જાણો અમદાવાદના શાહપુરમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવા યોજાયેલી કૅંડલ માર્ચ દરમિયાન થયેલા પથ્થરમારા અને જૂથ અથડામણનું શું છે સત્ય ?

પુલવામા આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં લોકો શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવા માટે શોકમાર્ચ કાઢી રહ્યા છે, ત્યારે અમદાવાદના શાહપુરમાં ગઈરાત્રે આવી જ એક શોકમાર્ચ દરમિયાન તોફાનો થઈ ગયાં. TV9 Gujarati   Web Stories View more IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ […]

જાણો અમદાવાદના શાહપુરમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવા યોજાયેલી કૅંડલ માર્ચ દરમિયાન થયેલા પથ્થરમારા અને જૂથ અથડામણનું શું છે સત્ય ?
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2019 | 8:25 AM

પુલવામા આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં લોકો શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવા માટે શોકમાર્ચ કાઢી રહ્યા છે, ત્યારે અમદાવાદના શાહપુરમાં ગઈરાત્રે આવી જ એક શોકમાર્ચ દરમિયાન તોફાનો થઈ ગયાં.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

શાહપુરના નાગોરીવાડ વિસ્તારમાં ગઈકાલે મોડી સાંજે અચાનક પથ્થરમારો શરુ થયો અને પછી જૂથ અથડામણ પણ થઈ. આ દરમિયાન કેટલીક ગાડીઓને આગને હવાલે કરી દેવાઈ.

શાહપુરમાં થયેલી આ હિંસક ઘટના વિશે ચોતરફ ચર્ચા એવી છે કે સીઆરપીએફ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પવા યોજાયેલી કૅંડલ માર્ચ પર કેટલાક ટીખળખોર લોકોએ પથ્થરમારો કર્યો અને ત્યાર બાદ જૂથ અથડામણ થઈ.

પરંતુ હકીકત શું છે ? જ્યારે દેશ આખો પાકિસ્તાન વિરુદ્ધ એકજુટ છે, ત્યારે શાહપુરના લોકોએ પણ એકતા બતાવી અને હિન્દુ-મુસ્લિમ સહિત તમામ લોકોએ મળી કૅંડલ માર્ચનુ આયોજન કર્યુ હતું. એવામાં કૅંડલ માર્ચ પર પથ્થરમારો કોઈ કેમ કરે ?

મળતી માહિતી મુજબ પથ્થરમારો અને જૂથ અથડામણની આ સમગ્ર ઘટના પાછળ કૅંડલ માર્ચ દરમિયાન નિકળેલો એક વરઘોડો જવાબદાર છે. કૅંડલ માર્ચ દરમિયાન જ વરઘોડો પસાર થતાં કેટલાક લોકોને ગમના માહોલમાં કદાચ આવો વરઘોડો રૂચ્યો નહીં અને કોઈએ પથ્થરમારો કર્યો. પથ્થરમારો શરુ થયા બાદ વરઘોડામાં ભાગદોડ મચી ગઈ અને પછી ઉશ્કેરાયેલા ટોળાએ આગચંપી કરતા એક ગાડી બળીને ખાખ થઈ ગઈ.

માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગૅસના 5 સેલ છોડવાની ફરજ પડી. બે કલાક બાદ મામલો શાંત પડ્યો. આ અંગે પોલીસે કૉમ્બિંગ કરી 20થી વધુ લોકોની અટકાયત કરી છે.

[yop_poll id=1507]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">