Bhakti: મા ખોડલનાં પ્રાગટ્ય દિને જાણો તેમની પ્રગટભૂમિ રોહિશાળાનો મહિમા

સમગ્ર ગુજરાતમાં મા ખોડલના અનેક સ્થાનકો આવેલા છે. પણ, તેમાં ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકામાં આવેલ રોહિશાળા ધામનો મહિમા જ અદકેરો છે. રોહિશાળા જ મનાય છે મા ખોડિયારનું મૂળ સ્થાનક. કારણ કે, રોહિશાળા જ તો છે મા ખોડિયારની જન્મભૂમિ !

Bhakti: મા ખોડલનાં પ્રાગટ્ય દિને જાણો તેમની પ્રગટભૂમિ રોહિશાળાનો મહિમા
રોહિશાળાની મા ખોડિયાર
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Feb 20, 2021 | 10:36 AM

ખોડલ તણું ખોટું નહીં, આપે માંગ્યું માત । સંકટ સમયે સમરતાં, સહાય કરતાં માત ।।

મા ખોડિયાર (KHODIYAR) તો છે આદ્ય ભવાની. તે તો છે સૌના દુ:ખડા હરતી, પરકૃપાળુ પરમેશ્વરી. જ્યારે જ્યારે જરૂર પડી છે, ત્યારે ત્યારે ‘શક્તિ’એ ધરતી પર અવતાર ધરીને તેમના ભક્તોની રક્ષા કરી છે. ધરતી પર અવતરીત થયેલાં માના આઈ સ્વરૂપો પણ હંમેશા જ તેમના ભક્તોની રક્ષા માટે તત્પર રહ્યા છે. અને મા ખોડલ પણ તેમાંથી જ એક છે. સમગ્ર ગુજરાતમાં મા ખોડલના અનેક સ્થાનકો આવેલા છે. પણ, તેમાં ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકામાં આવેલા રોહિશાળા ધામનો મહિમા જ અદકેરો છે. રોહિશાળા જ મનાય છે મા ખોડિયારનું મૂળ સ્થાનક. કારણ કે, રોહિશાળા જ તો છે મા ખોડિયારની જન્મભૂમિ !

દંતકથા અનુસાર લગભગ 1200 વર્ષ પૂર્વે મા ખોડિયાર આ ધરા પર પ્રગટ થયા હતા. મા ખોડલે તેમના જીવનનો મોટાભાગનો સમય આ ધરા પર જ પસાર કર્યો હતો. અને એ જ કારણ છે કે શ્રદ્ધાળુઓને મન આ ધામના દર્શનનો સવિશેષ મહિમા છે. મા ખોડિયારનું આ સ્થાનક આઈશ્રી આવડ ખોડલના નામે પ્રસિદ્ધ છે. માતા અહીં તેમની છ બેન અને એક ભાઈ સાથે બિરાજમાન છે. અહીં દર્શનાર્થે આવનાર શ્રદ્ધાળુઓને આ આઠેયના એકસાથે દર્શન થઈ રહ્યા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આઈશ્રી આવડ ખોડલ મંદિરના પરિસરમાં જ વરખડીનું એક પણ વૃક્ષ આવેલું છે. આ વૃક્ષ સદીઓ જૂનું છે. અને છતાંય એવું જ લીલું છે. આ જ વૃક્ષ નીચે પારણામાં મા ખોડલનું પ્રાગટ્ય થયું હોવાની લોકવાયકા છે. અને એ જ કારણ છે કે જે શ્રદ્ધાળુઓ અહીં મા ખોડિયારના દર્શનાર્થે આવે છે, તે આ વરખડીના દર્શન કરવાનું પણ ચૂકતાં નથી. અહીં વૃક્ષ નીચે મા ખોડિયારની અત્યંત ભાવવાહી પ્રતિમાનું સ્થાપન થયું છે.

મા ખોડિયારે સદેહે તો આ ભૂમિ પર કેટલાય દુ:ખિયાના દુ:ખ-દર્દ દૂર કર્યા. અને આજે અહીં મૂર્તિ સ્વરૂપે મા ભક્તોને પરમશાંતિની અનુભૂતિ કરાવી રહ્યા છે. શ્રદ્ધાળુઓનું માનીએ તો પરમકૃપાળુ પરમેશ્વરી મા ખોડલ ક્યારેય કોઈને નિરાશ નથી કરતા. મા ખોડલના તો અનેક પરચા અહીં આવનારા શ્રદ્ધાળુઓને મળતા જ રહ્યા છે.

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">