AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamnagar: શ્રાવણી મેળાના આયોજનમાં મહાનગર પાલિકાને 3 કરોડથી વધુની આવકનો અંદાજ, આ વર્ષે 3 સપ્તાહ માટે કરાયું આયોજન

જામનગર શહેરમા આગામી તારીખ 21 ઓગષ્ટથી 14 સપ્ટેમ્બર સુધી મેળાનુ આયોજન કરવામાં આવ્યુ છેે. શહેરમાં પ્રદર્શન મેદાન અને રંગમતિ નદીના પટ પાસે બે સ્થળોએ મેળાનુ આયોજન કરવામાં આવ્યુ છે. આયોજનમાં મહાનગરપાલિકાને 3 કરોડથી વધુની આવકનો અંદાજ છે.

Jamnagar: શ્રાવણી મેળાના આયોજનમાં મહાનગર પાલિકાને 3 કરોડથી વધુની આવકનો અંદાજ, આ વર્ષે 3 સપ્તાહ માટે કરાયું આયોજન
Divyesh Vayeda
| Edited By: | Updated on: Aug 02, 2023 | 4:39 PM
Share

Jamnagar: શ્રાવણ માસમાં પરંપરાગત મેળાનુ આયોજન મોટાભાગના શહેરોમાં થાય છે. જામનગરમાં આ વખતે શ્રાવણી મેળાનુ બે સ્થળે આયોજન કરવામાં આવ્યુ છે. સાથે મેળો આ વર્ષે 3 સપ્તાહ માટે કરવાનુ આયોજન મહાનગરપાલિકાએ કર્યુ છે. અગાઉ જે બે સપ્તાહ સુધીના મેળા યોજાતા, પરંતુ આ વર્ષે તેની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે મહાનગર પાલિકાની તિજોરીને 3 કરોડ 5 લાખની આવક મળશે.

જામનગર શહેરમા આગામી તારીખ 21 ઓગષ્ટથી 14 સપ્ટેમ્બર સુધી મેળાનુ આયોજન કરવામાં આવ્યુ છેે. શહેરમાં પ્રદર્શન મૈદાન અને રંગમતિ નદીના પટ પાસે બે સ્થળોએ મેળાનુ આયોજન કરવામાં આવ્યુ છે. પ્રદર્શનના મૈદાનમાં કુલ 58 સ્ટોલ કરવામાં આવશે. કુલ 58 સ્ટોલ માટે કુલ 401 પાર્ટીઓએ ટેન્ડરના ફોર્મ મેળવ્યા હતા. જે પૈકી 183 પાર્ટીઓ ટેન્ડર ભર્યુ હતુ. જેમાં 58 સ્ટોલ માટે 58 પાર્ટીના ટેન્ડર મંજુર થયા છે.

આમ કુલ મહાનગર પાલિકાને બે મેળાના આયોજનથી કુલ 3 કરોડ 5 લાખની આવક થનાર છે. મેળાનુ આયોજન આ વખતે 2 સપ્તાહને બદલે ત્રણ સપ્તાહની મુદત કરવામાં આવી છે. જેના કારણે મહાનગર પાલિકાને જયા 1 કરોડની આવકનો અંદાજ હતો ત્યાં 3 કરોડથી વધુની આવક થઈ છે.

પ્રદર્શન મૈદાનમાં 58 જેટલા સ્ટોલ ફાળવવામાં આવ્યા છે. જેમાં 10 સ્ટોલ મશીન મનોરંજન, 10 સ્ટોલ ચિલ્ડ્રન રાઈડસ, 8 સ્ટોલ ખાણીપીણીના , 13 સ્ટોલ હાથથી ચાલતી ચકરડીઓ, 2 આસ્ક્રીમના સ્ટોલ, 7 પોપકોનના સ્ટોલ, 8 રમકડાના સ્ટોલ ફાળવવામાં આવ્યા છે. જેમાં મશીન મનોરંજનની મોટી રાઈડસના 10 સ્ટોલ માંથી 189.75 લાખની આવક થનાર છે.

આ પણ વાંચો : Jamnagar : બાલા હનુમાન મંદિરમાં ચાલતી અખંડ રામધૂનના 59 વર્ષ પુર્ણ, 60મા વર્ષમાં પ્રવેશ

ચિલ્ડ્રન રાઈડસના 10 સ્ટોલ માંથી 40.25 લાખની આવક થશે. ખાણી-પીણીના 8 સ્ટોલના 10.06 લાખની આવક થશે. હાથથી ચાલતી ચકરડીના 13 સ્ટોલથી 20.40 લાખની આવક થશે. આઇસ્કીમના બે સ્ટોલથી 12.67 લાખની આવક થશે. પોપકોનના 7 સ્ટોલથી 4.07 લાખની આવક થશે. અને રમકડાના 8 સ્ટોલથી 24.70લાખની આવક મહાનગર પાલિકાને થનાર છે.

જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">