21 માર્ચના મોટા સમાચાર : ગુજરાતમાં કોરોનાના કેસોમાં વધારો, નવા 176 કેસ નોંધાયા, એક દર્દીનું મોત

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2023 | 6:28 AM

Gujarat Live Updates : આજ 21 માર્ચના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

21 માર્ચના મોટા સમાચાર : ગુજરાતમાં કોરોનાના કેસોમાં વધારો, નવા 176 કેસ નોંધાયા, એક દર્દીનું મોત

આજે 21 માર્ચને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 21 Mar 2023 09:54 PM (IST)

    ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ સાબરમતી મધ્યસ્થ જેલની ઓચિંતી મુલાકાત લીધી

    મધ્યસ્થ જેલની અલગ અલગ બેરેક ઉપરાંત રસોઈ ઘર અને જેલની હોસ્પિટલનું પણ સ્વનિરીક્ષણ કર્યું. બે કલાકથી વધુ સમય સુધી જેલની તમામ વ્યવસ્થાના કરાયેલા નિરીક્ષણ બાદ મંત્રીએ જેલના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી જરૂર સૂચનો કર્યા હતા. રીઢા ગુનેગારોને કટ્ટરવાદી માનસિકતામાંથી બહાર લાવવા અને તેમને સમાજના પ્રવાહમાં પુનઃ જોડવા માટે વિશેષ કાર્ય યોજના તૈયાર કરવા મંત્રીએ આદેશ આપ્યા હતા.

  • 21 Mar 2023 09:13 PM (IST)

    અમરેલીના રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે સ્થાનિક નદીઓમાં પૂર જેવી સ્થિતિ

    અમરેલી જિલ્લાના રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ભારે કમોસમી વરસાદને કારણે સ્થાનિક નદીઓમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જેમાં રાજુલના વાવેરા, વણોટ, ઘાડલા સહિતના ઉપરવાસના ગામડાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેમાં ભારે વરસાદને કારણે ઘાણો નદીમાં પૂર આવ્યું છે.તો બીજી તરફ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન જવાની ભીતિ છે.જેને લઇ ધરતીપુત્રો ચિંતિત બન્યાં છે. આ તરફ અમરેલી જિલ્લાના બગસરા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો.. સતત વરસી રહેલા વરસાદને કારણે ખેડૂતોને તૈયાર પાકને નુકસાન જવાની ભીતિ છે.સતત વરસી રહેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

  • 21 Mar 2023 08:46 PM (IST)

    Rajkot જિલ્લામાં બનશે 14 જ્ઞાન સેતુ ડે સ્કૂલ, વિદ્યાર્થીઓને મળશે ગુણવત્તાયુક્ત નિ:શુલ્ક શિક્ષણ

    ગુજરાત સરકાર દ્વારા આગામી શૈક્ષણિક સત્ર 2023-24 થી સામાજિક ભાગીદારી દ્વારા જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કુલ, જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસીડેન્સીયલ સ્કૂલ, જ્ઞાનસેતુ ડે સ્કુલ અને રક્ષાશક્તિ સ્કૂલ વિવિધ જિલ્લાઓમાં બનવા જઈ રહી છે. આ શાળાઓમાં ગુજરાત રાજ્યના સરકારી શાળાઓમાં ભણતા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની ઓળખ કરી તેમને શ્રેષ્ઠ ભૌતિક અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓથી સજજ ભવિષ્યલક્ષી ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવશે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આધુનિક શૈક્ષણિક માળખું, રેસીડેન્શીયલ સ્કૂલમાં નિવાસી છાત્રાલય, રમતગમત, કલા અને કૌશલ્ય તાલીમ, શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિઓ અને ઉચ્ચ અધ્યાપન સામગ્રી વગેરે સુવિધાઓ પ્રદાન કરવામાં આવશે. પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની પ્રતિભાનું સંવર્ધન કરવામાં આવશે અને તેઓને કારકિર્દી માર્ગદર્શન સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓને તૈયારી કરાવવામાં આવશે.

  • 21 Mar 2023 08:24 PM (IST)

    ગુજરાતના સાંસદ સહિત CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા PM નિવાસ સ્થાને, બેઠકનો દોર શરૂ

    ગુજરાતના સાંસદો હાલ વડાપ્રધાન મોદીના નિવાસસ્થાને પહોંચી ગયા છે. તો સાથે CM ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા છે. આ બેઠકમાં ગુજરાતની વર્તમાન સ્થિતિને લઈ ચર્ચા કરવામા આવશે. મહત્વનું છે આગામી લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતની 26 બેઠકો માટે આ બેઠકમાં મંથન કરવામાં આવશે. આ બેઠકમાં ગુજરાતના તમામ સાંસદ અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા છે.

  • 21 Mar 2023 07:56 PM (IST)

    કોંગ્રેસે વિધાનસભામાં નકલી IAS કિરણ પટેલનો મુદ્દો ઉછાળ્યો, પૂછ્યા વેધક સવાલો

    ગુજરાત વિધાનસભામાં આજે કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારે નકલી IAS કિરણ પટેલનો મુદ્દો ઉછાળ્યો હતો. તેમણે પ્રશ્નકાળ દરમિયાન વિધાનસભામાં સરકાર સામે કેટલાક વેધક સવાલો પણ કર્યા.શૈલેષ પરમારે સરકારને સવાલ કર્યો કે, G-20 સમિટમાં કિરણ પટેલ કોની મદદથી અધિકારી બનીને આવ્યો અને 100થી વધુ વાર સરકારી પ્લેનનો ઉપયોગ કર્યો, પરમારે સવાલ કર્યો કે કેવી રીતે ઠગબાજ કિરણ કાશ્મીરના સંવેદનશીલ વિસ્તારો સુધી પહોંચી ગયો.કેમ ડબલ એન્જિનની સરકારમાં IB કંઈ નથી કરી શકતી,શું રાજ્યના IAS-IPSની પણ જાસૂસી થાય છે.કોંગ્રેસ કિરણના નામે સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે.

  • 21 Mar 2023 07:41 PM (IST)

    ગુજરાતમાં કોરોનાના કેસોમાં વધારો, નવા 176 કેસ નોંધાયા, એક દર્દીનું મોત

    ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં 21 માર્ચના રોજ નવા 176 કેસ નોંધાયા છે. તેમજ રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 916 એ પહોંચી છે. જ્યારે ભરૂચમાં એક દર્દીનું મોત થયું છે. ગુજરાતમાં  છેલ્લા 11 દિવસમાં કોરોનાના કારણે બીજું મોત થયું છે. જેમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં 89, અમદાવાદ જિલ્લામાં 01, અમરેલીમાં 03, ભરૂચમાં 01, ભાવનગરમાં 02, દાહોદમાં 01, દ્વારકામાં 01, ગાંધીનગરમાં જિલ્લામાં 04, ગાંધીનગરમાં 02, જામનગરમાં 02, જૂનાગઢમાં 01, ખેડામાં 02, મહેસાણામાં 16, નવસારીમાં 03, પાટણમાં 01, પોરબંદરમાં 03, રાજકોટ જિલ્લામાં 04, રાજકોટમાં 15, સુરત જિલ્લામાં 03, સુરતમાં 15, સુરેન્દ્રનગરમાં 01 અને વડોદરામાં 06 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના રિકવરી રેટ 99.06 ટકા થયો છે. તેમજ આજે કોરોનાથી 69 દર્દી સાજા થયા છે.

  • 21 Mar 2023 07:03 PM (IST)

    પોલીસે અત્યાર સુધીમાં અમૃતપાલના 154 ગુંડાઓની ધરપકડ કરી છે, 12 હથિયાર પણ મળી આવ્યા

    પંજાબ પોલીસે અત્યાર સુધીમાં અમૃતપાલના 154 ગુંડાઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી 12 હથિયારો મળી આવ્યા છે. પંજાબ પોલીસે આજે અમૃતપાલની ઘણી તસવીરો પણ જાહેર કરી છે, જેથી તેને પકડવામાં સરળતા રહે. આઈજીપી સુખચૈન સિંહ ગિલે જણાવ્યું કે અમૃતપાલની ધરપકડના પ્રયાસો ચાલુ છે.

  • 21 Mar 2023 07:02 PM (IST)

    અતીક અહેમદ ગેંગના પાંચ સાગરિતોની ધરપકડ, 70 લાખ રોકડા, 8 પિસ્તોલ મળી

    ઉમેશ પાલ હત્યા કેસમાં પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે. અતીકના ગોરખધંધાને પકડવા માટે દબીશ રોજેરોજ દોડી રહ્યો છે. દરમિયાન સમાચાર આવ્યા છે કે પોલીસે અતીક અહેમદ ગેંગના પાંચ ઓપરેટિવની ધરપકડ કરી છે. પોલીસે તેની પાસેથી 70 લાખ રોકડા, 8 પિસ્તોલ મળી આવી છે.

  • 21 Mar 2023 06:15 PM (IST)

    ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી અચાનક સાબરમતી જેલની મુલાકાતે, જેલમાં બંધ છે અતિક એહમદ

    ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક સાબરમતી જેલની મુલાકાતે પહોંચ્યા છે. આ અંગે અનેક તર્ક-વિતર્ક ચાલી રહ્યા છે.ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી શાહીબાગ ખાતે કાર્યક્રમ છોડીને સાબરમતી જેલ પહોંચ્યા હતા. તે કયા મુદ્દે જેલમાં મળવા ગયો છે તે હજુ સ્પષ્ટ થયું નથી.

  • 21 Mar 2023 06:13 PM (IST)

    પોલીસે અતીકના પુત્ર અસદના સાથીદારના ઘરેથી હથિયારો કબજે કર્યા

    ઉમેશ પાલ હત્યા કેસમાં પોલીસ કાર્યવાહી ચાલુ છે. ઉમેશના હત્યારાઓને પકડવા માટે પોલીસ અતીક અહેમદના નજીકના મિત્રો પર તેની પકડ વધુ કડક કરી રહી છે. જણાવી દઈએ કે આજે પોલીસે અતીકના પુત્ર અસદના મિત્રના ઘરેથી હથિયારો મળ્યા છે.

  • 21 Mar 2023 06:12 PM (IST)

    હાથરસમાં સ્પીડિંગ બસે ઈ-રિક્ષાને ટક્કર મારી, 5નાં મોત, 4 ઘાયલ

    હાથરસમાં સ્પીડમાં આવતી બસ અને ઈ-રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થઈ છે. આ અકસ્માતમાં 5 લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના આગરા-અલીગઢ નેશનલ હાઈવે પર બની હતી. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ડૉક્ટરોએ ગંભીર રીતે ઘાયલ લોકોને અલીગઢ મેડિકલ કોલેજમાં રિફર કર્યા છે.

  • 21 Mar 2023 04:38 PM (IST)

    સિસોદિયાની જામીન પર સુનાવણી પૂર્ણ, આગામી સુનાવણી 24 માર્ચે થશે

    રાઉઝ એવન્યુ કોર્ટમાં આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. આગામી સુનાવણી 24મી માર્ચે બપોરે 2 કલાકે રાઉઝ એવન્યુ કોર્ટમાં થશે. સુનાવણી દરમિયાન કોર્ટે સિસોદિયા અને સીબીઆઈના વકીલોને લેખિત દલીલો રજૂ કરવા કહ્યું હતું.

  • 21 Mar 2023 04:30 PM (IST)

    ઝાકિર નાઈકની ઓમાનમાં અટકાયત કર્યા બાદ તેને ભારત લાવવાની તૈયારી

    ઈસ્લામિક ઉપદેશક ઝાકિર નાઈકને ઓમાનથી ભારત લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. એવી માહિતી છે કે નાઈક 23 માર્ચે ઓમાન જવાનો છે, જ્યાંથી તેની અટકાયત કરવામાં આવી શકે છે. ઝાકિર નાઈકને ઓમાનથી ભારત લાવવા માટે ભારત સતત ઓમાની સત્તાવાળાઓના સંપર્કમાં છે.

  • 21 Mar 2023 03:54 PM (IST)

    અનુરાગ ઠાકુરના રાહુલ ગાંધી પર પ્રહાર, કહ્યુ- વિદેશની ધરતી પર જુઠ્ઠું બોલે છે રાહુલ, તૈયારી વિના સંસદમાં આવવાની તેમની આદત

    કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે મંગળવારે ફરી એકવાર રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા છે. ઠાકુરે કહ્યું કે રાહુલ ગાંધી વારંવાર વિદેશી ધરતી પરથી ભારત પર હુમલો કરે છે. તેઓ જૂઠું બોલીને દેશને બદનામ કરે છે અને પછી જ્યારે માફી માંગવાની વાત આવે છે ત્યારે તેઓ માગતા નથી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે રાહુલ ગાંધીને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, તેમણે આજ સુધી તેનો જવાબ આપ્યો નથી. લદ્દાખ અને અરુણાચલ પ્રદેશને લઈને ખોટા નિવેદનો આપે છે. હું પૂછવા માંગુ છું કે શું કોંગ્રેસ પાર્ટી લદ્દાખ અને અરુણાચલ પ્રદેશને દેશનો ભાગ નથી માનતી.

  • 21 Mar 2023 03:53 PM (IST)

    સીબીઆઈએ કોર્ટમાં દલીલ કરી હતી કે માત્ર મોબાઈલ જ નહીં પરંતુ ફાઈલોનો પણ નાશ કરવામાં આવ્યો હતો

    આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી દરમિયાન CBIના વકીલ ડીપી સિંહે કહ્યું કે સિસોદિયા AAP સરકારમાં 18 મંત્રાલયો સંભાળી રહ્યા છે. તેમણે કહ્યું કે આવી બાબતો ભાગ્યે જ જોવા મળી છે કે જે નાણાં મંત્રાલયનો હવાલો સંભાળે છે, તે જ સમયે દારૂની નીતિ પણ સંભાળે છે. વકીલે કહ્યું કે તપાસમાં જાણવા મળ્યું છે કે માત્ર મોબાઈલ જ નહીં પરંતુ ફાઈલો પણ નાશ પામી છે.

  • 21 Mar 2023 03:52 PM (IST)

    અમૃતપાલ જે બ્રિઝા કારમાં ભાગી ગયો હતો તે પંજાબ પોલીસે જપ્ત કરી હતી

    ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ હજુ પણ પોલીસની પકડમાંથી બહાર છે. ગુપ્તચર એજન્સીઓ અમૃતપાલને પકડવા માટે સતત દરોડા પાડી રહી છે. દરમિયાન, માહિતી મળી છે કે અમૃતપાલ છેલ્લે જે બ્રિઝા કારમાં જોવા મળ્યો હતો તે પંજાબ પોલીસે જપ્ત કરી લીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે બ્રિઝા કાર છોડીને અમૃતપાર બુલેટથી ભાગી ગયો હતો.

  • 21 Mar 2023 02:36 PM (IST)

    કાર્યવાહી 23 માર્ચ સુધી સ્થગિત

    સાંસદોના હંગામાને કારણે સંસદના બંને ગૃહોની કાર્યવાહી હવે 23 માર્ચ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
  • 21 Mar 2023 02:35 PM (IST)

    સ્પીકરની સર્વપક્ષીય બેઠક સમાપ્ત

    સંસદમાં ચાલી રહેલા મડાગાંઠ વચ્ચે, લોકસભાના અધ્યક્ષે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી, જે હમણાં જ સમાપ્ત થઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બેઠકમાં મડાગાંઠની સમસ્યાનો ઉકેલ આવી શક્યો નથી. ડીએમકે વતી ટીઆર બાલુએ પણ રાહુલ ગાંધીને બોલવા દેવાની માંગ કરી હતી. આ સાથે વિપક્ષી દળોએ બેઠકમાં જેપીસીની માંગનો પુનરોચ્ચાર કર્યો હતો.

  • 21 Mar 2023 02:33 PM (IST)

    ગૃહ મંત્રાલયે દિલ્હીના બજેટને મંજૂરી આપી

    ગૃહ મંત્રાલયે દિલ્હીના બજેટને મંજૂરી આપી દીધી છે. અગાઉ આ મંજૂરી મંત્રાલય દ્વારા આપવામાં આવી ન હતી.

  • 21 Mar 2023 01:34 PM (IST)

    Gujarat News Live: વ્યાજખોરોના ત્રાસથી વડોદરામાં બિલ્ડરનો આપઘાતનો પ્રયાસ, બિલ્ડરને હોસ્પિટલ ખસેડાયા

    વ્યાજખોરોના ત્રાસથી વધુ એક વ્યક્તિએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. વડોદરામાં બિલ્ડર દ્વારા ઊંઘની ગોળીઓ ખાઈ આત્મહત્યાની કોશિસ કરવામાં કરવામાં આવી છે. બિલ્ડર જયેશ પારેખને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની હાલત સ્થિર છે. 3 કરોડ જેટલું દેવું થઈ જતા આર્થિક સંકળામણ ઉભી થઇ જતા આ પગલુ ભર્યુ હતુ.

  • 21 Mar 2023 01:33 PM (IST)

    Gujarat News Live: પંચમહાલના શહેરાના પંચાયતના વિરોધ પક્ષના નેતા જે. બી. સોલંકીનો કલેક્ટર કચેરીમાં શરીર પર પેટ્રોલ છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો

    પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પંચાયતના વિરોધ પક્ષના નેતા જે. બી. સોલંકીએ કલેક્ટર કચેરીમાં શરીર ઉપર પેટ્રોલ છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. આમ કરવા પાછળની ઘટના એવી હતી કે શહેરા તાલુકાના વલ્લવ પૂર ગામના સરકારી તળાવ ને પૂરવાનો ગ્રામપંચાયત દ્વારા ઠરાવ કરવામાં આવતા કરી હતી અનેક રજૂઆતો થઈ હતી. સરકારી તળાવ પૂરી દેવાના ગ્રામપંચાયતના ઠરાવ ને રદ્દ કરવા માટે અનેક રજૂઆતો બાદ કોઈ કાર્યવાહી ન થતાં જે.બી. સોંલકીએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. સાથે જ આ ઘટનામાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે વિવિધ સરકારી કામમાં ગેરરીતિ થયાની રજૂઆત કલેકટરે સાંભળી નથી. આપઘાતના પ્રયાસની ઘટનાને પગલે મોટી સંખ્યામાં પોલીસ કાફલો જિલ્લા કલેકટર કચેરીએ દોડી આવ્યો હતો. તેમજ જિલ્લા કલેકટર સહિત સરકારી વિભાગ રજૂઆત ન સાંભળતા આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હોવાનું જે.બી. સોલંકીએ જણાવ્યું હતું.

  • 21 Mar 2023 01:24 PM (IST)

    80 હજાર પોલીસકર્મીઓ શું કરી રહ્યા હતા - HC

    હાઈકોર્ટે ખાલિસ્તાની સમર્થક અમૃતપાલની ધરપકડ કરવામાં અત્યાર સુધીની નિષ્ફળતા માટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટે કહ્યું કે તમારા 80 હજાર પોલીસકર્મીઓ શું કરી રહ્યા હતા? આ સરકારની ગુપ્તચર તંત્રની નિષ્ફળતા છે. માનવામાં આવે છે કે અમૃતપાલ નેપાળ ભાગી ગયો છે.

  • 21 Mar 2023 01:20 PM (IST)

    SCએ નોટબંધી સંબંધિત વ્યક્તિગત કેસોની સુનાવણી કરવાનો ઇનકાર કર્યો

    સુપ્રીમ કોર્ટે 2016માં નોટબંધી સંબંધિત વ્યક્તિગત કેસોની સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે નોટબંધીના નિર્ણયથી ઉદ્ભવતા તમામ વ્યક્તિગત કેસો બંધ કરી દીધા છે. સાથે જ કેન્દ્રને કાયદા મુજબ તમામ કેસ 12 અઠવાડિયામાં પતાવવા માટે કહ્યું હતું.

  • 21 Mar 2023 01:19 PM (IST)

    નીતિન ગડકરીને ફરી ધમકી મળી, ઓફિસની સુરક્ષા વધારી દેવામાં આવી

    નીતિન ગડકરીની ઓફિસમાં બે વખત ફોન કરીને કેન્દ્રીય મંત્રીને ધમકી આપવામાં આવી છે. આ સંબંધમાં ગડકરીની ઓફિસ તરફથી પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ પહેલા જે વ્યક્તિએ બે મહિના પહેલા નીતિન ગડકરીની ઓફિસને ઉડાવી દેવાની ધમકી આપી હતી તે જ વ્યક્તિએ ફરી ફોન કરીને ધમકી આપી છે. હાલમાં ગડકરીની ઓફિસની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

  • 21 Mar 2023 12:48 PM (IST)

    Gujarat News Live : હિંદુત્વ અંગે ટિપ્પણી કરનાર ફિલ્મ અભિનેતા ચેતન કુમારની બેંગલુરુમાં કરાઈ ધરપકડ

    કન્નડ ફિલ્મ અભિનેતા ચેતન કુમારની ધરપકડ કરવામાં આવી છે. કર્ણાટકના બેંગલુરુમાં શેષાદ્રિપુરમ પોલીસ દ્વારા ચેતન કુમારની હિંદુત્વને 'જૂઠાણા પર આધારિત' ગણાવતા કરાયેલ ટ્વિટ બદલ ધરપકડ કરવામાં આવી છે. ચેતને ગઈ કાલે ટ્વીટ કર્યું હતું કે હિન્દુત્વ જુઠ્ઠાણા પર આધારિત છે. ટ્વીટના આધારે શેષાદ્રિપુરમ પોલીસ સ્ટેશનમાં ચેતન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદ બજરંગ દળના શિવકુમારે નોંધાવી હતી.

  • 21 Mar 2023 11:37 AM (IST)

    Gujarat News Live : બોપલના બિલ્ડર ગ્રૂપ પર ઈન્કમટેકસના દરોડા

    બેનામી વ્યવહારોને લઈ બેંગલુરુ ઈન્કમટેકસ વિભાગના અધિકારીઓએ અમદાવાદમાં બોપલમાં દરોડા પાડ્યા છે. બેંગલુરુ અને ચેન્નાઈના બિલ્ડર ગ્રૂપ સાથે કનેક્શન ધરાવતા બિલ્ડરના બોપલમાં આવેલ રહેઠાણ અને ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા છે. બેંગલુરુના બિલ્ડરના બેનામી રૂપિયાનું અમદાવાદમાં રોકાણ કર્યું હોવાની આશંકા સાથે કાર્યવાહી કરાઈ છે. નાણાકીય વર્ષ પૂર્ણ થવાના ગણતરીના દિવસો પહેલા જ કાર્યવાહીથી બિલ્ડરોમાં ફફડાટ વ્યાપ્યો છે.

  • 21 Mar 2023 10:23 AM (IST)

    Gujarat News Live : ઈમરાન ખાનના પત્ની બુશરા બીબીને પણ સમન્સ, આજે થશે હાજર

    પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. પાકિસ્તાનની ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થા, નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો (NAB) એ તોશાખાના કેસમાં ઈમરાન ખાનની પત્ની બુશરા બીબીને સમન્સ મોકલ્યા છે. સ્થાનિક મીડિયા અનુસાર, NABની ટીમ ઈમરાન ખાનના લાહોરમાં જમાન પાર્ક સ્થિત નિવાસ સ્થાને પહોંચી અને બુશરાને નોટિસ ફટકારી છે. બુશરા ખાનને આજે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.

  • 21 Mar 2023 10:14 AM (IST)

    Gujarat News Live : વ્યાજની માથાકુટમા રાજકોટના ગોંડલમાંથી સગીરનું અપરણ

    રાજકોટ જિલ્લાના ગોંડલના ભગવતપરા વિસ્તારમાં વ્યાજના નાણાની લેવડ દેવડની માથાકુટમાં 17 વર્ષીય કિશોરનું અપહરણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદના બગોદરા પાસેના કેટલાક શખ્સોએ, ગોંડલ ભગવત પરા,વાછરા રોડ,નીલ કમલ પાર્ક માં રહેતા ધનાભાઇ રધુભાઈ ચોહાણના 17 વર્ષ નાં પુત્રનુ અપહરણ કર્યું હોવાનું સામે આવ્યું છે.

  • 21 Mar 2023 09:41 AM (IST)

    Gujarat News Live : અમદાવાદ-કચ્છ હાઈવે પર અકસ્માત, 2ના મોત, 12 ઈજાગ્રસ્ત

    અમદાવાદ અને કચ્છ વચ્ચેના હાઈવે પર ટ્રેલર અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 2 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 12 લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતગ્રસ્ત ટ્રેકટરમાં 20થી વધુ લોકો સવાર હતા.

  • 21 Mar 2023 09:03 AM (IST)

    Gujarat News Live : CM ભૂપેન્દ્ર પટેલને દિલ્લીનું તેડુ, PM નિવાસ્થાને યોજાશે બેઠક

    CM ભૂપેન્દ્ર પટેલને દિલ્લીનું તેડુ આવ્યું છે. આજે બપોર બાદ ભૂપેન્દ્ર પટેલ દિલ્લી જવા રવાના થશે. PM નિવાસ્થાને બેઠક  યોજાશે જેમાં તેઓ ભાગ લેશે. આજે સાંજે ગુજરાત ભાજપના સંસદસભ્યોની પણ બેઠક યોજાનાર છે. આ બેઠક બાદ ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળે તેવી સંભાવના છે.

  • 21 Mar 2023 08:40 AM (IST)

    Gujarat News Live : વેશ બદલીને નેપાળના માર્ગે પાકિસ્તાન ભાગવાની તૈયારીમાં અમૃતપાલ સિંહ

    ખાલિસ્તાનના નામે બની બેઠેલા નેતા અમૃતપાલસિંહ સામે પંજાબ પોલીસે ધૌંસ બોલાવી છે. છેલ્લા ત્રણ દિવસથી સંતાતો ફરતો અમૃતપાલસિંહ હવે તેના આકાઓને મળવા પાકિસ્તાન ભાગે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ પંજાબના જલંઘરમાં પોલીસને ચકમો આપીને ફરાર થયેલ અમૃતપાલ, વેશ બદલીને નેપાળના માર્ગે થઈને પાકિસ્તાન જતો રહે તેવી સુરક્ષા એજન્સીને શંકા છે.

Published On - Mar 21,2023 8:38 AM

Follow Us:
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
g clip-path="url(#clip0_868_265)">