AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MODI-BJP-RSSની ટીકા એ ભારત પર હુમલો નથી… લંડનમાં આપેલા નિવેદન પર રાહુલ ગાંધીનો જવાબ

રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન મોદી, ભાજપ અને આરએસએસને લાગે છે કે તેઓ 'ભારત' છે પરંતુ એવું નથી. તેમના પર હુમલો કરવાનો અર્થ ભારત પર હુમલો નથી. હા, પરંતુ ભારતની સ્વતંત્ર સંસ્થાઓ પર હુમલો કરીને તેઓ ચોક્કસપણે ભારત પર હુમલો કરી રહ્યા છે. તેમનું નિવેદન સંસદમાં માઈક બંધ કરવાના તેમના આરોપોને લઈને હતું.

MODI-BJP-RSSની ટીકા એ ભારત પર હુમલો નથી… લંડનમાં આપેલા નિવેદન પર રાહુલ ગાંધીનો જવાબ
rahul gandhi
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 20, 2023 | 11:33 PM
Share

ભાજપના નેતાઓ અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી વચ્ચે ફરી એકવાર જુબાની જંગ જામી છે. હાલમાં 2 મુદ્દાઓ પર બંને પાર્ટીઓના નેતાઓના નિવેદનો સામે આવી રહ્યા છે. આ બંને મુદ્દાઓ રાહુલ ગાંધી સાથે જોડાયેલા છે. પ્રથમ મુદ્દો સંસદમાં માઈક બંધ કરવાનો છે. આ મુદ્દાને રાહુલ ગાંધી લંડન પ્રવાસ દરમિયાન વિદેશની ધરતી પર ઉઠાવ્યો હતો. ત્યારથી લઈને હમણા સુધી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઘણીવાર આરોપ-પ્રત્યારોપ થઈ રહ્યા છે અને બીજો મુદ્દો રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દરમિયાન શ્રીનગરમાં આપેલા નિવેદન પર છે. હાલમાં રાહુલ ગાંધીના વાયનાડ પ્રવાસ દરમિયાનની એક સભાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન મોદી, ભાજપ અને આરએસએસને લાગે છે કે તેઓ ‘ભારત’ છે પરંતુ એવું નથી. તેમના પર હુમલો કરવાનો અર્થ ભારત પર હુમલો નથી. હા, પરંતુ ભારતની સ્વતંત્ર સંસ્થાઓ પર હુમલો કરીને તેઓ ચોક્કસપણે ભારત પર હુમલો કરી રહ્યા છે. તેમનું નિવેદન સંસદમાં માઈક બંધ કરવાના તેમના આરોપોને લઈને હતું.

રાહુલ ગાંધીનું નિવેદન

લંડનમાં આ વિશે વાત કરતી વખતે, તેમણે ઉદાહરણ તરીકે ખરાબ માઇકનો ઉપયોગ કર્યો. અને કહ્યું કે ભારતમાં માઇક બગડતા નથી પરંતુ બંધ થઈ જાય છે. આ નિવેદનને લઈને ભારતમાં હોબાળો થયો હતો.  ભાજપનો આરોપ છે કે રાહુલ ગાંધીએ વિદેશમાં ભારતનું અપમાન કર્યું છે. આવી સ્થિતિમાં તેણે માફી માંગવી જોઈએ. જોકે રાહુલ ગાંધી હજુ પણ પોતાની વાત પર અડગ છે. તેમણે કહ્યું છે કે તેમને સંસદમાં બોલવાની તક આપવી જોઈએ.

આ મામલે કોંગ્રેસે કેટલાક વીડિયો શેર કરીને ઘણી ટ્વીટ પણ કરી હતી, જેમાં તેના પર ગૃહની કાર્યવાહી સ્થગિત કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ વીડિયોમાં કોંગ્રેસના સભ્યો પહેલા રાહુલ ગાંધીને બોલવા દેવાના નારા લગાવે છે અને પછી અચાનક અવાજ બંધ થઈ જાય છે.

શ્રીનગરમાં આપેલા નિવેદન પર શું કહ્યું?

શ્રીનગરમાં રાહુલ ગાંધીએ મહિલાઓના યૌન શોષણને લઈને નિવેદન આપ્યું હતું. દિલ્હી પોલીસ આ કેસમાં નોટિસ આપવા માટે રાહુલ ગાંધીના ઘરે પણ ગઈ હતી. દિલ્હી પોલીસની કાર્યવાહીને લઈને પણ રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે તે ન તો ભાજપથી ડરે છે કે ન તો આરએસએસ કે પોલીસથી. તે હંમેશા સત્ય માટે લડશે, પછી ભલે તેની સામે ગમે તેટલા કેસ દાખલ કરવામાં આવે અથવા પોલીસ તેના ઘરે કેટલીવાર આવે.

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">