AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જામનગર : એક પરીવારના 6000 વસ્તી ધરાવતુ અનોખુ ગામ મસીતીયા, આઝાદી પછી 2 વખત જ થઈ છે ચુંટણી

આ ગામની અંદર વસ્તી અંદાજે છ હજાર છે. રસોડા અલગ હશે. પરંતુ પરીવાર એક જ છે. ગુજરાતમાં આવુ ગામ કયાય નથી. આ ગામમાં કોઈ ઝગડા કે મતભેદ નથી. દરેક ગ્રામજનો પરીવારના સભ્ય છે તમામ હળીમળીને રહે છે.

જામનગર : એક પરીવારના 6000 વસ્તી ધરાવતુ અનોખુ ગામ મસીતીયા, આઝાદી પછી 2 વખત જ થઈ છે ચુંટણી
Divyesh Vayeda
| Edited By: | Updated on: Mar 06, 2023 | 8:11 AM
Share

જામનગર નજીક આવેલુ મસીતીયા ગામ, જે ગુજરાતભરમાં અનોખુ ગામ છે. અહીં રહેતા તમામ લોકો એક જ પરીવારના સભ્યો છે. એટલે તમામ લોકોની એક જ અટક છે. ગામની વસ્તી 6 હજારથી વધુની છે. અને ગામમાં એક પરીવારના લોકો વસવાટ કરતા હોવાથી હળમળીને મતભેદ કે વિવાદ વગર રહે છે. ગામમાં આઝાદી બાદથી હાલ સુધી માત્ર 2 વખત જ ચુંટણી થઈ છે.

આ પણ વાંચો :Gujarat weather latest Update: અમદાવાદ-ગાંધીનગરમાં વાદળછાયા વાતાવરણ સાથે પવન ફૂંકાયો, બનાસકાંઠા, જામનગરમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ

મોટાભાગે બીન હરીફ ઉમેરવાદ હોવાથી ચુંટણી થતી નથી. ગામનુ નામ મસીતીયા છે. હાલ મસીતીયા ગામના સરપંચ કારા મુસાક ખફી છે. પરંતુ તે સુમરા ખફીનુ ગામ તરીકે પણ ઓળખાય છે. અંહી વસવાટ કરતા લોકો તમામ સુમરા જ્ઞાતિના ખફી કુંટુંબના છે. કુંટુંબ મોટુ હોવાથી એક છત નીચે નથી રહેતા પરંતુ એક ગામની સીમમાં જ રહે છે.

આ ગામની અંદર વસ્તી અંદાજે છ હજાર છે. રસોડા અલગ હશે. પરંતુ પરીવાર એક જ છે. ગુજરાતમાં આવુ ગામ કયાય નથી. આ ગામમાં કોઈ ઝગડા કે મતભેદ નથી. દરેક ગ્રામજનો પરીવારના સભ્ય છે તમામ હળીમળીને રહે છે.

ગામનો ઈતિહાસ

એક પરીવારના લોકો એક જ ગામ હોવાનુ કારણ માનવામાં આવે છે. વર્ષો પહેલા જામનગરની સ્થાપના કરનાર રાજા સાથે આવેલા તેના અંગરક્ષક ખફી હતા. જેને આ ગામની જમીન ગરાસમાં રાજાએ આપી હતી. અને જમીન પર કોઈ પ્રકારના વેરા કે સાલીયાણા લેવામાં આવતા ન હતા. બાદ રાજવી પરીવારમાં તે વખતના યુવરાજનો જન્મ થતા ગામજનોએ પુત્રના જન્મની ખુશી ભેટમાં વેરા ભરવાનુ સ્વેચ્છાએ શરૂ કર્યુ હતુ. જામનગરની સ્થાપના થઈ ત્યારથી મસીતીયા ગામ ખફી પરીવારનુ ગામ બન્યુ છે. અને વર્ષો બાદ પણ આજે પણ આ ગામમાં ખફી સિવાયનુ એક પણ પરીવાર વસવાટ કરતુ નથી.

આજ સમયમાં મોટા કુંટુંબના લોકો એક છત કે એક ફરીયામાં રહેતા નથી. ત્યારે 6 હજારથી વધુ લોકો એક જ ગામમાં વસવાટ કરે છે. ભાઈચાર અને એકતાના આ અનોખા ગામની એક પરીવારની વસ્તીએ તેને અનોખી ઓળખ આપી છે.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">