્સ્પેકશન
- રાજ્યના તમામ ગેમ ઝોનનું આવતી કાલથી થશે ઇન્સ્પેકશન
- રાજ્યના તમામ ગેમ ઝોનને બંધ કરવાની અપાઈ સૂચના
- તમામ જિલ્લા કલેકટરને અપાઈ મૌખિક સૂચના
- રાજ્ય સરકાર દ્વારા બીજો હુકમ ના થાય ત્યાં સુધી બંધ રહેશે ગેમઝોન
-
રાજકોટ ગેમીંગ ઝોનની આગ ઘટના બાદ સુરત પોલીસ કમિશનર એક્શનમાં
- રાજકોટ ગેમીંગ ઝોનની આગમાં મામલો.
- સુરત પોલીસ કમિશનર ની સૂચના.
- CP અનુપમસિંહ ગહેલોત દ્વારા કોડીનેટ કરવામાં આવ્યા.
- સુરત પાલીસ,કલેકટર અને પાલિકા એક્શન મોડમાં.
- પોલીસ,ફાયર,DGVCL ની ટિમ સાથે રાખી હાથ ધરશે તપાસ
- ફાયરબ્રીગેડ, એસ્ટેટ સહીતના અધિકારીઓ કરશે તપાસ
- શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ગેમીંગ ઝોનમાં કરશે તપાસ.
-
રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ તમામ ગેમ ઝોન કરાશે બંધ
- રાજકોટના તમામ ગેમઝોન બંધ કરવાનો હુકમ
- તમામ ગેમઝોનમાં ઓડિટ કરવામાં આવશે – પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ
-
રાજકોટ ગેમ ઝોન આગ મામલો, CM એ કર્યું ટ્વિટ
- રાજકોટ ગેમ ઝોન આગ મામલો
- સીએમ ભૂપેન્દ્ર પટેલએ રાજકોટ કલેકટર સાથે કરી વાતચીત
- સમગ્ર વહીવટી તંત્રને તાત્કાલિક ધોરણે ઘટનાને લઈ યોગ્ય કવાયત કરવા આદેશ
- ઇજાગ્રસ્તો તાત્કાલિક સારવાર મળે એ માટે કર્યો જરૂરી પગલાં લેવા નિર્દેશ
-
રાજકોટ આગ દુર્ઘટનામાં 12 એમ્બ્યુલન્સ પહોંચી હતી ઘટના સ્થળે
રાજકોટ નાનામોવા રોડ પર આવેલા ખાનગી ગેમઝોનમાં લાગી ભીષણ આગની ઘટનામાં 1 કિલોમીટર સુધી આગના ધુમાડા દેખાયા હતા. ઘટના બાદ 12 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી.
-
રાજકોટમાં બેજવાબદાર લોકોનું ગેમિંગ ઝોન બન્યું 24 લોકોના મોતનું કારણ
રાજકોટના નાનામોવા રોડ પર ગેમઝોનમાં ભીષણ આગમાં 24ના મોત થયા છે. સયાજી હોટલ પાસે TRP ગેમઝોનમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. આગની ઘટનામાં 24 લોકોની મોત થવાની વાત સામે આવી છે જેમાં 12 બાળકો નો સમાવેશ થાય છે. એક કિમી સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા. મહત્વનું છે કે આખા રાજ્યણી ફેરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. આગ લાગતા ગેમઝોન બળીને ખાખ થયું છે. અમદાવાદના TRP ગેમઝોન બાદ રાજકોટમાં આ ઘટના બની છે.
Published On - May 25,2024 10:09 PM





