AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RAJKOT : ધોરાજીમાં અતિવૃષ્ટિથી ખેતરોમાં ઉભા પાકને ભારે નુકસાન, સર્વેની કામગીરીને લઇને ખેડૂતોના સવાલો

ધોરાજીના ખેડૂતોનું કહેવું છે કે ધોરાજી પંથકના ખેડૂતોની હાલત છેલ્લા બે વર્ષથી કફોડી છે. અતિ વૃષ્ટિ લોક ડાઉન અને માવઠા જેવા માર સહન કર્યા છે. અને આર્થિક નુકસાન પણ ભોગવ્યું છે.

RAJKOT : ધોરાજીમાં અતિવૃષ્ટિથી ખેતરોમાં ઉભા પાકને ભારે નુકસાન, સર્વેની કામગીરીને લઇને ખેડૂતોના સવાલો
RAJKOT: Heavy rains in Dhoraji cause severe damage to standing crops, farmers' questions regarding survey work
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2021 | 11:45 AM
Share

રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ભાદરવામાં પડેલ ધોધમાર વરસાદને કારણે ખેતરોમાં ઉભા પાકને ભારે નુક્સાન થયું છે. સરકારે સર્વે કરવાની ખાત્રી તો આપી. પરંતુ સર્વેની ઢીલી કામગીરીથી ખેડૂતોમાં પણ રોષ છે. અને ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ પણ સર્વેની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે.

ભાદરવામાં આફત બની અને વરસેલા વરસાદએ ખેતરોમાં વિનાશ વેર્યો, ખેતરોમાં ઉભો પાક ભારે વરસાદને કારણે નષ્ટ થઈ ગયો, ધોરાજીમાં ખેડૂતોએ અનેક આકાશી અને માનવ સર્જિત આફતોનું સામનો કરી ચૂક્યા હતા. આ વર્ષ ધોરાજીના ધરતી પુત્રોને આશા હતી કે વરસાદ સારો થશે. પાકનું ઉત્પાદન સારું મળશે. અને બજારમાં પાકના સારા ભાવ મળશે. તો ધરતી પુત્રો દેવાના ડુંગરમાંથી બહાર આવશે. આવી આશાએ ધોરાજીના ખેડૂતોએ કપાસ, મગફળી, સોયાબીન અને એરંડા જેવા વિવિધ પાકોનું વાવેતર કર્યું. મોંઘા ભાવના બિયારણ જંતુનાશક દવા ખાતર સહિતના ખર્ચ કરી અને વાવેતર કર્યું અને પાક લેવાનો સમય આવ્યો. ત્યારે ભાદરવા મહિનામાં પડેલ ભારે વરસાદથી ખેડૂતોનો ઊભો પાક બળી ગયો, અને પાકમાં આવેલ ફાલ ખરી ગયો, આમ ખેડૂતોના મોઢા સુધી આવેલ કોળિયો છીનવાઈ ગયો.

ધોરાજીના ખેડૂતોનું કહેવું છે કે ધોરાજી પંથકના ખેડૂતોની હાલત છેલ્લા બે વર્ષથી કફોડી છે. અતિ વૃષ્ટિ લોક ડાઉન અને માવઠા જેવા માર સહન કર્યા છે. અને આર્થિક નુકસાન પણ ભોગવ્યું છે. આ વર્ષે પણ ભાદરવામાં વરસેલા ભરપૂર વરસાદને કારણે ખેતરોમાં ઉભો પાક બળી ગયો છે. ખેડૂતોના મોઢા સુધી આવેલ કોળિયો છીનવાઈ ગયો. અને હવે ખેડૂતો પાસે માત્ર ને માત્ર મહેનત સિવાય કાઈ બચ્યું નથી. ખેડૂતો એ એક વીઘા દીઠ આઠ થી દસ હજારનો ખર્ચ કર્યો તમામ ખર્ચ પાણીમાં ગયો.

ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ પણ સર્વેની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા. લલિત વસોયા એ કહ્યું કે ધોરાજી ઉપલેટાના ભાદર-2, મોજ, વેણુ સહિતના ડેમો ઓવરફલો થયા અને ડેમમાંથી પાણી છોડવાને કારણે અને ભારે વરસાદ વરસતા પાકને પુષ્કળ પ્રમાણમાં નુકસાન અને ધોવાણ થયું છે. સર્વેના અધિકારીઓ સર્વેની કામગીરીમાં ઢીલી નીતિ અપનાવી રહ્યા છે.

ખેડૂતો સરકાર સમક્ષ ફરી રી સર્વે કરવા માંગ કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે ધિરાણએ નાણા લઈ અને વાવેતર કર્યું છે. હવે જો સહાય નહિ મળે તો શિયાળુ પાક વાવેતર નહિ કરી શકે.

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
g clip-path="url(#clip0_868_265)">