Gujarati Video:અમરેલી ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પરના બ્રિજમાં ગોબાચારી આવી સામે, એક જ મહિનામાં બેસી ગયો ઓવરબ્રિજ

Amreli: અમરેલીમાં એક મહિના પહેલા જ શરૂ કરાયેલા બ્રિજમાં તિરાડો પડી ગઈ છે. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પરનો બ્રિજ તિરાડો પડતા બંધ કરવામાં આવ્યો છે. કરોડોના ખર્ચે તૈયાર થયેલો બ્રિજ માત્ર એક જ મહિનામાં નબળી ગુણવત્તાનો પૂરવાર થયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2023 | 6:35 PM

Amreli: અમરેલીમાં ભાવગર-સોમનાથ નેશનલ હાઈવે પરનો બ્રિજ એક જ મહિનામાં બેસી જતા બ્રિજની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. હજુ એક જ મહિના પહેલા શરૂ કરાયેલા આ બ્રિજ પર મસમોટી તિરાડ પડી ગઈ છે. બ્રિજના જોઈન્ટમાં જ તિરાડ પડી જતા હાલ તેને અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલા બ્રિજમાં નબળી ગુણવત્તાનું મટિરિયલ વપરાયુ હોવાની સાબિતી બ્રિજ ખુદ આપી રહ્યો છે.

એક જ મહિનામાં કરોડોના ખર્ચે બનેલા બ્રિજમાં પડી તિરાડો

માત્ર એક જ મહિનામાં બ્રિજમાં તિરાડો પડી જતા સ્થાનિકોએ નેશનલ હાઈવે ઓથોરિટીએ બ્રિજની બનાવટમાં ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. બ્રિજની ગુણવત્તાને લઈને સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યા છે. બ્રિજનું કામકાજ ફરી કરવામાં આવે તેવી સ્થાનિકો માગ કરી રહ્યા છે.

આ પણ વાંચો : Gujarat Video: ભાજપના ધારાસભ્ય મહેશ કસવાળાના વિવાદી નિવેદન પર કોંગ્રેસના પ્રતાપ દૂધાતનો પલટવાર, કહ્યુ કસવાળા કરાવે માનસિક સારવાર

બ્રિજના કામમાં કોણે કરી ગોબાચારી?

જો કે એક જ મહિનામાં કરોડોના ખર્ચે તૈયાર થયેલા બ્રિજમાં તિરાડો પડતા નેશનલ હાઈવે ઓથોરિટીની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. નબળી ગુણવત્તાનું કામ કરી જનતાના જીવના ભોગે મલાઈ કોણ ખાઈ ગયુ તેને લઈને પણ સવાલ થઈ રહ્યા છે. સ્થાનિકોનો આરોપ છે કે આવા લોકોના પાપે જ નિર્દોષ નાગરિકો દુર્ઘટનાનો ભોગ બને છે, પરંતુ તેમને લોકોના જીવની કંઈ પડી નથી. ત્યારે સૌથી મોટો સવાલ તો એ છે કે આટલી હલકી ગુણવત્તાની કામગીરી કરનારા તત્વો સામે શું કાયદાનો કોરડો વિંજાશે ?

 અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">