2 ઓગસ્ટના મોટા સમાચાર : Ahmedabad: મેઘાણીનગરમાં બન્યો હત્યાનો બનાવ, લલ્લા ભાદોરિયા નામના શખ્સની હત્યા કરાઇ

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2023 | 11:49 PM

Gujarat Live Updates : આજ 2 ઓગસ્ટના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

2 ઓગસ્ટના મોટા સમાચાર : Ahmedabad: મેઘાણીનગરમાં બન્યો હત્યાનો બનાવ, લલ્લા ભાદોરિયા નામના શખ્સની હત્યા કરાઇ
દિવસભરના મોટા અને મહત્વના સમાચાર

આજે 2 ઓગસ્ટને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 02 Aug 2023 11:48 PM (IST)

    Ahmedabad: મેઘાણીનગરમાં બન્યો હત્યાનો બનાવ, લલ્લા ભાદોરિયા નામના શખ્સની હત્યા કરાઇ

    1. અમદાવાદ: મેઘાણીનગરમાં બન્યો હત્યાનો બનાવ..
    2. ભાર્ગવ રોડ પર ભગવતી શાળા પાસેનો બનાવ
    3. લલ્લા ભાદોરિયા નામના શખ્સની હત્યા કરાઇ
    4. અંગત અદાવતમાં કરાઈ હત્યા
    5. મૃતક પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે
    6. મૃતક અગાઉ લૂટ, ચોરી, મારામારી સહિતના ગુનાઓને અંજામ આપી ચુક્યો છે.
    7. મેઘાણીનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી
  • 02 Aug 2023 11:36 PM (IST)

    કેનેડાના PM Justin Trudeau 18 વર્ષ બાદ પત્ની સોફીથી અલગ થશે, ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત કરી

    કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો લગ્નના 18 વર્ષ બાદ તેમની પત્ની સોફીથી અલગ થઈ રહ્યા છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર આની જાહેરાત કરી હતી. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ જાહેરાત કરી છે કે તેઓ તેમની પત્ની સોફીથી અલગ થઈ રહ્યા છે. લગ્નના 18 વર્ષ બાદ બંનેએ એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો છે. કેનેડાના વડા પ્રધાને ઇન્સ્ટાગ્રામ પર વિશ્વને આ વિશે માહિતી આપી હતી. ટ્રુડોએ કહ્યું કે તેઓ લાંબી, મુશ્કેલ વાતચીત પછી સોફીથી અલગ થઈ રહ્યા છે. જો કે, ટ્રુડો અને સોફી કહે છે કે તેઓ પ્રેમ અને આદર સાથે પરિવાર તરીકે ચાલુ રહેશે. કેનેડાના વડા પ્રધાનની આ જાહેરાત સાંભળીને દરેકને આશ્ચર્ય થયું છે.

  • 02 Aug 2023 11:26 PM (IST)

    સુરત ક્રાઈમ બ્રાન્ચે 3 શખ્શો સામે ફરિયાદ નોંધી ધરપકડ કરી, સીઆર પાટીલ સામે ચૂંટણી ફંડમાં ગોલમાલનો આરોપ મૂકી પત્રિકા ફરતી કરાઈ હતી!

    પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલને બદનામ કરવાના ષડયંત્ર મામલે ત્રણ શખ્શો સામે ફરીયાદ દાખલ કરવામાં આવી છે. સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા ત્રણ શખ્શોની સામે ફરિયાદ નોંધીને તેમની ધરપકડ કરવામાં આવી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ત્રણેય શખ્શોની ધરપકડ કરી લેવામાં આવી છે. ત્રણેય શખ્શોએ સીઆર પાટીલ દ્વારા વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ફંડમાં ગોટાળા કર્યા હોવાના આક્ષેપ કરીને પત્રિકા વાયરલ કરવામાં આવી હતી. ત્રણયે શખ્શો ગણપત વસાવાના નજીકના હોવાનુ સામે આવ્યુ છે.

  • 02 Aug 2023 11:06 PM (IST)

    Ahmedabad: આરોગ્ય વિભાગ દ્વારા PMJAY યોજનાના પ્રાઈવેટ હોસ્પિટલને 650 કરોડ ચુકવવાના બાકી, AHNAએ તાકીદે નાણાં ચુકવવા કરી માગ

    Ahmedabad: અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશન (AHNA) અને ગુજરાત રાજ્યની હોસ્પિટલોના પ્રતિનિધિઓ, PMJAY યોજના સાથે જોડાયેલી તમામ હોસ્પિટલોની લાંબા સમયથી પડતર પ્રશ્નો અંગેની ફરિયાદોના નિરાકરણ અને તેમને પડતી મુશ્કેલીઓ, ચુકવણી અને અન્ય પડકારો માટે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને મળ્યા હતા.

    ડૉ. ભરત ગઢવી, AHNAના પ્રમુખ અને ડૉ. વિરેન શાહ, ઉપપ્રમુખ AHNA એ આ મુદ્દાઓ પર વિગતવાર જણાવ્યું હતું કે સરકારે લગભગ રૂ. 650 કરોડની કરોડ કરતા વધારેની બાકી ચૂકવણી તાકીદે કરવી જોઈએ જે ઘણા મહિનાઓથી બાકી છે. લગભગ 50 ટકા રકમ છેલ્લા એક-બે વર્ષથી પેન્ડિંગ છે. જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ મુદ્દે તાત્કાલિક હસ્તક્ષેપ કરવા વિનંતી કરીએ છીએ.

  • 02 Aug 2023 10:45 PM (IST)

    Jamnagar: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા જામનગર, જુનાગઢ અને દ્વારકામાં ચાર બેનમૂન અમૃત સરોવરોનું નિર્માણ

    Jamnagar: આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) એ દરેક જિલ્લામાં 75 અમૃત સરોવરોનું નિર્માણ કરવા અને તેમાં સરકાર ઉપરાંત સ્વૈચ્છિક-સેવાભાવી સંસ્થાઓ , ઉદ્યોગગૃહો વગેરેને યોગદાન આપવા માટે કરેલા આહ્વાનને સ્વીકારીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ત્રણ જિલ્લાના ચાર સ્થળોએ અમૃત સરોવર નજીક પ્રવાસન યોગ્ય વિકાસ કરીને તેમની કલ્પનાને સાકાર કરવામાં આવી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીના માર્ગદર્શનમાં જૂનાગઢ, જામનગર અને દ્વારકા જિલ્લામાં ચાર સ્થળોએ બેનમૂન ‘અમૃત સરોવર’નો વિકાસ કરી વહીવટી તંત્રને સોંપવામાં આવ્યાં છે.

  • 02 Aug 2023 10:01 PM (IST)

    7 દિવસમાં થશે રામ લાલાની પ્રાણ પ્રતિષ્ઠા, PM કરશે ઉદ્ઘાટન, અયોધ્યામાં ભવ્ય કાર્યક્રમની તૈયારીઓ

    Ram Mandir: અયોધ્યામાં ભગવાન રામના અભિષેકનો સમગ્ર કાર્યક્રમ 7 દિવસનો રહેશે, જેના અંતિમ દિવસે PM નરેન્દ્ર મોદી પ્રાર્થના કરશે અને મંદિર દેશવાસીઓને સમર્પિત કરશે. વડાપ્રધાન પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે દેશવાસીઓને ટૂંકું સંબોધન પણ કરશે. પીએમના સંબોધન પહેલા સંઘ પ્રમુખ મોહન ભાગવત, મહંત નૃત્ય ગોપાલ દાસ અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ ત્યાં હાજર લોકોને સંબોધિત કરશે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે અયોધ્યામાં કોઈ જાહેર સભાનું આયોજન કરવામાં આવશે નહીં. જો કે, 16 થી 24 જાન્યુઆરી વચ્ચે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા નક્કી કરવામાં આવી છે, પરંતુ તારીખ અંગેનો અંતિમ નિર્ણય વડાપ્રધાનના સમયની ઉપલબ્ધતા અનુસાર લેવામાં આવશે.

  • 02 Aug 2023 09:17 PM (IST)

    ઈમારતનો ભાગ ધરાશાયી થયા બાદ મનપા કમિશનરે બિલ્ડિંગ સીલ મારવાનો આપ્યો આદેશ

    Bhavnagar: વાઘાવાડી વિસ્તારમાં માધવહિલની ગેલેરીનો એક ભાગ ધરાશાયી થયા બાદ અને એક મહિલાના મોત બાદ રહી રહીને તંત્ર જાગ્યુ છે. અત્યાર સુધી તંત્ર માત્ર નોટિસ આપી સંતોષ માની રહ્યુ હતુ. પરંતુ નોટિસ આપ્યા બાદ પણ ઈમારત ખાલી કરાવવાની તંત્ર દ્વારા કોઈ તસ્દી લેવાઈ ન હતી. આજે જ્યારે બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી થયો અને તેના કાટમાળ નીચે અનેક લોકો દટાયા અનેક લોકોને ઈજાગ્રસ્ત બન્યા અને એક મહિલાનો ભોગ લેવાયો ત્યાર બાદ તંત્ર જાગ્યુ છે અને હવે રહી રહીને મનપા કમિશનરે બિલ્ડિંગને સીલ મારવાનો આદેશ આપ્યો છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે શા માટે હંમેશા દુર્ઘટના ઘટ્યા બાદ જ તંત્ર દ્વારા કામગીરી થાય છે?  શા માટે નક્કર કામગીરી માટે તંત્ર કોઈ દુર્ઘટના ઘટે તેની રાહે બેસી રહે છે ? દુર્ઘટના પહેલા કેમ કોઈ નક્કર કામગીરી થતી નથી?

  • 02 Aug 2023 08:26 PM (IST)

    ભાવનગરમાં જર્જરીત ઈમારત ધરાશાયી થવા મુદ્દે શક્તિસિંહે ઉઠાવ્યા સવાલ, કહ્યું સત્તાધિશો માત્ર નોટિસ આપી જવાબદારીમાંથી છટકી ન શકે

    ભાવનગરમાં માધવ હિલ કોમ્પલેક્સના બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી થયો. જેમાં અનેક લોકો દટાયા હતા. આ બિલ્ડિંગનો જર્જરીત ગેલેરીનો ભાગ ધરાશાયી થતા એક મહિલાનું મોત નિપજ્યુ છે. આ મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યુ છે કે આ એક અતિ ગંભીર પ્રકારની બેદરકારી છે અને તંત્ર માત્ર નોટિસ આપી જવાબદારીમાંથી છટકી ન શકે.

    શક્તિસિંહે સવાલ ઉઠાવ્યો છે કે પાલિકા નોટિસ આપે છે એનો અર્થ એ થયો કે એમને પહેલેથી જાણ હતી જ કે બિલ્ડિંગ જર્જરીત છે અને પડવાની શક્યતા છે. માત્ર નોટિસ આપ્યા બાદ બેસી રહેવુ એ પણ ગુનાહિત બેદરકારી છે. શક્તિસિંહે જણાવ્યુ કે તમારે આનુવંશિક પગલા લેવા જોઈતા હતા. પાલિકાને જ્યારે જાણ થઈ કે ઈમારત જર્જરીત છે અને નોટિસ આપો છો તો એ આપ્યા બાદ પણ એ વિસ્તાર કદાચ ધરાશાયી થાય તો કોઈને પણ નુકસાન ન થાય તે જોવાની તકેદારી રાખવાના પગલા પાલિકાએ નથી ભર્યા તે હકીકત છે.

  • 02 Aug 2023 07:57 PM (IST)

    Surat: સીઆર પાટીલને બદનામ કરવાનુ કાવતરુ, ક્રાઈમ બ્રાન્ચે 2 વ્યક્તિઓની કરી અટકાયત

    ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલને બદનામ કરવા માટે થઈને કાવતરુ કરવામાં આવ્યુ હોવાને લઈ પોલીસે પ્રાથમિક તપાસ શરુ કરી છે. સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બે વ્યક્તિઓની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી છે. ચૂંટણી ફંડના દૂર ઉપયોગના મુદ્દાની પત્રિકા ફરતી કરવામાં આવી હતી. સોશિયલમ મીડિયામાં પણ એક વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો. ચોર્યાશી વિધાનસભાના ધારાસભ્ય પણ સુરત ક્રાઈમ બ્રાન્ચ ખાતે પહોંચ્યા છે. તેઓ આ મામલામાં ફરિયાદી બની શકે છે.

  • 02 Aug 2023 07:22 PM (IST)

    Ahmedabad: હવે રોંગ સાઈડમાં આવતા વાહનોની ખેર નથી, શહેરમાં લગાવાયા ટાયર કીલર બમ્પ

    દરરોજ આપણે એવા અનેક વાહનચાલકોને જોતા હોઇએ છીએ કે જેઓ ગમે ત્યારે રોંગ સાઇડમાં (Wrong side) ધસી આવે છે. કોઇની પણ પરવાહ કર્યા વગર છડેચોક ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા આવા લોકોને કારણે અનેક જીવલેણ અકસ્માતો પણ સર્જાતા રહે છે. પરંતુ જો હવે તમે અમદાવાદમાં રોંગ સાઇડમાં વાહન ચલાવ્યું તો ખેર નથી.

    કેમ કે અમદાવાદ મનપાએ રોડ પર લગાવ્યા છે ‘ટાયર કિલર બમ્પ’ જે રોંગ સાઈડમાં આવતા લોકોના વાહનોના ટાયરમાં પંક્ચર પાડશે  મતલબ કે જો તમે રોંગ સાઇડમાં ગયા તો તમારા વાહનનું ટાયર ફાટવું નક્કી છે. મનપા દ્વારા પ્રાયોગિક ધોરણે ચાણક્યપુરી બ્રિજના સર્વિસ રોડ પર ટાયર કિલર બમ્પ લગાવવામાં આવ્યા છે. આગામી સમયમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ તે પાથરવામાં આવશે.

  • 02 Aug 2023 06:37 PM (IST)

    નૂહ હિંસા પર CM મનોહર લાલ ખટ્ટરનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યુ- હરિયાણાની જનસંખ્યા 2.7 કરોડ, પોલીસ દરેકની સુરક્ષા કરી શકતી નથી

    હરિયાણાના નૂહમાં ભડકેલી હિંસા (Nuh Violence) પર મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરનું (Manohar Lal Khattar) એક વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. તેમણે બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, પોલીસ દરેકની સુરક્ષા કરી શકતી નથી. રાજ્યની વસ્તી 2.7 કરોડ છે. અમારી પાસે 60,000 જવાન છે. આવી સ્થિતિમાં પોલીસ દરેકની સુરક્ષા કરી શકતી નથી.

  • 02 Aug 2023 05:50 PM (IST)

    Gujarat Latest News : મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને કહ્યું કે, માફી માંગવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી

    મોદી સરનેમ કેસમાં કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ એફિડેવિટ દાખલ કરી છે. રાહુલ ગાંધીનીએફિડેવિટમાં કહેવાયું છે કે, માફી માંગવાનું કોઈ કારણ નથી. આવી સ્થિતિમાં માફી માંગવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી.

  • 02 Aug 2023 05:47 PM (IST)

    Gujarat Latest News : અમરેલીના લીલીયાના લોકાલોકી ગામે 55 વર્ષીય પુરુષનું કોંગો ફિવરથી મોત

    અમરેલીના લીલીયાના લોકાલોકી ગામે એક 55 વર્ષીય પુરુષનું કોંગો ફિવરથી મૃત્યુ થયુ છે. મૃતક ડાયાબિટીસ જેવી બિમારીથી પીડાઈ રહ્યા હોવાની આરોગ્ય વિભાગે માહિતી આપી હતી. આરોગ્ય વિભાગે તારીખ 23 જુલાઇના રોજ સેમ્પલ લીધું હતું. અઠવાડિયા પહેલા મોત થયું હતું. મોત થયા બાદ કોંગો ફિવરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

  • 02 Aug 2023 04:54 PM (IST)

    Gujarat Latest News : સુરતના માંગરોળના મોટા બોરસરા ખાતે નીલમ ઇન્ડસ્ટ્રીઝમાં ગેસ ગળતરથી ચારના મોત

    સુરતના માંગરોળના મોટા બોરસરા ગામે નીલમ ઇન્ડસ્ટ્રીઝમાં ગેસ ગળતરથી ચારના મોત થયા છે. કેમિકલ વાળા ડ્રમ ખોલતા ગેસનું ગળતર થયું હતું. ચાર કામદારના શ્વાસ રૂંધાઇ જવાથી મોત થયા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. સ્થાનિક પોલીસ દુર્ઘટના સ્થળે પહોંચી છે. મૃતકના મૃતદેહ કીમની સાધના હોસ્પિટલ ખાતે ખસેડાયા છે.

  • 02 Aug 2023 04:33 PM (IST)

    Gujarat Latest News : નવસારી જિલ્લામાં ફરીથી લમ્પી વાયરસના કેસો નોંધાયા

    શહેરના જુદા જુદા વિસ્તારોમાં 25 જેટલી ગાયોમાં લમ્પી વાયરસની અસર જોવા મળી છે. પશુપાલન સાથે સંકળાયેલા લોકોમાં ચિંતા વધી છે. નવસારી જિલ્લામાં લમ્પી વાયરસનો ચેપ વધતા દુધાળા પશુઓને લઈને ચિંતા વધી છે. હાલમાં લમ્પી વાઇરસની અસર દેખતા એવા પશુઓને હાલ તબેલાથી દૂર રખાયા છે.

  • 02 Aug 2023 04:31 PM (IST)

    Gujarat Latest News : બિહાર સરકાર જાતિ ગણતરીના મામલામાં સુપ્રીમ કોર્ટ પહોંચી

    બિહારમાં જાતિ ગણતરીના મામલામાં બિહાર સરકાર સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. બિહાર સરકારે સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ અરજી દાખલ કરી છે. સુપ્રીમ કોર્ટમાં બિહાર સરકારે કહ્યું કે સુપ્રીમ કોર્ટે બિહાર સરકારનો પક્ષ સાંભળ્યા વિના અન્ય કોઈ આદેશ જાહેર કરવો જોઈએ નહીં. તાજેતરમાં, પટના હાઈકોર્ટે બિહારમાં જાતિ ગણતરીના મામલે બિહાર સરકારને રાહત આપતા જાતિ ગણતરી ચાલુ રાખવાનો આદેશ આપ્યો હતો.

  • 02 Aug 2023 03:26 PM (IST)

    Gujarat Latest News : નીતિન દેસાઈ આત્મહત્યા કેસમાં પોલીસને ઓડિયો ક્લિપ મળી

    આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઈના આત્મહત્યા કેસમાં રાયગઢ પોલીસને એક ઓડિયો ક્લિપ મળી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઓડિયો ક્લિપમાં 4 લોકોના નામ છે. દેસાઈનો મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો છે. ઓડિયો રેકોર્ડિંગ બાદ નીતિન દેસાઈએ આત્મહત્યા કરી હતી.

  • 02 Aug 2023 03:06 PM (IST)

    Gujarat Latest News: હરિયાણા હિંસા મુદ્દો, SCએ VHP અને બજરંગ દળના વિરોધ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો

    સુપ્રીમ કોર્ટે હરિયાણાના નૂહ હિંસા બાદ દિલ્હી-એનસીઆરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના પ્રદર્શનો પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો હતો.

  • 02 Aug 2023 02:57 PM (IST)

    Gujarat Latest News: નૂહ હિંસા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં આગામી સુનાવણી 4 ઓગસ્ટે

    નૂહ હિંસા પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, હરિયાણા, દિલ્હી અને યુપી સરકારોને નોટિસ પાઠવી છે. આ મામલે આગામી સુનાવણી 4 ઓગસ્ટે થવાની છે.

  • 02 Aug 2023 01:56 PM (IST)

    અમદાવાદ: વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી

    • રાજ્યમાં વરસાદ સામાન્ય રહેશે
    • 4 દિવસ વરસાદ રહેવાની આગાહી
    • તેમજ પવનની ગતિમાં વધારો રહેશે
    • અમદાવાદમાં વરસાદી ઝાપટા રહેશે
    • સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમ વરસાદ રહેશે
    • 4 અને 5 ઓગસ્ટ એ ભારે વરસાદ રહેશે
    • 4 ઓગષ્ટથી વરસાદનું જોર વધશે
    • દક્ષિણ ગુજરાત ના ભાગોમાં રહેશે ભારેથી મધ્યમ વરસાદ
    • રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં 92 ટકા વરસાદ વરસ્યો
  • 02 Aug 2023 01:48 PM (IST)

    વાયબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024

    • વાયબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ના પૂર્વાર્ધરૂપે રાજ્યમાં એક જ દિવસમાં 1401 કરોડ રૂપિયાના રોકાણો સાથે વધુ 4 MoU થયાં
    • વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઈન્‍વેસ્ટમેન્‍ટ તરીકે પ્રસ્થાપિત કરતી વાયબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી શ્રેણી જાન્યુઆરી-2024માં યોજાવાની છે.
    • મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે આ સમિટને સફળ બનાવવા માટેના શ્રેણીબદ્ધ આયોજનો હાથ ધર્યા છે.
    • આ વાયબ્રન્‍ટ સમિટ દેશ-વિદેશનાં રોકાણકારો, ઉદ્યોગકારો માટે ગ્લોબલ પ્લેટફોર્મ બની રહી છે. આ સંદર્ભમાં વાયબ્રન્‍ટ સમિટ-2024ના પૂર્વાર્ધરૂપે રાજ્ય સરકારે વિવિધ ઉદ્યોગો સાથે અત્યારથી જ MoU કરવાનો ઉપક્રમ પ્રયોજ્યો છે.

  • 02 Aug 2023 01:42 PM (IST)

    મધ્યપ્રદેશ: કુનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તાનું મોત

    કુનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તાનું મોતઘણા દિવસોથી માદા ચિતાની શોધમાં હતો અત્યાર સુધીમાં કુલ 9 ચિત્તાના મોત થયા છે, જેમાંથી ત્રણ બચ્ચા હતા કુલ 20 ચિત્તા લાવવામાં આવ્યા હતા

  • 02 Aug 2023 12:20 PM (IST)

    ગુજરાત વિધાનસભા સત્રની તારીખ થઈ નક્કી

    ગુજરાત વિધાનસભા સત્રની તારીખ નક્કી થઈ છે. 13, 14, 15 સપ્ટેમ્બરે વિધાનસભા સત્ર યોજાશે. રાજ્યપાલે મહોર મારી છે. ત્યારે 3 દિવસીય વિધાનસભા સત્રમાં 2 બિલ પણ મુકાશે.

  • 02 Aug 2023 12:18 PM (IST)

    ભાવનગર: બે માળની ગેલેરીનો ભાગ નીચે પડતા કેટલાક લોકો ફસાયા

    • શહેરમાં આવેલા માધવહિલ કોમ્પ્લેક્સનો પાછળનો ભાગ ધરાશાયી
    • બે માળની ગેલેરીનો ભાગ નીચે પડતા કેટલાક લોકો ફસાયા
    • 108 અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી લોકોને બચાવવા માટે કામે લાગી
  • 02 Aug 2023 12:12 PM (IST)

    સુરત: બે વર્ષની બાળકી સાથે રેપ વિથ મર્ડરનો કેસ

    • સચિનમાં બે વર્ષની બાળકી સાથે રેપ વિથ મર્ડરનો કેસ
    • આરોપીને ફાંસીની સજા આપવામાં આવી
    • બે વર્ષની બાળકીના પેટ પર બચકાં પણ ભર્યા હતા
    • 11 દિવસમાં જ ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી
    • નામદાર કોર્ટ દ્વારા આરોપી ઇસ્માઇલ યુસુફને દોષિત જાહેર કરાયો છે
    • આરોપીના મોબાઈલમાંથી 200 જેટલા બિભત્સ ફોટા મળી આવ્યા
    • નાના બાળકોની હત્યા કઈ રીતે કરવી તે અંગે ઇન્ટરનેટ પરથી જાણ્યુ હતુ
  • 02 Aug 2023 11:48 AM (IST)

    લોકસભા 2 વાગ્યા સુધી સ્થગિત

    લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. વિપક્ષ તરફથી લોકસભામાં સતત હોબાળો થતો રહ્યો.

  • 02 Aug 2023 11:20 AM (IST)

    બિપરજોય વાવઝોડાથી ગુજરાતમાં રૂ.1797.82 કરોડનું નુકસાન, રાજ્ય સરકારે કેન્દ્ર પાસે માગી સહાય

    બિપરજોય વાવઝોડાથી થયેલા નુકસાનને લઇને કેન્દ્રની સહાય જાહેરાત પહેલા કેન્દ્ર સરકારની ટીમ ગુજરાતમાં આવી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા નુકસાન સહિતના મુદ્દાઓ પર કેન્દ્ર સમક્ષ રજુઆત કરવામાં આવી છે. જૂન મહિનામાં આવેલા અતિવિનાશક બિપરજોય વાવાઝોડાથી ગુજરાતને રૂ.1797.82 કરોડનું નુકસાન થયુ હોવાની કેન્દ્રીય ટીમ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

  • 02 Aug 2023 10:27 AM (IST)

    દેવદાસ-જોધા અકબરના આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈએ કરી આત્મહત્યા, સ્ટુડિયોમાંથી લાશ મળી

    નીતિન દેસાઈએ લિજેન્ડ ઓફ ભગત સિંહ, દેવદાસ અને જોધા અકબર જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની આત્મહત્યાના સમાચારે બોલિવૂડને આંચકો આપ્યો છે. આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈએ બુધવારે આત્મહત્યા કરી હતી. નીતિન દેસાઈની લાશ ખાલાપુર રાયગઢના સ્ટુડિયોમાંથી મળી આવી છે. પોલીસને આ અંગેની માહિતી મળતા જ તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

  • 02 Aug 2023 09:51 AM (IST)

    ઉત્તરાખંડના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ, વીજળી પડવાની સંભાવના

    હવામાન વિભાગે ઉત્તરાખંડમાં વરસાદને લઈને ચેતવણી જાહેર કરી છે. દેહરાદૂન, પૌરી, નૈનીતાલ, ચંપાવત અને ઉધમ સિંહ નગરમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે. આ સાથે રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ વીજળીના કડાકા સાથે વરસાદની સંભાવના છે.

  • 02 Aug 2023 09:40 AM (IST)

    Surat: પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો, તાવથી મગદલ્લાના યુવક અને પાલની એક શ્રમજીવી મહિલાનું મોત

    ચોમાસુ આવતાં જ રસ્તાઓ, પાણીની સાથે રોગચાળો (Disease) પણ લોકોને પરેશાન કરી રહ્યો છે. ગુજરાતના અનેક મોટા શહેરોમાં પણ લોકો મચ્છર અને પાણીજન્ય રોગચાળાથી હેરાન થઈ રહ્યા છે. ત્યારે તાવમાં સપડાયેલા સુરતના મગદલ્લાના યુવકનું મોત નિપજ્યું છે. તો તેવી જ રીતે બે ત્રણ દિવસથી તાવ આવ્યા બાદ પાલની એક શ્રમજીવી મહિલાનું પણ મોત નિપજ્યું છે.

    તો બીજી તરફ સુરતમાં પણ મચ્છરજન્ય રોગચાળો અટકાવવા મનપા એકશનમાં દેખાઈ રહી છે. વિવિધ વિસ્તારોમાંથી મચ્છરોના બ્રિડિંગ મળતા 28 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. દંડનીય કાર્યવાહી છતા લોકોમાં જાગૃતિનો સદંતર અભાવ જોવા મળ્યો. આ જોતાં પાલિકા આગામી સમયમાં બ્રિડિંગ મળવાના કિસ્સામાં બમણો ચાર્જ વસૂલવા તૈયાર છે.

  • 02 Aug 2023 09:16 AM (IST)

    કલમ 370 પર સુપ્રીમમાં આજે થશે સુનાવણી, CJI પોતે કરશે બંધારણીય બેંચનું નેતૃત્વ

    મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજની બંધારણીય બેંચ બુધવારથી સુપ્રીમ કોર્ટમાં જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 નાબૂદ કરવા સામે દાખલ અરજીઓ પર સુનાવણી કરશે.

  • 02 Aug 2023 08:50 AM (IST)

    સુરત: બારડોલીમાં બાઇકના શોરૂમમાં ફિલ્મી ઢબે થઈ ખુલ્લા હાથની મારામારી

    • મિલનો ટોકીઝના સામે આવેલ સીમા સુઝુકીના શોરૂમમાં થઈ મારામારી
    • બાબેનના યુવાને સર્વિસમાં મુકેલ મોપેડની કામગીરીથી અસંતુષ્ટ થતા કરી બબાલ
    • શોરૂમના કર્મચારીઓને મોપેડના માલિકે અન્ય યુવાનોને બોલાવી ઢોર માર માર્યો
    • મારામારીની ઘટના બાદ સમગ્ર મામલો પહોંચ્યો પોલીસ મથકે
    • મારમારીની આખી ઘટના શોરૂમના CCTV કેમેરામાં થઇ કેદ
    • પોલીસે બન્ને પક્ષે ફરિયાદ લઈ વધુ કાર્યવાહી હાથ ધરી
  • 02 Aug 2023 08:26 AM (IST)

    ઓડિશા ટ્રેન અકસ્માત: 2 મહિના પછી પણ 29 મૃતદેહોની ઓળખ થઈ શકી નથી

    ઓડિશા ટ્રેન દુર્ઘટનાના બે મહિના પછી પણ 29 મૃતદેહોની ઓળખ થઈ શકી નથી. આ દુર્ઘટનામાં 295 લોકોના મોત થયા હતા, જેમાંથી 29ની ઓળખ હજુ બાકી છે.

  • 02 Aug 2023 08:11 AM (IST)

    નૂહ હિંસામાં અત્યાર સુધીમાં 5ના મોત, સોહનામાં આજે પણ શાળા બંધ

    હરિયાણાના નૂહ જિલ્લામાં સોમવારે એક શોભાયાત્રા પર પથ્થરમારો બાદ સ્થિતિ તંગ બની ગઈ છે. તેની અસર આસપાસના જિલ્લાઓ અને વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે, જેમાં ગુડગાંવ, ફરીદાબાદ, માનેસર અને સોહનાનો સમાવેશ થાય છે. સોહનામાં તણાવના કારણે સાવચેતીના પગલારૂપે આજે પણ શાળા-કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

  • 02 Aug 2023 07:27 AM (IST)

    ગાંધીનગર: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક

    • આજે 10.45 વાગ્યે મળશે કેબિનેટ બેઠક
    • જૂનાગઢ, ગીર સોમનાથમાં ભારે વરસાદ બાદ ખેતીના થયેલા નુકશાન પર ચાલી રહેલી સર્વેની કામગીરીની થશે સમીક્ષા
    • સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની નુકશાની બાદ સહાય બાબતે સમીક્ષા થશે
    • રાજ્યમાં ખરીફ વાવેતર પર કેબિનેટમાં થશે સમીક્ષા
    • વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઓ પર થશે સમીક્ષા
    • રાજ્યમાં વરસાદની સ્થિતિની થશે સમીક્ષા
    • રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો પર થશે સમીક્ષા
  • 02 Aug 2023 07:00 AM (IST)

    નિકોબાર ટાપુઓમાં જોરદાર ભૂકંપ, રિક્ટર સ્કેલ પર 5.0ની તીવ્રતા

    નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આજે સવારે લગભગ 5:40 વાગ્યે નિકોબાર ટાપુઓમાં રિક્ટર સ્કેલ પર 5.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

  • 02 Aug 2023 06:43 AM (IST)

    વડોદરા: ક્રાઇમ બ્રાન્ચે તપાસ સંભાળ્યા પછી નવેસરથી રિકન્સ્ટ્રક્શન કર્યું

    • સચિન ઠક્કર હત્યા કેસના આરોપીઓને સાથે રાખી બીજી વાર રિકન્સ્ટ્રક્શન કરાયું
    • ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને રજુઆત બાદ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસને ઝડપી કરવામાં આવી
    • ક્રાઇમ બ્રાન્ચની ટીમ આરોપીઓને લઈને ઘટના સ્થળે પહોંચી
    • ક્રાઇમ બ્રાન્ચે તપાસ સંભાળ્યા પછી નવેસરથી રિકન્સ્ટ્રક્શન કર્યું
    • ક્રાઇમ બ્રાન્ચને મળી મહત્વની સફળતા
    • મારામારીની ઘટના સ્થળ નજીકથી પોલીસને મળી આવ્યો દંડો
    • સચિન ઠક્કર અને પ્રિતેષ ઠક્કરને જે દંડાથી મારવામાં આવ્યા તે દંડો ક્રાઇમ બ્રાન્ચે શોધી કાઢ્યો
    • ત્રણેય આરોપીઓને સાથે રાખી કરાયું રિકન્સ્ટ્રક્શન

Published On - Aug 02,2023 6:40 AM

Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">