AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જામનગરના યુવા ખેડૂત દંપતીએ પ્રાકૃતિક ખેતીની સાથે રેસીપીના વીડિયોથી કરી સારી કમાણી

Jamnagar: જામનગરના ખીજડીયામાં રહેતા યુવા દંપતીએ પ્રાકૃતિક ખેતી અપનાવી, સાથે ઘરમાં જરૂરી શાકભાજી, ફળ, ધાન્યની પ્રાકૃતિક રીતે ખેતી કરે છે આ સાથે 100 ટકા શુદ્ધ સાત્વીક ખોરાકની દેશી રેસીપીના વીડિયો બનાવી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી લોકોને ખોરાક પ્રત્યે જાગૃત કરી સારી આવક પણ મેળવે છે.

જામનગરના યુવા ખેડૂત દંપતીએ પ્રાકૃતિક ખેતીની સાથે રેસીપીના વીડિયોથી કરી સારી કમાણી
Divyesh Vayeda
| Edited By: | Updated on: Mar 03, 2023 | 9:00 PM
Share

જામનગરના ખીજડીયા ગામનો વતની નિકુંજ વસોયા જેને વારસામાં ખેતી મળી છે. સાથે રસોઈની વિવિધ વાનગીઓ બનાવવાનો નાનપણથી શોખ ધરાવે છે. તેમજ ખાણીપીણીની વિવિધ વાનગીઓ માટે તે છેલ્લા 20 વર્ષમાં 50 જેટલા શહેર સહિત ભારત ભ્રમણ કર્યુ છે. તે પ્રવાસના અનુભવથી તેને ધ્યાને આવ્યુ કે લોકો મનપસંદ સ્વાદની વાનગી આરોગવા પાછળ સ્વાસ્થયને નુકસાન કરે છે. તેણે સંકલ્પ કર્યો લોકોને પોતાના મનપસંદ સ્વાદની વાનગી મળે, પરંતુ તે સ્વાસ્થ્યને નુકશાન ના કરે તેવી રીતે બનાવામાં આવે તો સ્વાદથી અને સ્વાસ્થ્ય બંન્ને જાળવી શકાય.

તેણે પોતે બહારની વસ્તુઓ, મસાલા, તેલ જેવી વસ્તુઓનો નહીવત ઉપયોગ કરીને કેવી રીતે વિવિધ વાનગીઓ બની શકે તે માટે વીડિયો તૈયાર કરવાનું શરૂ કર્યુ. લોકજાગૃતિના હેતુથી શરૂ કરવામાં આવેલ અભિયાન લોકોને એવુ પસંદ પડયુ કે આજે સોશિયલ મીડિયાના માધ્યમથી તે સારી આવક પણ મેળવે છે.

ખેડૂત દંપતી 10થી 12 કલાકની મહેનત કરી પ્રાકૃતિક ખેતીથી સારુ ઉત્પાદન મેળવે છે

નિકુંજ વસોયાએ બી.કોમનો અભ્યાસ કર્યો છે અને પ્રાકૃતિક ખેતી અપનાવે છે. તે ખેતરમાં પરંપરાગત ખેતીના પાકો નહીં, પરંતુ ઘરમાં જરૂરી ફળ-શાકભાજી, ધાન્યનું વાવેતર કરે છે. છેલ્લા એક વર્ષથી તેના ખેતી અને લોકજાગૃતિના અભિયાનમાં તેના પત્ની કાજલ વસોયાએ પણ સહકાર આપ્યો. પતિ-પત્નિ સાથે ખેતરમાં આશરે 10થી 12 કલાક મહેનત કરીને પ્રાકૃતિક ખેતીથી સારૂ ગુણવતાસભર ઉત્પાદન મેળવે છે. જેમાં મરચા, ફલાવર,બીટ,ગાજર, કોબી, ટમેટા, નારીયેર, દાડમ, કેળા, ઘઉ, બાજરો સહીતના 50 જેટલા પાકો ઓછા-વધુ પ્રમાણમાં જરૂરીયાત મુજબ વાવેતર કરીને ઉપજ મેળવે છે.

પ્રાકૃતિક વાનગીઓના વીડિયો શેર કરી લોકજાગૃતિનું કરે છે કામ

પતિ-પત્ની સાથે મળીને ખેતરોમાંથી ઉપજતા પાકમાંથી શુદ્ધ પ્રાકૃતિક વાનગીઓ તૈયાર કરે છે. જેમાં કોઈ પણ પ્રકારના મિશ્રણ વગરની વસ્તુઓ મળી રહે તે માટે બહારની વસ્તુ નહીવત ઉપયોગ કરે છે. સાથે ચટપટા મસાલા નહીં, પરંતુ સ્વાદ માટે કાચા મસાલાનો વધુ ઉપયોગ કરે છે. સારા સ્વાદ માટે ગેસના ચુનામાં નહીં, પરંતુ દેશી બળતણનો ઉપયોગ કરીને તેમાં પકવામાં આવે તેનો સ્વાદ વધુ પસંદ પડે છે. તેમજ ખાસ માટીના વાસણોનો ઉપયોગ વધુ કરે છે. સ્વાદીષ્ટ રસોઈની સાથે પોષ્ટીક તત્વ નાશ ના થાય કે અન્ય ભેળસેળ વારી વસ્તુ કે સ્વાસ્થ્યને નુકશાન કરી શકે તેવા તત્વો ના ઉમેરવાનુ સુચન કરે છે.

આ પણ વાંચો: Jamnagar માં હોલિકા દહન માટેની તૈયારીઓ અંતિમ તબક્કામાં, ભોઇ સમાજના લોકો તૈયાર કરે છે હોલિકાનું વિશાળ પૂતળું

રસોઈના વીડિયો લોકોને ઘણા પસંદ પડતા સો.મીડિયા દ્વારા પણ કરે છે સારી કમાણી

રસોઈની વાનગીઓમાં વધુ દેશી-કાઠીયાવાડી, ગુજરાતી વાનગીઓ વધુ હોય છે. તેમજ પંજાબી, ચાઈનીઝ વાનગી હોય અનોખી રીતે તૈયાર કરે છે. જેમાં તમામ વસ્તુઓ પ્રાકૃતિક હોય તેનો ઉપયોગ કરે છે. દંપતીએ પોતે તો પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક ખોરાકને અપનાવ્યો, પરંતુ લોકો પણ સ્વાદની સાથે સ્વાસ્થ્ય જાળવે તે માટે રસોઈના વીડિયો બનાવી, સોશિયલ મીડિયાનો ઉપયોગ ખેડૂત દંપતીએ કર્યો. જે લોકોને પસંદ પડતા હાલ સોશિયલ મીડિયામાંથી સારી કમાણી મેળવે છે.

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
g clip-path="url(#clip0_868_265)">