ગાંધીનગરના પેથાપુર-રાંધેજા રોડ પર ગેરકાયદે દરગાહનું ડિમોલિશન કરવામાં આવ્યું છે. રોડની બાજુમાં આવેલી આ ગેરકાયદે દરગાહને તોડી પાડવામાં આવી છે. મહાનગરપાલિકાએ અગાઉ જમીનના આધાર પુરાવા રજૂ કરવા માટે નોટિસ પણ આપી હતી, પરંતુ સમય મર્યાદામાં જવાબ ન મળતા દબાણ શાખાએ કાર્યવાહી હાથ ધરી. ડિમોલિશન શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો.
18 ડિસેમ્બરના મહત્વના સમાચાર : મોરબીમાં 4 પદયાત્રીને કચડી નાખનાર ટ્ર્ક બિનવારસી હાલતમાં જામનગર હાઈવે પરથી મળ્યો
સુપ્રીમ કોર્ટે, રાહુલ ગાંધી-સોનિયા ગાંધી સામે EDનો કેસ કાઢી નાખતા જામનગર કોંગ્રેસે ભાજપ કાર્યાલય સુધી રેલી યોજી હતી. પોરબંદરમાં ડ્રેજિંગ વિના જ બારોબાર 21 કરોડથી વઘુ રૂપિયાનો વહિવટ થયા હોવાની ફરિયાદને આધારે મુખ્ય પ્રધાને તપાસના આદેશ આપ્યા છે. કચ્છની સહકારી મંડળીના માનદ મંત્રી અને કારોબારી સભ્ય રૂપિયા 2.80 લાખની લાંચ લેતા ઝડપાયા છે. વાવ થરાદ જિલ્લાના મેડિકલ સ્ટોર્સમાં તપાસ હાથ ધરાઈ, ફાર્માસિસ્ટ વિના ચાલતા સ્ટોરના પરવાના રદ કરાશે. ભૂજની પાલારા જેલમાંથી વાઈફાઈ રાઉટર, સિમકાર્ડ, ફોનનુ ચાર્જર મળ્યું છે. રાજકોટ ગ્રામ્ય SOGએ સુલતાનપુર પોલીસ મથકની હદમાંથી ગાંજાનુ ખેતર ઝડપ્યું છે. આ ઉપરાંત આજના મહત્વના સમાચાર જાણવા માટે તમે આ પેજને રિફ્રેશ કરતા રહો.

Gujarat Live Updates : આજે 18 ડિસેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
મોરબીમાં 4 પદયાત્રીને કચડી નાખનાર ટ્ર્ક બિનવારસી હાલતમાં જામનગર હાઈવે પરથી મળ્યો
બનાસકાંઠાના પદયાત્રીઓને મોરબી ખાતે કચડી નાખનાર ટ્ર્કને પોલીસે બિનવારસી શોધીને કબજે કર્યો છે. સીસીટીવી તેમજ હ્યુમન સોર્સની મદદથી પોલીસે ટ્રકને ઓળખી હતી. માળિયા મિયાણા પોલીસે ટ્રકને જામનગર હાઈવે પરથી બિનવારસી હાલતમાં કબજે કર્યું હતું. ટ્રક ડ્રાઈવરનું નામ મોહનસિંહ શ્રવણસિંહ રાવત (રહે રાજસ્થાન) હોવાનું સામે આવ્યું છે. હાલ આરોપી ટ્રક ડ્રાઈવર હાજર ના મળતા પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે.
-
ધંધુકા ધોલેરા રોડ પર અકસ્માતમાં એક યુવાનનુ મોત
ધંધુકા ધોલેરા રોડ પર અકસ્માતમાં એક યુવાનનુ મોત થયું છે. હાઈવે પર બેફામ દોડતા ડમ્પરે એક આશાસ્પદ યુવાનને કચડી માર્યો છે. ધોલેરા રોડ પણ ડમ્પરો બેફામ ચાલવામાં આવી રહ્યા છે. આજે ફરી એક યુવાનને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ધંધુકા ધોલેરા રોડ પર નર્મદા કેનાલ ઉપર અકસ્માતમાં ઘટના સ્થળે પર જ એક યુવાન નું મોત થયું છે.
-
-
ધારાસભ્ય હાર્દિક પટેલ સહીતનાઓને સુરત કોર્ટે રાજદ્રોહના કેસમાંથી આપી મુક્તિ
વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને સુરત કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુરતમાં નોંધાયેલ રાજદ્રોહ કેસમાંથી હાર્દિક પટેલ સહિતના આરોપીઓનો છુટકારો થયો છે. સરકાર તરફે આપેલ અરજી અનુસંધાને હાર્દિક પટેલ સહિત અન્ય રાહત મળી છે. પાટીદાર નેતા અલ્પેશ કથીરીયા, વિપુલ દેસાઈ, ચિરાગ દેસાઈનાઓ વિરુદ્ધ અમરોલી પોલીસ સ્ટેશનમાં રાજદ્રોહનો કેસ નોંધાયેલ હતો. આ કેસ પરત ખેંચવાના સરકારના નિર્ણયના ભાગરુપે, સુરત સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેને મંજૂરી આપી અને હાર્દિક પટેલ સહિતનાઓને રાજદ્રોહ કેસના તહોમતમાંથી મુક્ત કર્યા.
-
જામનગરમાં કોંગ્રેસે, EDના વિરોધમાં ભાજપ કાર્યાલય સુધી યોજી રેલી, પોલીસે નેતાઓની કરી ધરપકડ
જામનગર કોંગ્રેસ દ્વારા ED ના વિરોધમાં ભાજપ કાર્યાલય સુધી રેલી યોજાઈ હતી. નેશનલ હેરલ્ડ કેસમાં ખોટી રીતે ભાજપ સરકારે ઈડી જેવી એજન્સીનો દુરપયોગ કરીને કોંગ્રેસને બદનામ કરવાના આક્ષેપ સાથે વિરોધ નોંધાવ્યો હતો. જામનગર શહેર કોંગ્રેસ કાર્યાલયથી ભાજપ કાર્યાલય સુધી સુત્રોચાર સાથે રેલી યોજાઈ હતી. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંઘીને સુપ્રીમ કોર્ટે EDના કેસને માન્યતા ના આપીને આકરી ટીકા કરી હતી. ભાજપની આ ખોટી નીતિ પ્રજા સામે દેખાડવા આજ રોજ ઘરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના પ્રમુખ, વિરોધ પક્ષના નેતા, યુવા કોંગ્રેસ પ્રમુખ, કોંગી મહિલા કાર્યકતા સહીત 20 લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.
-
પોરબંદરના દરિયાકાંઠે ડ્રેજીંગ કર્યા વિના જ સરકારના રૂપિયા 21.88 કરોડ ચાઉ કરાયાની લેખિત ફરિયાદ મળતા જ CM એ આપ્યા તપાસના આદેશ
પોરબંદરના સમુદ્ર કાંઠે ડ્રેજીંગ મામલે તપાસ કરવા મુખ્યમંત્રી આદેશ કર્યો છે. પોરબંદરના દરિયાકાંઠે ડ્રેજીગ કર્યા વિના જ રૂપિયા 21.88 કરોડ સરકારમાંથી મેળવી લેવાયા હોવાની એક ફરિયાદ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને મળી હતી.આ ફરિયાદ સંદર્ભે તપાસ કરવાના આદેશ થતા જ લાગતા વળગતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. લેખિત ફરિયાદમાં એવો ચોકાવનારો ઉલ્લેખ કરાયો છે કે, ડ્રેજિંગ નહીં થયું હોવા છતાં, અધિકારી અને કોન્ટ્રાક્ટર દ્રારા 21.88 કરોડના ખોટા બિલો મૂકી કોંભાડ આચરવામાં આવ્યુ હોવાના આક્ષેપ કરાયો છે. જોકે આજે બાવન કાના બાદરસાહી એ આજે રાજ્યના ગૃહ વિભાગ ને પત્ર લખી CBI તપાસની માંગ કરી હતી તે દરમિયાન મુખ્યમંત્રી કાર્યાલયમાંથી તપાસના આદેશ થયો છે.
-
-
સહકારી મંડળીના માનદ મંત્રી અને કારોબારી સભ્ય રૂપિયા 2.80 લાખની લાંચ લેતા ઝડપાયા
ભુજના અખિલ કચ્છ લોહાણા મહાજન પાસે જાહેર રોડ પર લાંચખોર ઝડપાયા છે. નખત્રાણા તાલુકા પંચાયત પ્રાથમિક ગ્રાહક ધિરાણ સહકારી મંડળી માનદ મંત્રી અને કારોબારી સભ્ય લાંચ લેતા ઝડપાયા છે. ઘનશ્યામભાઈ મનોરભાઈ પટેલને ભુજ ACB એ 2.80 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યા છે. માલ સપ્લાય કરેલ જેના બીલોની રકમ 7, 52, 132 મંજૂર કરાવવાની અવેજ પેટે કમિશન રૂપે 2.80 લાખ લાંચની માંગ કરી હતી.
-
વાવ થરાદ જિલ્લાના મેડિકલ સ્ટોર્સમાં તપાસ, ફાર્માસિસ્ટ વિના ચાલતા સ્ટોરના પરવાના રદ કરાશે
વાવ થરાદ જિલ્લામાં NDPS અંતર્ગત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં દિયોદર, વાવ, માવસરી, થરાદ સહિતના વિસ્તારોમાં મેડિકલ સ્ટોર પર ધરાયું હતું ચેકિંગ, દિયોદર અને થરાદમાં જોવા મળી મેડિકલ વિભાગમાં ક્ષતિઓ. થરાદ શહેરમાં ચાર મેડિકલ સ્ટોર ફાર્મસીસ્ટ વગર ચાલતાં હતા. SOG ની ટીમે ફ્રુડ એન્ડ ડ્રગ્સ ની ટીમને સાથે રાખી ચારેય મેડીકલના પરવાના રદ કરવા ની કાર્યવાહી હાથ ધરી છે. દિયોદરમાં આવેલ ચામુંડા મેડિકલ સ્ટોરમાંથી મળી આવી માદક પદાર્થ ના ભેળસેળવાળી ગોળીઓ મળી આવી છે. ચામુંડા મેડિકલ અને પ્રોવિઝન સ્ટોરમાંથી પ્રતિબંધિત દવાની 3300થી વધુ મળી આવી ગોળીઓ. નશા યુક્ત ગોળીઓનું વેચાણ કરતા વેપારી સામે પોલીસે નોધી ફરિયાદ રૂ. 14 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. મેડિકલ સ્ટોરના માલિક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ કરી છે.
-
ભૂજની પાલારા જેલમાંથી વાઈફાઈ રાઉટર, સિમકાર્ડ, ફોનનુ ચાર્જર મળ્યું
કચ્છના ભુજની પાલારા ખાસ જેલમાં પ્રતિબંધિત ચીજ વસ્તુઓ મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. જેલના યાર્ડ 9ની 5 બેરેકમાં બિનવારસી હાલતમાં પ્રતિબંધિત ચીજ વસ્તુઓ મળી આવી છે. જેલ પ્રતિબંધીત JIO કંપનીનું રાઉટર, JIOનું સિમકાર્ડ અને મોબાઈલ ફોનનું ચાર્જર મળી આવ્યું છે. સ્થાનિક ઝડતી સ્કોવર્ડએ 16 ડિસેમ્બરના રાત્રે 10:40 વાગ્યાએ કાર્યવાહી કરાઈ હતી. 17 ડિસેમ્બરના 5:15 વાગ્યાએ ભુજ બી ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા કેદી સામે બીએનએસ અને પ્રિઝન એક્ટ કલમો તળે ગુનો નોંધાયો છે. પાલારા જેલ પ્રશાસનની સુરક્ષા વ્યવસ્થા પર ફરી ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. અગાઉ પણ પાલારા ખાસ જેલમાં મોબાઈલ સહિતની પ્રતિબંધિત ચીજ વસ્તુઓ મળી ચુકી છે.
-
રાજકોટ ગ્રામ્ય SOGએ સુલતાનપુર પોલીસ મથકની હદમાંથી ગાંજાનુ ખેતર ઝડપ્યું
રાજકોટ શહેર બાદ, હવે જિલ્લામાંથી પણ ગાંજાનું વાવેતર ઝડપાયું છે. રાજકોટ જિલ્લા SOG ટીમે ગાંજાનું વાવેતર ઝડપ્યું છે. સુલતાનપૂર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું. યુવાનોને ગાંજાના સેવન તેમજ અન્ય વ્યસનોથી દૂર રહેવા રાજકોટ ગ્રામ્ય ASP સિમરન ભારદ્વાજે અપીલ કરી છે. આરોપી નિર્મળ નાથાભાઈ ડેર દ્વારા કરાયું હતું વાડીમાં ગાંજાનું વાવેતર. પોલીસે 21.300 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે આરોપીને દબોચ્યો છે. આરોપી છેલ્લા 4 મહિનાથી ખેતરમાં ગાંજાનું વાવેતર કરતો હતો. રૂપિયા 10.65 લાખની કિંમતનો ગાંજો કબજે કરી જિલ્લા SOG પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
-
સાબરકાંઠા જિલ્લા કલેકટરની કચેરીને RDX બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સાબરકાંઠા જિલ્લા કલેકટરની કચેરીને RDX બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. રાજ્યમાં ક્લેકટર કચેરીઓને આરડીએક્સ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી રહી છે. જેના ભાગરૂપે સાબરકાંઠા ક્લેકટર કચેરી સહિત જિલ્લા સેવા સદનમાં પોલીસનો કાફલો ખડકાયો છે. બોંમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સહિતની ટીમો ક્લેકટર કચેરી પહોંચી છે. ક્લેકટર કચેરી અને સેવા સદનની કચેરીઓની તપાસ કરાઈ છે. કચેરીમાં શંકાસ્પદ ચીજોને લઈ સાવચેતી અને તકેદારી રાખવા અપીલ કરાઈ છે. પોલીસ દ્વારા કચેરીના તમામ વિસ્તારને તપાસવામાં આવ્યો છે. રાજ્યની ક્લેકટર કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની મેઇલથી ધમકી મળી હતી. જેને લઈ જિલ્લા કલેક્ટર કચેરીઓમાં સાવચેતીને લઇ કાર્યવાહી કરાઇ
-
પીએમ મોદીને ઓમાનના સર્વોચ્ચ નાગરિક સન્માન, ઓર્ડર ઓફ ઓમાનથી સન્માનિત કરાયા
સુલતાન હૈથમ બિન તારિક અલ સૈદે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઓર્ડર ઓફ ઓમાનથી સન્માનિત કર્યા હતા. ઓર્ડર ઓફ ઓમાન, એ ઓમાનનો સર્વોચ્ચ નાગરિક સન્માન એવોર્ડ છે.
-
અમદાવાદમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે T20 મેચને લઈ મેટ્રો રાત્રે 12.30 સુધી દોડશે
આવતીકાલે અમદાવાદના મોટેરમાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે યોજાનાર ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે T20 મેચને લઈને મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આવતીકાલે રાત્રે 12:30 કલાક સુધી મેટ્રો દોડશે. વતીકાલે મેચ જોવા આવતા લોકો માટે વિશેષ ટિકિટનું આયોજન કરવામાં આવ્યું છે. 50 રૂપિયા ટિકિટ રાત્રે 12:30 સુધી ચાલી શકશે. રાત્રે 10 વાગ્યા બાદ માત્ર વિશેષ ટિકિટ માન્ય રહેશે.
-
સાયબર ફ્રોડના રૂપિયા જમા કરાવવા બેંક એકાઉન્ટ આપનાર વાવ થરાદના 74 સામે તવાઈ, પોલીસ ફરિયાદ નોંધાઈ
વાવ થરાદમાં સાયબર ફ્રોડમા સંડોવાયેલા મ્યુલ બેંક ખાતા સામે કાર્યવાહી કરાઈ છે. જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમા કરાઈ તપાસ. 74 બેંક ખાતાના ખાતાધારકો સાઇબર ફ્રોડમાં સામેલ હોવાનું સામે આવ્યું છે. સાયબર ફ્રોડમાં સામે આવ્યું કે, પાંચ કેસમાં એટીએમનો ઉપયોગ થયો છે. સાયબર ફ્રોડમા પાંચ બેંક ખાતામાં ચેક દ્રારા પૈસાની હેરાફેરી થયાનું સામે આવ્યું છે. થરાદ પોલીસ મથકે નોંધાઈ સાયબર ફ્રોડ કરનાર વ્યક્તિઓ સામે ફરિયાદ. વાવ પોલીસ મથકે સાયબર ફ્રોડ કરનાર વ્યક્તિઓ સામે બે પોલીસ ફરિયાદ નોંધાઈ. વાવ પોલીસ મથક નોંધાયેલા ગુનામાં બે આરોપીઓની ધરપકડ કરાઈ છે. થરાદ પોલીસ મથકે નોંધાયેલા સાયબર ફ્રોડના ગુનામાં એક વ્યક્તિની ધરપકડ કરાઈ.
-
સાયબર ફ્રોડની આ નવી રીત જાણશો તો બચી જશો, અજાણ્યા કોલને રી ડાયલ ના કરશો
તાજેતરમાં એક નવી પધ્ધતિથી સાયબર ફ્રોડ આચરવામાં આવે છે. જો કોઈ આપના મોબાઈલ ફોન પર ફોન કરે અને તમે જવાબ આપો પરંતુ સામેથી કોઈ જવાબ ના આવે અથવા તો તમને આવેલ ફોનમાં સામેથી હેલ્લો હેલ્લો બોલે પરંતુ તમારો અવાજ અજાણ્યા ફોનધરાકને ના સંભળાય તો કદાપી પણ એ ફોનને રી ડાયલ ના કરતા. આમ કરવાથી તમારી સાથે ફ્રોડ થઈ શકે છે. અમદાવાદ સ્થિત સાયબર ક્રાઈમના એસપીનું કહેવું છે કે, આ પધ્ધતિ અપનાવીને ફોન એક્ટિવ છે કે કેમ તે તપાસ કર્યા બાદ સાયબર ગઠિયાઓ, એક્ટિવ નંબરને ફ્રોડ કરનારાઓને વેચતા હોય છે. આવા સાયલન્ટ કોલથી ફ્રોડ નથી થતા પણ સાયબર ફ્રોડ કરવા માટે કોલ કરે છે કે નંબર એક્ટિવ છે કે કેમ. આવા શંકાસ્પદ નંબરને સંચાર સાથી ડોટ કોમ કે ચક્ષુમા તેની ફરિયાદ કરી દેવી જોઈએ.
-
અંકલેશ્વર નગરપાલિકાના વર્તમાન પ્રમુખ સામે પૂર્વ પ્રમુખ અને વિપક્ષી નેતાએ ખોલ્યો મોરચો, બોર્ડૃપાલિકાના ઠરા વિના જ વિકાસના નામે રસ્તા ખોદી નાખ્યાં
ભરૂચના અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ સામે ભાજપના નગર સેવક અને પૂર્વ પ્રમુખ તેમજ કોંગી વિપક્ષી નેતાએ મોરચો માંડ્યો છે. ચેણે આક્ષેપ કર્યો છે કે, પાલિકાના ઠરાવ અને બોર્ડ મંજૂરી વિના જ વિકાસકાર્યોનાં નામે રસ્તા ખોદી નાખ્યા છે. પાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપ નગર સેવક સંદીપ પટેલે કહ્યું કે, મુખ્ય રસ્તાનું નિર્માણ કાર્ય ચાલે છે તો બીજી તરફ પ્રજાની સમસ્યાની દરકાર લીધા વગર વૈકલ્પિક રસ્તા ખોદી નાખ્યા છે. વિપક્ષના નેતા જહાગીર પઠાણે કહ્યું કે, ટર્મ પુરી થાય તે પહેલા ઉતાવળે કામ આટોપી લેવામાં સત્તાધીશોને કયો રસ છે? આખા મામલે પાલિકા પ્રમુખ તરફથી કોઈ નિવેદન કરાયું નથી.
-
અમદાવાદની અલગ અલગ સ્કૂલમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીભર્યા ઈ મેઈલ મામલે સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
અમદાવાદ શહેરની અલગ અલગ સ્કૂલમાં, ગઈકાલે બોમ્બ બ્લાસ્ટની ધમકી ભર્યા ઈ-મેઈલના મામલે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે. સાયબર ક્રાઇમના સબ ઇન્સ્પેક્ટર પી.એ.હિરપરા પોતે જ ફરિયાદી બન્યા હતા. પોલીસે ત્રણ ઈમેલ આઇડી ધારક વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. તપાસમાં VPN નો ઉપયોગ કરી સિંગાપુરથી ઈ મેઈલ કર્યો હોવાનું સામે આવ્યું છે. હોટ મેઈલમાં બે મેઈલ અને atomic મેઈલ પરથી એક મેઈલ આવ્યો હતો.
-
પોરબંદર: દબાણ હટાવ ઝુંબેશ ત્રીજા દિવસે પણ યથાવત
પોરબંદરમાં દબાણ હટાવ ઝુંબેશ ત્રીજા દિવસે પણ યથાવત ચાલુ રહી છે. મનપા અને પોલીસની ટીમે સંયુક્ત રીતે શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન લારી-ગલ્લા અને પાથરણાવાળાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને મનપાની ટીમ દ્વારા લારી-ગલ્લા તેમજ પાથરણા કબજે લેવામાં આવ્યા હતા. કેદારેશ્વર રોડ, એમ જી રોડ અને SVP રોડ પર તંત્રની તવાઈ જોવા મળી હતી. રસ્તા ખુલ્લા કરવા માટે દબાણો દૂર કરાતા પાથરણાવાળાઓમાં ફફડાટ ફેલાયો હતો, જ્યારે વેપારીઓએ શાંતિપૂર્ણ રીતે કાર્યવાહી કરવાની માગ ઉઠાવી હતી.
-
અમદાવાદ: કુખ્યાત આરોપીનું ગેરકાયદે દબાણ જમીનદોસ્ત
અમદાવાદમાં તંત્ર દ્વારા કુખ્યાત આરોપીની ગેરકાયદે મિલકત પર કડક કાર્યવાહી કરવામાં આવી છે. જુહાપુરા વિસ્તારમાં આવેલા આરોપીના ગેરકાયદે દબાણને બુલડોઝર ફેરવી જમીનદોસ્ત કરવામાં આવ્યું હતું. આરોપી સામે શહેરના જુદા-જુદા પોલીસ સ્ટેશનોમાં કુલ 33 ગુનાઓ દાખલ હોવાનું જાણવા મળ્યું છે. ગેરકાયદે બાંધકામ સામેની આ કાર્યવાહીથી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાનો સંદેશ આપવાનો હેતુ રાખવામાં આવ્યો છે.
-
સુરત: ‘ગોગા પેપર’ પર શહેર SOGની કાર્યવાહી યથાવત
સુરતમાં પ્રતિબંધિત ‘ગોગા પેપર’ સામે શહેર SOGની કાર્યવાહી યથાવત ચાલુ છે. શહેર SOG દ્વારા સતત ત્રીજા દિવસે દરોડા પાડવામાં આવ્યા હતા. સિંગણપોર વિસ્તારમાં આવેલા અલગ અલગ ગોડાઉનોમાં SOGની ટીમે રેડ કરી હતી, જેમાંથી અંદાજે રૂ. 40 હજારની કિંમતનો ગોગા પેપરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
-
ગાંધીનગર: પેથાપુર-રાંધેજા રોડ પર ગેરકાયદે દરગાહનું ડિમોલિશન
-
છત્તીસગઢ: સુકમામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ત્રણ નક્સલીઓ ઠાર
છત્તીસગઢના નક્સલ પ્રભાવિત સુકમા જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ત્રણ નક્સલીઓ માર્યા ગયા. સુકમાના પોલીસ અધિક્ષક કિરણ ચવ્હાણે જણાવ્યું કે કેટલાક હથિયારો પણ મળી આવ્યા છે.
-
રાજ્યના વાતાવરણમાં ફરી આવી શકે છે પલટો-અંબાલાલ પટેલ
-
સુરત: પાલ-ગૌરવપથ ભેસાણ રોડ પર સર્જાયો અકસ્માત
સુરતના પાલ-ગૌરવપથ ભેસાણ રોડ પર ભયંકર અકસ્માત સર્જાયો છે. બેફામ ડમ્પર ચાલકે મેટ્રોના રેલિંગ સાથે ડમ્પર અથડાવી દીધો, જેમાં વન વે રોડ પર કાર ચાલકને બચાવવા જતાં આ દુર્ઘટના ઘટી હતી. ગંભીર ટક્કરથી ડમ્પરના ટાયર છૂટ્ટા થયા અને કેબીન પણ અલગ પડી ગયો. ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નહીં થઈ હોવાને કારણે મોટી દુર્ભાગ્ય ટળી ગઈ.
-
રાજકોટઃ ચીકી, તલના કચરિયા સહિતના વિક્રેતાઓ પર ચેકિંગ
રાજકોટમાં પારેવડી ચોકની અનેક દુકાનોમાં આરોગ્ય વિભાગની તાત્કાલિક તપાસ ચાલી રહી છે, જેમાં ચીકી, તલના કચરિયા સહિતના વિક્રેતાઓ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. શિયાળાના મોસમમાં કચરિયા અને ચીકીનું ધુમ વેચાણ વધતા સુરક્ષા અને ગુણવત્તા જાળવવા માટે આરોગ્ય વિભાગે આ કાર્યવાહી હાથ ધરી છે. તપાસ દરમિયાન વિક્રેતાઓની દુકાનોમાં ઉત્પાદનોની ગુણવત્તા અને સલામતીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે.
-
વડોદરાઃ જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાડવાની ધમકી
વડોદરા જિલ્લામાં કલેક્ટર કચેરીને બોંબથી ઉડાડવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો હતો. મળેલી માહિતી મુજબ ૧ વાગ્યા સુધીમાં કચેરી ખાલી નહીં કરાય તો બોંબથી ઉડાડવાની ધમકી આપવામાં આવી હતી. ઈ-મેઈલ મારફતે ધમકી મળતા જ તાત્કાલિક અસરથી કચેરીમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી સ્થાનિક પોલીસ સહિત અન્ય સુરક્ષા એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી તપાસમાં જોડાઈ હતી અને કચેરી પરિસરમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
-
ભાવનગરઃ નવા વર્ષ પહેલા દારૂની હેરાફેરી વધી
-
વડોદરા સુરત હાઈવે પર ખાનગી બસ પલટી, 30 ઇજાગ્રસ્ત
વડોદરા–સુરત હાઈવે પર કરજણના કંડારી પાટિયા નજીક ખાનગી બસ પલટી ખાવાની ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. બસ ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવતા અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું છે. બસમાં સવાર અંદાજે 30 મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતા કરજણ ફાયર વિભાગને માહિતી આપવામાં આવી, જેના પગલે કરજણ ફાયર ટીમ, કરજણ પોલીસ તથા ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સોની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ઈજાગ્રસ્ત મુસાફરોને ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે કરજણ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
-
1 જાન્યુઆરીથી CNG-PNG સસ્તા થશે
નવા વર્ષ 2026 ની શરૂઆત ભારતીય ગ્રાહકો માટે રાહત લાવવાની તૈયારીમાં છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ નિયમનકારી બોર્ડ (PNGRB) એ ટેરિફમાં સુધારા (Rationalization) ની જાહેરાત કરી છે, જેના કારણે દેશભરમાં CNG (કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ) અને PNG (પાઇપ્ડ નેચરલ ગેસ) ના ભાવ પ્રતિ યુનિટ ₹2 થી ₹3 સુધી ઘટશે. ડિસેમ્બર મહિનો પૂરો થવાનો છે અને થોડા દિવસોમાં નવું વર્ષ શરૂ થશે. નવા વર્ષની શરૂઆત સામાન્ય જનતા માટે નોંધપાત્ર રાહત લાવશે.
-
પ્લેનની જેમ હવે ટ્રેનમાં પણ વધુ સામાન લઈ જવા પર લાગશે ચાર્જ
હવે પ્લેનની જેમ ટ્રેનમાં પણ નિર્ધારિત મર્યાદા કરતાં વધુ સામાન લઈ જવા પર મુસાફરોને વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. ટ્રેનમાં સામાન લઈ જવાની મર્યાદા નક્કી કરવામાં આવી છે, જેના વિશે લોકસભામાં ચર્ચા દરમિયાન રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી હતી. નિયમ મુજબ AC ફર્સ્ટ ક્લાસમાં મુસાફરોને 70 કિલો સુધી સામાન લઈ જવાની છૂટ મળશે, જ્યારે AC 2 ટાયરમાં 50 કિલો અને જનરલ કોચમાં 35 કિલો સુધી સામાન લઈ જઈ શકાશે. જો મુસાફરો આ મર્યાદા કરતાં વધુ સામાન લઈને મુસાફરી કરશે તો તેમને વધારાનો ચાર્જ ભરવો પડશે. આ નિર્ણયથી ટ્રેનમાં મુસાફરી દરમિયાન સામાનના ભારને નિયંત્રિત કરવાનો હેતુ રાખવામાં આવ્યો છે.
-
સરકાર ટેકાના ભાવે તુવેરની ખરીદી કરાશે
-
લોકસભા આજે વાયુ પ્રદૂષણ પર ચર્ચા કરાશે
લોકસભા આજે વાયુ પ્રદૂષણ પર ચર્ચા કરશે. આ ચર્ચા નિયમ 193 હેઠળ થશે. પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ ચર્ચાનો જવાબ આપશે.
-
આજથી દિલ્હીની તમામ સરકારી અને ખાનગી સંસ્થાઓમાં 50% ઘરેથી કામ ફરજિયાત
દિલ્હીમાં વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને, દિલ્હી સરકારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. આજથી, તમામ સરકારી અને ખાનગી સંસ્થાઓમાં 50% ઘરેથી કામ ફરજિયાત છે.
Published On - Dec 18,2025 7:40 AM
Follow Us
Watermelon: ઉનાળાનું ફળ તરબૂચ છે હેલ્ધી, જાણો તેમાં રહેલા વિટામિનની માહિતી
કઈ આદતો Body Pain વધારી શકે છે?
Weight Loss: વજન ઘટાડવા માટે નાસ્તામાં ચણા ખાવા કે મખાના?
કયું જ્યુસ પાચન સુધારવામાં મદદ કરી શકે છે?
આ ફળો હંમેશા છાલ સાથે ખાઓ, વિટામીનનો ભંડાર છે
રોગપ્રતિકારક શક્તિ નબળી પડે ત્યારે કયા લક્ષણો દેખાય છે?