કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની રાણીપમાં ધારાસભ્ય અરવિંદ પટેલના નિવાસસ્થાને બેઠક પૂર્ણ, એનેક્સી ખાતે અધિકારીઓ સાથે બેઠક

તો અમદાવાદમાં ધારાસભ્યો બાદ ગૃહપ્રધાન અમિત શાહની અધિકારીઓ સાથે બેઠક યોજાઇ છે. અમદાવાદ એનેક્સી ખાતે આ બેઠક મળી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 06, 2021 | 2:51 PM

ગૃહપ્રધાન અમિત શાહે ગુજરાત પ્રવાસના આજના ત્રીજા દિવસે બેઠકોનો દોર ચલાવ્યો. તેમણે અમદાવાદના રાણીપમાં ધારાસભ્ય અરવિંદ પટેલના નિવાસસ્થાને બેઠક યોજી. જેમાં સીએમ ભુપેન્દ્ર પટેલ સહિત ગાંધીનગર લોકસભાના ધારાસભ્યો હાજર રહ્યા. આ બેઠકમાં મતદાર યાદી સુધારણા અંગેની ચર્ચા કરવામાં આવી. બેઠક પૂર્ણ થયા બાદ ધારાસભ્ય અરવિંદ પટેલે કહ્યું કે- બેઠકમાં કોઈ ચૂંટણી લક્ષી મુદ્દો ચર્ચાયો નથી. ફક્ત મતદાર યાદીમાં કોઈ મતદાતાનું નામ રહી ન જાય. નવા નામો ઉમેરાય અને મતદાતાને કોઈ મુશ્કેલી ન પડે તે પ્રકારનું આયોજન કરવા અંગેની ચર્ચા થઈ છે.

તો અમદાવાદમાં ધારાસભ્યો બાદ ગૃહપ્રધાન અમિત શાહની અધિકારીઓ સાથે બેઠક યોજાઇ છે. અમદાવાદ એનેક્સી ખાતે આ બેઠક મળી છે. આ બેઠકમાં શહેર પોલીસ કમિશનર, મુખ્ય સચિવ હાજર રહ્યાં છે. તથા, આઈ.એ.એસ. અધિકારી વિજય નહેરા પણ બેઠકમાં હાજર રહ્યાં છે. તો અમદાવાદ કલેકટર સંદીપ સાંગલે પણ હાજર રહ્યાં છે. આ ઉપરાંત, બેઠકમાં રાકેશ શંકર, સેક્રેટરી, પ્લાનિંગ વિભાગ, જી.એ.ડી. વિભાગ પણ હાજર રહ્યા છે.

નોંધનીય છેકે અમિત શાહ છેલ્લા 3 દિવસથી ગુજરાતની મુલાકાતે છે. તેમણે પરિવાર સાથે દિવાળી અને નૂતનવર્ષની ઉજવણી કરી હતી. ત્યારે આજે ભાઇબીજના દિવસે તેમણે ગુજરાતમાં બેઠકોનો દૌર શરૂ કર્યો છે. જેને આગામી વિધાનસભા ચૂંટણી તૈયારીરૂપે જોવાઇ રહી છે.

આ પણ વાંચો : AIIMSના ડૉક્ટરે WHOની ચેતવણીને નકારી ! કહ્યું-પહેલેથી જ મોટી સંખ્યામાં લોકો સંક્રમિત છે, કોરોનાની આગામી લહેર શક્ય નથી

Follow Us:
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">